________________
તા. ૧-૭-૮૩
પ્રબુદ્ધ જીવન
હિંદુ વિ. મુસ્લિમ, હિંદુ વિ. શીખ, હિંદુ વિ. ખ્રિસ્તી, હિંદુ વિ. દલિત
આ સંઘર્ષણમાં દેશનું શું થશે?
છે વિજયગુપ્ત મૌર્ય
કેરળમાં જંગલમાંથી મળી આવેલા એક ખ્રિસ્તી કોસ ઉપરથી હિંદુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે જે કેમી સંધર્ષણ જાગ્યું છે, તે સમગ્ર દેશમાં ઠેકઠેકાણે વિવિધ ધર્મો વચ્ચે અને સંપ્રદાય વચ્ચે ઘૂંધવી રહેલા કોમી સંઘર્ષની યાદ આપે છે. અંગ્રેજો હિંદુસ્તાનની પ્રજાના રાષ્ટ્રવાદને ભાંગી નાખવા માટે પ્રજાને વિવિધ કામમાં વહેંચી નાખી તેમની વચ્ચે હિતેની અથડામણ પ્રેરવા માગતા હતા. તેથી રાષ્ટ્રીય કોંગ્રેસની લડતને મુસ્લિમ, શીખો, ખ્રિસ્તીઓ, હરિજન, ગિરિજન વગેરે દ્વારા વિરોધ કરાવ્યું હતું. તેના પરિણામે હિંદના ત્રણ ટુકડા થયા અને પાકિસ્તાન રચાયું. શીખે, હરિજન વગેરે વચ્ચે અલગતાવાદ પ્રેર્યો.
પરંતુ અંગ્રેજોએ આપણને લાત મારીને વિદાય લીધા પછી વિવિધ કામો વચ્ચે અને જાતિઓ વચ્ચે જે સંધર્ષ રહ્યો છે તેના માટે એ કામોના નેતાઓ તથા રાજકીય પક્ષના આગેવાને જવાબદાર છે. હિંદુ અને મુસ્લિમ વચ્ચે તે બ્રિટિશ જમાનાથી હુલ્લડ થતાં આવ્યાં છે, પરંતુ હિંદુઓ અને શીખ વચ્ચે, હિંદુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે. હિંદુઓ અને હરિજનો વચ્ચે, મેદાનના લેક અને ગિરિજનો વચ્ચે હુલ્લડે થાય એ નવી ઘટનાઓ છે. બહારના નિરીક્ષકને એમ લાગે કે બહુમતિ કેમ તરીકે હિંદુઓ જ અસહિષ્ણુ અને આક્રમક છે. ગયા મે માસમાં પતિયાળામાં શીખે અને હિંદુઓ વચ્ચે પહેલી જ વાર હુલ્લડ થયાં. થોડા મહિના પહેલા કન્યાકુમારીમાં હિંદુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે હુલ્લડ થયાં હતાં. પંજાબમાં માલેરકેટલામાં પણ હિંદુઓ અને અકાલીઓ વચ્ચે હુલ્લડ થયાં હવે કેરળમાં નીલાચલમાં ખ્રિસ્તીઓ અને હિંદુઓ વચ્ચે ગંભીર સંઘર્ષ જાગે છે.
કેવા નજીવા અને નિર્માલવ બનેમાંથી કમી હુલ્લડ જાગે છે તેને દાખલે અને બેધપાઠ નીલાચલની ઘટના આપે છે. વાવેતર માટે ડુંગર ઉપર ખેદકામ કરતાં પત્થરને એક કેસ મળી આવ્યું. તરત ખ્રિસ્તીઓએ શો કર્યો કે તે સંત થોમસનો કેસ છે. ખ્રિસ્તી ધર્મ પશ્ચિમ એશિયામાંથી યુરોપમાં ફેલા તે પહેલા સંત મસ દ્વારા મલબાર કાંઠે ફેલાય હતે. ઇસુના ૧૨ પટ્ટશિષ્યોમાં સંત થોમસને પણ સમાવેશ થાય છે. ઈસુના સ્વર્ગારોહણ પછી થેમસે હિંદુસ્તાન આવીને ખ્રિસ્તી ધમને પ્રચાર શરૂ કર્યો, અને છેવટે મલબાર કાંઠે પિતાનું મથક બનાવ્યું.
પુરાતત્ત્વ વિજ્ઞાનીઓએ કેસ તપાસીને જણાવ્યું કે તે સંત થોમસને કેસ નથી. પરંતુ ધમ શ્રદ્ધા ઉપર ચાલે છે, બુદ્ધિ કે તક ઉપર નહિ. તેથી લંકામાં બુદ્ધના દાંત તરીકે પૂજાતો દાંત બુદ્ધને નથી, કે કાશ્મીરમાં હઝરતબાલમાં પવિત્ર ગણાતો બાલ (વાળ) મહમદ પયગમ્બરને નથી એમ
સાબિત કરી આપવામાં આવે તો તેથી કમી ઉશ્કેરાટ ફેલાય. : એવી રીતે આ કેસ વિશે પણ પુરાતત્વ વિજ્ઞાનીઓને
અભિપ્રાય ખ્રિસ્તી સંસ્થાઓએ માન્ય ન રાખે, અને ખ્રિસ્તી સંસ્થાએ ત્યાં એક દેવળ બનાવી તેને ખ્રિસ્તી યાત્રાધામ બનાવવાને નિર્ણય કર્યો.
નશીબજોગે કેસ ચેરાઈ ગયે. તેથી લાલબહાદુર - શાસ્ત્રીજીના સમયમાં હઝરત બલ રાઈ”. જવાથી જે ઉશ્કેરાટ ફેલાયો હૈતો તે ઉશ્કેરાટે કેરળના ખ્રિસ્તીઓમાં
ફેલાયે. તેથી એક નવો કેસ તૈયાર કરીને યાત્રાધામનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું. પરંતુ હિંદુ મંદિર નજીક નવું ખ્રિસ્તી યાત્રાધામ બંધાય તેની સામે હિંદુઓએ વાંધો લીધો.
કેરળની સરકાર હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તીઓ અને તેમના વિવિધ રાજકીય પક્ષોની બનેલી શંભુમેળા જેવી સરકાર છે, જેના મુખ્ય પ્રધાન કરુણાકરણ કસી છે. આપણા નેતાઓ પોતાને બિનસંપ્રદાયી તરીકે ઓળખાવે છે, પરંતુ વર્તનમાં સંપ્રદાયી અને ઘણું તો કામવાદી પણ હોય છે. તેથી કેરળ સરકારે આ ખ્રિસ્તી યાત્રાધામને એક હેકટર જમીન આપવાનો નિર્ણય કર્યો. કેરળ, સરકારનું એક અંગ કેરળ કોગ્રેસ છે, જે ખ્રિસ્તીઓની કોંગ્રેસ છે. ખ્રિસ્તી દેવળ માટે જમીન અપાય તેથી હિંદુઓએ વાંધે લીધે અને આ આંદોલનની આગેવાની લેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને હિંદુ વિશ્વ પરિષદના માણસે પહોંચી ગયા. એમણે ૨૫ સભ્યોની એક પગલાં સમિતિ નીમી, અને લડત ઉપાડી કે આ નવું ખ્રિસ્તીધામ શબરીમાલાના મંદિરના માર્ગમાં આવે છે અને મહાદેવના મંદિરની નજીક આવે છે માટે ત્યાં નવું ખ્રિસ્તી દેવળ બાંધવા ન દેવું. તેથી કેરળ સરકારે ખ્રિસ્તી દેવળ માટે છેડે દૂર નવી જગ્યા પસંદ કરી, અને હિંદુઓને પણ એટલી જ જગ્યા બીજે ઠેકાણે આપવાનું ઠરાવ્યું.
પરંતુ હિંદુઓએ આ આશ્વાસન સ્વીકારવાનો ઇનકાર કર્યો. કેરળમાં ઈદિરા કોંગ્રેસમાંથી અસંતુષ્ટોના એક જૂથે વિશ્વ હિંદુ પરિષદ સાથે ભળીને કેરળ સરકાર સામે ઝુંબેશ ઉપાડી અને કરેણાકરણનો બહિષ્કાર કર્યો. તે પછી કોમી છમકલાં શરૂ થયાં. હવે સરકારી મનાઈ હુકમોને ભંગ કરવામાં આવે છે, અને ભંગ કરનારાઓ સામે પોલીસ લાઠીમાર ચલાવે છે, અથુવાયુ છોડે છે. ધરપકડ પણ કરે છે.
મામલે વડી અદાલતમાં પણ ગયો, જ્યાં ખ્રિસ્તીઓને કેરળ સરકાર યાત્રાધામ માટે જમીન ન આપે એવો મનાઈ હુકમ મેળવવામાં આવ્યો. સરઘસો અને સભાઓ વડે વાતાવરણને તંગ બનાવવામાં આવ્યું. રાજકીય પક્ષોએ પણ તેમાં ઝંપલાવ્યું. નાયર સેવા સમાજે આ લડત ચલાવવા નેશનલ ડેમોક્રેટીક પાટીનામની ન પક્ષ સ્થાપે. હિંદુઓની આગેવાની નાયરોએ લીધી છે. પરંતુ એઝાવા નામની અવણું હિંદુકમનો સમાજવાદી પ્રજાસત્તાક પક્ષ અળગો રહે છે. કેરળની પ્રજાને તેના રાજકીય અને કોમી આગેવાનોએ ધર્મો, સંપ્રદાય, કોમે, જ્ઞાતિઓ અને પક્ષોમાં એવી વહેચી નાખી છે કે તેમની વચ્ચે તેમનાં હિત અથવા સ્વાર્થો અથડાતાં જ રહ્યાં છે. કરેણુકરણનું પ્રધાન મંડળ ચીભડાંની ભારી જેવું છે અને આ કેમી સ્વાર્થોની અથડામણની ખેંચતાણ ચીભડાંની ભારી સુધી પહોંચે છે. જયારે દેશ અને કેરળ રાજ્ય બિન સાંપ્રદાયિક છે, ત્યારે સરકાર ઝઘડતા સંપ્રદાયને રાજી રાખવા જમીન આપે એ ધરમૂળથી છેટું છે. પરંતુ પ્રધાનમંડળને કેરળ કાંગ્રેસના ખ્રિસ્તીઓના ટેકાની જરૂર છે, તેથી ખ્રિસ્તીઓને જમીન આપીને ઉપદ્રવ વહોરીલી છે. પ્રધાનમંડળને નાયર સમાજના હિંદુ ટકાની પણ જરૂર હોવાથી ભૂલને ગુણાકાર કર્યો. આપણું રાષ્ટ્રીય નેતાઓ પોતાની સત્તા અને
લાગવગ ટકાવી રાખવા કોમવાદને કેવી રીતે પંપાળે છે તેનું આ દ્રષ્ટાંત કેરળની આ ઘટના પૂરું પાડે છે. * : .