________________
તા. ૧-૧૦-૮૩
સાતમા દિવસે પ્રથમ વ્યાખ્યાતા શ્રી પ્રવીણું રૂપારેલ વ્રજ કાવ્યમાં પ્રેમ ભક્તિ' વિશે ખાલ્યા હતા. સ ંસ્કૃત પછી સૌથી વધુ માય નાદ અને પ્રવાહિતા વ્રજ ભાષામાં છે. રહીમ, સૂરદાસ, રસખાન, બિહારી અને તુલસીદાસ જેવા કવિઓએ વ્રજ ભાષાને સમૃદ્ધ બનાવી છે. પ્રેમલક્ષણા ભકિતમાં પરમાત્મા પ્રિયતમ અને ભકત પ્રિયતમા હોય છે જ્યારે સૂફીવાદમાં પ્રભુ પ્રિયતમા અને ભક્ત પ્રિયતમ હોય છે.
ખીજા વ્યાખ્યાતા શ્રી કિરણભાઇ ધ્યાન-વિચાર' વિશે ખાલ્યા હતા. ધ્યાનના માગે' જતાં પહેલાં આપણને પોતાને અળગા કરવાના છે. જેણે પૂર્ણ રીતે પાતાને જીત્યા છે એવા જિનના ગુણ ગાવાના છે અને જીવમૈત્રી કેળવવાની છે. પોતે પોતામાં સ્થિર થષ્ટએ એ પર્યુષણના સંદેશ છે. આઠમા દિવસે શ્રી મેારારજી દેસાઇ શ્રદ્ધાનું ખળ' વિશે ખેલ્યા હતા. સાચી શ્રદ્ધા તે છે જે માજીસને સતત શાંતિ આપે છે. શાંતિ મેળવવા માટે ચાર વસ્તુની જરૂર છે. અભય, સત્ય, અહિંસા અને નમ્રતા. બ્રહ્મા વગરની બુદ્ધિ પાંગળી છે, બુદ્ધિ ઉપર શ્રદ્ધાની લગામ હોવી જોઇએ. દુ:ખ એ તા કસોટી રૂપ છે, એમાંથી છૂટકારા નહિ, એ સહન કરવાની શક્તિ માગવાની છે. સાચી શ્રદ્ધા કયારેય ડગતી નથી. શ્રદ્ધા એટલે સતત જાગૃતિ.
ખીજા વ્યાખ્યાતા ડૉ. રમણલાલ ચી. શાહ તા અને જૈન ધર્મ વિશે ખેાલ્યા હતા. લાઓત્સે ઇ. સ. પૂર્વે ૫૭૫માં ચીનમાં થઇ ગયા. એમણે સાષને, ધમ' માન્યા છે. અતિમતાને નકાર કર્યો છે. સમત્વ પર ભાર મૂકા છે. તાઓ ધર્મ એ જૈન ધર્માંની સક્ષિપ્ત આવૃત્તિ જેવા છે.
નવમા અને છેલ્લા દિવસે ડેા. ગુણવંત શાહ ‘શિક્ષણમાં લીલા દુકાળ' વિશે ખેલ્યા હતા. આપણું રાષ્ટ્રીય ભોળપણ એ છે કે, આપણે માની લીધું છે કે, શાળા, કાલેજમાં જે ચાલે છે તે જ શિક્ષણ છે. ખાસ તા શિક્ષણમાં ધણું બધુ છે. એક સંસ્કારને અભાવ છે.
લાખા રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચાય છે. શાળા-કોલેજની સખ્યા વધતી જાય છે પણ દેશની સ્થિતિના પરિવતનમાં શિક્ષિતાના ફાળા નહિવત્ છે. કેટલા માબાપમાં, માબાપ થવાની લાકાત છે, એ પૂછવા જેવુ છે. શિક્ષણની સાચી વ્યાખ્યા તે છે શિક્ષણ એ ચેતનાનેા ઉત્સવ' છે.
છે.
ખીજા વ્યાખ્યાતા મારારીબાપુ પ્રેરણામૂતિ' ભરત' વિશે ખાલ્યા હતા. ભરતના જીવનની ત્રણ લાક્ષણિકતા પોતાના જીવન માટે આત્મખેાજ, જગતની સેવા અને જગદીશ માટે પ્રેમ, કાપડ પર ભરત ભાય તેમ જીવનમાં ભરત ભરવાનું છે.
પ્રેમનું ક્રિયાત્મક રૂપ એટલે સેવા અને વિવેકાત્મક રૂપ એટલે ત્યાગ. સાધના એટલે ઇશ્વર સાથે સગાઇ, સિદ્ધ દશા એટલે ઇશ્વર સાથે લગ્ન, પશુ ત્યારે અહંકાર આવે તેા ઇશ્વર સાથે છૂટાછેડા.
મુંબઈ જૈન યુવક સંધના પ્રમુખ અને વ્યાખ્યાન માળાના અધ્યક્ષ ડે.. રમણલાલ ચી. શાહે દરરોજના પ્રથમ વ્યાખ્યાનને ઉપસંહાર કર્યાં હતા. સતત નવ દિવસ જ્ઞાનનું ભાથું પૂરું પાડતી આ વ્યાખ્યાનમાળા આવતા વર્ષે પચાસમાં વર્ષમાં પ્રવેશે છે. આગણુપચાસ વર્ષ દરમિયાન અનેક ક્ષેત્રના વિચારો વિશદ રૂપે બ્રેાખ સુધી પડેોંચ્યા છે અને ધૃણા જગુના " માનસ ઘડતરમાં નાનકડી ભાગ ભજવ્યેા છે.
પ્રથા જીવન
૧૧૭
(પાના ૧૦૮ પરથી ચાલુ)
એમને
મુકત કરીને શાસ્ત્રીયગ્રાના અધ્યયન તરફ દોરી જવાની જરૂર છે. જ્યાં જ્યાં ઉપાશ્રયામાં સાધુ- સાધ્વીએ બિરાજમાન હોય ત્યાં રાજ થાક સમય તે અવશ્ય શાસ્ત્રાધ્યયનમાં પસાર થા જ જોઇએ. વંદન દર્શનના કલાકાને પરિમિત કરીને સમાજે પોતે શ્રમણસમુદાયને આ સુવિધા કરી આપવી જોઇએ.
પ્રતિ વર્ષ જૈને દાનમાં જે રકમ ખર્ચે છે. એના પ્રમાણમાં વિદ્યાનું તેજ પ્રગટ થતું નથી. જૈનો મુખ્યત્વે ણિક વેપારી કામ હોવાને કારણે અાપાનમાં તેને જેટલે રસ પડે છે, તેટલેા વિદ્યાવ્યાસંગમાં નથી પડતા. સ્વભાવથી જેતે વિદ્યાપ્રીતિ હોય એવા માણસે પણ સમય જતાં કેવળ અથપ્રાપ્તિ તરફ ઘસડાય છે. જૈનેાના દાનની ક્રમ જો વ્યવસ્થિતરૂપે વપરાય તે. જે થાય તેના કરતાં પણ વધુ સંગીન કાય થઈ શકે. જૈન સધા ચાતુર્માંસ પ્રવેશ, વિદ્વાર, વ્યાખ્યાન ઇત્યાદિ નિમિત્તે પ્રતિ વર્ષ છાપાંની જાહેરખખરા દ્વારા લાખા રૂપિયાનું ખર્ચ કરે છે. તેને જો વ્યવસ્થિતરૂપ આપવામાં આવે તે એટલી જ પ્રસિદ્ધિ સાથે ઘણું' ખર્ચે અચાવી શકાય, જે જ્ઞાનનાં અન્ય કાર્યોંમાં વાપરી શકાય. એક વષ' જો શ્રમણ સમુદાય લેકેષણાથી વિમુખ ખની આ બધી જ . જાહેરખબરો સદંતર બંધ કરાવે તો એટલાં નાણાંમાંથી કાઇ પણ સ્થળે એક સારું જ્ઞાનમંદિર કે એક નાનુ' રિસર્ચ ઈન્સ્ટટયૂટ સ્થાપી શકાય.
જેના માટે પ્રત્યેક મોટા શહેરમાં એક રિસર્ચ' ઈન્ટિટયૂટની આવશ્યકતા છે. શેઠે શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ દીધ દૃષ્ટિ વાપરીને એલ. ડી. ઈન્સ્ટિટયૂટની સ્થાપના કરી એ આ દિશામાં ઘણું મહત્ત્વનું અને પ્રશ ંસનીય કાય છે. એની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય ટિની ખની છે.
રિસચ' ઈન્સ્ટિટયૂટ તે બનાવીએ, પરંતુ એને લાયક - વિદ્વાના કર્યાં છે? એવા પ્રશ્ન સહજ રીતે થાય એવે છે. પરંતુ પહેલાં ન્સ્ટિટયૂટ કે પહેલાં વિદ્વાન-એવા પ્રશ્ન એથી વધુ ગંભીર પ્રકારનો છે, કારણ કે રિસર્ચ ઇન્સ્ટિટયૂટ હશે અને એમાં યુનિવર્સિ ટીની કક્ષાના પગારવાળી સારી નેકરીની વ્યવસ્થા જો હશે તે આપોઆપ વિદ્વાનો તેમાં આવવા પ્રેરાશે. અલબત્ત, આરભના સમયમાં થાડાંક વર્ષ યોગ્ય વિદ્વાને મેળવવાની મુશ્કેલી પડશે, પણ સમય જતાં તેના માટે સ્પર્ધા થશે. પશ્ચિમના દેશોની કેટલીક યુનિવર્સિટીઓમાં જૈન-દર્શન માટે વિભાગો છે. તેમાં કયારેક વિદ્યાથીએ નથી હોતા, પરંતુ ફેસરની સગવડ હમેશાં હેય છે. વિદ્યાના ક્ષેત્રમાં પાંડિતાનુ માપ કારીગરોની ફૂટપટ્ટીથી કાઢી ન શકાય. કારીગરનું કાંમ શારીરિક અને નિશ્ચિત કલાકનુ` છે. પંડિતન' કાય' બૌદ્ધિક અને સમય મર્યાદા વગરનુ છે. ધરે પણ તે પોતાના વ્યવસાય અંગે કંઈક ને કંઈક કાય કરતા રહેતા હોય છે, અને દિવસે દિવસે તે પોતાના વિષયની સજ્જતા વધારતા રહેતા હોય છે. એવા પડિતા ખીજું કશું ન કરે અને માત્ર પોતાનુ પાંડિત્ય વધારે તે પણ એની પાછળ ખેંચેલાં નાણાં વસૂલ છે. કાઈ પણ સમાજનુ તેજ એના વિદ્વાનો, પડિતાની સખ્યા પર આધારિત હોય છે.
.
L