________________
A
૧૭૨
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક
તા. ૧-૧
(અવગાહન, પાનું ર૯) પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી અને શ્રી પરમાનંદભાઈ રાજી થાય એવો મુદ્દો પોતાની સંવત શૈલીમાં આ રીતે મૂકયો છેઃ “જૈન સમાજ-શ્રમણ અને શ્રાવકવર્ગઅહિંસાની સમજણ અને આચરણ બાબતમાં મોટા વમળમાં પડેલ છે. તેની મુક્ત વિચારણે થતી નથી. પરંપરાગત માન્યતાઓનું પ્રાબલ્ય આવી મુક્ત વિચારણને સુધે છે. શ્રાવક પરંપરાગત ક્રિયાઓ કરી ધર્મ કર્યાને સતિષ લે છે. તેથી તેમના વહેવાર અને ધર્મ વચ્ચે મેટું અંતર છે. શ્રમણવર્ગ મોટા ભાગે જીવનના વાસ્તવિક પ્રશ્નોથી અનભિજ્ઞ છે અને રૂટિબદ્ધ છે. વિદ્વાન મુનિઓ અને અન્ય વિદ્વાને નીડરતાથી વિચાર કરે, અહિંસાધમને સાર્થક કરે એવી અપેક્ષા રાખવી વધારે પડતું લેખાશે ?'
આ નિબંધમાં આગળ તેમણે નાનચંદ્રજી મહારાજ, સંત- " બીલજી અને મુનિ સુશીલકુમારે ઉત્તરોત્તર પારમાર્થિક કાર્યો કરી કેવી રીતે અહિંસાધર્મની શોભા વધારી છે તેની વાત કરી છે. ચીમનભાઈએ જે મુદ્દો ઊભો કર્યો છે તે એટલે મહત્ત્વનું છે કે આપણે-ગૃહસ્થ અને સાધુઓ–એના અમલ માટે વિચાર નહિ કરીએ તે આપણા હોઠ પરથી ધર્મ શબ્દ જ કરમાઈ જશે. આજે જ્યારે સમાજ સુધારાની ચળવળ લગભગ મુડદા જેવી થઈ ગઈ છે ત્યારે. અને દરેક ધર્મમાં અકર્મય સાધુવાદ માથું ઊંચક્યું છે ત્યારે આપણે ધર્મ અને સમાજને એકસાથે રાખવાની પ્રવૃત્તિ પ્રમોદ વિના કરીએ તે ચીમનભાઈ જેવાનું આવ્યું લેખે લાગે. - ચીમનભાઈ એક એવી વ્યકિત હતા કે જેમને મને દુઃખીનું એક આંસુ લૂછવું એ મોક્ષ કરતાં મોટી વાત હતી. આને જ કારણે તે ક્રિયાશીલ ગાંધીવાદી હતા. ચીમનભાઈને મન સામાજિક જવાબદારી એ ધમને પ્રાણ હતે. મૃત્યુપથારી પરથી એમણે જે ત્રણ લેખ લખ્યા તેમાં એક ભવ્ય લેખ “માનવસંબંધમાં તેમણે એક સચોટ વાત એ કરી હતી કે સંસારના સંબંધ મિથ્યા છે એવી વાત એમને સ્વીકાર્ય નથી.
શારામાં એક એવો વિચારપ્રવાહ છે કે બધાય સંબંધ જૂઠા છે. કોઈ કાઈનું સગું નથી. આ સંસારમાં એકલા આવ્યા અને એકલી જવાનું છે. ચીમનભાઈએ આ લેખમાં એમ લખ્યું કે સદ્દભાગ્ય માણસને ઉપરના ઉપદેશની અસર થતી નથી. એમણે એમ પણ કહ્યું કે માનવજીવન એટલે જ અનેકવિધ સંબંધે અને અનેકવિધ પ્રવૃત્તિઓ. એ વાત સાચી કે આ સંબંધ અનિત્ય છે. એક દિવસ આ સંબંધને અંત આવવાને છે.
શ્રી ચીમનભાઈએ ઉમેર્યું કે “પણ તે કારણે આવા સંબંધે જૂઠા અથવા મિથ્યા નથી. એ જ માનવજીવન છે. એને, અર્થ એટલે જ કે એમાં આસકિત ન કેળવે. પણ માણસના જીવનની કૃતાર્થતા માત્ર માનવ સાથે જ નહિ પણ સમરતઃ પ્રાણીસૃષ્ટિ સાથે તાદામ્ય સાધવામાં છે. જે માણસ ખેટા વિચાથી અથવા સ્વાર્થથી સંકુચિત મન રાખી, આવી;
જળથી દૂર રહેવું એમ માને છે એનું જીવન ઝાડના સુકા દૂઠા જેવું છે. અલબત, વાર્થના સંબંધે કેટલીયે વખત દુખમય નીવડે છે. પરમાર્થના સંબંધે પણ કષ્ટમય હોય છે. એટલે કે પારમાર્થિક કાર્યો કરવામાં પણ કષ્ટ વેઠવું પડે છે,
પણ એ કષ્ટ જ જીવનને આનંદ છે.'
એક બાજુ માનવ સંબંધ મિથ્યા છે એમ કહેવામાં આવે છે જયારે બીજી બાજુ એ ઉપદેશ આપવામાં આવે છે કે પ્રાણીમાત્ર સાથે તારે મૈત્રીભાવ છે. ચીમનભાઈએ એમના આ લેખમાં આ વિચારોની નબળાઈ પ્રત્યે એવી રીતે ધ્યાન દોર્યું છે કે “માનવસંબંધ” લેખ બધા ધર્મગુરૂઓએ નમ્રભાવે વાંચવો જોઈએ.
ચીમનભાઈએ કહ્યું કે પ્રાણીમાત્ર સાથે મૈત્રી ભાવ માત્ર શબ્દમાં જ ન રહેવું જોઈએ પણ પ્રેમ, કરુણુ, દયા, મંત્રી આ બધા ગુણે સક્રિયપણે જીવનમાં ઉતારવા જોઈએ.. આ ગુણોને પોપટપાઠ હજારો વર્ષથી આપણે કરતા વ્યા હતા પણ ગાંધીજીએ તેને કરણીમાં મૂક્યા. ચીમનભાઈએ આથી એકવાર લખેલું: “મારી જીવનદૃષ્ટિ ગાંધીજીને બધી રીતે આદર્શ તરીકે સ્વીકારે છે. પ્રકૃતિથી હું પ્રવૃત્તિમય છું. નિવૃત્તિ મારા રવભાવમાં નથી. સાધનશુદ્ધિ અને અન્યોના પ્રતિકારોમાં માનું છું.. મારી ચિત્તવૃત્તિઓ ઉપર સારી પેઠે મારે કાબુ છે. જીવનમાં સંયમ અને સ્વાભાવિક છે ચિંતન અને મનન મારા જીવનનું અંગ છે. સતત વિચારશીલ રહું છું. મારા ધ્યેયથી લાખ જોજન દૂર છું. ગાંધીજીને આદર્શ તરીકે માન્યા છે, એ માટે નહિ કે તેઓ અવતારી કે પુપુરુષ હતા. તેમની અપૂર્ણતાએ જતેમના પ્રત્યેનું આકર્ષણ છે. તેમાં રહેલી. જીવનસાધના મને, માર્ગદર્શક છે.”
જીવનને આનંદ કયાં હશે? ચીમનભાઈએ સક્રિય કરુણાની ચર્ચા કરતાં આ પ્રશ્નનો જવાબ આપ્યો છે: “સામાન્ય માણસ જેટલા વિશાળ સમુદાય સાથે આત્મૌપજ્ય સાધી શકે એમ. એના જીવનનો આનંદ છે. માણસ જેટલો પ્રેમ આપે છે તેના કરતાં અનેકગણ પ્રેમ તેને મળે છે, એ કુદરતને નિયમ છે. એ ખરું કે આ સંસાર દુઃખથી ભરપૂર છે. એમાંનું ઘણું દુઃખ માણસે પિતે પેદા કરેલું હોય છે, પિતાની પ્રકૃતિ અથવા સ્વાર્થથી.આ જીવનના રહસ્યને તાગ પામી શકાતો નથી પણ એ અનુભવસિદ્ધ હકીકત છે કે સક્રિય પ્રેમ અને કરણ, સિવાય જીવનમાં બીજે આનંદ નથી.” - ચીમનભાઈ ધર્મમય વ્યક્તિ હતા. સ્થાનકવાસી જૈન, સમાજના આગેવાન, સમગ્ર જૈન સમાજના જ નહિ પણ બધા ધર્મોના સમાજના તે એક આગેવાન બન્યા. તેનું કારણ તેમની માનવલક્ષી ધમંદષ્ટિ હતી. આ ધમંદૃષ્ટિના હાર્દમાં વિવેક અને અનુકંપા હતા. આથી તે જે કરતા તેમાંથી ધર્મની સુગંધ. સહજ રીતે ફરી વળતી. આ વિવેક અને અનુકંપાને કારણે એમના પ્રત્યેક કાર્યના કેન્દ્રમાં મનુષ્ય દેખાતે. ચીમનભાઈ, ધાર્મિક એટલા માટે હતા કે તે મનુષ્યવાદી હતા. આ
ચીમનભાઈ આમ તે કાયદો અને વ્યવસ્થાના ઉપાસક હતા. દેશમાં પડેલા સડા સામે જયારે જયપ્રકાશજીએ ચળવળ શરુ. કરી ત્યારે ચીમનભાઈએ એને વિરોધ કરેલ. ઇન્દિરા ગાંધીના પ્રશંસક તરીકે એ પંકાયા. પણ જયારે ૧૯૭૫માં કટોકટી લાદવામાં આવી અને કાયદાના રાજયની જગ્યાએ સરમુખત્યાર, શાહી ચડી બેઠી ત્યારે તેમણે સરકારને વિરોધ કરવા માંડ્યો. કટોકટી વખતે જન્મભૂમિ જૂથનાં પુત્રનું શીલ સચવાઈ રહ્યુંતેનું શ્રેય ચીમનભાદની લોકશાહીના મૂલ્યમાં રહેલી અસ્થાને. જાય છે. .. ' ' . . , ; :ઉં !; ; .
જ હતા જે હજી જાગે