SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧ શિક્ષણમાં લીલો દુકાળ - 6 ગુણવંત શાહ મુંબઈ જૈન યુવક સંધ તરથી બિરલા ક્રિડા કેન્દ્ર પર યોજાયેલા પયુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૮૩ને દિવસે આપેલું પ્રવચન.] ' ' * વ્યાખ્યાન માટે આ વિષય પસંદ કર્યો ત્યારે એક મિત્રે . કેર, કરી: શિક્ષણને બદલે બધાને રસ પડે તે કોઈ વિષય : સૂચવે તે સારું. મેં જવાબમાં જણાવ્યું: પ્રત્યેક પરિવારમાં કઈ ને કઈ ભણતું હોય તે ય શિક્ષણની વાતમાં બધાને રસ ન પડે એમ બને ખરું ? મિત્રે તે મારા જવાબમાં રહેલે તક સ્વીકારી લીધે પણ મારા જ મનમાં ખટકે રહી ગયે. પ્રત્યેક પરિવાર સુધી શિક્ષણ પહોંચ્યું છે ખરું? ઈંગ્લેડ જેવા દેશમાં તે મિલર ઓફ ધ ડી' સુધી, લ્યુસી ગ્રે’ સુધી કે પછી વઈસ્વયંની પેલી “સેલિટરી રીપર ” સુધી શિક્ષણને રેલે પહોંચે છે. આપણે ત્યાં શિક્ષણ હજી મેઘાણીની પેલી ચૌદ વરસની, ચૂંદડિયાળી, શ્વેતસુંવાળી, લાલહીગેળી, જોબનવંતી, જગદમ્બા-શી “ચારણકન્યા સુધી કે જયંત પાઠકની “આદિવાસી કન્યાના ઈથરિયા વાળ વચાળે સેથી જેવી વાંકીચૂંકી વગડાની કેડીઓ સુધી પહોંચ્યું નથી. ઈન્દિરાજીએ ડાક વખત પર સન ૧૯૯૦ સુધીમાં પ્રાથમિક, ફરજિયાત શિક્ષણ ૧૪ વર્ષની ઉંમરનાં સૌ સુધી પહોંચે એવી આશા વ્યકત કરી. પણ વાસ્તવમાં તે, હજી મામાનું ઘર દીવ બળે તેનાથી ય દૂર છે એ સ્વીકારવું રહ્યું. '' કારેક પ્રશ્ન થાય કે, આપણું સૌથી મોટું રાષ્ટ્રીય ભેળપણ” કયું? નિશાળમાં અને કેલેજોમાં જે કાંઈ ચાલે તેને શિક્ષણ” ગણવામાં આવે એ થયું આપણું રાષ્ટ્રીય ભોળપણ. અમારે ત્યાં સુરતના હવાઈ મથકે સમડી ય લેકિંગ કરતી નથી, કાગડ ટેઈક એક કરતા નથી. રન-વે પર કેડ સમાણું ઘાસ ઊગ્યું છે અને આકાશ ઉજજડ બની ગયું છે તો ય લે કે એને એરપટ' કહે છે. લગભગ આ જ રીતે કેવળ ટેવને કારણે માંદી મીલે જેવી, બંધ પડી ગયેલી કે , સંડ ચાલુ રહેલી યુનિવર્સિટીને યુનિવર્સિટી” કહેવાનું ચાલુ રહે છે. વિક્રમ રાજાના ખભા પરના શબ જેવી સવાસો કરતાં ય વધારે યુનિવર્સિટીએ બેજ આ દેશ ન મેળપણને કારણે વેઢારી રહ્યો છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કે અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી જેવી . કેન્દ્રિય યુનિવર્સિટીઓમાં શિક્ષણ રાબેતા મુજબ ચાલે ત્યારે એ છતાને સમાચારને દરજજો પ્રાપ્ત થાય છે. આવી યુનિવર્સિટીઓમાં પૈસાની ખોટ ન હોવાને કારણે સતત લીલે દુકાળ રહેતા હોય છે. સદ્ભાગ્યે આ યુનિવર્સિટીઓમાં લાયછેરી તે હડતાલ હોય ત્યારે ય ચાલતી રહે છે. અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી, મહિનાઓ સુધી બંધ રહે પણ વિઘાથીઓ લાયબ્રેરીને લાભ ાવે તે જોઈને ઉમાશંકર દંગ થઈ ગયેલા. શિક્ષણની હેવી ઈન્ડી ” જેવી બનારસ હિંદુ યુનિવર્સિટીની વાત કરું. ત્યાંની એક ફેકલ્ટીના ડીને સાચી વાત કહી સંભળાવી. કેલેજને અનેક પ્રવૃત્તિઓ કરવા માટે મળેલી બસ જુન થઈ. એના રીપેરકામ માટે યુનિવર્સિટીને ઘણી વાર વખ્યું પણ ખાસ કશું થયું નહીં. છેવટે એ ડીસાહેબે વિદ્યાર્થીઓને સલાહ આપી. ઈસ કે જલા દે તાકી નઈ બસ મિલ સકે. વિદ્યાર્થીઓએ ગુરુજીની આજ્ઞાનું પાલન કર્યું અને નવી બસ મળી ય ખરી! હું એ નવી બસમાં બેઠે ત્યારે ડીસાહેબે સ્વમુખે આ વાત કહી. આમ એક બાજુ ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સાધનોને બગાડ અને બીજી તરફ મેઘાણીની ચારણ કન્યાને નિશાળે પોંચાડવાના ફાંફાં! એ * બિચારી નિશાળે જાય કે પેટિયું રળવામાં માબાપને મદદW થાય! થોડીક વિગતો આપવાને લાભ નથી ટાળી શકાતું. ૬ થી ૧૪ વર્ષના ગાળામાં હજી કુલ ત્રણ કરોડ બાળકે શાળાએ જતાં નથી. જેમાં ૭૧ ટકા ને છોકરીઓ છે.' ' ગામડાંની માત્ર ૧૮ ટકા નિશાળમાં જાજરૂની વ્યવસ્થા છે, ૨૦ ટકા નિશાળોમાં કોઈ જ ફર્નિચર નથી, કેટલીક નિશાળમાં પાંચ વર્ગો વચ્ચે કેવળ એક શિક્ષક છે. એવી ય શાળાઓ છે : જયાં શિક્ષક હોય તે વિદ્યાથીઓ નથી, વિદ્યાથીઓ હોય ત્યાં શિક્ષક નથી અને ક્યાંક શિક્ષક તથા વિદ્યાથીઓ વગરની - “ભૂતિયા’ શાળાઓ પણ છે. છેલ્લાં સાંઢેક વર્ષથી શિક્ષણને સાવત્રિક બનાવવાની જરૂરિયાત વિષે આગ્રહ સેવા આંબે છે. ગેપાળકૃષ્ણ ગોખલેએ તે ૧૯૧૦-૧૨ ના વર્ષોમાં એ માટે બિલ રજૂ કરેલું.. આજે વિનોબાજીની જન્મજયંતી છે. એમણે પ્રાથમિક કક્ષાએ બાળક પાંચ પાંચ કલાક" ગંધાયેલો રહે છે તેને બદલે એક કલાકની શાળાઓનું , સૂચન કરેલું. રાજાએ મદ્રાસના મુખ્ય પ્રધાન તરીકે બે પાળામાં શાળા ચાલે તેની શરૂઆત પણ કરેલી. ડે. ઝાકીર હુસેને તે એક ડગલું આગળ જઈ ત્રણ વર્ષની ફરજિયાત કેળવણી માટે ૧૧ થી ૧૪ ને વયગાળે સૂચવેલ. આ ગાળામાં બાળકે જલદી ભણે અને સારું ભણે જેથી ઓછા ખર્ચે વધારે બાળકોને ભણાવી શકાય. શીતળાને કેસ શેધી - લાવનાર માટે રૂ. ૧૦૦૦ નું ઇનામ જાહેર થયું પણ તે ય વર્ષો સુધી એ ઈનામ લેનારે કઈ મળે નહીં. આવું જ રે નિરક્ષર માણસ અંગે બનશે ત્યારે ગરીબી ટકી શકશે ખરી? મનમાં કેટલાક વિચિત્ર પ્રશ્ન ઊઠે છે. એવું શા માટે કે કાટખૂણે આવેલી બે ભીતિ વચ્ચેનો ખૂણે આ દેશમાં આપ આપ જાહેર પેશાબખાનું બની જાય છે? એવું શા માટે કે કયાંક સ્વચ્છ ભીંત દીઠી કે. કેટલાક લેકીને તેના પર પાનની પિચકારી મારવાનું મન થાય છે? આવી પિચકારી મારનારાં બધા અભણ જ હોય એવું ખરું? સુરતમાં સ્ત્રીઓની હાજરીમાં નિરાંતે ગાળે ખેલનારા કેવળ અશિક્ષિત જ નથી હોતા. એનું શું ? આપણું ચલચિત્રમાં ચુંબન પર પ્રતિબંધ છે પણ કમકમાટી ઉપજાવે તેવા બળાત્કારનાં, ખૂનનાં, મારામારીનાં અને નિર્દયતાથી ભરેલાં દળે પર કોઈ ખાસ પ્રતિબંધ નથી એનું શું કારણ? શું આપણે ચુંબનને નિવ્રુણ હત્યા કરતાં ય વધારે બિભસ માનીએ છીએ ? વધુ નિશાળા અને કોલેજો ખુલે તે સાથે પ્રત્યેક પંચવર્ષીય યોજનાને અંતે નિરક્ષરોની' ગરીબી રેખાની નીચે જીવનારાઓની, બેકારની, ગુનેગારોની, રોગીએની, દહેજ-મૃત્યુને ભેગ બનનારી સ્ત્રીઓની અને ઝુપડપટ્ટીઓની સંખ્યા વધે તેનું કારણ શું? કે મકાનમાં ટયુબલાઈટની સંખ્યા વધતી રહે તે સાથે અંધકારની માત્રા (વધુ માટે જુઓ પાનું ૧૪ મું) - જે કાંઇ જેવી . અમારે ત્યાં અને એ થય 5 -
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy