SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૮૩ પ્રબુદ્ધ જીવન સંઘના પ્રમુખ . રમણલાલ ચી. શાહના અધ્યક્ષપદે થયું હતું, જ્યારે અતિથિવિશેષ તરીકે રાષ્ટ્રીય અંધજન સંગઠન (National Association for the Blind)ના પ્રમુખ શ્રી વિજય મરચન્ટ હતા. આ સંસ્થાના સહયોગથી આ પ્રવૃત્તિ સારી રીતે ચાલી રહી છે અને અમને આનંદ છે. તદુપરાંત નેશનલ એસોસીએશન ફેર ધ બ્લાઈન્ડ, વરલી ખાતેના, કવીની કેપ્ટન હેલમાં રવિવાર, તા. ૫-૯–૧૯૮૨ના રોજ ત્રણ અપંગ બહેને પ્લાસ્ટીકસની બેગને સીલીંગ કરવાના મશીન આપવાનો અને એ રીતે પગભર કરવા માટે એક સમારંભ સંધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખસ્થાને જવામાં આવ્યું હત, અતિથિવિશેષ તરીકે તેમના સેક્રેટરી જનરલ કેપ્ટન દેસાઈ તથા શ્રી સી. એન. સંધવી પધાર્યા હતા એક મશીનની કીંમત રૂ. ૩,૩૦૦/ થઈ છે. આ મશીનો માટે શ્રી રાજીવ સી. સંઘવી, શ્રીમતી હંસાબેન સી. સંઘવી અને શ્રી શૈલેષભાઈ કે ઠારી તરકથી આર્થિક સહયોગ સાંપડયો હતે. તા. ૧-૧-૧૯૮૩ થી આજ સુધીમાં એટલે કે, તા.૨૨–૬–૧૯૮૩ સુધીમાં પ્રેમળ જ્યોતિ માટે રૂા.૩,૧૬૩ ૦૦ની ભેટ મળી છે, જ્યારે આ પ્રવૃત્તિ માટે રૂા. ૨૪૪૬૭–૩૦ની સહાય આપવામાં આવી છે. તદુપરાંત એક સ્ટોલ માટે રૂ. ૩,૯૦૦-૦૦ નેશનલ એસોસીએશન ફોર ધ બ્લાઇન્ડને આપવામાં આવ્યા છે. આ સ્ટોલનું ઉદ્ધાટને ટક સમયમાં રાખવામાં આવશે. આ સમય દરમિયાન શ્રી સી. કે. શાહ ચેરિટી ટ્રસ્ટ અને શ્રી કે. પી. શાહ-એમ બને તરફથી રૂ. ૩,૫૦૦ લેખે કુલ બે સ્ટોલ માટે રૂ. ૭,૦૦૦ મળ્યા છે. એ જ રીતે મૂળ રકમ કાયમ રાખી એના વ્યાજમાંથી દત્તક બાળક પ્રવૃત્તિ માટે શ્રી રંભાબેન રવિલાલ શાહ અને શ્રી અમૃતબેન ગાંભલ શાહ તરફથી રૂ. ૫,૦૦૦ લેખે કુલ રૂ. ૧૦,૦૦૦ મળ્યા છે. આ રકમ અનામત તરીકે રહેશે. પ્રેમળ જત પ્રવૃત્તિનો વ્યાપ વધી રહ્યો છે અને આરોગ્ય કેળવણી અને માનવસેવાના ક્ષેત્રે ઉત્તરોત્તર વધુ ને વધુ રકમની આર્થિક સહાય, પ્રેમળ જતિની બહેનની જાત દેખરેખ અને અંગત મહાકાતના આધારે આપવામાં આવે છે. આ માટે ઉદારચરિત મહાનુભાવોનું અર્થસિંચન કરવા તરફ અમે ધ્યાન દોરવાની રજા લઈએ છીએ. વર્ષ દરમિયાન અંકિત હેતુઓ માટે કે પ્રેમળ જનિની પ્રવૃત્તિ અંગે મળેલું સહકાર માટે અમે દાતાઓને આભાર માનીએ છીએ. આ પ્રવૃત્તિના સંગેજ શ્રીમતી નીરુબેન સુબોધભાઈ શાહ અને શ્રીમતી કમેન પીપાટીની જાગૃત કામગીરી માટે અમે એમને ધન્યવાદ આપીએ છીએ. પ્રેમળ જ્યોતિ' અનામત ખાને તા. ૧-૧-૧૯૮૦ ના રોજ રૂ. ૧,૨૭,૦૦૦/- જમા હતા. તેમાં કશો ઉમેરો થયેલ નથી. વર્ષ આખરે પણ એટલી જ રકમ જમા રહે છે. એકયુપ્રેશરના વર્ગો. પ્રેમળ જ્યોતિ'ના ઉપક્રમે એક્સપ્રેશથી શારીરિક ગેની સારવાર આપવા માટે તાલીમ વગે. ગત વર્ષે શરૂ કરવામાં આવ્યા હતા. તેમાં પ્રથમ બેચમાં ૭૦ ભાઈ–બહેને તાલીમાર્થી તરીકે જોડાયા હતા. બીજી બેચના પ્રથમ વર્ગમાં ૫૦ અને બીજામાં ૪૦ ભાઈ-બહેનોએ તાલીમ લીધી હતી. પ્રથમ બેચના તાલીમાર્થીઓની પરીક્ષા લેવાતા મેટી ' સંખ્યામાં ભાઈ–બહેને સારા ગુણાંક મેળવી ઉત્તીર્ણ થયા હતા. , બીજી બેચના પ્રથમ વર્ગને પૃદ્ધતિ સમારંભ • તા. ૧૭૫-૧૯૮૩ અને બીજાને તા. ૨૪-૫-૧૯૮૩ ના રોજ રાખવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિના મુખ્ય સંચાલક શ્રી ચીમનભાઈ દવેએ સતત એક વર્ષ સુધી માનાર્હ સેવા આપી. તેમને અભિનંદન આપતાં અમને આનંદ થાય છે. પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા બનેલી હસ્તકલા-કારીગરીની ચીજોનું પ્રદર્શન શ્રી નેબ કાકા પાટીલ સેન્ટર ફોર ધ બ્લાઈન્ડ, અધેરીની સંસ્થાને સીલીંગ મશીન, કબાટ, લેકસ આદિ કેટલાંક સાધનોની જરૂરિયાત હતી. ચેતન” સામયિકના તંત્રીશ્રી પ્રતાપરાય પી. વ્યાસે એની વિગતે માહિતી મેળવીને આપણું આ બાબત દયાન દેયુ હતું. સંસ્થાની જરૂરિયાત અંગેની યાદી, એ ચીજો બનાવતી કંપનીઓના ભરતીયા સાથે એ સંરથાને આપણને પત્ર મળતાં રૂ. ૯,૭૧૨–૨૦ મંજૂર કરવામાં આવ્યા. એ રકમનો ચેક આપતા પરસ્પર પરિચય થાય એ હેતુથી સંધના પરમાનંદ કાપડિયા સભાગૃહમાં સીમિત આકારનું મિલન ગોઠવાયું, ત્યારે આ સંસ્થાના પ્રજ્ઞાચક્ષુઓએ બનાવેલી હસ્તકલા – કારીગીરીની કેટલીક ચીજોના નમૂનાઓ પ્રદર્શિત કર્યા હતાં. આવી ચીજોનાં ઉત્પાદનથી આવા કલાકાર સ્વાવલંબી તે બને જ છે, પરંતુ એવી ઉત્પાદનની ચીજોનું એક પ્રદર્શન ગોઠવાય તે જાહેર જનતાને પણ એ બાબતને સારી રીતે ખ્યાલ આવી શકે. એટલે પ્રેમળ જ્યોતિ'ના ઉપક્રમે તા. ૨૦ ૯-૧૯૮૩ અને તા. ૧ અને -, ઓકટોબર, ૧૯૮૩ ને રોજ એક પ્રદર્શનનું આયેાજન વનિતા વિશ્રામ હેલ ખાતે કરવામાં આવ્યું છે. સૌને આ પ્રદર્શનનો લાભ લેવા અને એવી જરૂરિયાતની ચીજોની ખરીદી દ્વારા આ પ્રવૃત્તિને પ્રેત્સાહન આપવા વિનંતી છે. હાડકાના દદીઓની સારવાર માટેનું કેન્દ્ર સ્લીપ ડીસ્ક, મણકાની તકલીફ, હાડકાની તકલીફ, ગૂઠણને મો. પગની એડી અને કેણીમાં દુ:ખાવો. ખભાનું જામ" થઈ જવું કે વારંવાર ઉતરી જવું, બેન ટી. બી., શરૂઆતને. પિલીયે. પેન્ટીલેસીસ આદિ રોગોની વિનામૂલ્ય સારવાર માટેનું કેન્દ્ર પ્રેમળ જ્યોતિ'ના ઉપક્રમે શરુ કરવાનું નકકી કરવામાં આવ્યું છે. વિખ્યાત છે. મઢીવાળાના શિષ્ય છે. જે. પી. પીઠાવાળા આ કેન્દ્ર માટે માનાહ" સેવા આપશે. એ અંગેની વિગતે નકકી થયેથી હવે પછી જણાવવામાં આવશે. . જે. પી. પીઠાવાળા આ રીતે શ્રી માટુંગા ગુજરાતી સેવા મંડળના ઉપક્રમે માનાર્હ સેવા આપે છે. શ્રી દીપચંદ ત્રિભવનદાસ શાહ ટ્રસ્ટ આ ટ્રસ્ટમાં વર્ષની શરૂઆતમાં રૂ. ૪૪,૨૫૦- ૮ ની પુરાંત હતી. વર્ષ દરમિયાન વ્યાજના રૂ. ૨,૫૩૬-૦૦ ઉમેરતાં વર્ષ આખરે રૂ. ૪૭,૭૯૫–૨૮ બાકી દેવા રહે છે. વિદ્યામંત્ર સંધ સંચાલિત અને સ્વ. મંગળજી" વેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રનું તા. ૧૦, ૧૧ અને ૧૨, જાન્યુઆરી, ૧૯૮૩ના રોજ તાતા ઓડિટોરિયમ, હોમી મોદી સ્ટ્રીટ, કોટ, મુંovઈ ખાતે ડો. સુરેશ દલાલના અધ્યક્ષપદે આયેાજન કરવામાં આવ્યું હતું, વ્યાખ્યાતા તરીકે છે. ભોળાભાઈ પટેલ પધાર્યા હતા. એમને વિષય હતે: કવિતા અને ધમ સંવેદના. આ મૃય વિષયના અંતર્ગત વિષય તરીકે એમણે (૧) કબીર અને મીરાં (૨) રવીન્દ્રનાથ અને રીકે અને (૩) ઉમાશંકર અને સુંદરમની કવિતામાં ધર્મસંવેદનાની અભિવ્યક્તિની વિશદ , અને રસપ્રદ છણાવટ કરી હતી. વ્યાખ્યાતા અને અધ્યક્ષશ્રીના અમે"આભારી છીએ. ''" અભ્યાસ વતી સંધની આ પ્રવૃત્તિ શ્રી સુબોધભાઈ એમ. શાહની રાહબરી
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy