SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન લેનિને કહ્યુ` હતુ` કે ધમ' અબુધ જનતા માટે અફીણ છે. આપણા દેશમાં સમજ્યા વિનાના ધર્મ ઉપરાંત વધુ માદક રાજકારણ છે. કેરળની પ્રજા શિક્ષણમાં માખરાની હરોળમાં છે. ૧૯૬૧ માં લગભગ ૪૭ ટકા લોકો શિક્ષિત હતા, આજે ૬૯ ટકાથી જરા વધારે છે. દર ચે. માઇલે ૬૫૪ વ્યતિ જેટલી અતિ ગીચ વસતી ધરાવતા કેરળમાં વસતી વધારાનો દર ૧૯૭૧માં ૨૬.૨૯ ટકા હતા, તે ઘટાડીને ૧૯ ટકા કરી દેવામાં આવ્યા છે. આવી સુધરેલી પ્રજામાં પણ ધમ' અને રાજકારણ સતત સંધાણુ પ્રેરે છે, જે હિંસામાં પરિણમે છે. ભારતના પશ્ચિમ કાંઠે ખ્રિસ્તી ધમ` લાવવા આલ્ફાન્સદ-આલ્બુકક' જેવા પોટુ ગીઝોએ સિતમ ગુજાર્યાં હતા. ગાવામાં કતલ પણ ચલાવી હતી. કારણ કે પોટુ ગીઝોને હેતુ ખ્રિસ્તી ધમ' ફેલાવવા ઉપરાંત પોતાનું સામ્રાજ્ય ફેલાવવાને પણ હતા. પરંતુ બ્રિટિશ હિંદમાં અંગ્રેજોના શાસન નીચે ખ્રિસ્તીધમ શાંતિથી ફેલાયા હતા. ઇશાન ભારતમાં જયાં અનેક પહાડી જાતિમાં કાઇ સંસ્કારી ધમ ન હતા, ત્યાં પહાડી જાતિઓને સામુદાયિક ધેારણે ખ્રિસ્તી બનાવી દેવામાં આવી. યુરોપીય અને અમેરિકન મિશનરીઓએ ત્યાં આરોગ્ય અને કેળવણીના ક્ષેત્રે ઉમદા કાય કર્યુ છે. પરંતુ તે સાથે આ વિદેશી મિશનરીઓએ તેમનામાં અલગતાની એવી ભાવના પણ પ્રેરી છે! કે ઇશાન ભારતની આ પહાડી જાતિએ બાકીના હિંદુસ્તાનની પ્રજાથી જુદી છે. દેશના ભાગલા પડયા ત્યારે કેટલાક અંગ્રેજ રાજપુસ્ત્રએ ઇશાન ભારતને જુદું પાડી તેને પોતાના હસ્તક રાખવાની ખટપટ પણ કરી હતી. વિદેશી મિશનરીએ ગમે તેટલા સારા હોય તે. પણ તે બ્રિટિશ સામ્રાજ્યના આડતિયા હતા. તેથી શાન ભારતમાં તેમણે જે જુદાઇની ભાવના પ્રેરી તેના પરિણામે હવે ત્યાં અંતિમવાદી બળવાખોર પ્રવૃત્તિ કરી રહ્યા છે. અને તેમને ભારતનાં દુશ્મના તરફથી મદદ મળે છે. સુના કેટલાક અનુયાયીઓ, જેવા કે પીટર અને પાઉલ માછીમાર હતા, તેથી પોટુ ગીઝ મિશનરીઓએ ભારતના કાંઠાના માછીમારોને ખ્રિસ્તી બનાવવા તરફ વધુ ધ્યાન આપ્યું હતું. પરંતુ ઇશાન ભારતમાં વિદેશી મિશનરીઓએ આરોગ્ય અને કેળવણી માટે જે કર્યુ” તેવુ પોટુ ગીઝ મિશનરીએ ભારત કાંઠાના માછીમારે માટે ન હોતું કર્યુ. પરિણામે ખાસ કરીને તામિલનાડુના માછીમાર ખ્રિસ્તી પછાત રહ્યા છે. ખ્રિસ્તી ધમ` એક ઉમદા ધમ છે, જે પ્રેમ અને શ્રદ્ધા ઉપર આધારિત છે. તેથી પાટુ ગીઝોની ધાર્મિક હિંગુતા છતાં ખ્રિસ્તી અને બીજા ધર્મો વચ્ચે સહિષ્ણુતા અને સહઅસ્તિત્વની ભાવના રહી હતી. પરંતુ પામમાં અકાલીઓએ ધમ'માં રાજકારણ ભેળવી દીધુ છે એવી રીતે ખીજા બધા ધર્મોમાં પણ રાજકારણનું અફીણ ભળી રહ્યુ છે. રાષ્ટ્રીય સ્વય ંસેવક સંધ અને ભારતીય જનતા પક્ષ દક્ષિણ ભારતમાં તથા શાન ભારતમાં પોતાની લાગવગ અને વિચારસરણી ફેલાવી રહ્યાં છે. તેના પરિણામે થાડા માસ પહેલાં કન્યાકુમારીના ખ્રિસ્તીઓ અને હિંદુ વચ્ચે કામી હુલ્લડા થયાં હતાં. ખ્રિસ્તી દેવળામાંથી અને હિંદુઓ • મદિરામાંથી લાઉડસ્પીકરામાંથી પોત પોતાના ધમના પ્રચાર કરવાના દુરાગ્રહ રાખતા હતા, તેમાંથી સ ધ થયેા. પંજાબમાં આકાશવાણી દ્વારા શીખ સંપ્રદાયની ગુરુવાણીનુ પ્રસારણ કરવામાં આવે એવી અકાલીઓની માગણી સ્વીકારીને ભારત * સરકારે શીખાને રાજી રાખવા ખાતર એક ખાટા દાખલે મેસાડયા છે. આવતી કાલે હિંદુ, મુસ્લિમા અને ખ્રિસ્તીઓ પણ આવી માગણી કરશે ત્યારે તેમને ના ક્રમ પાડી શકાશે ? આકાશવાણી અને દૂર ન ખિન સાંપ્રદાયી lo તા. ૧-૭-૮૩ રાષ્ટ્રના પ્રચાર–સાધનાં છે. તેમને સાંપ્રદાયિક પ્રચારના માધ્યમ ન બનાવવા જોઇએ. વિવિધ ધર્માં અને સપ્રદાયાનાં જ્ઞાન અને ભજના સ્વેચ્છાથી સભળાવવામાં આવે તે જુદી વાત છે. પરંતુ અહી તા જલધર રેડિયેશ સ્ટેશન રાજ કલાકા સુધી ગુરુવાણી સંભળાવવા બંધાઈ જાય છે. ગુરુવાણી સામે કાઇને વાંધા ન હોઇ શકે. તેનાં મૂળ 'હિંદુધમના એકેશ્વરવાદ અને ભકિત સ'પ્રદાયમાં છે અને હિંદુ તથા મુસ્લિમ ધર્મના ઉમદા તત્ત્વા શીખ ગુરુઓએ તેમાં સમાવી લીધાં છે. પરંતુ પંજાબમાં ૪૮ ટકા હિ દુઓ પણ છે. તેઓ હિંદુધમ'ના પ્રચાર માટે આકાશવાણીના માધ્યમની માગણી કરશે ત્યારે તેમને શે! જવાબ આપશું? આકાશવાણી કાઇ એક ધમના પ્રચાર માટે બંધાઈ જાય તે વાંધા પાત્ર છે. સવણ હિંદુ અને હરિજને વચ્ચે સ` ન હતા. અ ંગ્રેજો હરિજનોને હિંદુએથી જુદા ગણીને તેમને જુદા મતાધિકાર આપવા માગતા હતા. તેમને હિંદુઓથી જુદા નહિ પાડવા ગાંધીજીએ આમરણ ઉપવાસ શરૂ કર્યાં હતા. અગ્રેજોએ ગાંધીજીની સામે ડા. આંખેડકરના શસ્ત્ર તરીકે ઉપયાગ કર્યાં હતા. આજે કેટલા દિલતે ગાંધીજીને યાદ કરે છે? કઈ નહિ તે મહારાષ્ટ્રમાં હરિજને સ્વ. ભીમરાવ અખેડકરને ભગવાન તરીકે પૂજે છે. તેમને રાજી રાખીને તેમના મત મેળવવા મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદ યુનિ વર્સિટીને ડૉ. આંબેડકર યુનિવર્સિર્સીટી નામ આપવાનુ નક્કી કરી નાખ્યુ હતુ, અને મજુરી માટે વિધાન સભ્યો પાસેથી ઠરાવ પણ કરાવી નાખ્યા હતે. પરંતુ તેની સામે સવણુ હિ દુઓએ, મુખ્યત્વે મરાઠાઓએ ઉગ્ર હુલ્લડ મચાવ્યું, જેમાં હરિજનોએ ઘણુ સહન કરવુ પડયુ. તેથી હવે સવર્ણાને રાજી રાખવા સરકાર અને વિધાન સભ્યા બધા કરી ખેઠા ! પર ંતુ આ હુલ્લડાથી જે કટુતા ઉત્પન્ન થઈ છે, તે ઘટી નથી, વધી છે. તાજેતરમાં નાસિકમાં થયેલાં હુલ્લડો તેના પુરાવા છે. તામિલનાડુમાં પણ હુલ્લડ થયાં છે. અહી' મુસ્લિમાએ હરિજનાનુ સામુદાયિક ધમ પરિવત ન કરવાની પ્રવૃત્તિ ઉપાડી. તેની સામે આક્ષેપ થયા કે હરિજનને મુસ્લિમ બનાવવા વિદેશામાંથી નાણાં આવે છે. આપણા દેશની એક મુશ્કેલી એ છે કે એ મોટા ધર્માંનુ ઉદ્દભવસ્થાન અને પ્રેરણાવિદેશમાં છે. પાપ બ્રિટનના રાજકારણમાં અને પ્રજાજીવનમાં હસ્તક્ષેપ ન કરે તે માટે બ્રિટિશ પ્રજાએ ૪૦૦ વર્ષ પહેલા ધનુ રાષ્ટ્રીયકરણ કર્યુ હતું. ડૉ આંખેડકર હરિજનાનું સામુદાયિક ધમ પરિવતન કરવાની ગાંધીજીને ધમકી આપતા હતા અને ગાંધીજી કહેતા હતા કે હિંદુધમ' કરતાં બીજો ધમ વધુ સારો છે એમ તમને પ્રામાણિકપણે લાગે તેા જરૂર ધર્મ પરિવર્તન કરી. ડે.. આંખેડકરે અને તેમના અનુયાયીઓએ બૌદ્ધ સપ્રદાય સ્વીકાર્યાં. આજે જાણે હિંદુ ધમ' અને બૌદ્ધ સપ્રદાય જુદા અને પરસ્પર વિરોધી ધર્માં હોય એવી રીતે કહેવાતા સવર્ણો અને અવ લડી રહ્યા છે. જેમ રાજકીય પક્ષા માંગીને ટુકડા થઇ રહ્યા છે અને તેઓ કૂકડાની જેમ લડે છે તેમ ધર્મ સંપ્રદાયામાં અને સંપ્રદાયેા વાડામાં વહેંચાઈને લડી રહ્યા છે. હિ દુ વિદ્ધ મુસ્લિમા, હિંદુ વિરૂદ્ધ ખ્રિસ્તીઓ, હિંદુ વિરૂદ્ધ શીખા, હિંદુ વિરૂદ્ધ નવબૌદ્ધો લડે ત્યારે બહારના નિરીક્ષકને એમ લાગે કે હિંદુ બહુ ખરાબ, અસહિષ્ણુ' અને લડાયક હોવા જોઇએ. જ્યારે પ્રજા અસખ્ય પક્ષામાં, ધર્માંમાં, સંપ્રદાયામાં અને વાડાઓમાં વિભકત થઈને આપસ આપ સમાં લાયા કરે ત્યારે દેશ કેટલે સમય સંગઠિત રહી શકો ? આપણે ઇતિહાસમાંથી કાઇ ખેાધપાઠ લીધે નથી,
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy