SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશુક્ર જીવન ગૌરવની વાત છે. આ હસ્તપ્રતમાંની ઘણી હજુ અપ્રકાચિત છે. સહેજે ખે-ત્રણ સૈકાથી વધુ સમય ચાલે એટલુ સાધનનુ કાય આ ક્ષેત્રમાં પડેલુ છે. આપણા પૂર્વ સૂરિઓએ વાડમયની કેટકેટલી વિવિધ શાખાઓમાં અદ્રિતીય કાર્ય કર્યુ" છે તે એ વિષયના જાણકારો જાણે છે. જૈન સાહિત્યના પ્રતિહાસ અંગે શ્રી મેાઠુંનલાલ દલીચ દ દેસાઈએ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ' તથા ‘જૈન ગૂજર કવિઓ'ના ત્રણ ભાગના દળદાર પુસ્તકા લખીને સૈકાઓ સુધી ક્રામ લાગે એવી, અપ્રતિમ સાહિત્યસેવા બજાવી છે. શ્રી હીરાલાલ રસિકલાલ કાપડિયાએ જૈન સ ંસ્કૃત સાહિત્યના ઇતિહાસ' ત્રણ ભાગ લખ્યા છે, એ પણ આ દિશામાં એક સંગીન કાય થયું છે. જીવનકાળ ઉપરાંત શ્રી અગરચંદજી નાહટાએ પણ આ ક્ષેત્રમાં ઘણું જ સંગીન કાય' યુ" છે. એમણે પોતાના દરમિયાન સખ્યાબંધ પ્રથાં પ્રકાશિત કરવા જૈન ધમ' અને સાહિત્ય વિષે છ હજારથી વધુ લેખા સંખ્યા છે. આ લેખા નાનાં-મોટાં સામયિકામાં છૂપાયાં છે. એમાંના અનેક લેખા માહિતીની દૃષ્ટિએ અત્યંત મૂલ્યવાન છે. એ લેખા જો ગ્રંથરૂપે વેળાસર પ્રગટ નહિ થાય ત હું મેશને માટે લુપ્ત થઇ જશે. આ દિશામાં રાજસ્થાનના જૈન વિદ્યાના પેાતાના મૂલ્યવાન સમય આપીને સાહિત્યિક સેવા જાવશે તે. એક ભગીરથ કાર્ય પાર પડશે. તેમાં પુષ્કળ નાણાંની જરૂર પડશે. એ માટે જૈન વિદ્યાકીય સંસ્થાઓએ અને વિવિધ સબૈાના જ્ઞાન ખાતાંઓએ પેાતાને સહકાર ઉદારતાથી આપવાની તત્પરતા બતાવવી જોઇએ. કદાચ જૈન સાહિત્યના ઇતિહાસ અંગે વારાણસીના પાશ્વનાથ શોધ-સંસ્થાન તરાથી જૈન સાહિત્યકા બૃહત પ્રતિહાસ'ના કેટલાક ભાગ પ્રગટ થયા છે, એ પણ એક મહત્ત્વનું કાય થયું છે. આમ છતાં અપભ્રં’શ અને ગુજરાતી-હિંદી ભાષા સહિત, તથા તમીલ, તેલુગુ, કન્નડ વગેરે ભાષાઓ સહિત સસ્કૃત અને પ્રાકૃતમાં લખાયેલા સમગ્ર જૈન સાહિત્યના સૈકાવાર - વિસ્તૃત પ્રમાણભૂત ઇતિહાસ લખવાની જરૂર છે. અમદાવાદ, વડાદરા, પાટણ, સુરત, જેસલમેર, ખીકાનેર વગેરે ઘણાં બધાં સ્થળાના જ્ઞાનભંડારામાં આપણા રાસાસાહિત્યની અનેક હસ્તપ્રતા એમાંની પડેલી છે. દસમા ભાગની રાસકૃતિ પણ હજુ પ્રગટ થઈ નથી. એ જેમ જેમ પ્રગટ થતી જશે તેમ તેમ તે આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નવે પ્રકાશ પાડશે. ધમપ્રેમી સાધુ કવિઓના હાથે ધણી ખરી રાસકૃતિની રચના થઈ હોવાને કારણે એમાંની કેટલીક કૃતિઓની સાહિત્યિક ગુણવત્તા આછી હશે તો પણ સખ્યાબંધ એવા કવિએ અવશ્ય છે કે જેમની પાસે શાસ્ત્રજ્ઞાનની સાથે સાથે ઊંચી કવિ–પ્રતિભા પણ છે. આ બધી રાસકૃતિએ જલદી પ્રાશિત થાય એને માટે કાઈક સસ્થાના ઉપક્રમે વ્યવસ્થિત યોજના થવાની જરૂર છે. સુરતથી પ્રગટ થયેલી આન કાવ્ય મહોદધિ'ની શ્રેણીએ આ ક્ષેત્રમાં આ સદીના પૂર્વાધમાં જેવુ સંગીન કાય કયું" તેવુ' કાઈ એક સંસ્થાના ઉપક્રમે ત્યાર પછી થયું નથી એ શાચનીય ખાખત છે. આ પ્રકારના સંશોધન-સંપાદન અને એના પ્રકાશનના કાય માં ઘણી મહેનત અને ધણાં નાણાંની જરૂર રહે છે. એ દિશામાં એટલા માટે સક્રિય 2 તા. ૧-૧૦ આયેાજનની જરૂર છે. જ્યારે આપણુ રાસાસાહિત્ય ઘણું ખરું પ્રગટ થયું હશે ત્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને અંતિહાસ નવેસરથી લખવાની કજ પડશે. ભવિષ્યના ત ઇતિહાસકારો આ વાતનુ ચેાગ્ય મૂલ્યાંકન કરી શકશે. આપણે ત્યાં અત્યાર સુધીમાં પ્રગટ થઇ ચૂકેલી રાસાવૃતિ એની સવિસ્તર સમાલોચના કરતી સળંગ માહિતી કાઈ એકસ્થળે ઉપલબ્ધ નથી. ક્રાર્ય રાસકૃતિ છપાઇ છે કે નહિ તેની જાણકારી એ-ચાર વિદ્વાન સિવાય બહુ એછાત હોય છે, એક જ લેખ કે ગ્રંથમાં એ બધી માહિતી ઉપલબ્ધ થાય એ; દિશામાં પણ કામ કરવાની આવશ્યકતા છે. જેમ રાસાસાત્યિની બાબતમાં તેમ ફાગુ, બારમાસી, કો અને માતૃકા, વિવાહલુ, સ્તવન, સજઝાય, ખાલાવબાધ વગેરે.. પ્રકારના સાહિત્યની અપ્રકાશિત કૃતિ જલદી પ્રગટ થાય એ દિશામાં પણ વિદ્વાનોએ અને સંસ્થાએ કામ કરવાનું જરૂરી છે. અલબત્ત એને માટે પુષ્કળ નાણાંની પણ જરૂ રહે છે. એક વખત સંસ્થાઓ દ્વારા નાણાંના પ્રવાહ જો ચાલુ થશે તે એ ક્ષેત્રમાં કામ કરનારા પતિ-સશોધકો મળી રહેશે. આજે તે આવી ખાસ કાઇ મોટી યોજનાઓ ન હોવાને કારણે પડિતા અને સશાધા પણ કયારેક ક્ષેત્ર પરિવતન કરતા રહે છે. ગયા સૈકામાં યુનિવર્સિ ટીની કક્ષાએ યારે જુદીચૂક્યુ જુદી ભાષાઓને અભ્યાસક્રમમાં સ્થાન અપાઈ હતુ. ત્યારે જૈન સમાજે પ્રાકૃત, અધ માગધી ભાષાને મેટ્રિક- તથા બી. એ. અને એમ.એ. ના અભ્યાસક્રમમાં દાખલ કરાવવા પ્રયત્ન કર્યાં હતા. એને પરિણામે શાળાકૉલેજોમાં અધ માગધી ભાષા અને એમાં લખાયેલા જૈનસાહિત્યને અભ્યાસ કરનારા વિદ્યાથી એની સખ્યા ઠીકઠી રહેતી. આ રીતે એ પર પરા ચાલુ હતી. છેલ્લા ત્રણ--ચાર દાયકાથી સરકારી નીતિને કારણે, યુનિવર્સિટીના અભ્યાસક્રમ થતા ફેરફારોને કારણે તથા જૈન સમાજની ઉદાસીનતાને કારણેશાળામાં અધ માગધીના અભ્યાસ કરનાર વિદ્યાથી ઓની સંખ્યા ઘણી જ ટી. પરિણામે જૈન અર્ધમાગધી સાહિત્યમાં રસ લેનાર વિદ્વાનોની સખ્યા પણ ઓછી થઈ ગઈ. અધ માગ ભાષાના વિષય થાડા કઠીન ગણાય. વળી એ લેનાર વિદ્યાથીને આજીવિકાની દૃષ્ટિએ ભવિષ્ય અહુ ઊજળુ ન લાગે. એને કારણે વિદ્યાથી' આ વિષય માટે હુ તૈયાર ન થાય એ દેખીતુ છે. ટીકડીક નાણાંકીય આયેાજન વિસ્ આ કાય પાર પડી શકે નહિ. જૈનસમાજે પોતાના દાનને પ્રવાહ આ દિશામાં ઊલટભેર વહાવવાની ધણી આવશ્યકતા છે. જૈનસમાજ પાસે વિદ્વાન પંડિતે નહિ હોય તે જૈનત્વન સંસ્કારનું ધારણ નીચું જાય તે નવાઈ નહીં. અધ માગધી ભાષાના અભ્યાસ જૈન સાધુઓમાં સંસ્કૃત હી ભાષાની સાથે ઠીક રહ્યા કર્યાં છે. કેટલા આચાર્યાં પોતાના શિષ્યાને ભાષા અને વ્યાકરણન સાથે શાસ્ત્રોના સધન અભ્યાસ કરાવી રહ્યા છે, આપણા માટે બહુ ગૌરવની વાત છે. આમ છતાં કેટલા પ એવા સાધુ-ભગવ તા નજરે પડે છે જેમના. ચહેરા ઉપર નાનનુ તેજ દેખાતુ નથી. એમના-ગુરુ-ભગવ તાએ એ બાબતમાં લક્ષ્ય આપી, છાપાં-ચાપાનિયાંઓનાં પ્રકીણ વાચનમાંથ (વધુ માટે જીએ પાનુ ૧૧૭ મુ*)
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy