SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ iા. ૧૬૯–૮૩ પ્રબુદ્ધ જીવન ગીતાના પ્રમુખ ભાગ્યકારે - ૭ તનસુખ ભટ્ટ ' અનેક સદીઓથી ગીતા હિંદુધર્મના સનાતન શાસ્ત્ર તરીકે સ્વીકૃત થઈ ચૂકી છે. તે ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર જેટલી જ -પ્રમાણભૂત ગણાય છે. ઉપનિષદ, બ્રહ્મસૂત્ર તથા ગીતા મળીને પ્રસ્થાનત્રયી કહેવાય છે. આ પ્રસ્થાનત્રીમાંથી પ્રમાણે દર્શાવીને વેદાંતના આચાર્યને પિતપનાના વિશિષ્ટ મતેના પ્રચાર ‘માટે ભાષ્ય રચવાં પડે છે. ઉપનિષદોમાં પરબ્રહ્મના સ્વરૂપ વિષે તથા જગત સાથેના તેના સંબંધે બાબતમાં વિવિધ પ્રકારના ઉલ્લેખ મળે છે. બ્રહ્મસૂત્રનાં સૂત્ર એટલાં તે ટકાં તથા અસ્પષ્ટ છે કે તે અનેક જાતના અર્થને તારવામાં ઉપયોગી થાય છે. ગીતા આ કરતાં વધારે સુસંગત ‘દૃષ્ટિ આપે છે. ગીતાની આ સુસંગતતાને કારણે ભાષ્યકાર માટે પિતાના હેતુને પુષ્ટિ આપતા અર્થ નિર્ણય તારવવાનું કામ કઠણ થઈ પડે છે. બૌદ્ધ ધર્મની પડતી દશા આવ્યા પછી ભારતમાં અનેક સંપ્રદાયે ઉત્પન્ન થયા. તે સંપ્રદામાં અદ્વૈતવાદ, વિશિષ્ટ-દ્વૈતવાદ, શુદ્ધદેતવાદ તથા તા તવાદ મુખ્ય છે. પોતાના સંપ્રદાયના મંડન માટે તથા અન્ય આચાર્યોના મતના ખંડન માટે આચાર્યોએ ગીતા ઉપર અનેક -ટીકાઓ લખી છે. તેમને ગીતામાં પોતાના ધMવિચાર-તંત્રનાં તથા સ્વકીય તત્વજ્ઞાનનાં દર્શન થયાં છે. આનું કારણ એ છે કે ગીતાકાર એવું સૂચવે છે કે જે શાશ્વત સત્યને આપણે ખળીએ છીએ અને જે પરમ સત્યમાંથી અન્ય સેવે અવાંતર સત્ય ઉદ્ભવે છે તે શાશ્વત સત્યને એક જ સૂત્રમાં સમાવી ન શકાય. વળી શાસ્ત્રના અભ્યાસમાંથી તથા ચિંતનમાંથી, આપણુમાં જેટલી શકિત હોય તેટલા પ્રમાણમાં જ આપણે જીવનસભર સત્ય તથા આધ્યાત્મિક પ્રભાવ પ્રાપ્ત કરી શકીએ છીએ. . ' ' શંકરાચાર્ય (ઈ. સ. ૭૮૮-૮૨૦)નું ગીતાભાષ્ય અત્યારે ઉપલબ્ધ થતાં ગીતાભાષ્યમાં સૌથી પુરાણું છે. પિતાની - પ્રસ્તાવનામાં પિતાનાની અગાઉનાં જૂનાં ભાષ્યને ઉલ્લેખ " તેઓ કરે છે. પરંતુ આજે તે ભાળ્યો આપણી પાસે નથી. -શંકરાચાર્ય એમ સ્થાપિત કરે છે કે બ્રહ્મ એકમેવાદ્વિતીય છે, આ રિદસ્યમાન સમગ્ર અનેકાભાસી સંસાર જાતે સત્ય નથી, પરંતુ -અવિદ્યા વડે ઘેરાયેલા છને જ તે સત્ય લાગે છે. આવા સંસારમાં બંધાવું તે જ બંધન છે. અને એવા બંધનમાં -આપણે બધાં ફસાયાં છીએ. આપણે ખોઈ નાખેલી આ મુકત ‘દશા આપણને આપણા પ્રયત્નોથી મળવાની નથી. કમ નિરર્થક - છે, અને આ અંતરહિત એવાં કાર્યકારણમય મિથ્યા સંસારમાં આપણને કર્મો દઢતાપૂર્વક જકડી રાખે છે. જીવ અને બ્રહ્મ , વચ્ચે એકય છે. એવું જ્ઞાન જ મેક્ષ અપાવે છે. "જ્યારે આવા જ્ઞાનનો ઉદય થાય છે. ત્યારે અહંકારને વિલય થાય છે. રાશીને ફેરો ટળે છે તથા આપણને પૂર્ણ આનંદની ને ધન્યતાની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મની વ્યાખ્યા સત તરીકે આપી શકાય. 'બ્રહ્મ સવે વણથી તથા વિશેષ કરીને કર્તા, કમઅને ઇન્દ્રિયજ્ઞાનના ક્ષેત્રથી પર છે. આમ હોવાથી તેને સાકાર કહી ન શકાય. પરિણામે "બ્રહ્મને માટે અનુરાગ કે ભકિત હોઈ ન શકે. શંકરાચાર્ય માને છે કે કમ્ ચિત્તશુદ્ધિ માટે આવશ્યક જ છે પરંતુ જ્ઞાનની પ્રાપ્તિ થતાં કર્મો આપોઆપ ખરી પડે છે. પ્રકાશ અને અંધકારની પેઠે જ્ઞાન અને કર્મ પરસ્પર વિરુદ્ધ છે શંકરાચાર્ય જ્ઞાન : કમ સમુચ્ચયવાદને સ્વીકારતા નથી તેઓ માને છે કે જેઓ અજ્ઞાનમાં બંધાયા છે. તથા તૃષ્ણ પ્રવાહમાં તણાયા છે તેમને માટે જ વૈદિક કર્મોનું વિધાન થયું છે. મુમુક્ષુઓ આ વિધિવિધાનો ત્યાગ કરવો ઘટે છે. શંકરાચાર્યના મત પ્રમાણે ગીતાનું લક્ષ્ય બધાં કમેનું અસ્તિત્વ ધરાવનારા આદિસંતવાળા આ સંસારને સમૂળ ઉછેદ કરવાનું છે- કે તેમનું પિતાનું જીવન તે જ્ઞાનની પ્રાપ્ત થયા પછી પણ તેમાં પ્રવૃત્તિશીલ રહેવાનું દૃષ્ટાન્ત છે. શંકરાચાર્યના ઉપદેશને, તેરમી સદીમાં થયેલા આનંદગિરિ, શ્રીધર (ઈ. સ. ૪૦૦) તથા મધુસૂદને (સોળમી સદી) પ્રચાર કર્યો છે. તુકારામ તથા જ્ઞાનેશ્વર એ બે મહારાષ્ટ્રી સંતે અધ્યાત્મ-વિદ્યામાં શંકરાચાર્યને અનુસરવા છતાં મહાન ભકત છે. રામાનુજાચાર્ય (ઈ. સ.ની અગિયારમી સદી) પિતાના ગીતાભાષ્યમાં કમંત્યાગના તથા સંસારના મિથ્યાત્વના સિદ્ધાન્તને પ્રતિવાદ કરે છે. યમુનાચાર્યે પોતાના ગીતાર્થ સંગ્રહમાં આપેલા અર્થનિર્ણયને તેઓ અનુસરે છે. રામાનુજાચાર્ય કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા છે પરંતુ તે નિર્ગુણ નથી. પોતાના અસ્તિત્વનું તેને ભાન છે અને પોતે છે તેનું તેને જ્ઞાન છે. તે જ પ્રમાણે આ સંસારને સજવાનો તથા પિ ના સજેલા ઇવેને મુક્તિદાન કરવાને પરબ્રહ્મનો સભાન સંકલ્પ છે. તે અનંત, શાશ્વત, આદશ ગુણોનું ધામ છે. તે બ્રહ્માંડથી યે આદિ છે તથા તેમનાથી કે પર છે. તે એકમેવાદ્વિતીય છે. પરબ્રહ્મ વેદના-દેના અષ્ટા હોવાથી આ દેવે તેમના સેવકે છે, તેમને પરબ્રહ્મ પિતપિતાનાં કર્તવ્યો બજાવવા માટે સ્વસ્થાને નીમેલા છે. આ સંસાર નથી મિથ્યા કે નથી ભ્રમ પરંતુ તે અસલ તથા સત્ય છે. જેમ દેહ અને આત્મા એક છે તેમ સંસાર અને સર્વેશ્વર એક છે. સંસાર અને ઈશ્વર મળી એક સમગ્રતા સરજાય છે. છતાં બંને અનિવાર્યપણે પરસ્પર ભિન્ન છે. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં સંસાર, નૈવેદથપૂર્ણ આવિર્ભાવની તથા પ્રત્યક્ષ અસ્તિવની દશામાં પહોંચ્યા ન હોવાથી સંભવિતતાની (સામાવસ્થાની). સ્થિતિમાં હોય છે. ઉત્પત્તિ થતાં તેને નામરૂપમાં વિસ્તાર થાય છે. સંસાર ઈશ્વરને દેહ છે, એમ દર્શાવવાથી એવું સૂચિત થાય છે કે પર બ્રહ્મ આ જગતને કોઈ બહારના પદાર્થમાંથી, કોઈ બીજા તત્ત્વમાંથી, નહિ પરંતુ પિતાનામાંથી જ ઉત્પન્ન કર્યું છે. ઇશ્વર આ સંસારનું ઉપાદાન કારણ તથા. નિમિત્ત કારણ છે. દેહ અને આત્માનું દાન્ત એટલા માટે અપાયું છે કે જેમ દેહ સંપૂર્ણપણે આત્માને આધીન છે તેમજ આ જગત પણ સંપૂર્ણપણે ઇશ્વરને આધીન છે. વળી જગત ઈશ્વરનો માત્ર દેહ જ નથી પરંતુ તેનો અવશેષ (ઈશ્વરસ્ય શેષ) છે. આ શબ્દ પ્રયોગ જગતની ઈશ્વર સંબંધી સંપૂર્ણ આધીનતા, તેની પરપ્રકાશિત દશા, તથા મૂળ કારણ રૂપે નહિ પણ ગૌણુભાવે તેની સ્થિતિ હોવાની સ્પષ્ટતા સમગ્ર જ્ઞાનની કલ્પના આવવાની સાથે તેનાથી વિભિન્ન એવા એક કર્તા–કમની કલ્પના આવવાની જ. રામાનુજાચાર્ય તેને એક આધીન દ્રવ્ય અથવા ધમૅભૂત દ્રવ્ય કહે છે. આ ધમભૂત દ્રવ્ય બહાર વિસ્તરી શકે છે. જીવ મિશ્યા નથી તથા મેક્ષદશામાં તેને વિલય થતું નથી. આત્મા મારા શરીરની ચેતના છે. તે જ પ્રમાણે ઉપનિષદવાકયે “તત્વમસિને અથ
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy