________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮
નરક ઇત્યાદિની માન્યતા પર આવે છે. * જેણે ખૂન કર્યું છે તેને પણ પ્રેમથી માફી આપવામાં આવે તેને પણ પિતાની ભૂલ માટે પશ્ચાતાપ કરવાને અને સુધરવાને અવકાશ આપવામાં આવે એવો ઉત્તમ ન્યાય સાધુસંતનો હોય છે. મરનાર વ્યકિત તે ગઈ, પરંતુ તેની પાછળ બીજો એક છવ શા માટે ઓછો કરે ?એ તેમને મત હોય છે. પરંતુ તેને ન્યાય વ્યવહારમાં બહુ ચાલતું નથી, કારણ કે સમાજમાં સમજદારીને કારણે જેટલા ગુનાઓ થતા અટકે છે તેથી ઘણા વધુ ગુનાઓ ભયને કારણે અટકે છે. ભય ન હોય અને માણસે અજ્ઞાની તથા બાલીશ હોય તે ગુનાખોરી ઘણી વધી જાય. બહોળા સમાજને સંયમમાં રાખવા માટે કાયદાનું બંધન અને સજાની વ્યવસ્થા અનિવાર્ય છે.
હત્યા કરનારને જનમટીપની સજા શું બસ નથી ? દેહાંતદંડ અનિવાર્ય છે ? આ અંગે વિભિન્ન મત પ્રવર્તે છે. કેટલાક વિચારકે દઢપણે માને છે કે દેહાંતદંડની સજા અચૂક હોવી જ જોઈએ અને તે હોય તે જ હત્યાના બનાવો ઓછા બને. ' બીજા કેટલાક એમ માને છે કે મોતની સજા જંગલી અને કુર છે, માનવજાતને માટે શરમરૂપ છે. એવી સજાથી ગુનાખેરી ઓછી થાય છે એ માત્ર ભ્રમ છે. જનમટીપની સજાને ભય એ માટે પૂરત છે, એમાં ખૂનીના હૃદયપરિવર્તનને અવકાશ છે.'
અલબત્ત, બધા કેદીઓનું હૃદય પરિવર્તન થાય જ છે એવું નથી. કેટલાક તે છૂટીને કે છટકીને પણ ફરી પાછા વેર લેવા, હત્યા કરવા લાગે છે. કેટલાક અતિશય કુર, રીઢા, નરરાક્ષસ જેવા ખૂની માણસોનું અસ્તિત્વ, જેલમાં હોય તે પણ જોખમરૂપ છે. તેમને ફરી પાછા સમાજમાં છૂટા મૂકીને બીજા બે-પાંચ નિર્દોષ માણસને ભોગ કેમ લેવા દેવાય? જે પ્રજા સુશિક્ષિત છે, ડાહી છે, સુખી અને સમૃદ્ધ છે અને જયાં હિંસક ગુનાઓ ઓછા બને છે ત્યાં મોતની સજાની આવશ્યકતા ખાસ રહેતી નથી; જનમટીપ કે ચેડાં વર્ષની જેલથી ચાલી શકે. જે પ્રજા ઝનૂની છે,, અજ્ઞાની છે, આર્થિક અને સાંસ્કારિક દૃષ્ટિએ પછાત છે, વેરભાવથી ભરેલી છે, જ્યાં રોજ રોજ ખૂનના બનાવો બનતા રહે છે એ પ્રજામાં મોતની સજાને ડર ન હોય તે પરિસ્થિતિ વધુ. વણસે છે.
મતની સજા છેઠ પ્રાગૈતિહાસિક કાળથી ચાલતી આવેલી જોવા મળે છે. રામાયણ, મહાભારત, ભાગવત જેવા પૌરાણિક ગ્રંથોમાં કે પ્રાચીન સંસ્કૃત નાટકમાં એવા પ્રસંગે નિર્દેશ છે. ચાણક્યનીતિ પણ એમ જ માને છે. ભગવાન પાર્શ્વનાથના સમયમાં દેશી રાજાએ શરીરમાં આત્મા રહેલ છે કે નહિ તેની તપાસ કરવાના આશયથી શરીરના ટુકડા કરવા માટે મૃત્યુદંડની સજા પામેલા માણસને ઉપયોગ કર્યો હતો. આટલા લાંબા કાળથી મૃત્યુદંડની સજા થતી આવી છે તે બતાવે છે કે સમયે સમયે સમાજહિત ચિંતકે તેમાં માનતા આવ્યા છે. આ પ્રશ્નને માનવતાની ઉદાર દૃષ્ટિથી જોનારા ચિંતકને, સાધુસંતોને એક વર્ગ રહ્યા. કરશે અને કેટલાક દેશા પરિસ્થિતિ અનુસાર મતની સજા વખતોવખત રદ કરતા રહેશે તે પણ માનવસમાજમાંથી મૃત્યુદંડની સજા સર્વથા નિમ્ળ થઈ જશે એ સંભવ
છે છે, કારણ કે સમગ્ર માનવસમાજ એવી ડહાપણભરી કોટિએ પહોંચી જાય કે જ્યાં કોઈનું ખૂન જ ન થાય અને ખૂન થાય તે મૃત્યુદંડની સજાની આવશ્યકતા ન રહે તે સંભવ ઓછો છે.
અપરાધીને મૃત્યુદંડની સજા કરવી કેવી રીતે ? કેટલાક પ્રકારો પુર હોય છે, તે કેટલાક અર, ખૂની પ્રત્યે વળી દયા કેવી ? એને તે રીબાવી રીબાવીને માર જોઇએ, એવું માનનાર વગ પણ હોય છે. જમીનના ખાડામાં અડધે પૂરીને પથરા મારી મારીને અપરાધીનું મોત નિપજાવવાની સજા હજુ પણ કયાંક. ફરમાવાય છે. જાહેરમાં તલવાર કે એવા ઘાતક શસ્ત્રના ઝાટકે માથું ઉડાવી દેવાના–શિરચ્છેદના બનાવો પણ બન્યા છે, અપરાધીને સ્તંભે ચડાવી હાથે પગે ખીલા ઠેકાયા છે. વાઘ કે. સિંહના પાંજરામાં કે તેવા ખાડામાં કે ઝેરી સર્પવાળા કૂવામાં ધકેલી દેવાના બનાવો પણ બન્યા છે. સરવર કે સાગરમાં મોટા મગરો જ્યાં એકત્ર હોય તેમની વચ્ચે માણસને ફેંકી સજા પણ થઈ છે. હાથીના પગ નીચે કંઇકને કચડી નખાયા છે. ઘાણીમાં પીલવાની ઘટનાઓ પણ બની છે. ગળે કે પેટે વજનદાર' પથ્થર બાંધી ઊંડા પાણીમાં કેઈકને ડૂબાવી દેવાયા: છે. કેટલાકને ભીંતમાં જીવતા ચણી લેવાયા છે. હાથ અને પગ સામસામે છેડે ખેંચીને મન આણવાની સજા પણ ફરમાવાઈ. છે. પર્વતના ઊંચા શિખર ઉપરથી ફેંકી દેવાની સજા પણ થઈ છે. ઊંચા સ્તંભ ઉપર કરેલી અણીદાર શૂળી ઉપર ગુને-- ગારને ભરાવાય છે. આવી અને બીજી વિવિધ પ્રકારની રીતે મૃત્યુદંડની છે. કેટલીકવાર આવી સજા નગરજનોની હાજરીમાં જાહેર રીતે કરાયેલી છે. વધસ્તંભ પર લઈ જતાં પહેલાં અ૫. રાધીને નગરમાં ફેરવવામાં આવ્યા છે. પ્રજામાં ધાક બેસાડવાને એને હેતુ હોય છે.
માણસને ઓછી વેદના થાય અને ગુપ્તપણે મૃત્યુદંડને અમલ થાય એવું સુધરેલી પ્રજાઓમાં, વિશેષત: લોકશાહી રાજ્યમાં બને છે. ઝેરનો પાલો પાઈને, ગળે દોરડાને ફાંસે, લટકાવીને ગળાથી ઠાર કરીને, ઇલેકટ્રિક શોક આપીને, ગેસ ચેમ્બરમાં દાખલ કરીને કે ઝેરનું ઈજેકશન આપીને મૃત્યુદંડની સજા ફરમાવાય છે. શરીરમાંથી લોહી ન નીકળે, ઓછામાં ઓછી વેદના થાય અને થોડીક ક્ષણોમાં મૃત્યુ થાય એ રીતે દેહાંતદંડની સજા વિચારાઈ છે. આ બધી સજાઓમાં પણ કઈ ધાતકી અને કઈ દયાળુ એ વિશે વિભિન્ન મત પ્રવર્તે છે. ગળે ફાંસો લટકાવીને અપાતી સજ ઘણીકુર છે, એમ કેટલાટ માને છે, તે બીજી બાજુ એના જેવી ત્વરિત અને દદ૨હિત સજા બીજી એકે ય નથી એમ તે વિષયના નિષ્ણાતને મત છે. ઝેરના ઇંજેકશનની સજા સૌથી ઓછા દદવાળી છે એમ મનાય છે, પરંતુ તે તબીબી નીતિસંહિતાની વિરુદ્ધ છે.
મૃત્યુદંડના આધુનિક પ્રકારોમાં પાંચ-પચીસ મિનિટથી વધારેની વાત નથી. ક્ષણમાં અભાન રીતે દદરહિત મૃત્યુ નીપજે એવી વૈજ્ઞાનિક શોધ દૂર નથી. મૃત્યુદંડના પ્રકારનો પ્રશ્ન. એટલે ગંભીર છે એટલે ગંભીર પ્રશ્ન તે સજા પછી એના અમલમાં થતા વિલંબને કારણે કેદીઓને થતી માનસિક યાતનાનો છે; જો કે સ્વસ્થ કેદીને વધુ દિવસ જીવ્યાનો આનંદ પણ હોઈ શકે.
સમગ્ર માનવજાતમાં મતની સજાની આવશ્યકતા જ ન રહે એવો સુવર્ણદિન કયારે ઊગશે ? '