________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૮૩
- રાજા પિતાના રાજદંડથી માત્ર કાયિક દુર્જનતા દૂર કરાવી શકે છે, જયારે જ્ઞાની ભગવંતે-ઋષિમુનિઓ કાયિક-વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકારની દુજનતા વ્યકિતમાંથી અને સમષ્ટિમાંથી દૂર કરાવી શકે છે. રાજાને રાજશાસન ચલાવવા સંપત્તિ સત્તા-શકિત અને સૈન્યની જરૂર રહે છે. જયારે સંતો મહંતોને ધર્મશાસન ચલાવવા મંદિર–મૂતિ અને શાસ્ત્રગ્રંથની આવશ્યકતા રહે છે. અથવા તે કઈ એવી વિશિષ્ટ પ્રભાવશાળી વ્યક્તિ હોય તે તેઓ કશાયની સહાય વિના ધર્મશાસન કેવળ પિતાના જ્ઞાન અને તે પ્રમાણે વર્તનથી ચલાવે છે.
નીચવૃત્તિઓ અર્થાત્ પાશવીવૃત્તિઓ પશુપણામાંથી જન્મે છે. જે મનુષ્યપણું મળ્યાં છતાં ગઈ ન હોય તે તેને મળેલાં મનુષ્યભવમાં, દૂર કરી માનવને માનવ બનાવવાનું કાર્ય રાજાઓ કરે છે. જ્યારે સતે એથી આગળ વધી માનવને સંબંધ પરમાત્મા સાથે કરાવી આપી તેને માનવમાંથી મહામાનવ બનાવવાનું અને તેના પરમાત્મ તત્ત્વને પ્રગટાવી આપવાનું અનન્ય કાર્ય નિષ્કામ ભાવે કરે છે. * જીવ દુજન કેટિને રહેશે તે ભવપરંપરામાં તિર્યાયનિગદ-નરકની દુઃખનિના કારમાં દુ:ખ ભોગવવા પડશે. હીરા-માણેક પાના-સત્તા સમૃદ્ધિ-વૈભવ-વિલાસ ઓછાં હશે તે કે એાછાં મળશે તે ચાલશે, પણ સજજનતા હશે તે જ સગતિ પ્રાપ્ત થશે.આ લેકેત્તર વિચારણા છે. રાજા હો કે સંત હો સહુ કોઈનું કાર્ય વિશ્વમાંથી પાપ-દોષ-અને દુર્જનતાને દેશવટે દેવાનું જ બની રહેવું જોઈએ, કારણકે દુજનતા એ મનુષ્યનિ મહારોગ છે.
કુટુંબમાં-જ્ઞાતિમાં-સમાજમાં–ગામમાં કે દેશમાં બીજાં એનું ભલું કરીને જીવવું તે સંસ્કાર મહાન છે. બીજાની કાંઈ પડી નથી તે રીતે બેદરકાર-લાપરવા થઈ જીવવું એ હલકાઈ છે,-અપાતા છે.
ચવતી મહારાજાઓની આજ્ઞા જગતમાં તેમની હયાતી હોય ત્યાં સુધી પળાય છે અને તેમાંય તેઓ સત્તા ઉપર હોય ત્યાં સુધી જ તેમની આજ્ઞા સર્વત્ર વતે છે. પરંતુ મહાત્માની– ઋષિઓ-સાધુમહારાજાઓની આજ્ઞા તે તેમના જીવનકાળમાં તે પળાય જ છે પણ તેઓની હયાતી બાદ પણ જગતમાં પળાય છે. સીકંદર, સીઝર અને અકબર વહી ગયા અને તેમનાં રાજ્ય ખાલસા થઈ ગયાં, જ્યારે કૃષ્ણબુદ્ધ-મહાવીરવ્યાસની વાતો-વિધાન–આજ્ઞા આજે ય લાકે શીર્ષાબંધ કરી રહ્યા છે. રાજા મહારાજાએ ક્ષત્ર એટલે કે રાજ્ય-ભૂમિના વિજેતાઓ હોય છે. જ્યારે! મુનિ મહારાજાઓ કાળ વિજેતા અર્થાત કાલાતીત થઈ કાળ ઉપર વિજય મેળવનારા હોય છે.
જો રાજશાસન-ધમ શાસન અરસપરસના સહાયક અને પૂરક બને તે સુવર્ણકાળ અવતરે. રામરાજયની વાત કરીએ છીએ પણ વિચારતા નથી કે રામ માત્ર સત્તાધારી રાજા જ નહાતા પણ ભકતરાજા હતા,-રાજ હતા. વળી સવિષ્ઠ જેવા ઋષિની એમને નિશ્રા મળી હતી. અશોક, અકબર, શિવાજી, વિકમ, કુમારપાળ આદિ મહારાજાઓના રાજ્યશાસન આજેય આદર્શ રાજશાસન ગણાય છે. એના મૂળમાં આ જ કારણ છે કે તેઓ ધર્મશાસન સ્વીકારી રાજશાસન ચલાવતા હતાં. અશોકે બુદ્ધનું શરણ સ્વીકાર્યું હતું. અકબરે ધમૅ'રત્નોને પોતાનાં નવરત્ન જેવાં સલાહકારોમાં સ્થાન આપેલ હતું. શિવાજી રામદાસની પાદુકાને પોતાના રાજસિંહાસને સ્થાપી રાજ ચલાવતા હતા, વિકમ સ્વયં ભગવદ્ ભકત હતા. કુમારપાળ મહારાજાને હેમચંદ્રાચાર્યનું શરણું મળ્યું હતું. ચંદ્રગુપ્તને ચાણકય જેવો જ્ઞાની અને નિસ્પૃહી સલાહકાર મળ્યો હતો. ' વર્તમાન રાજ્યકાળને સુવર્ણકાળ બનાવવું હોય તે . એ અત્યંત આવશ્યક છે કે કઈ સત્તાધીશ વડા પ્રધાન જે
આજનો રાજા છે તે ભકત બને અથવા તે કાઇ ભકત એ સ્થાને પહોંચે અને ધરાસન શીકારી રાજ્યશાસન ચલાવે અથવા તે પછી ભકત અને રાજા ભમાં મળી રાજધુરા ચલાવે.
રાજયવ્યવસ્થા અર્થાત્ રાજશાસન દેશ અને સમાજની વ્યવસ્થા માટે છે કે જેથી ધર્મને અનુકૂળ વાતાવરણ સર્જાય. જે ધર્મશાસનને પામી વ્યકિત અને સમષ્ટિ પાતાના શુધ્ધાશુદ્ધ સ્વરૂપને સમજી સ્વરૂપશાસનમાં પ્રવેશી કમળને દર કરી પોતાના મૂળ, વિશુદ્ધ એવા પરમ આત્મસ્વરૂપનું પ્રાગટીકરણ કરી શકવા સમર્થ બને.
પ્રેમળ જ્યોતિ' નું પ્રદાન નેબ કાકા પાટીલ સેન્ટર ફોર ધ બ્લાઈન્ડ અધેરીને સીવવાના બે ઇલેકટ્રીક મશાના અને લોકસંવાળા બે કપડઝ સંધ તરફથી અર્પણ કરવા અને ઉદ્દઘાટન વિધિ રવિવાર, તા. ૨૬-૬-૧૯૮૩ના રોજ સવારના ૧૦–૦ કલાકે સંધના પ્રમુખ ડો. રમણલાલ ચા. શાહના વરદહસ્તે રાખવામાં આવી. હતા. એ મશીન અને લેસના કાંમત આશર. રે. ૧૦,૦૦૦/- થાય છે.
આ કેન્દ્રમાં ૩૫ પ્રજ્ઞાચક્ષુ ભાઈએ બહેનોને તાલીમ આપવામાં આવે છે. અને તેમના દ્વારા ઉત્પાદન થતા ચાજવસ્તુઓનું સૌ પ્રથમ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
બાર ભમાં સંસ્થાના મુખ્ય અધિકારી શ્રી મન્સુલાકરે સૌનું સ્વાગત કર્યું હતું. અને કોષાધ્યક્ષ શ્રી ડી. આર. પરીખ નબ કાકા પાટીલ સેન્ટરની પ્રવૃત્તિઓના ખ્યાલ આવ્યા હતે. સંઘના પ્રમુખ, ડો. રમણભાઈ ચી. શાહ, પ્રેમળ જ્યોતિ'ના સંયોજક શ્રી કમલબેન પાસપાટી, સ ઘના મંત્રી શ્રી કે. પી. શાહ આ સંસ્થાના પ્રવૃત્ત જોઈને આનંદની લાગણી વ્યકત કરી હતી અને સંસ્થાની જરૂારેયાત માટે સંસ્થાના “પ્રેમળ
જ્યાતિ’ વિભાગ તરફથી આપવામાં આવેલા આ ભટ ફરજના એક ભાગરૂપે સહુએ આળખાવા ત્યાંના સંસ્થાના સંચાલકોને એમના પ્રવૃત્તિઓ માટે અભિનંદન આપ્યા હતા.
ડા. ભાલ પાટાલ સ ધ તરફથી આપવામાં આવેલી ભેટ માટે આન દ વ્યકત કર્યા હતા, અને સન્ટરના સુપ્રીન્ટેન્ડન્ટ શ્રી આર. એ. નામાને આભારવિધિ કરી હતી. સેન્ટરના પ્રજ્ઞાચક્ષુ ભાઈઓએ સુમધુર ગીતે રજુ કર્યા હતાં. .
જેન સોશ્યલ ગ્રુપ અંધેરીના પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ શાહ સંધના હાજર રહેલા સભ્યો માટે ભેજન વ્યવસ્થા કરી હતી. અને શ્રી કે. પી. શાહ સુ દર ભજન માટે આભાર માન્યા હતા.
અસ્થિ સારવાર કેન્દ્ર પ્રેમળ જ્યોત'ના ઉપક્રમ સ્લીપ ડીસક, મણકાની તકલીફ, ગૂઠણના સાજ, પગના અડા અને કાણામાં દુ:ખાવા, ખજાનું જામ થઈ જવું ક વારવાર ઉતરા જવુ, બાન ટાબી, શરૂઆતના પાલયા, પાન્ડીલસાસ આદિ રાગાના વિના મૂલ્ય સારવાર સંઘના કાયાલયમાં રવવાર, ૩૧-૭-૧૯૮૩યા શરૂ કરવામા આવશે, અને દર રવિવારે સવારના ૯-૦ થી બપોરના ૧-૦ સુધી સારવાર કેન્દ્ર ચાલુ રહા,
વખ્યાત આસ્થ ચિકત્સક ડા, જે.પી, પીઠાવાળા માના હું સવા આપશે, સમય : દર રવિવારે સ્થળ : પરમાનંદ કાપડિયા હાલ સવારના ૯-૦૦ થી ૧-૦૦ ૩૮૫, સરદાર વી. પી. રેડ,
વનિતા વિશ્રામ સામે - પ્રાર્થના સમાજ, મુંબઈ–૮૦૦૦ ૦૪
ફેન : ૩૫૦૨૪૬ પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ ચીમનલાલ જે. શાહ
- કે, પી. શાહ
મંત્રીઓ
સંજક