SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૪૩ આચાય શ્રી યશવંતભાઇ શુકલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ખિન હરીફ ચૂ’ટાઈ આવ્યા એ ધણા આનંદની વાત છે. પ્રમુખસ્થાન માટે ચૂંટણી થઇ હોત તો અકારણ કેટલાક વિવાદ ઊભા થાત. શ્રી કે. કા. શાસ્ત્રીએ પેાતાની ઉમેદવારી સમયસર પાછી ખેંચી લીધી, અને પરિષદને મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી બચાવી એ માટે એમને ધન્યવાદ ધટે છે એમના ખરેખર આભાર માનવે જોઇએ. (શ્રી હરીન્દ્ર દવેએ પણ પાતાની ઉમેદવારી અગાઉથી જ પાછી ખેચી લીધી હતી એ માટે એમને પણ ધન્યવાદ ધટે છે.) પ્રબુદ્ધ જીવન સાહિત્યકારે પરિષદનું પ્રમુખસ્થાન ચૂંટણી લડીને જીતવુ પડે એ જરાય ગૌરવની વાત નથી. સાહિત્ય પરિષદે તે યાગ્ય વ્યકિતને પ્રમુખસ્થાન માટે સન્માનપૂર્ણાંક નિમત્રણ આપવું જોઇએ. (પહેલા પ્રમુખ ગોવધનરામ ત્રિપાઠીને એ રીતે અપાયું હતુ.) પરંતુ એના હાલના બંધારણમાં એવી જોગવાઈ નથી. પરિણામે પ્રમુખપદની આકાંક્ષા સેવનારાઓએ ચૂંટણી જગમાં ઝુકાવવુ' પડે છે! આવી સ્થિતિ જો ચાલુ રહેશે તે ભવિષ્યમાં કયારેક એવું પણ બનશે કે સાહિત્યકાર તરીકે જે સામાન્ય હોય પણ ચૂંટણી લડવામાં અતિ કાખેલ હોય એવી વ્યક્તિ પ્રમુખ બની ખેસશે. આપણા માનનીય સાહિત્યકારાએ મતદાન માટે યાચના કરતા પત્રા સભ્યોને લખવા પડે એવી પરિસ્થિતિ પરિષદે હવે નિવારવી જોઇએ. અમેરિકાના પ્રમુખની ચૂંટણીની જેમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી એના સામાન્ય સભ્યાના મતદાન ઉપર અવલખે છે. સામાન્ય સભા~ સદાને મળેલા આ હક એમની પાસેથી ક્રમ છીનવી લેવાય ? એવા એક પ્રશ્ન ઊઠે. પરિષદનું નવું બંધારણ જ્યારે ઘડાયું ત્યારે પ્રમુખપદની ચૂંટણીને પ્રશ્ન અવશ્ય વિચારાયા હશે. પરંતુ ચૂંટણી વખતે ઉમેવારાનાં જે નામે આવશે તે ઉમેદવારામાં પોતાના કરતાં વધુ ચઢિયાતા સાહિત્યકારની તરફેણમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવા જેટલા વિવેક જરૂરી હશે જ એમ માની લેવાયું હશે. પરંતુ હવે સમય બદ્લાયા છે. કેટલાક સમયથી ચૂંટણી થવા લાગી છે; વિવેક કે સાચને પ્રશ્ન આહા થતા ગયા છે. લેાકશાહીમાં ચૂંટણીની શરમ નં હોવી જોઇએ એવા મત પણ પ્રવર્તે છે. ભવિષ્યમાં સામાન્ય સાહિત્યકાર પણ ઉમેદવારી પાછી ન ખેંચતાં હકપૂવ ક ચૂંટણી લાવાનો આગ્રહ રાખશે. પૈસાને જોરે અગાઉથી વધુ મત મેળવી જવાના પ્રયત્ન પણ થશે. કયારેક કાઈ સર્વોચ્ચ સાહિત્યકાર કહેવાતા સામાન્ય સાહિત્યકારને હાથે પરાજિત પણ થશે. એવી પરિસ્થિતિ ન આવવા દેવી હોય તો તે માટેના ઉપાયા અત્યારથી જ વિચારવા જોઇએ. જ્યાં સુધી પ્રમુખપદની ચૂંટણી હશે ત્યાં સુધી એવુ' પણ બનશે કે ચૂંટણીજંગ ખેલવામાં ન માનનાર, મતયાચનાની લાચારીમાં મુકાવા ન ઇચ્છનાર એવા કાઇ સ્વમાનશીલ, ઉદાત્ત, સર્વોત્તમ સાહિત્યકાર પરિષદના પ્રમુખસ્થાનથી વંચિત રહેશે. એમાં એવા સાહિત્યકાર કરતાં વિશેષ હાનિ થશે પરિષદને. પરિષદના પ્રમુખની વરણી એ ઘટે એ પદ ચૂંટણીથી નહિ, પશુ સામાન્ય સભાસદોએ પ્રમુખપદ માટે ગૌરવભરી ધટના હોવી નિ ત્રણથી અપાય. સૂચવેલાં નામેામાંથી, ge મધ્યસ્થ સમિતિએ વિચારેલા ત્રણથી પાંચ નામેામાંથી એકની પસંદગી પ્રમુખપદ માટે કરી શકાય. પાંચ-સાત કે દસ સભ્યોની બનેલી પસંદગી સમિતિને આ જવાબદારી સોંપી શકાય. એ પસંદગી સમિતિમાં પરિષદના કેટલાક ભૂતપૂર્વ પ્રમુખા પણ હોય. ઉપરાંત મધ્યસ્થ અને કારોબારી સમિતિ ખીજા કેટલાક આદરણીય સાહિત્યકારાનાંનામ પસંદગી સમિતિ માટે નક્કી કરે. એ રીતે રચાયેલી પસદંગી સમિતિ જે સાહિત્યકારની પ્રમુખ તરીકે પસ ંદગી કરે તે સાહિત્યકારને પરિષદ સન્માનપૂર્વક નિમત્રણ આપે તે પરિષદના પ્રમુખાનુ ગૌરવ જળવાશે. અલબત્ત, પરિષદનું પ્રમુખસ્થાન એ સાહિત્યિક સિદ્ધિને એક માત્ર માપદંડ છે એમ નહિ કહી શકાય, કારણ કે પ્રમુખપદની વરણીમાં સાહિત્યેતર કારણે પણ કાય કરતાં હાય છે. ભુલાભાઈ દેસાઇ કે હરિસિદ્ધભાઈ દિવેટિયા પરિષદના પ્રમુખસ્થાને આવી ગયા છે, જયારે કવિ નાનાલાલ, બળવંતરાય ઠાકાર વગેરે કેટલાકનું નામ પરિષદના પ્રમુખાની યાદીમાં નથી સચિત્ર લધુ શત્રુંજય ગિરિરાજ દૃશન: સપા પ કપૂરચંદ્ર રણછે.ડદાસ વાયા પ્રકા: શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર, તલાટી ક પાલિતાણા ૩૬૪૨૭૦ કિ. રૂા. ૫-૫૦. પૂ. આચાર્ય શ્રી ખેંચનસાગરસૂરિજી મ. સા. ના શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન' નામના સમૃદ્ધ ગ્રંથમાંથી આ પુસ્તકની રચના કરવામાં આવી છે. આ પુસ્તકમાં તળેટીથી માંડી વચ્ચે આવતા સ્થાને, દેરીઓ, પર્મે, કુંડા આદિના ઇતિહાસ વિશિષ્ટ દેરાસરાના ઇતિહાસ, ઐતિહાસિક મહત્ત્વ, નવ ટુ'કના જિન મદિરાના ઇતિહાસ, તેના સ્થાપા, યાત્રાના ક્રમ, ગિરિરાજનાં મોટાં પર્યાં, ગિરિરાજ પર સિદ્ધ ગતિને પામનાર આત્માઓની નોંધ, ગિરિરાજ પર . જવાના માર્યાં વગેરે વિગતો આપવામાં આવી છે. સાથે મૂકેલા ૧૭ ફોટોગ્રાફસ પુસ્તકનું મૂલ્ય વધારે છે. ઉપરાંત ભારતભરના જૈન તીર્થા (૨૩૧)ની યાદી, પાલિતાણાના ૩૫ જિનાલયાની યાદી અને પાલિતાણાની ૮૫ જૈન ધમ શાળાએની યાદી પણ આપવામાં આવેલ છે. આ રીતે આ પુસ્તક શત્રુ ંજય તીર્થની યાત્રા કરનારને ભોમિયાની જેમ માગ દશ ન આપે એવું છે. તીથ'નાં ઇતિહાસને અભ્યાસ કરનારને પણ સારી માહિતી આ પુસ્તક દ્વારા મળી રહેશે. પ્રેમળ જ્યાતિ મુંબઈમાં વરલી, દાદર, અધેરી વિગેરે અધશાળાઓમાં પ્રજ્ઞાચક્ષુઓને હારમેાનિયમ, તબલાં વિગેરે વાજિંત્રાની ખૂબજ જરૂર રહેતી હોય છે. જે કુટુખાએ આવા સાધને વસાવ્યા હાય અને હવે તેના ઉપયાગ ન હોય તે સધના કાર્યાલયમાં જાણુ કરવાથી પ્રજ્ઞાચક્ષુને પહેાચાડવા યાગ્ય કરવામાં આવશે. નિરુબેન શાહુ ચીમનલાલ જે શાહુ સયાજક કે, પી, અહું, મત્રીએ
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy