________________
તા. ૧૬-૭-૮૩
પ્રબુદ્ધ જીવન
'
Gહા
મણિપુષ્પક નામના શંખ વગાયા. આકાશ અને પૃથ્વીને ગજાવતા તે ભયાનક નાદે કૌરવોનાં હૃદયને ચીરી નાખ્યાં.
રામાયણમાં લવ અને કુશ રામે કરેલા યજ્ઞમાં આવીને વીણા સાથે વાલ્મીકિકવિનું રચેલું રામાયણ ગાય છે તેવો ઉલ્લેખ છે. કાલિદાસ મૃદંગ ઉપર પડતી થાપીને વર્ણવતાં કહે છે કે મયૂરના અવાજને મળતી માજના મનને નશે ચડાવે છે. તેની યક્ષપત્ની વીણામાં નિષ્ણાત છે. ભાસકવિને વત્સરાજ ઉત્તમ વીણાવાદક છે અને કદાચ તેથી આકર્ષાઈને પ્રદ્યોત ચંડમહાસેન પિતાની પુત્રી વાસવદત્તા તેને પરણાવે છે. બાણભટ્ટની તપસ્વિની, મહાશ્વેતા એવી વીણુ વગાડે છે કે જાણે ભ્રમરે, ગુંજન કરતા હોય ! જયદેવ તે સંગીતમાં પારંગત છે. તે ગીત ગોવિંદના દરેક સગના આરંભે રાગનું અને તાલનું નામ આપે છે, તાલનું નામ મૃદંગવાદક માટે જ હોય.
રાજદરબારોમાં અને મંદિરોમાં ઘડિયાં વાગતાં. કેટયધિપતિ શ્રીમંતોને પિતાના ભવન ઉપર ધ્વજા ઉડાડવાને અને ચોઘડિયાં અથવા અન્ય વાદ્યો સમયે સમયે વગાડવાને અધિકાર હતા. રબારી ભરવાડે જેવી પશુપાલક કેમ ઢોર ચરાવતાં વનનું એકાંત ભૂલવા માટે પા વગાડે છે.
મોગલ રાજ્યમાં સંગીતને ઉત્તેજન મળ્યું. મૃદંગના, વચ્ચેથી બે કટકા કરીને, તબલાં બનાવવામાં આવ્યાં. વાદ્યોનાં અનેક મુસલમાની નામ જોવામાં આવે છે. બીન, રબાબ, તાઉસ, મિઝરાબ, દિલરૂબા જેવાં નામે હજી પ્રચલિત છે મુસલમાન ઉસ્તાદોએ ગાયકોમાં અને સાજમાં ઈજારે રાખ્યો છે એમ કહીએ તે અસત્યકથન નહિં થાય.
સંગીતના સંસ્કૃત ગ્રંથમાં વાઘોના ચાર પ્રકારો ગણાવ્યા છે. (૧) તત (૨) સુષિર (૩) ઘન (૪) આનર્દુતત એટલે વીણુ–સસ્તાર જેવાં તંતુવાદ્ય-સુષિર એટલે શંખ, ભૂંગળ, રણશીંગા જેવાં વાયુવાઘ.--ધન એટલે ઝાંઝ, મંજીરાં, કરતાલ જેવાં ધાતુવાઘઆનદ્ધ એટલે ધાપીથી કે દાંડીથી વાગતાં તબલાં, મૃદંગ, ઢેલ જેવાં ચર્મવાદ્ય,
ગ્રામીણ લોકજીવન માનવજીવનાં ઘણાં ક્ષેત્રનું ઊંડું ખેડાણ કરતું નથી પરંતુ તેમને સ્પર્શ તે અવશ્ય કરે જ છે. ત્યાં સંત કે અંગ્રેજી જેવી સુસંસ્કારી, પૂર્ણતાની છાપ પાડનારી ભાષા નથી. તેમ શોધક બુદ્ધિના પરમ ઉત્કર્ષ જેવાં જળયાને, સ્થળયાને, વાયુયાને કે ક્ષેપયાનો નથી, ત્યાં અનેક વિદ્યાઓ અને કલાકૌશલ્યો તેની પ્રાથમિક અવસ્થામાં હજારે વરસોથી જેમનાં તેમ પડયાં છે. ત્યાં નથી પણ મિટન માનડે છે, ત્યાં શેકસપિયર નથી પણ શંભુચેલે છે. ત્યાં કીટ્સ નથી પણ કાગ છે, ત્યાં કાળિદાસ નથી પણ કાળો મરમલ છે,
ત્યાં ગણયંત્ર નથી પણ આંકલેખાં છે, બોલપેન નથી પણ વતરણાં છે, એનસાઈકલોપીડિયા નથી પણ સંસારચે પડી છે. પિયાને નથી પણુ રામસાગર છે, વાયોલિન નથી પણ રાવણહથ્થ છે, સિમ્ફની નથી પણ સેરઠા છે.
ગ્રામીણ લેકજીવનમાં કૃષિવિદ્યા, વસ્ત્રવિદ્યા, સુતારીકામ, લુહારકામ મેચીકામ, ચમારકામ, જેવી વ્યવહાર વિદ્યાઓ છે. તેમાં ભડલીવાક્ય જેવું વાયુચક્રશાસ્ત્ર છે. અડધા ડઝન નક્ષત્રના નામે જાણવા પૂરતું આકાશ જ્યોતિષ છે, રેણ્ય (હિણી) મરગશર (મૃગશીર્ષ) આડદરા (આ): હાથિયે (હસ્ત) જેવાં નક્ષત્રના દરેક ખેડૂત જાણે છે. તેનાં ઉત્તમ કાવ્ય એટલે દુહા-સોરઠાબદ્ધ કથાકાવ્ય, તેની નવલિકાઓ એટલે સૌરાષ્ટ્રની રસધારમાં છે તેવી વાર્તાઓ, તેનું ઉત્તમ સંગીત એટલે ભજન, ધોળ. લગ્નગીત. સરજુનામનું માત્ર સ્વરાત્મક, માત્ર આલાપાત્મક, શબ્દરહિત સંગીત,
- - --
તે તેના ભરવાડોનું ધન છે. તેના નૃત્યમાં પુરુષો ગરબી અને સ્ત્રીઓ ગરબા લે છે, દાંડિયારાસ ઉભયલિંગી છે. ગ્રામીણું પ્રજામાં કાવ્ય ને સંગીત કંઠમાં, ચિત્ર ભીંત ઉપર અને વમાં, શિપ મંદિરમાં અને સ્થાપત્ય વાવકુવા, મંદિર તથા કેટકિલ્લામાં છે. હરિજન જેવી ઉપેક્ષિત કેમમાં ભકિતગ, મંત્રોગ, હઠયોગને રાજયોગ પ્રચલિત છે. ડાકણ નામે ઓળખાતી સ્ત્રીઓમાં મેલી વિદ્યા અર્થાત તંત્ર
વિદ્યા છે. મૂઠ મારનાર મરદોમાં પણ મેલી વિદ્યા છે. સાપનું ' 'ઝેર ઉતારનારાઓ મંત્રવિદ્યાને પ્રયોગ કરે છે. પરચાઓ
(ગસિદ્ધિઓ) સાધુસંતોની અને મહાત્માઓની લાયકાત કે કસેટી ગણાય છે. તેને બહુ મોટો મહિમા છે. આવું સંકુલ છતાં લેકજીવન ઉપર ચેટિયું છે. - આ લેખમાં પાંચ લલિતકલાઓ (કાવ્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય) માંથી એક સંગીત કલાને જ ઇશારે કરવાને ઈરાદો રાખે છે. સંગીતમાં પણ ગીત, નૃત્ય તથા વાદ્ય એમ ત્રણ શાખાઓ છે. તેમાંથી વાઘશાખાને ઉલ્લેખ લેકસાહિત્યમાં દર્શાવવાને ઈરાદો છે. તેમાં દેકડ (તબલાં) તથા રાવણ હથ્થ (ધુઘરિયાળી કામડીવાળી નાની સારંગીહસ્તી સારંગી) આ બેના ઉલ્લેખ મને લેકાવ્યોમાં મળી શકયા નથી, બીજા વાદ્યોના ઉલ્લેખ આમ છે :(૧) મેહુલે ગાજે ને માધવ નાચે, રુમઝુમ વાગે પાય ઘુઘલડી તાલ, પખાજ વગાડે રે ગોપી,
કૃષ્ણ વગાડે વેણુ વાંસલડી (૨) ઘેર પધાર્યા હરિજશ ગાતા, વાતા તાળ, મૃદંગ ને શખ
હસી હસી નાગર તાળીઓ લે છે, આ શારે બ્રાહ્મણના કંગ? (૩) રામનામ ધન અમારે વાજે ને ગાજે
છપ્પન ઉપર ભેર, ભેરી, ભૂંગળ વારે(૪) મેરલીના નાદમાં, શ્રવણના સાદમાં
ઝાંઝરી, ઝાલરી, ડમક વાજે; તાલ, મૃદ ) ને ચંગે ઉપમા ઘણા
ભેરીને નાદ બ્રહ્માંડ ગાજે, (૫) રવિરામ રણુંકાર, નામકી નોબત ગડી (૬) ચરણદાસ નિરગુણ, હરિદાસ શંખ બજાવે. (૭) કઈ જુઓને ગગનાં હેરી, બજે બંસરી ગહેરી (૮) ગડગડ ગડગડ ગગનાં બાજે, બાજે અનહદ તૂરાં (૯) બોલે છે માંઈ એકતાર એકતા
માં હરે હરણહારે (૧૦) મંત્ર સજીવન શ્રવણે સાંભળિયો
માંહી મોરલી મધુરી ધૂન વાગીરે, (૧૧) ઘડી ઘડીનાં ઘડિયાળો વાગે
વાગે છત્રીશી રાગ શાની; ઝળકત મેલ ને ઝરૂખે જાળિયાં
ઝાલરી વાગી ઝીણી ઝીણી, (૧૨) સત નામને સંતાર લીધે, ગુણ તખત પર ગાયો
લખીરામચરણે કરમણ ખેલ્યા, ગુરુએ ગુપત પિયાલે પાયે, (૧૩) પાંચ સંતરા બન્યા તંબૂરા ખૂટ લગાયા તીન ગુનકા, (૧૪) હેલ ત્રંબાળુ ધ્રુસેક વાગે, વારં ચડી છે. હજાર, (૧૫) કાંધ રવાજ કરી, ગઢપત કઈ ગાયે નહિ; - થાપી ! ધ્યાન ધરી, મોહન લડાવ્યો તે મીડિયા! (૧૬) દિન આંબલીએ ડાયરા કસીરા ઠણકા થાય . તણ પાદશાહી જગા તણ, જીવણુ મેલ જમાય, (૧૭) કે દાદર કે હાંકલા, કે પૂજે પાખાણ; ; .: (૫૭) રાત ન ભાંગે રાણુ ! કમણે કશ્યપરાઉત! : - (૧૮) ધાધલપુરની ઢેલડી, બરવાળાને મેર : : : : : : :
- ---- --