________________
' પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૨૩
ઉપવાસ અને આ ગ્ય’,
દ સ્વામી પ્રીતમપ્રસાદદાસ એકવાર ધૃતરાષ્ટ્ર વિદુરજીને પૂછ્યું : સવે વેદોમાં મનુષ્યનું આયુષ્ય ૧૦૦ વર્ષનું જણાવવામાં આવ્યું છે; છતાં તે પિતાનું પુરૂં આયુષ્ય કેમ પ્રાપ્ત કરી શકતું નથી ?
(આના જવાબમાં વિદુરજી બોલ્યા: “હે રાજન! તમારે) કલ્યાણ થાઓ. અત્યંત અભિમાન, ધ, મિત્રદ્રોહ, અધિક ખેલવું, ત્યાગને અભાવ અને પિતાનું જ પિટ ભરવાની ચિતા (સ્વાર્થ) આ છ તાતી તલવારો દેહધારીઓનું આયુષ્ય કાપી નાખે છે. એ જ મનુષ્યને વધ કરે છે, મૃત્યુ નહિ.'
આમાંથી છેલ્લી ત્રણ તલવાર ઉપવાસ દ્વારા બુઠ્ઠી થઈ જાય છે. ઉપ+વાસ એટલે ભગવાનની સમીપમાં વાસ કર. - જીવતા તહેવારમાં કાકાસાહેબ કાલેલકર લખે છે: ઉપવાસને : મૂળ અથ" અનશન નથી, ઉપ-વાસ એટલે પરમાત્મા નજીક રહેવું, એની સન્નિધિ અનુભવવી. જે ઇન્દ્રિયને તૃપ્ત કરવા બેસે છે, તે ઈશ્વરનું નામ લેવા છતાં ઈશ્વરની સન્નિધિ અનુભવી ન શકે.'
, રવાદ છૂટે તે એટલી સહાયતા મળે. ગીતા કહે છે કે, નિરાહાર રહેલા મનુષ્યના રસ છૂટી જાય, અને એમ આગળ વધતાં પરમાત્મા સાથે જોડાય એટલે મુક્ત બને. નિરાહારની વ્યાખ્યા બાંધતાં ગોપાળાનંદ મુનિએ કહ્યું છે કે ઇન્દ્રિયોના આહારમાંથી નીકળી જવું તે.
ભૂખ્યા રહેવું અને બંધન એ બંનેમાં ઘણો તફાવત : છે. ભૂખ્યા રહેવાથી શરીરના તંતુઓને પોષણની જરૂર
પડવાથી તે ખૂંચવાય છે, જ્યારે બંધનની ક્રિયા શરીરને - સાચવે છે, દોષનું નિવારણ કરે છે, અંગાને સુધારે છે. માત્ર
શરીર લેવાતું હોય કે ક્ષય જે વ્યાધિ થયો હોય ત્યારે જ લંધન વર્ષ છે. બીજી સ્થિતિમાં બંધનથી નુકસાન થતું નથી.
ધમમૃતમાં ભગવાન સ્વામિનારાયણે નિર્જળા ઉપવાસ ન થઈ શકે તે પાણી પીવાની છૂટ આપી છે. અહીં આપણે નકેરડે ઉપવાસ, માત્ર સાદું પાણી જ પી શકાય એ વિશે જોઇશું. આ ઉપવાસ દ્વારા ભગવાનની પ્રસન્નતા તે અચુક થાય જ • છે, પરંતુ આરોગ્યની દૃષ્ટિએ પણ ઘણા ઘણા લાભ થાય ' છે. આયુર્વેદના ગ્રંથમાં શરીર સ્વાથ્ય માટે ઉપવાસને શ્રેષ્ઠ ઈલાજ ગણાવ્યું છે.
ડે. ડયૂઈ કહે છે કે, “માંદા માણસનું ભજન બંધ કરો ત્યારે એ ભૂખે મરી જશે એ ડર ન રાખશે. હા, એને રાગ ભૂખે મરી જાય એવી શકયતા વધુ છે. ઉપરાંત આયુષ્ય વધારવા માટે ઉપવાસ ઉપકારી છે. ગાંધીજી . કહેતા કે, “આપણે આપણે આહાર જેટલે 'જોઈએ તેટલો જ લઈએ તો શરીરમાં મોકળાશ રહ્યા કરે.” એ મોકળાશ માટે ગાંધીજી ઉપવાસલંધન-મિતાહારની ભલામણ વારંવાર કરતા.
. જયારે ખેરાકમાં અરુચિ થતી હોય, ભૂખ ન ઊઘડતી હોય, જીભને સ્વાદ મરી ગયું હોય, લેહી ફિકકું થઈ ગયું હોય કે જઠરાગ્નિ મંદ પડે હોય એવી પરિસ્થિતિમાં ઉપવાસ મહત્વનું છે. એથી શરીરની વિષમતા દૂર થાય છે. - રશિયામાં અમુક વૈજ્ઞાનિકે દમના રોગમાં, હાઇબ્લડ .. પ્રેશરમાં, પેટનાં ચાંદા દૂર કરવામાં ઉપવાસના પ્રાગદ્વારા
સફળ થયા છે. શિકાગો યુનિવર્સિટિના ફીઝિલોજી વિભાગના "ડોકટરે કાર્લસન અને કુદે એ સાબિત કરી બતાવ્યું કે ચાળીસ વર્ષને માણસ હોય છતાં બે અઠવાડિયાં ઉપવાસ કરે છે તે સત્તર વર્ષના યુવાન જેવા તાજા કે અને તંતુઓ પુનઃ પ્રાપ્ત કરી શકે.
નાની નાની તકલીફ, માથાનો દુ:ખાવો, તાવ, ફલુ વગેરેમાં ઉપવાસ કરવાથી મેટી માંદગીમાંથી બચી શકાય. આશ્રય છે કે આ વસ્તુ કેન્સરના કેબમાં પરિવર્તન લાવે છે. એને મેટાબોલિઝમ કહે છે. જન્મથી મૃત્યુ સુધી શરીરમાં અનેક પ્રકારનાં વિષ ઉત્પન્ન થયા જ કરે છે. તેના અટકાવ માટે ઉપવાસ જરૂરી થઈ પડે છે. - ઉપવાસથી શરીરના જડ સંસ્કારને પોષણ મળતું અટકે. છે. આ માણસ દઢ સંક૯પશકિત ધરાવે છે. એક ટંકનું ભાજન ન છોડી શકે એ માણસ પણ નકકી કરે કે મારે આવતી એકાદશીએ નકે ઉપવાસ કરે છે, ત્યારે એના મન પર એની અસર થાય છે જ. અધ્યાત્મિકતા તરફ જવાનું અંતર કપાય છે.
એક દિવસનો ઉપવાસ હોય તે ચા, કોફી, દારૂ, તમાકુ વગેરેનું સેવન ન કરવું. જોઈએ. આરોગ્યશાસ્ત્ર તે ઉપવાસના દિવસે દવા લેવાની પણ ના કહે છે. ઉપવાસના આગલા દિવસે તથા બીજા દિવસે આહારમાં સંયમની ખાસ જરૂર છે. જગતમાં આહારના અભાવથી મરી ગયેલા કરતા વધુપડતું ખાવાથી મરી ગયેલ ઘણાં જોવા મળશે.
મુંઝાઈને પણ ઉપવાસ કરવો એ યેચ નથી. મુંઝાયેલા મને ઉપવાસ કરે છે તેનું પુણ્ય મળતું નથી, પછી શારીરિક હાનિ પહોંચે છે. ઊંડી ખાણમાં કામ કરનારા મજુ હવા અને પાણી વડે જ જીવે છે, કારણકે ત્યાં ખોરાકપહોંચાડે મુશ્કેલ છે. છતાં તેઓ હિંમતથી જીવે છે. કેટલાક મરી જાય છે તેનું કારણ તેમના મનમાં પેસી ગયેલે ભૂખ. મરાને ડર હોય છે. નિર્ભયતા હોય તે ચારેક દિવસ ભોજન ન મળે તેમાં સાધારણ નિરોગી વ્યકિતનું મરણ ન થવું જોઈએ. ઉપવાસ એટલે ભૂખે મરવું એમ માનીને આપણે ઉપવાસ પ્રત્યે રૂચિ દાખવી શકતા નથી.
ઉપવાસ કરો કે ભૂખ્યા રહેવું એ તે સ્થળ શરીર. વાળાનું જ કામ, એ માન્યતા ખોટી છે. ભોજન વગર દેહ, કેમ ટકી શકે એ પ્રશ્ન સહેજે ઊઠે. પરંતુ આપણાં શાસ્ત્રોએ શોધી કાઢયું છે કે માનવશરીર પંચમહાભૂતેમાંથી બનેલું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પાંચ તત્વે આપણને પોષણ આપે છે. એટલે અન્ય ભોજન લેવું જ નહિં એમ નહિ પણું જીવન ટકાવવામાં આહારને ફાળે નહિવત્ છે.
ડોકટરી વિજ્ઞાન કહે છે કે “આટલાઈસિસ’ એટલે શરીરમાં રહેલી ચરબીને ઉપવાસથી થતી પ્રક્રિયામાં શરીર તેને પિષક તત્વ તરીકે ઉપયોગ કરી છે.
મેકિસકી દેશમાં થતી ગીલામેન્સ્ટાર લિઝાર્ડ નામની ગરોળી ભારે ચરબીદાર પૂંછડીવાળી હોય છે. તેને લઈને તે ઘણા દિવસો સુધી ખેરાક વગર રહી શકે છે. એમેઝોન વૃક્ષ પર રહેતા દેડકાઓ પોતાની પૂછડીમાંથી પિષણ મેળવીને અઠવાડિયા સુધી રહી શકે છે. ભારતમાં થતાં ટેલ દેડકાઓ પણ પિતાની પૂછડીમાંથી પિષણ મેળવતા હોય છે, ઊંટની ખૂધની ચરબી પણ લાંબો સમય પોષણ આપે છે. ઉત્તર ધ્રુવ પ્રદેશનાં રીંછ તેમ જ દક્ષિણ ધ્રુવનાં પેગ્વિન પક્ષીઓ પણ શિયાળામાં સમાધિમાં હોય તેમ પડયા રહે છે.
ઉપવાસ ભૌતિક તેમજ આધ્યાત્મિક બંને પ્રકારનું સુખ આપે છે. પાર્વતીએ પિતાની ચિત્તશુદ્ધિ કેવી રીતે સાધી ? પ્રથમ થોડાંક ફળ-ફૂલ ખાઈને શિવનું ચિંતન કરતી, પછી સૂકાં પાંદડાં ખાઈને, પછી તે પાંદડાં પણ છેડી દીધાં તેથી શાળ” કહેવાઇ. અજુને પણ ઉપવાસ દ્વારા શિવનાં દર્શન કરી તેમની પાસેથી પાશુપતાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું, કળિયુગમાં યોગીજી મહારાજ જેવા યુગપુરુષેએ ઉપવાસને કયાં પ્રોત્સાહન નથી આપ્યું?
આ
'
હળાહા રજા જેથી કોઈ આયુષ્ય વધ એ