SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ શુ? માટે આવા આંતરિક શત્રુઓને હણનાર અરિતાને પંચ પરમેષ્ઠી મામ ત્રમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યુ' છે. ભાવશત્રુઓને વિધ્વંસ કરી, વીતરાગતા પ્રાપ્ત કરી હોય એ વ્યકિત પ્રણસ્ય છે, પછી ભલે એ વ્યક્તિ ગમે તે કાળે, સ્થળે અને સ્વરુપે થઇ ગઇ હોય. જૈન ધર્મ' કેટલા પરમતસહિષ્ણુ છે. એ આ ઉપરથી સૌ કોઈ સમજી શકાશે. પ્રબુદ્ધ જીવન કાઈ પણ ધર્મના સંતને, મહાત્માને અપનાવવામાં એને કશી હરકત નડી નથી. એના સમભાવને, સમદર્શી પણાને, સમતાને કાઇ સીમા નથી. તુલસીની સાખી આ ક્ષણે યાદ આવી જાય છે : ‘તુલસી મમતા રામસે, સમતા સખ સંસાર રાગ, રાષ, ને દાખ, દુ:ખ, દાસ ભયા ભવપાર । રામમાં અર્થાત્ ભાવશત્રુઓને હણનાર અરિહંતાકિમાં મમતા અને ખાદ્ય સંસાર તરફ સમતા-આ બે મહાગુણા (મમતા અને સમતા) પ્રાપ્ત કરે તો દાસ-ભગવાનના ભકત- ભવ પાર કરી જાય. વ્યકિત પૂજામાં નહિ પણ ગુણ પૂજામાં જૈન ધમ' માને છે, એના મતે ગુણને મહિમા અપર’પાર છે. ગુણાઃ પૂજાસ્થાન’ ગુણિત્રુ ન ચ લિંગ ન ચ વર્ષ: ' જ્ઞાતિ, જાતિ, સ્થળ અને કાળના કોઈ બંધનમાં એણે માનેલુ ઇશ્વરત્વ બધાઈ જતું નથી. એટલા માટે જ પોંચપરમેષ્પી મહામંત્રને એટલે કે નમેકકાર મંત્રને કે નવકાર મત્રને ચૌદ પૂર્વના એટલે કે સકળ - જૈન ધર્મના સાર, આત્મા કહેવામાં આવ્યા છે. ઈંદ્રિય જય દ્વારા સાચુ જૈનત્વ અને કાયે, દુષ્ટ કર્યાં, વાસના, વિકૃતિએ ઇત્યાદિક્રના ક્ષય દ્વારા સાચી અરિહંતતા પ્રાપ્ત થાય છે. કયાંક વાંચ્યું છે ( ધણું કરીને વિદ્યારણ્ય મુનિના પંચદશી ગ્રંથમાં ): નૈકાણુ ન તસ્યાથ':, ન તસ્યા : કમભિઃ । ન સમાધાન જામ્યાભ્યામ, યસ્ય નિર્વાસન મન જેના મનમાંથી વાસનાના ખીજ જ મળી ગયા છે તેને ક્રમાદ, અકમવાદ, સમાધિ, જપ કે એવા બીજા કશાની કશી જરૂરત નથી. તે સ્વય' પરમાત્મા ની જાય છે. નિશ્ચય દૃષ્ટિએ એ પેાતે પરમાત્મા જ છે. અપ્પા સે પરમપ્પા' એ પોતે એવા નથી એવું જે માને છે તે તેનું અજ્ઞાન છે અને આ અજ્ઞાનને દૂર કરવામાં અરિતાદિ પંચ પરમેષ્ઠીને ભાવપૂર્વ' કરેલા નમસ્કાર કામ આવે છે. આ નમકાર પંચક સ` પાપનો નાશ કરનાર છે અને સમગળામાં પ્રથમ મગળ છે. શબ્દ નમેા અરિહંતાણુ” પદમાં રહેલા નમે’ દ્વારા ઋજુતા અને માનના ત્યાગ સૂચવાયા છે. તુલસીની એક સાખીનું ઉત્તરાધ' તીરને હું દીનતા, મુડત કેા અભિમાન’ પણ આ હકીકતનું સમથન કરે છે. નમસ્કાર દીનતા વિના ન થઈ શકે. દીનતા એટલે નમાલાપણું નહિ પણ સૌજન્ય. અહુને ફગાવી દીધા વિના એ ન આવે. નર્મસ્કારમાં ભકિત, નમ્રતા, ગુણાનુરાગ, નિરભિમાનીતા પ્રત્યાદિ ગુણી સમાવિષ્ટ થઈ જાય છે. વિધિપૂર્વક અને ભાવપૂવ ક કરેલા નમરકાર આ મધુ સિદ્ધ કરી આપે છે. તા. ૧૬-૮-૧૮૩ નરસિંહ, તુલસી કે કખીરાદિએ જે કાંઇ કહ્યુ છે તેના માટ ભાગનું તારતમ્ય અખંડ જળવાઇ રહ્યુ છે. છે. નમસ્કારને પ્રેરતી ઋજુતા વિષે પ્રાચીન ઋષિ, મુનિએ કહ્યું છેઃ સવ" જિત્થ' મૃત્યુપત્ર, આવ* ઋત ઉચ્ચતે' । માયા-કપટ એટલે મૃત્યુ અને આજવ ત્યાં ઇશ્વરત્વ સ્ફટિક જેવું નિમ`ળ હૃદય શ્વિરની આવાસ ભૂમિ રાગ, રાષ, દોષ, દુઃખ વિનાની મનોભૂમિમાં અરિહંતતા વિરાજે છે. આ રીતે માનવજીવનમાં નમસ્કારને ધણુ ઊંચુ સ્થાન છે. ભકિતભાવથી ગદ્દગતિ અની મહાન આત્માઓને માનવી નમસ્કાર કરે છે, ગુણી: આગળ પોતાની અહંતાને ત્યાગી ગુણીના ચરણામાં પેાતાની જાતને સ તાભાવેન સમર્પિત કરી દે છે ત્યારે માનવીની આધ્યાત્મિક્તાની પારાશીશી કેટલી ઊંચે ગઈ છે એનો પત્તો લાગી જાય છે. નરિસંહ કાર કરે છે હું કરૂં, મેં કર્યુ એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે.' અના નાશ વિના નમકાર ન સભવે અને અહં દરેક અનથ'નુ મૂળ છે. વત્વ અને અરિ તત્વ વચ્ચે એટલે કે જીવ અને શિવ વચ્ચે કર્તાપણાને આ દુર્ભાવ જ ખાઇ ઊભી કરે છે. અરિહતેાના ચરણામાં માન મુકી સમપણ કરી દીધા વિના આધ્યાત્મિકતાની પરાકાારૂપ પરમેષ્ઠીપણાને પામી શકાશે નહિ. કશ્મીરે કહ્યું છે : ભારતવર્ષના તમામ ધર્મોની એક તાસીર છે કે એ બધામાં ક્રિયાકાંડાની ભિન્નતા હોવા છતાં નીતિ અને આચાર વિષયક એક અતૂટ અઐકય છે, અને આને લીધે ભારતીયેામાં એકરસતા હજુ સુધી જળવાઇ રહી છે. મુખ્ય અને મૌલિક સિદ્ધાંતાની બાબતમાં અધા વચ્ચે એકવાકયતા છે. માટે જ, લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતાસે પ્રભુ દૂર.' ગીતાજીએ પણ ઉષ્માયું છે ન મે ભકતા વિનશ્યતિ' પણ સાથે શત મૂકી અનન્યાર્જિનતા માં યે જના પયુ પાસતે' જો એ મારૂં સ્મરણ અનન્યભાવે કરે તે; અરિહંતમાં પોતાની જાતને એગાળી નાખે તા; પ્રભુતા નહિ પણ લઘુતા ધારણ કરે તે. જો કે જે કાંઈ કરવાનું છે તે આપણે પોતે જ કરવાનુ છે. પણ આલંબનની આવકતા તે ખરીજ. નમેકકાર મંત્રના પાંચ પદ આપણા માટે એક આલેખન છે, એક આશ' છે, એક લક્ષણ છે. એને સિદ્ધ કરવુ એ આપણુ ધ્યેય હોવુ જોઇએ. કમળના વિકાસમાં સૂય' જેમ નિમિત્ત કારણ છે તેમ અરિહંતાદિ મહાન આત્માઓનુ` ગુણુ સપુત્તન પણ આત્માન્નતિનુ એક પ્રબળ નિમિત્ત-કારણ છે. એમન ગુણાના સતત સ્મરણ વિના અને તનુસાર વત્તન વિના અરિહંતની પછી આપણે નહિ મેળવી શકીએ. સિદ્ધિ તે પેાતે જ મેળવવાની છે. ખાદ્ય પરિસ્થિતિ અને ખાદ્ય વ્યકિત કેવળ નિમિત્ત બની શકે છે. આ દૃષ્ટિએ અરિહતાન્નુિ મનન, ચિ'તન અને નિદિધ્યાસન આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રક " કરવામાં પ્રબળમાં પ્રબળ નિમિત્ત-કારણ બની શકે. ભમરીના ધ્યાનથી ઈયળ ભમરીખની જાય છે, ઋગ્વેદમાં એક ઋચા છેઃ આ ા ભદ્રા તા યન્ત્ વિશ્વતઃ ' શુદ્ધ વિચારોનો પ્રવાહ તરફથી મારા તરફ વળા. ખરાખર આ નિયમાનુસાર શિવના વિચારોથી જીવ પણ શિવ બની જાય છે. અરિહંતના ધ્યાનથી નિસાન પણ અરિહંત બની જાય છે. દૈવી અને આસુરી એવા એ ભાગ વિચારાના ગીતાજીએ પાડયા છે તે પણ આ હકીકતની જ નિર્દેશ કરે છે. સત્પુત્સ્યાનુ નામ લેવાથી, ધ્યાન ધરવાથી વિચાર પવિત્ર થાય છે. વિચાર પવિત્ર થવાથી અસત્ સ ઉત્પન્ન થતા અટકી જાય છે. એથી આત્મા સ્વસ્થ બને છે,
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy