SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા.૧૬-૮-૮૩ સશકત અને છે, એના આંતરિક વીય ને સ્ફૂરાયમાન કરવાની તક મળે છે, અરિત તાર્દિકનો આપણા ઉપર મહાન ઉપ્કાર છે. એટલા માટે જ જૈનાગામેામાં એમને લાગ ક્રિયાણુ, લેાગપષ્ટ વાણ, લાગ પોયગરાણું' વગેરે વગેરે કહ્યાં છે. આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ સિદ્ધ ભગવંત અરિહંત કરતાં ચડીયાતા છે; છતાં પચપરમેષ્મી મહામંત્રમાં તેમનુ સ્થાન ખીજું છે. આ પ્રમાણે ક્રમ ગોઠવવામાં ઉપકારક મહાપુરુષને પ્રથમ સ્થાને મૂકી કૃતજ્ઞતાની ભાવના કરવી એ છે. વ્યકત ખાર અરિહંતના, આ સિદ્ધના, છત્રીશ આચાય ના, પચ્ચીસ ઉપાધ્યાયના, સત્તાવીશ સાધુના-આમ એસે આઠ ગુણુ થાય. અરિહંતના ખાર ગુણ છે. આમાં આઠ પ્રાતિહાય અને ચાર અતિશયા છે. અશોક વૃક્ષ, દવા દ્વારા કૃત્રિમ પુરૂષોની વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, મોહર ચામર યુગલ, અતીવ શ્રેષ્ઠ સિંહાસન, ભામ`ડલ, દેવદુંદુભિ, એક ઉપર ખીજું એમ ત્રણ ત્ર—આ આ પ્રતિહાર્યાં થયાં. જેવી રીતે પ્રતિહારી પાતાના સ્વામી પાસે દ્વાર પર ઉપસ્થિત રહે છે, તેવી રીતે, આઠ પ્રાતિહાય જિનેશ્વર ધ્રુવની પાસે ઉપસ્થિત થઇ જાય છે. અરિહંત ભગવાનની આ લેાાત્તર વિભૂતિના સંબંધમાં આશ્રય પામવા જેવું કશું નથી. પાત'જલ યોગદર્શનમાં યોગ વિદ્યાના સબંધમાં આકાશગમનાદિ ધણા મહત્ત્વપૂર્ણ ચમત્કારોનુ વણુન આવે છે. એટલે આમાં શંકાને કશું સ્થાન નથી. સાધારણ યાગી વતમાનમાં નાના ચમત્કારી દ્વારા માનવજગતમાં આશ્રય ઉપજાવે છે ત્યારે અસાધારણ સિદ્ધિવત્તા અને લબ્ધિવંતા અરિહંતાદિ ભગવાનની વાત જ શી ? ઉપરાંત, તેમના બીજા ચાર અતિશયાની ગણના પણ ગુણમાં થાય છે. અરિદ્ભુત ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં આસપાસના કોઇ પણ પ્રદેશમાં મહામારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા અપાયાનો સામનો કરવાના હોતા નથી. બલ્કે, શાંતિ અને પ્રેમનું વાતાવરણ હોય છે. બકરી અને સિંહ એક સાથે રહેતા હોય છે અને લહેર કરતા હોય છે. આને અપાયાપગમ અતિશય કહે છે. અરિહંત ભગવાનને વિશ્વની કાઈ ખાખત, કોઇ ચીજ, કાઇ વસ્તુ અજ્ઞાત રહેતી નથી. આ એમના અનંત જ્ઞાનના અતિશય છે. અખિલ સંસાર એમને પૂજા, માન, સત્કાર કરે છે. એ એમના પૂજા અતિશય છે. એમના વચન અતિશય એટલે પ્રખળ છે કે દરેક પ્રાણુ, જીવ, સત્ત્વ, અને ભૂત એમની વાણી દ્વારા આત્મકલ્યાણના લાભ ઉઠાવે છે. આમ આઠ અને ચાર મળીને અરિહંત ભગવાનના ખાર ગુણા થાય છે. એમના આ ખાર ગુણા એમને લેાકાત્તર શ્રેણીમાં મૂકવા માટે બસ છે. દુ:ખ પ્રચુર આ સંસારમાં અરિહંત ભગવાન જીવ માત્ર માટે એક અને અનન્ય શરણ છે, ચાર મંગલ, ચાર ઉત્તમ અને ચાર શરણામાં અરિહંત ભગવાન પ્રથમ મૉંગલ, પ્રથમ ઉત્તમ, અને પ્રથમ શરણ છે. અરિહંત ભગવાનનું નામસ’કીત્તન સજીવની સમાન નીવડે છે. રાગ-દ્વેષથી પર બનાવી ચિત્તશુદ્ધિ દ્વારા સાચા આનંદની અનુભૂતિ કરાવનાર ઉત્તમ આધ્યાત્મિક રસાયણુ છે. હે નાથ ! દુ:ખિ જન વત્સલ ! હે શરણ્ય ! કારુણ્ય પુણ્ય વસતે! વશિનાં સત્યા નતે મયિ મહેશ ! ક્યાં દુઃખાંકુરાલન વરેણ્યા ! વિધાય, તત્પરતાં વિષેહિ !! તારી પાસે હે નાથ ! કાંઇ જ માગતા નથી. ફકત દુઃખના ખીજોનો સમૂળા નાશ કરવા, હે ભગવન! મને તત્પર બનાવ ! નમો અરિહંતાણું! 79 સુ ધ રે લા દે ખા વાની કે ળા * ત્રાત્ય’ કળા અને વિજ્ઞાનની વચ્ચે દેખીતા જ ભેદ જણાઈ આવે છે. વિજ્ઞાન એટલે કાય કરણના સબધાના નિયમે વિષેનુ વ્યવસ્થિત ત ંત્ર કે શાસ્ત્ર, કળામાં કાય કારણ હોય છે, તેના સંબંધો અવશ્ય હોય છે. પણ તે સબંધો ધણે અંશે કળાકારને અને થાડે અંશે રસિકજનાને જાણીતા હોય છે. કેટલીકવાર તેા અસાધારણ પ્રતિભાના ઉન્મેષ થતાં ખુદ કળાકાર પણ આ સબધાને જાણી નથી શકતા. પ્રતિભાના એક પ્રકાશ થાય છે અને તે કયાંથી આવ્યા, કેમ આવ્યા, કેણુ લાવ્યું. એવા પ્રશ્નાના ઉત્તરા મળતા નથી. કળા એક પ્રકારનું જાદુ છે, તેની ગૂઢતામાં જ તેની વિશેષતા છે, તેની સિદ્ધિ છે, લાંખે ગાળે આ ઝકારામાં ચે કયાંક નિયમેા હાથ લાગે છે, ત્યારે કલા તે કારીગરી બની જાય છે. કલાના નિયમાનું જ્ઞાન થતાં ધીમે ધીમે એક કલાતત્ર રચાય છે, કલાનુ યે વિજ્ઞાન રચાય છે. કલાની કલામયતા તેની અજ્ઞાત, અજ્ઞાત કે મૂઢતાપ્રેરક અકળપણામાં છે. નવીનતામાં ક્લાની નવાઇ છે. જૂનવટમાં કલાનુ જાદુ ઊડી જાય છે. નવીન રીતે વાળ કપાવવામાં આવે ત્યારે તે કલાત્મક દેખાય છે. નવીન રીતે ઓળતાં તેમાં સૌનું સ્ફુરણ પ્રતીત થાય છે. પર ંતુ આ નવીનતાના નિયમો હાથમાં આવતાં તેનું તંત્ર । વિજ્ઞાન બની જાય છે. કપડાંમાં ચીરા કે ખાંપો પડીને ફાટતાં તેને થીગડું માયુ હેય તે તે પહેરનારની દરિદ્રતા કહેવાય છે. પરંતુ કપડુ ફાટયા વિના જ તેને થીગડું' માયુ" હોય તો તે પચવક નામની કલા કહેવાય છે, કપડું સીવ્યા પછી એટયુ ન હોય તો તે જીના અણુધડપણાની નિશાની છે. પર ંતુ સીવીને ન ઓઢવાના માત્ર દેખાવ થાય તેમ આટયુ હાય તા તે સિલાઈકલા કહેવાય છે. નાનપણમાં અમે રતાશ પડતા કાળા મરૂના કિત્તાથી પીજીક લખતા. કિત્તાને છેડેના કાપ બરાબર ચ્ચે ન હોય, તેમાં ખાંચા પાડયા ન હોય તો સુ દર ફૂલ જેવા અક્ષરામાં વચ્ચે ડખમાં પડતાં. આવું લેખન અસ્વચ્છ અને લાહીન ગણાતું. વિદ્યાથી અણુધડ અને કુવડ ગણાતા. પરંતુ મેાડન' રિવ્યૂ’ માસિકમાં તેના મથાળાંના અક્ષરા ઇરાદાપૂર્વક આકાવાળા મૂકવામાં આવતા. અમે અમારા શિક્ષક આગળ તેને તિરસ્કાર કર્યાં તે અમને કહેવામાં આવ્યું કે તે તે કલા કહેવાય. ત્યારે અમને જ્ઞાન થયું કે ભૂલથી ઉપજતું અણુધડપણું એટલે ખલા, અને ઇરાદાપૂર્વક ઉપજાવાતું અણુધડપણું એટલે કલા. કેટલાક લેકા કોટનાં ભુતાન (બટન) ખરાબર નથી ખીડતા, ગાંધીવાદ પૂરબહારમાં હતા ત્યારે લોકો પહેરણનું ઉપલું અટન ખરીદાપૂર્વક ખૂંધ ન કરતા અને બટનની સામેના છેડા અંદર વાળતા, આમ કરીને તેઓ ખેદરકારીના દેખાવ કરતા. આ ખેદરકારી કલાકારનું લક્ષણ ગણાતી અને તેવા કલાકારમાં ખપતા. અસલના વખતમાં પાટલૂનના પાયચાના છેડા ન વાળતા. એકવાર પ્રિન્સ ઓફ વેલ્સે તે વાલ્યા તેથી તેના પિતા પંચમ જ્યેાજે કટાક્ષમાં પૂછ્યું: કેમ દીકરા વરસાદ
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy