SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH, By/South 54 lence No. 1 37 प्रबुद्ध પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણુ વર્ષ' : ૪૫ અઃ ૧૦ જીભઇ, તા. ૧૬–૯–૮૩ ગાર્ષિક લવાજમ રૂા. ૨૦ પરદેશ માટૅ શિલિંગ ૬૦ તંત્રી : રમણલાલ ચી. શાહ સાંવત્સરિક ક્ષમાપના ૐ રમણલાલ ચી. શાહુ જીવન જીવવા માટે અનેક લેકાના સ્થળ કે સૂક્ષ્મ સહકારની પરસ્પર અપેક્ષા રહે છે. બધાંની શારીરિક, માનસિક * શ્યાત્મિક શકિત એકસરખી હોતી નથી. એથી વ્યકિતગૃતિના પુરુષાથમાં કુરક રહે) છે. પરંતુ જેમની પાસે ક્રમ યાગે વધુ શક્તિ હોય છે તેવી વ્યક્તિમાં કયારેક -સહકારને બદલે અસહકાર, સ્વાર્થ, અહંકાર જેવાં લક્ષણા આાવી જાય છે. એથી વ્યવહારની સમતુલા ખારવાય છે. દ્વેષ, ષિકકાર, ઈર્ષ્યા, નિંદા અહિતચિતા વગેરે ભાવામાંથી ઘણુ અને વૈરવૃત્તિ પ્રગટ થાય છે. એકબીજાને નુકસાન પહોંચાડવાના પ્રયત્ન થાય છે. બલે લેવાની ભાવના જાગે છે. અનુદારતા, -ૠસહિષ્ણુતા, અક્ષમા વગેરેની વૃત્તિએ જોર પકડતાં પરસ્પરનાં વહાર દૂષિત થાય છે. ઉપેક્ષા, અણબનાવથી લડાઇ ઝધડા સુધી વાત પહોંચે છે. એવા દૂષિત વ્યવહારને ક્રીથી સસ, સુખમય, શાંતિમય બનાવવા માટે પ્રેમ, સહકાર, ઉદારતા, સહિષ્ણુતા વગેરેની સાથે ક્ષમાની અતિશય આવસ્યકતા રહે છે. પોતાની ભૂલના એકરાર કરીને ક્ષમા માગવી અને પેાતાના પ્રત્યે ખીજાએ ભૂલ કરી હોય તો તે માટે તેને ઉદાર દિલથી ક્ષમા આપવી એમ ઉભય પ્રકારે ક્ષમાપના કરવાની હોય છે. આપણું અજ્ઞાન, આપણી કયાં ભૂલ થઈ છે તેનુ આપણને કયારેક સાન થવા દેતુ નથી. કેટલીક ભૂલે તદ્દન નવી હોય છે; તો કેટલીક ભયંકર, વસંહારતી કાટિ સુધીની હોય છે. જે માણસ જાગ્રત છે તે પોતાની ભૂલ સમજાતાં તત્ક્ષણુ ક્ષમા માગી લે છે. કયારેક ભૂલની ખબર મોડી પડતાં ક્ષમા માગવામાં સકારણ વિલંબ થાય છે. કયારેક આપણી ભૂલ ઈરાદાપૂવ કની હોય, તે કયારેક અજાણતાં થઈ ગઇ હોય. કયારેક કેટલાક અશુભ વિચારો આપણા ચિત્તમાં ઊઠીને શમી જાય છે. એના માત્ર આપણે પોતે જ સાક્ષી હોઈએ છીએ. કેટલીક પાર અશુભ વિચારો ખીા આગળ શબ્દમાં વ્યકત થઈ જાય છે, પરંતુ એ પ્રમાણે સ્થળ આચરણ કરતાં અટકીએ છીએ; તે કયારેક વિચારના આવેગ પ્રમાણે સ્થળ દોષ પણ કરી ખેસીએ છીએ. મનુષ્યનું ચિત્તતંત્ર એટલું બધુ. સંકુલ છે કે એમાં ઊઠતા પ્રત્યેક અશુભ વિચારની ગણુતરીપૂર્વકની નોંધ રાખવાનું સરળ નથી. માટે જ ક્ષમાપનાના આચાર વ્યાપક રણે સ્વીકારવાની જરૂર રહે છે. એટલા માટે જ મન, વચન અને કાયાથી તથા કરતાં, કરાવતાં અને અનુમાનૢતાં એમ ત્રિવિધેત્રિવિધ પ્રકાર (નવ કાટિએ) અને તે પણુ સુઈ જૈન યુવક સઘનુ મુખપત્ર : પાક્ષિક છૂટક નકલ ૨૧. ૧-૦૦ भवन જાણતાં અજાણતાં થયેલા દોષો માટે ક્ષમા માગવાની હોય છે. એ માગતી વખતે ગરીબ-તવ ંગર, સુશિક્ષિત-અશિક્ષિત, નાના-મોટાં, ગુરુ-શિષ્ય, શેઠ-તાકરના ભેદતા વિચાર ન કરતાં પોતે જ સામેથી ક્ષમા માગી લેવી જોઇએ. આપણે કયા માણસની ક્ષમા માગશું? માત્ર માણસ શા માટે? સમસ્ત જીવરાશિની હાથ જોડી નતમસ્તકે હૃશ્યમાં ધમભાવ ધારણ કરીને ક્ષમા ન માગીએ, કે જેથી અજાણુતાં પણ કાષ્ટ રહી ન જાય? શાસ્ત્રકાર કહે છે. સવ્વરસ જીવરાસિસ, ભાવએ ધમ્મ નિહિ-નિય-ચિત્તો; સવ્વ' ખમાવત્તા, ખમામિ સવ્વસ અહુય' પિ. શાસ્ત્રકારોએ દૈનિક, પાક્ષિક્ર. ચાતુર્માસિક અને સાંવત્સ રિક એવા ચાર મુખ્ય પ્રકાર ક્ષમાપના માટે ખતાવ્યા છે. પહેલા ત્રણ પ્રકાર ચૂકી જવાય તેા છેવટે સાંવત્સરિક ક્ષમાપના તા દરેક માણસે અવશ્ય કરી જ લેવી જોઇએ, કે જેથી એ ઋણમાંથી મુક્ત થઇ જવાય. શાસ્ત્રકારો કહે છે કે જે માણસ સાંવત્સરિક ક્ષમાપના ચૂકી જાય એના કષાયે અનંતાનુબંધી બની જાય છે. વળી એને જે સમ્યકત્વ પ્રાપ્ત થયું હોત તે! તે ચાલ્યું જાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ માટે અને કષાયેાની મતા માટે ક્ષમાના તત્ત્વને જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે. ભૂલ તે બધાની થાય, પણ ક્ષમા બવા માગતા નથી. પરંતુ જે ક્ષમા માગે છે અથવા ખીજાને ક્ષમા આપે છે તેના જીવનમાં દેવી અંગેા પ્રગટ થાય છે. To er is human, but to forgive is divine. ક્ષમા માગવી અને આપવી એ અપ્રમત્ત ચિત્તની નિશાની છે. ક્ષમા સાથે જો પશ્ચાત્તાપ, હૃદય-પરિવતન, ફરી એવી ભૂલ ન થાય તે માટેના સંકલ્પ ઇત્યાદિ સંકળાયેલાં હોય તે તે પ્રકારની ક્ષમા ઊંચા પ્રકારની અને છે. '' માત્ર ઉપાચાર તરીકે શોચ્ચાર કરીને મિચ્છામિ દુકકડમ' કહેવુ' એ દ્રવ્ય-ક્ષમા છે. વ્યવહારમાં એની પણ આવશ્યકતા છે, પરંતુ માણસે દ્રવ્ય-ક્ષમામાં અટકી ન જતાં ભાવ-ક્ષમા સુધી પહોંચવાનુ છે. ક્ષમાના પાંચ પ્રકાર ગણાવવામાં આવે છે. ઉપકારક “ક્ષમા, અપકાર–ક્ષમા, વિપાક-ક્ષમા, વચન-ક્ષમા (આજ્ઞાક્ષમા) અને અને ધૂમ-ક્ષમા. જેણે આપણા ઉપર ઘણા માટે ઉપકાર કર્યાં હોય તેવી વ્યકિતને એની ભૂલ માટે આપણે તરત મા કરી દઇએ છીએ. જેના તરથી આપણા ઉપર અપાર We
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy