SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૨૩ આવતી કાલ અનુ: ગુલામ દેઢિયા શિક્ષણુની આજ અને ૐ ડા. સાગરમલ જૈન વર્તમાન શિક્ષણ આધ્યાત્મિક, નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યાની દૃષ્ટિએ શૂન્ય છે. માત્ર માહિતીપ્રદ શિક્ષણ મનુષ્યને સર્વાંગી વિકાસ કઈ રીતે કરી શકે? વિદ્યાથી ના મગજમાં માત્ર માહિતી ભરી દેવાથી કંઈ માનવીય ગુણાતા વિકાસ નથી થતા, એટલે આજની શિક્ષિત વ્યકિત પણ પોતાની સ્વાર્થવૃત્તિ અને વાસના પર અંકુશ ન મેળવી શકતાં સાચા અર્થમાં મનુષ્ય નથી બની શકતી. આજની સૌથી મોટી દુર્ભાગ્યની વાત તે એ છે કે, આ પણામાંથી કાઇ પણ શિક્ષક, વિદ્યાથી', માબાપ કે શિક્ષણ શાસ્ત્રી શિક્ષણના ઉદ્દેશ્યને સ્પષ્ટ રીતે સમજી નથી શકતા. ભૌતિકવાદી ચિંતનથી એમ જ માની લેવામાં આવે છે કે, શિક્ષણનું કામ આજીવિકા મેળવવા યોગ્ય અનાવવાનુ છે. એ વાત સાચી, વ્યકિતને માટે રાજી-રોટી પ્રાથમિક વસ્તુ છે પરંતુ તે અ ંતિમ વસ્તુ નથી જ. આજે માબાપ એમ ઇચ્છે છે કે એમના દીકરા એ પ્રકારના અભ્યાસ કરે જેથી તેને વધુ સંપત્તિ અને વધુ સત્તા મળે. આપણે દીકરા--દીકરીને ડૉકટર, એન્જિનીયર કે આઇ. એ. એસ. એટલા માટે નથી બનાવતા કે સમાજને તે વધુ ઉપયોગી થાય, પણ એટલા માટે બનાવીએ છીએ કે તે વિપુલ પ્રમાણમાં સત્તાસપત્તિ મેળવે. આજે શિક્ષણના સંબધ ચારિત્ર્યથી નહિ, આજીવિકાથી જોડવામાં આવ્યા છે. માનવતા અને સંસ્કારના મૂળભૂત ગુણેને વિસારે પાડવામાં આવ્યા છે. નૈતિક કે ચારિત્ર્ય શિક્ષણમાં શાસનને ધર્માની ગધ આવે છે. ધમ નિરપેક્ષતાના અથ' ધમહીનતા તો ન જ થઇ શકે. ધર્મનિરપેક્ષતા એટલે કાઈ એક જ ધમને પ્રાધાન્ય ન આપવું પણ નીતિ અને સસ્કારની મુકિત ન હોય પછી ભલે આપણે લખ્યા કરીએ સા વિદ્યા યા વિમુકતયે.’ આજે શિક્ષક અને વિદ્યાથી' અને અનાદાસ અન્યા છે. એક તરફ શિક્ષક પગાર મળે છે માટે ભણાવે છે, એને સસ્કાર, નીતિ વગેરે વાતમાં રસ નથી. ખીજી તરફ શાસન, માબાપ અને વિદ્યાથી તેને ગુરુ નહિ નેકર સમજે છે. જ્યારે ગુરુ તાર છે તેા પછી ચારિત્ર્ય નિર્માણુની આશા રાખવી વ્યથ' છે. આજે તેા ગુરુ-શિષ્યમાં ભાવતાલ થાય છે. સાદા થાય છે. પ્રબુદ્ધ જીવન વર્તમાન સમય માટે કવિ ફ઼િરાક ગોરખપુરીએ કહ્યું છે. સભી કુછ હો રહા છે, ઇસ તરક્કી કે જમાને મે', મગર કયા ગજબ હું કિ, આદમી ઇન્સાન નહિ હોતા : મનુષ્યમાં ત્રણ પ્રકારની ભૂખ હોય છે. ૧. આત્માની ભૂખ, ૨. મનની ભૂખ અને ૩. શરીરની ભૂખ. આ ત્રણેને સ ંતાપવા ત્રણ પ્રકારનું શિક્ષણ જરૂરી છે. ૧. આત્માની ભૂખને સાધવા માટે આધ્યાત્મિક મૂલ્યાવાળુ શિક્ષણ ૨. માનસિક કે બૌદ્ધિક ભૂખને સાષવા માટે જ્ઞાન સબંધી શિક્ષણ ૩. શારીરિક ભૂખ સતૈષવા માટે વ્યાવસાયિક શિક્ષણ. સૌ પ્રથમ તા આધ્યાત્મિક શિક્ષણ એટલે ચારિત્ર્ય નિર્માણની વાત કરીએ તેા, બાળકના ઘડતર માટે પહેલાં આપણે ઘડાવુ પડશે. આપણામાં સત્ય અને સદાચાર મૂલ્યોને સ્થાન આપીશું ત્યારે જ પરિવતન આવશે. આધ્યાત્મિક શિક્ષણના પ્રાથમિક પાઠે બાળક કુટુંબમાંથી શીખી શકે, પછી એ માટે ધર્મગુરુ જ યોગ્ય શિક્ષક ગણાય. આ શિક્ષણમાં શબ્દોથી નહિ જીવનશૈલીથી જ કામ થઈ શકે. આમાં ઉપદેશથી કામ ન ચાલે, જીવન જીવી દેખાડવું પડે. જે આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યનું શિક્ષણ આપે તે ૮૯ સ્વય' લૌકિક એષણાઓ અને વાસનાઓથી મુકત હોય અને સમાજની શ્રદ્ધાનું કેન્દ્ર હોય. વધુ નહિ તો થોડા પણ સાચા ધમ ગુરુએ સમાજના ચારિત્ર્ય નિર્માણમાં ઉત્તમ યોગદાન આપી શકે. બાકી જેએ રૂઢિવાદિતા, સાંપ્રદાયિક સંકુચિતતા, વ્યકિત પૂજા અને પ્રતિષ્ઠાની ભૂખથી પીડિત છે. તે કાય' ન કરી શકે. જો આજે પણ ધમ ગુરુઓ ધાર્મિક રતાંધતામાંથી બહાર આવી શકે તે ચારિત્ર્ય નિર્માણ માટે સમાજ તેમની તરફ આશાભરી નજરે જોઈ રહ્યો છે. આ જયાં સુધી ઔદ્યોગિક અને વ્યાવસાયિક શિક્ષણને પ્રશ્ન છે ત્યાં એને આધ્યાત્મિક કે જ્ઞાનાત્મક શિક્ષણ સાથે ન સાંકળી શકાય. આજે જ્ઞાન-વિજ્ઞાનના શિક્ષણ સાથે જીવિકાપાજનના શિક્ષણને જોડવામાં આવે છે, તે યોગ્ય નથી. વ્યાવસાયિક શિક્ષણની અલગ શાળા મહાશાળાને બદલે ઔદ્યોગિક અને વ્યાવસાયિક ક્ષેત્રજ એવાં હોય જ્યાં વિદ્યાથી ભણતાં ભણતાં કમાય અને તે કુટુંબ કે સમાજ પર ખાજ રૂપ ન અની રહે. આજે પણ કપડાં સીવવા, મકાન બાંધવા, ફર્નિચર બનાવવું, લોખંડની વસ્તુ બનાવવી, જેવા વ્યવસાયેામાં તાલીમ અને આજીવિકા સાથે જ હોય છે. કમાવુ' અને શીખવુ` સાથે ચાલે એવા ક્ષેત્રામાં જ વિદ્યાર્થીની રુચિ પ્રમાણે પ્રવેશ આપવામાં આવે તે ઘણા અથ વ્યયસી જાય. આજની ઔદ્યોગિક તાલીમ સંસ્થાએને ઉત્પાદન કેન્દ્રમાં ફેરવવી જોઇએ, જ્યાં શિક્ષક અને વિદ્યાથી બન્ને ઉત્પાદન કાય માં જોડાયેલા હોય. એ માટે એવા નિયમ થઈ શકે છે. કામનું શિક્ષણ, કામ દ્વારા અને કામ માટે. ( Education of Vocation, by the Vocation and for the Vocation) એન્જિનીયર એવા હોવા જોઇએ જેને લેથ મશીન ચલાવતાં આવડતું હેય કે દીવાલ બાંધતાં આવડતી હોય નહિ ક ખુરશી પર એસી માત્ર કાલા ઉથલાવ્યા કરતા હોય, એવા શિક્ષણમાં આજ કરતાં સમય વધુ લાગે પણ ખીન્ન લાભ ઘણા છે. પ્રથમ તા શિક્ષણ ઉત્પાદક બનશે. વ્યકિત, સમાજ અને શાસનને માટે ભારરૂપ નહિ અને. વિદ્યાથીનું ભવિષ્ય આજીવિકાની દૃષ્ટિએ નિશ્ચિત બની શકશે, તેને વ્યાવહાકિ જ્ઞાત મળશે. અને ક્રમ પ્રત્યે નિષ્ઠા રહેશે. - જ્યાં સુધી જ્ઞાનાત્મક શિક્ષણના પ્રશ્ન છે ત્યાં સુધી એને આવિકા સાથે જાડવાની જરૂર નથી. જ્ઞાન જ્ઞાનને માટે.' (Knowlege for Knowlege sake). જ્ઞાન-વિજ્ઞાનનુ’ શિક્ષણ પ્રાથમિક સ્તર પર સવ' સુલભ હોય અને વિશેષ ભારરૂપ ન હોય. હાઈરસ્કૂલના સ્તર સુધી આ શિક્ષણ આપી શકાય. ઉચ્ચ શિક્ષણના પ્રશ્ન છે ત્યાં આ શિક્ષણને પણ કાલિન ન બનાવતાં અ શકાલિન બનાવવી જોઇએ. એમાં તે લોકોને જ પ્રવેશ મળવા જોઇએ જે પોતાની આજીવિકા સ્વતંત્ર રીતે મેળવતા હોય. આ સ્તરનું જ્ઞાન જ્ઞાન ખાતર હોય, અથ ખાતર ન હોય. અધ્યયનની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે વ્યકિતને આજીવિકાના કાર્યમાં અડચણ ન પડતી હોય. આમ થઇ શકે તે ખે લાભ થાય. એક તો આ પ્રકારના શિક્ષણ માટે તે જ આવશે જેને જ્ઞાન મેળવવાની ઈચ્છા હોય, ખીજી જ્ઞાન – વિજ્ઞાનનું આ શિક્ષણ કાછને માટે ભારરૂપ નહિ અને આ શિક્ષણ મેળવતાં સમય વધુ લાગે પણ એક પરિપકવ મગજ જ આ ક્ષેત્રમાં વિકાસ પામશે. આજના કાલેજના શિક્ષા જેટ્લા શિક્ષકાની જરૂર પણ નહિ પડે જેથી સમાજને ખચ મેજ છે રહેશે. આ રીતે પ્રથમ શિક્ષણમાં નૈતિક, સામાજિક અને ચારિત્રિક મૂલ્યાને સમાવેશ થાય, જેથી વ્યકિત સુસંકારી, કૃત વ્યનિષ્ઠ, ચારિત્ર્યવાન અને સાચા અર્થમાં મનુષ્ય અને ખીજા પ્રકારના શિક્ષણમાં આજીવિકાપાજન જોડાયેલ હોય, ક જેથી વ્યક્તિ રાજી રોટી માટે આત્મનિર્ભર થ શકે. ત્રીજા પ્રકારના શિક્ષણમાં ભાષા, ગણિત, સાહિત્ય, વિજ્ઞાન વગેરે વિષયાના સમાવેશ હોય, જે આત્મસ તાષ તથા જ્ઞાનવિજ્ઞાનની પ્રગતિ અને માનવજીવનના સુખમાં ઉમેરો કરે, સમૃદ્ધ કરે.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy