________________
40
૪
પ્રશ્ન જીવન
રાષ્ટ્રીય દૃષ્ટિકાણુની આવશ્યકતા
જી ડૉ. તુરીશ વ્યાસ
આઝાદી પછીનાં પાંત્રીસ વર્ષ દરમ્યાન આપણી સામે અનેકવિધ સમસ્યા આવી છે અને આપણા દેશનેતાઓએ અને વિચારકાએ એમાંથી કુનેહ, હૈયાઉકલત અને આપ સૂઝથી માગ કાઢયો છે. પરંતુ છેલ્લાં પાંચેક વર્ષથી જે સમસ્યાએ દેશ સામે ઘુમરાઇ રહી છે તે વિશે શાન્તિ, સ્વસ્થતા અને દીધ દૃષ્ટિથી વિચારીશું નહિં, તે આ બધા સવાલા દેશને છિન્નભિન્ન કરી નાખશે. ભારત પદયાત્રી શ્રી ચન્દ્રશેખરે કહ્યુ' છે તેમ, શાન્તિને માગે ક્રાન્તિ નહીં આવે તો દેશ હિંસા અને અરાજકતાને ભાગ થઈ પડશે.'
(°
તા. ૧૬-૭–૮૩.
આ
રચનાત્મક
વિશ્વાસ વિહેણા બનાવી રહ્યુ છે. વહીવટી ત ંત્ર, શાળાકાલેજના પ્રવેશો અને પરીક્ષાઓમાં ઠેર ઠેર લાંચરૂશ્ર્વત, ખાયકી, કટકી, ભ્રષ્ટાચારો વગેરે વધતાં જ જાય છે. બધી સમસ્ય એ ઊધઇના રાફડાની જેમ દિનપ્રતિદિન સ ંસ્કૃતિના લીલા મોલને ભીતરમાંથી કારી કારીને ખાઇ રહી છે. આ બધાના ઉકેલ માટે દેશના શાસકપક્ષ કે વિરાધ પક્ષોએ તેમજ વિચારશીલ બૌદ્ધેકા અને કાય કર્તાઓએ પારસ્પરિક ૢ સાતૂસી, સદ્ભાવ કે ખેચાતાણી બાજુએ મૂકીને, આ તમામ લેાકાએ Round Table Conference ગોળમેજી પરિષદ રૂપે સાથે મળીને પક્ષીય, સંસ્થાકીય કે સંકી દૃષ્ટિ છેડીને રાષ્ટ્રીય દૃષ્ટિકાથી આ બધી સમસ્ય એ વિશે વારવાર મળવાનુ અને ચર્ચાવિચારણા કરવાનુ ગાઠવવું જોઇશે. ડા. રામમને હર લેાહિયાએ તેમના 'Democracy' વિશેના ગ્રંથમાં બે બાબતો ઉપર ભાર મૂકયા છે: (૧) Point of Contact સંપર્ક'નાં બિન્દુ, (૨) Areas of agreement—સવ' સંમતિનાં સૂત્રેા. વારવાર સાથે મળવાથી આપસી સદ્ભાવ, રનેહ અને સૌજન્ય વધશે. અને જે બાબતે માં બધા સંમત થતા હોય તેને સવ સંમતિથી સ્વીકારીને કાય કરવાથી સવસંમતિનાં ક્ષેત્રના વિસ્તાર વધતા જશે, જે રાષ્ટ્રીય એકતા પ્રત્યે ધીરે ધીરે દેશને દારી જશે.
જોઈ શકાય છે કે છેલ્લાં ત્રણચાર વર્ષથી આસામ વિદ્યાથી પરિષદ,' વિદેશી ઘૂસણખોરીના પ્રશ્ન અંગે શાન્તિ અને અહિંસાને માગે, અસહકાર, સવિનય કાનૂન ભંગ જેવી સત્યાગ્રહી રીતે અખત્યાર કરીને લડત ચલાવી રહેલ છે. એને ઉકેલવા માટે એક બાજુ વાટાઘાટો-મંત્રણાના દાર ચાલતા હતા તેા બીજી ખાજુથી પેાલીસ, લશ્કરની મદદથી આ લડતને કચડી નાખવાના પ્રયત્ના યે ચાલતા હતા. અળતામાં ઘી હોમ્યું, ઉપરથી બળજબરીથી લાદવામાં આવેલી ચૂંટણીએ. પ્રજાના અસહકારની વચ્ચે ખીજા પ્રાંતમાંથી અધિકારીને ઉતારીને લશ્કરી મદદથી ચૂંટણીઓ થઈ. વિદેશીઓના જ દશ ટકા મતદાન અને નેવુ ટકા જેટલા પ્રજાવિરેધ વચ્ચે કાંગીએ સરકાર રચી, જે સામે પ્રજાને અહિંસક વિરોધ ચાલુ છે. આ યંત્રણાઓમાં રમખાણા ફાટી નીકળતાં ૪૦૫૦ ગામા આગથી ખાખ થઇ ગયાં અને પાંચેક હજાર લેકાને મેાતને ઘાટ ઉતારવામાં આવ્યા, જે અંગે એમનેસ્ટી ઇન્ટરનેશનલ' જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ભારત સરકારની કડક અને વેદનાપૂર્ણ આલેાચના કરી છે. ખીજો પ્રશ્ન પુજાઅનેા છે, જ્યાં ખાલિસ્તાન'ની ચળવળ અમુક માગણી સાથે ચાલી રહી છે, જેમાંથી સરકારે કેટલીક માગણીએ સ્વીકારી છે, જેને અમલ કરવામાં આવ્યા નથી. જ્યારે કેટલીક માગણીઓ વણઉકલી રહી છે. અકાલીઓમાંથી મવાળ અને અતિમવાદી એમ ખે જૂથે આ સવાલા ઉકેલવા માટે ઉગ્નાતિઉગ્ર રીતે ઉત્તરાત્તર અખત્યાર કરતાં જાય છે અને સરકારની વાટાઘાટામ ત્રણાઓ માટેની માગણીઓને વાહિયાત ગણીને ઠુકરાવતાં જાય છે. બન્ને પક્ષેા એકમેકને મ્હાત કરવા, પરાસ્ત કરવા માટે જાતજાતના પેતરા અને યુક્તિપ્રયુકિતઓ તથા ભાંગાડા, ખૂનામરકી અને હિંસક પદ્ધતિ અખત્યાર કરતાં જાય છે, જેમાંથી નિકટતાને બદલે દૂરતા, ઉદારતાને બદલે સંકીણુ તા તથા ઉકેલને બદલે ગૂંચવાડાનુ ખખડજંતર ઉત્તરાત્તર વધતું જ જાય છે. આ કુસંપ, સકીણ તા અને અવિશ્વાસનું વાતાવરણ દેશને માટે ભારે ખતરનાક છે. એ જ રીતે દેશ સામે આર્થિક-સામાજિક સમસ્યાઓ છે. ગરીબી, ખેકારી, મેાંધવારી, ભીષણ ભાવ વધારો, કુશિક્ષણ અને ભ્રષ્ટાચારની દેશની પાંત્રીસ કરેડથી યે વધુ વસ્તી ગરીબીની રેખા નીચે જીવે છે, જેને માંડ માંડ એક ટંક ખાવાનું મળે છે, અને ખીજા ટકના સાંસા છે. એમને ચૂંટણીમાં વચના આશ્વાસનની લહાણી થાય છે, પરંતુ કામધંધા કે રોજી-રોટીની વ્યવસ્થા થતી નથી. બીજી બાજુ મોંધવારીના ચકકરમાં વધતા જતા ભીષણ ભાવવધારા વચ્ચે આમજનતા પીસાયે જાય છે. દશ કરોડ વિદ્યાથીઓને મળતુ શિક્ષણ તેમને બેકાર, અનુત્પાદક, પરાવલખી અને માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. જ્ઞાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણુસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટસ', જગન્નાથ શકર શેઠ રોડ, ગિરગામ, મુંબઇ ૪ ફૅન ઃ ૩૫૬૮૩ર
આત્મ
સરઘર વી. પી. રા,
ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં અનેક પ્રાંતા, ભાષાઓ, પક્ષા, વાદો, ધમ...–સંપ્રદાયા, જ્ઞાતિ-જાતિ, વેશ, વણુ લિપિ, ખાલી વગેરેની વિવિધતાઓ છે, ત્યાં ડૉ. રાધાકૃષ્ણને કહ્યુ છે તે 'Unity in diversity' વિવિધતામાં એકતા શોધવા માટે શાસકી, વિપક્ષે, બૌદ્ઘિા વિચારકા, લોકસેવા વગેરેની ગાળમેજી પરિષદે કરીને, ચર્ચાવિચારણા કરીશું સર્વસંમતિનાં ક્ષેત્રે જરૂર વિસ્તરતાં જશે. જે ભારતીય એકતા યા રાષ્ટ્રીય એકતા સિદ્ધ કરવામાં ખૂબ ‘ખૂબ ઉપકારક નીવડશે. એટલા માટે જ ઉપનિષદના ઋષિએ ગાયું છે: "ॐ सह ना भवतु, सह नौ भुनक्तु सहवीर्ये करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॥ ॐ शांतिः शांतिः शांतिः ॥
હે ઈશ્વર ! અમે સાથે રહીએ, સાથે ભાગવીએ, સાથે પરાક્રમેા કરીએ, અમે સાથે તેજસ્વી અધ્યયન કરીએ. અમે એકમેકના દૂષ ન કરીએ. હે ઈશ્વર! અમને શરીર, મન અને હૃદયની શાન્તિ આપે. અસ્તુ.
આજની સાંજ
શૂન્ય પાલનપુરીની સાથ આયેાજન : શ્રી મુંબઇ જૈન યુવક સ’ઘ સંચાલન શ્રી રશૈલેષ કાઠારી
સમય :
૩૮૫, સરદાર વલ્લભભાઈ
પટેલ રોડ, બીજે માળે, મુંબઇ-૪ ફોનઃ ૩૫૦૨૯૬
શનિવાર, તા. ૨૦-૮-૧૯૮૩ રાત્રીના ૮-૩૦ કલાકે સ્થળ : બિરલા ક્રીડા કેન્દ્ર, ચપાટી, મુ.બઇ-૭
ગઝલ પ્રેમીઓને સધના કાર્યાલયમાંથી તા. ૧૦-૮-૮૩ થી તા. ૧૫-૮-૮૩ દરમિયાન સવારના ૧૧–૦ થી ૬-૦ સુધીમાં પ્રવેશપત્ર, વહેલે તે પહેલે ધેારણે, આપવામાં આવશે. કાર્યક્રમમાં પ્રવેશ માટે પ્રવેશ પત્ર જરૂરી છે.
શ્રી મુબઇ જૈન યુવક સંઘ
ચીમનલાલ જે. શાહુ કે. પી. શાહુ મંત્રીએ,