SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬–૧૦૮૩ પત્રકારત્વની પ્રતિષ્ઠદ્ધતા છે. સામાજિક અને સાહિત્યિક સંમાં પ્રતિબુદ્ધતા અને મૂલ્યો વિશે ગ્રંથ'ના ત ંત્રી શ્રી યશવત દાશીએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતું કે, સામાજિક અને સાહિત્યિક પ્રતિબદ્ધતા વિશે વિચાર કરતાં મને સ્વ. પરમાનંદ કાપડિયાતુ સ્મરણ થાય છે. તેઓ સતત લખતા, એમના લખાણામાં પ્રગતિશીલતા હતી. કાઈ પણ પત્રકાર સંપૂણ' તટસ્થ ન રહી શકે. જાણે અજાણે પૂર્વગ્રહો કે પ્રતિબદ્ધતા આવી જાય છે. પૂર્વગ્રહની છાપ અસ્પષ્ટ હોય છે. પ્રતિબદ્ધતા સમજપૂર્વક સ્વીકારેલી વાત છે. પ્રગતિશીલ મૂલ્યા પ્રત્યે પ્રતિબદ્ધતા હોવી જોઈએ. આપણી નજર આગળ હાવી જોએ. વીતી ગયેલા સુવણ યુગ હવે પાશ આવવાના નથી. તેથી ભૂતકાળને જ મહાન અને સર્વોપરિ અતાવતી વાર્તાને વળગી ન રહેવું જોઇએ. આજે સ્ત્રીની ભૂમિકા બદલાઇ છે. તેને ધી બહાર નીકળવું જરૂરી બન્યું છે. નારી કરતી સ્ત્રીની મજાક કરવાથી કે તેમને ઉતારી પાડતી રજૂઆતાથી દૂર રહેવુ જોઈએ. નવી પેઢી પ્રત્યે આપણું વલણ પ્રત્યાધાતી છે. એમની પ્રવૃત્તિઓને ઉતારી પાડવાનું કામ સહેલુ છે, પણ ચેગ્ય નથી. એમને માટેનું આ વાતાવરણ નિર્માણુ તો આપણે જ યુ છે. પત્રકારાએ આજની વાત સમજવાની છે અને નકકર રીતે રજૂ કરવાની છે. જન્મભૂમિ' પત્રાના દિલ્હી ખાતેના વિશેષ સંવાદદાતા શ્રી કુંન વ્યાસે સામાજિક પ્રતિબદ્ધતા અને મૂલ્યેો-રાજ્ય વ્યવસ્થા અને વહીવટી તંત્રના સંદ'માં' વિશે પોતાના વક્તવ્યમાં કહ્યુ` હતુ` કે, આજે રાજકારણનું સામાજિકરણુ થયું નથી પણ સમાજનુ રાજકીયકરણ થયુ છે. ભાષા–ધમ', જાતિ, તથા આર્થિક તેમજ સામાજિક કારણેાસર સમાજ વહેંચાઈ ગયા છે. આમાંથી તમે કયા સમાજને વકાદાર રહી શકા ? સૌને પરસ્પર વિરાધી હિતેા છે. ૐ વિષ્ણમય પ્રયુક્ત જીવન તિહાસિક દૃષ્ટિએ ગુજરાતી પત્રકારત્વના વિકાસમાં આઝાદી પહેલાનુ અને આઝાદી પછીનું એવી ભેદરેખા દોરી શકાય, પર’તુ પત્રાની માલિકી, વાચકની રુચિ, અદ્યતન યત્રસામગ્રી અને પ્રજાકીય પ્રશ્નો પ્રત્યેના અભિગમની દૃષ્ટિએ ઈ. સ. ૧૯૫૦નુ વર્ષી એ ઉચિત ભેદરેખા ગણાય. - ૧૯૫૦ પહેલાંનું ગુજરાતી પત્રકારત્વ મહદ્અંશે કતવ્યનિષ્ઠ હતુ. પત્રકાર પાસે ચાકકસ દિશા અને દૃષ્ટિ હતાં એનામાં સત્તાન સામને કરવાની ખુમારી અને ખુવાર થવાની તૈયારી હતી. સમાજસુધારો, સ્વરાજ્ય અને સ્વમ'ની ભાવનાના ખીલે અંધાયેલું એ પત્રકારત્વ એક મિશન હતું, ઉદ્યોગ નહિં. આજે કાઇ દૈનિક કે સામયિક ભાગ્યે જ જાહેરખબર વિના ચલાવી શકે, જ્યારે ગાંધીજીએ ત્રીસ-ત્રીસ વર્ષ સુધી જાહેરખબર વિના ૧૩ પત્રકારની આઝાદી વારતવમાં વ્યક્તિની આઝાદી નથી. રિપોટર કે તત્રીની આઝાદી નથી. વાચક ધારે તે પ્રકારનુ વિચારસરણીનું અખબાર મુકત રીતે મેળવી શકે અને માણી શકે તેનું જ નામ અખબારી આઝાદી. સેલ કમિટમેન્ટ એટલે પ્રામાણિક્રતા: ભૂતકાળના પત્રકાર સમાજને શિક્ષક-માગ દશ કે હતા. આજે પત્રકાર વાચકના સેકેટરી છે. પત્રકાર તરીકે મારી પ્રતિબદ્ધતા શું? મારા રાષ્ટ્રનું હિત જોવાની. આમ કરવા જતાં રાજ્ય વ્યવસ્થાપા કે વહીવટી ત ંત્રની ટીકા કરવી પડે તે કરવી. આ મૂલ્યાની જાળવણી કરવાની છે અને તેના પાયામાં પ્રામાણિકતા છે, મુબઇ ગુજરાતી પત્રકાર સંધના પ્રમુખ શ્રી સુધીર માંકડે સામાજિક પ્રતિષ્ણતા અને મૂલ્યા : પત્રકારની નજરે’ વિશેના પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, જગતના સૌથી વધુ ચર્ચાસ્પદ વિષય પત્રકારત્વ છે અને સૌથી વધુ ગેરસમજણું પણ પત્રકારિત્વ વિશે છે. પ્રતિબદ્ધતાની ખેડીએ સામે લડવાતુ છે. સત્તાધારીઓ તમામ રીતે કઇક લાદતા જ રહે છે. ૨૦૩ વર્ષ પહેલાં આ દેશમાં અખબારનો જન્મ થયો. પહેલાં ગારાઓએ પછી આપણા સત્તાધારીઓએ અંકુશ મુકવાનું ચાલુ રાખ્યુ છે. રશિયા, ઈંગ્લેન્ડ સવત્ર અખબારો કચડાયા છે. પ્રતિબદ્ધતાની જરૂર પત્રકારાને નથી, રાજકારણીઆને ખાસ જરૂર છે. પક્ષપલટુને ખાસ જરૂર છે. સાહિત્યકાર, શિક્ષા, નેતાઓ, વેપારીએ, સેવા વગેરેને પ્રતિબદ્ધતાની જરૂર છે. તમે જેવા સમાજ ધાયા હશે એવા અખબારો તમને મળશે. સમાજ અજ્ઞાન અને અજ્ઞાત રહે એમ મેવડીએ ઇચ્છે છે. મુકત નહિ પણ ગુલામ છાપાં સૌ આગેવાનોને જોઇએ છે. મુંબઇ શહેરમાંથી ગુજરાતી માધ્યમની શાળાઓ અને ગુજરાતીતા ધટતી રહી છે, એ વિશે વિચાર કયારે કરીશું? (ક્રમશ : ) વિભાગે, લેખા અને લખાવટ ૐ ડા. કુમારપાળ દેસાઇ (સંધના ઉપક્રમે ચેાજાયેલ પત્રકારત્વ વિષેના પરિસંવાદની દ્વિતીય ખેઠકમાં પરિવતનની પ્રક્રિયામાં પત્રકારત્વ : આઝાદી પહેલાંનું અને પછીતુ...' એ વિષય પર · વૈવિધ્યમય વિભાગો, લેખા અને લખાવટ'ના સંદર્ભમાં ડૉ. કુમારપાળ દેસાઇએ આપેલ પ્રવચન અત્રે પ્રગટ કરતાં આનંદ થાય છે. ——1‘ત્રી) સાપ્તાહિકા ચલાવ્યાં. ૧૯૫૦માં લેાકશાહીની મુકતતા, ગુજરાતી અખબારોની માલિકીમાં ફેરફાર અને માને ટાઇપ તેમજ ઝડપી અને રંગીન મુદ્રણ કરતાં રોટરી મશીનનુ આગમન થયું. વર્તમાન સમયના અખબારે જે સમસ્યાને મહત્ત્વની ગણે છે, તે સમસ્યાનાં આઝાદી પૂર્વે માત્ર એંધાણુ જ મળે છે. આર્થિક પ્રશ્નોના માત્ર કુણુગા જ ફૂટયા હતા, તે વિકસ્યા નહોતા. આજના ધણા પ્રશ્નો આઝાદી પૂર્વે નહાતા અને જે હતા તેના પર પણ ગાંધીવાદી ગંભીરત્વની છાપ હતી. એ સમયે દૈનિર્દેશનાં ચેાથા પાના પર આજની માફક લેખવિભાગે આવતા નહિ. આવા લેખવિભાગનુ સ્થાન સાપ્તાહિકમાં અને માસિકામાં જ રહેતુ. વળી ગંભીરલેખા લખનારાઓને આદશ' રામાનંદ ચેટરજીનુ મેડન રીવ્યુ’ તથા સી. વાય.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy