________________
- ‘પ્રમુદ્ધ જૈન'નું નવસંસ્કરણુ વર્ષ' : ૪૫
આબુ જીવન
કઃ છ
સુષ્મઈ જૈન યુવક સૌંઘનુ' મુખપત્ર : પાક્ષિક છૂટક નકુલ રૂા. ૧-૦૦
Regd. No. MH. By/South 54 alcence No. : 37
સબઇ, તા. ૧-૮ – ૮૩
વાર્ષિક લવાજમ રૂા. ૨૦ પરદેશ માટે શલિંગ ૬૦
તંત્રી : રમણલાલ ચી. શાહુ
મૈં હાં ત દ ડ
છે રમણલાલ ચી. શાહુ
ગળામાં દોરડુ ભરાવીને અપાતી ફ્રાંસીની સજા ક્રૂર અને જંગલી છે કે કેમ એની હમણાં ચર્ચા ચાલી છે. દેહાંતદંડની -સજા પામેલાઓની સજાના અમલમાં વિલંબ કરવા માટે વકીલેએ ચલાવેલ. આ માત્ર કુતક' છે એમ કેટલાકના મત છે.
ચારી, મારામારી, છેતરપિ’ડી, બદનક્ષી, વ્યભિચાર વગેરે સામાજિક ગુના કરતાં ખૂન કે હત્યાના ગુના સૌથી ગંભીર “ગણાય છે. જેમ ગુના ગભીર તેમ તેને માટેની સજા પણ ગંભીર હોવી ઘટે એ સ્વીકાય મત છે. કેટલાક દેશોમાં ખૂન કરતાં દેશદ્રોહ કે વ્યભિચારના ગુને વધુ ગંભીર ગણાય છે, અને તેને માટે પણ મેાતની સજા ફરમાવાય છે.
છૂટાં રખડતાં પ્રાણીઓની હત્યાને કેટલાક દેશમાં ગુને લેખવામાં આવતા નથી. કાજીની માલિકીનાં પાળેલાં પ્રાણીઓની હત્યા કરવી તે કાયદેસર ગુને છે અને ગુનેગારને તેને માટે સજા થાય છે. પ્રતિબંધિત વિસ્તારમાં પ્રાણીઓના શિકાર કરવા તે પણ ગુને મનાય છે. તેવા ગુનાઓ વિશે અને તેના માટે થયેલી સજા વિશે જાહેરમાં ખાસ ચર્ચા થતી નથી.
મનુષ્યના વધ એ ગંભીર બાબત છે, કારણ કે પંચેન્દ્રિયની પૂણુતા, વિકસિત ચિત્ત, સ ંવેદનશીલ ઊમિ`ત ંત્ર અને વિશ્વસિત વાચા ધરાવનાર, ભૂત અને ભવિષ્યને ઊંડેશ વિચાર કરનાર મનુષ્ય, જીવસૃષ્ટિમાં સર્વોચ્ચ સ્થાને
છે.
મનુષ્ય સામાજિક પ્રાણી છે, ધર માંડીને કુટુંબ સાથે રહે છે, પરસ્પર વ્યવહાર સભાળે છે, ખીજા મનુષ્ય પ્રત્યે પ્રેમ, યા, સહકાર વગેરેની લાગણી અનુભવે છે, સુખેદુઃખે એકબીજાની પડખે રહે છે. માટે જ પોતાના સમુદાયમાંથી એકાદ વ્યકિત ઓછી થતાં મનુષ્ય શેક અને દુ:ખની આધાતભરી તીવ્ર લાગણી અનુભવે છે. મોટી ઉંમરને કારણે સહજ મૃત્યુ થયું હોય તો પણ જો તે દુ:ખનું કારણ બની શકે, તેા કાઈકની કોઈકે અચાનક હત્યા કરી હોય તે એ કુદરતી રીતે જ મોટા દુ:ખનું કારણ બને.
બીજાને મારી નાખવાની વૃત્તિ મનુષ્યમાં સામાન્ય રીતે હોતી નથી; પરંતુ ગ ંભીર સ્વા‘હાનિ થતાં કે વિષમ સ ંજોગામાં સૂકાતાં ઉશ્કેરાયેલા માણસ ખીજાને મારી નાખવાના વિચાર કરે છે. અલબત્ત, આવા વિચાર કરનાર માણસામાંથી પણ તેને અમલમાં મૂકી ખીજાની ખરેખર હત્યા કરનાર માણસા તા એકાદ-બે ટકાથી વધુ નથી હોતા. કાયદેસરની સજા, સામાજિક અપાતિ', સગાંસંબંધીઓના તિરસ્કાર, પાપાચરણનાં આકરાં
પરિણામા વગેરેના ભયને કારણે માણસ આવું માઢુ અપકૃત્ય કરતાં અચકાય છે. જ્યારે સામુદાયિક ધારણે ખે વ વચ્ચે વેરભરી અતિશય ઉશ્કેરણી થાય છે ત્યારે હત્યાની પરપરા સર્જાય છે.
જે માણસે બીજાના પ્રાણ હરી લીધા હોય તેને શી સજા થવી જોઇએ? વ્યવહારુ કુદરતી ન્યાય પ્રમાણે તે તેના પણ પ્રાણ હરી લેવાવા જોઇએ, પરંતુ હત્યાના દરેક ગુને એકસરખી કાર્ટિને હાતા નથી. ક્યારેક ઇરાદો ન હોય પરંતુ અતિશય આવેગને કારણે અજાણતાં જ હત્યા થઈ જાય, કયારેક પ્રહાર નહિ જેવા જ હોય, પરંતુ સામી વ્યકિતને માટે તે જીવલેણ નીવડયેા હાય; કયારેક પ્રહાર કરતાં વધુ પડતા માનસિક આધાતને કારણે જ સામી વ્યકિતનું મૃત્યુ થયુ હોય એમ અની શકે. ખીજી બાજુ કયારેક ઠંડા કલેજે કરેલુ યાજનાબદ્ધ કર કાવતરું ખૂન માટેનુ હોઇ શકે, ખૂનના આરાપ પુરવાર કરવાનુ કયારેક સહેલું હોય છે, તા કયારેક અધરું પણ હોય છે. અલબત્ત, ઘણા ખરા કિસ્સામાં ખૂની વહેલામેžા પકડાયા વગર રહેતા નથી. ન્યાયાધીશો ખૂત માટેના સગા અનુસાર તથા ખૂન કરનાર વ્યકિતની જાતિ, ઉંમર, શિક્ષણુ, આશય ઇત્યાદિ અનુસાર સજા કરતા હોય છે. કેટલીક વખત સજા જનમટીપની હોય છે, તે કેટલીક વખત દેહાંતદંડની હાય છે,
જેણે કાઈ એકની હત્યા કરી હોય તેને દેહાંતદંડની સજા થાય, પરંતુ જેણે પંદર-પચીસ માણસોની હત્યા કરી છે તેવું પુરવાર થાય તે તેને શી સજા કરાય? એક ખૂન માટે પણ દેહાંતદંડ અને પચીસ ખૂન માટે પશુ દેહાંતદંડ અને તર્ક પૂર્ત ન્યાય કેમ કહી શકાય ? ! ગુનેગારને પચીસ વખત દેહાંતદંડની સજા તા થઈ શકતી નથી. માટે જ જગતના વ્યાવહારિક ન્યાયને પણ મર્યાદા છે એમ કહેવું ઘટે. વળી, પાંચ-પંદર ખૂન કરનાર કયારેક પકડાય જ નહિ એમ પણ અને ! તો વળી કયારેક જેણે મૂત કર્યુ નથી એવા નિર્દોષ માણસને માથે આરોપ સૂકાય અને ન્યાયાલયમાં પુરવાર પણ થઇ જાય ! આવા કિસ્સાઓ વિષે જ્યારે વિચારીએ છીએ ત્યારે જગતના
વ્યવહારમાં પૂરા ન્યાય પ્રવતતા નથી, બલકે કયારેક તે અન્યાય પણ પ્રવર્તે છે એમ લાગે; માટે જ ધમ તત્ત્વવેત્તા બીજાં સૂક્ષ્મ પરિબળના વિચાર કરે છે અને ક્રમ', પુનર્જન્મ,