________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૩ "
વિશે
પશુઓની પણ તરસે મરણને શરણ વિસ્તાર સૌરાષ્ટ્ર રાત કાયમી બંધ જ આવે
તે એ છે કે ભારત જેવા કરુણાસભર દેશમાં પ્રતિ વર્ષ લાખો ફૂતરાઓની કતલ થાય છે. આ કુતરાઓની શકિતને સારાં કાર્યો માટે ઉપગ ન થઈ
શકે તે પણ એ જીવને એવી રીતે ન બચાવી શકાય કે . જેથી તેને ઉપદ્રવ ન થાય અને છતાં એની ' ' કતલ કરવાની જરૂર ન રહે? કેટલાંક ગામમાં પાંજરાપોળમાં
કૂતરાઓને પણ વિભાગ હોય છે. શેરીમાંથી પકડેલા
કૂતરા અને કૂતરીઓને જુદા જુદા વાડામાં રાખવામાં આવે છે, - કે જેથી નવી પ્રજોત્પત્તિ થાય નહિ, અને કુતરાઓને અકાળે
મારવા પડે નહિ. આમ પણ કૂતરાનું આયુષ્ય દસ-બાર વર્ષથી વધુ નથી હોતું. એટલે એના ભરણપોષણની જવાબદારી બહુ મોટી રહેતી નથી. દયાળુ લોકે જયાં આ જવાબદારી ઉપાડી લેતા હોય છે ત્યાં સુધરાઈને માથે એટલે જો રહે નથી.
- મુંબઈ નગરપાલિકા એક કૂતરે છોડાવવાના પાંત્રીસ રૂપિયા * લે છે. મુંબઈની જીવદયા મંડળી’, ‘બ્યુટી વિધાઉટ ફૂઅલ્ટી’
કે આપણી પાંજરાપોળ જેવી પ્રાણીદયાને વરેલી કેટલીક સંસ્થાઓ જે આ પ્રશ્ન અંગે કંઇક સક્રિયપણે વિચાર કરી શકે તે જીવહિંસાનું કેટલુંક કાય જરૂર અટકાવી શકાય. દીર્ધદષ્ટિથી, ડહાપણુપૂર્વક યોજનાબદ્ધ રીતે જે આ કાર્ય થાય તે જ એની ઉપયોગિતા, નહિ તે ચીનના એક શહેર જેવી દશા આપણા શહેરની પણ થાય. - ચીનના એક શહેરમાં ઉંદરને ઉપદ્રવ ઘણો બધો વધી ગયા હતા. છેવટે શહેરની સુધરાઈએ પિતાના બજેટમાં ઘણી મોટી રકમની જોગવાઈ કરીને શહેરને ઉંદરોથી મુકત કરવાની જના ઘડી. જે કઈ નાગરિક ઉંદર પકડીને સુધરાઈના
ખાતામાં આપી આવે તેને પૈસા આપવાનું જાહેર થયું. આવી જનાને પરિણામે લેકમાં ઉંદર પકડવાને ઉત્સાહ વધી ગયે. રોજ સેંકડો માણસો ઉંદર પકડી પકડીને સુધરાઈમાં આપી આવવા લાગ્યા. દિવસે દિવસે પકડાતા ઉંદરોની સંખ્યા વધતી ગઈ. સુધરાઇને થયું કે આ પેજના સરસ ચાલી છે, લેકે કામે લાગી ગયા છે અને થેક સમયમાં આખું શહેર ઉંદરથી મુકત થઈ જશે. પરંતુ જોગવાઈ કરેલી રકમ પૂરી થઈ ગઈ તે પણ હજારો લકે પુષ્કળ ઉંદરે પકડીને લાવવા લાગ્યા હતા. તપાસ કરતાં માલુમ પડ્યું કે શહેરની ઉંદરની સંખ્યા તે પહેલાં હતી તેના કરતાં પણ ઘણી વધી ગઈ હતી. ઘરેઘરે પાંજરામાં રાખી માણસે ઉંદરોને ખવડાવી પષણ કરી રહ્યા હતા. અને બચ્ચાંઓને ઉછેરી રહ્યા હતા. લોકોને જાણે કે ઉંદર દ્વારા આજીવિકાનું એક મોટું સાધન સાંપડયું. પરંતુ શહેર ઉંદરોથી ઊભરાવા લાગ્યું. અજ્ઞાની અને માત્ર પોતાના જ હિતને વિચાર કરનાર પ્રજા કયારેક પિતાનું સામુદાયિક હિત સમજતી નથી. એટલે જ, - રૂપિયા પાંત્રીસ આપી કુતરું છોડાવવાની યેજના જે સરખી
ન ગોઠવાય તે ગમે તેટલાં કૂતરાંઓ છોડાવ્યા પછી પણ કૂતરાંની વધતી જતી વસતિને પ્રશ્ન તે એ જ ગંભીર રહેવાને.
: પ્રજામાં સ્વચ્છતા, સહકાર, જવાબદારી વગેરે ગુણે અને . આવડત કેળવવાનું એવું ડહાપણ કયારે આવશે કે જ્યારે ઉપદ્રવના આવા પ્રશ્ન જ ઊભા ન થાય ?
સૌરાષ્ટ્ર રેલ રાહત ફંડ સૌરાષ્ટ્રમાં મેઘતાંડવથી આવેલા વિનાશક પૂરથી જુનાગઢ અમરેલી, પોરબંદર વગેરે જિલ્લાઓમાં પારાવાર નુકસાન . થયું છે. આ લખાય છે ત્યાં સુધીમાં પણ કેટલાય ગામડાંઓને, સંપર્ક સાધી શકાયું નથી. એ રીતે દુનિયાથી આ વિસ્તારે વિખૂટા પડી ગયા છે. ૧૦૦૦ માણસે મરણને શરણું થયાને
અંદાજ છે. પશુઓની પણ તારાજી થઈ છે. જાનહાનિ એથી વિશેષ હોવાની સંભાવના છે. નુકસાનીને અંદાજ આવે એવું નથી. આ વિસ્તારમાં રાહત કાર્ય માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે સૌરાષ્ટ્ર રેલ રાહત ફંડ શરૂ કરવાનું નકકી. કર્યું છે. આ માટે એક “શ્રી મુંબઈ જૈન યુવક સંધના નામને મોકલવા સંઘના પેટ્રો, આજીવન સભ્ય, વાર્ષિક સભ્ય, શુભેચ્છકે, પ્રબુદ્ધ જીવનના ગ્રાહકે વગેરેને વિનંતી છે. કષ્ણુના આ કાર્યમાં હાલ તુરત નીચે મુજબ રકમ, નોંધાઈ છે. રાહત ફંડની વિગતો વખતોવખત પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવશે. સંઘને આપેલું દાન આવકવેરા ધારાની કલમ ૮૦ (છ) હેઠળ કરમુકત છે. .
૧૫૦૦ મે. નવનિત પ્રકાશન કેન્દ્ર ૧,૦૦૦ શ્રી રસિકલાલ . ઝવેરી ૧,૦૦૦ શ્રી એ. જે. શાહ ૧૦૦૦ મે. ચીમનલાલ ચકુભાઈ ટ્રસ્ટ ફંડ ૧૦૦૧ મે. સેતીલાલ કાન્તિલાલની કુ. ૧૦૦૧ મે. એમિનેસ એજન્સી ૫૦૦ ડે. રમણલાલ ચી. શાહ ૫૦૦ શ્રી ચીમનલાલ જે. શાહ ૫૦૦ શ્રી કે. પી. શાહ ૫૦૦ શ્રી મફતલાલ ભીખાચંદ શાહ , . ૫૦૧ મે. સી. કે. શાહ ચેરિટી ટ્રસ્ટ
- ૫૦૧ શ્રી કરસી કે શાહ ૫૦૧ મે. એરીસ્ટો કેમિકલ્સ પ્રા. લી. , ૫૦૧ મે. આરવીકે રમ્બર ઈન્ડસ્ટ્રીઝ. .. ૫૦૧ શ્રી પન્નાલાલ કે. છેડા ૫૦૧ મે. મનુભાઈ અને નવીનચંદ્ર સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ ૨૫૧ શ્રી ગણપતલાલ મ. ઝવેરી , ૨૫૧ શ્રી સી. એન. વોરા ચેરિટેબલ ટ્રસ્ટ ૨૫ શ્રી શાન્તિલાલ દેવજી નન્દુ ૨૫૧ મે. એસ. એમ. શાહની કાં. ૧૫ શ્રી પ્રવીણચન્દ્ર મંગળદાસ શાહ
- ૧૦૧ શ્રી અમર જરીવાળા ૧૦૧ મે. નીરૂ એન્ડ કુ. .
૫૧ શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ રૂ. ૧૨,૯૧૨ કારોબારી સમિતિમાં કો-એડ સભ્ય
તા. ૨–૬–૧૯૮૩ ના રોજ મળેલ કારોબારી સમિતિમાં નીચે મુજબ પાંચ સભ્યોને ઉમેરવામાં (Co-opted). આવ્યા છે. (૧) શ્રી મફતલાલ ભીખાચંદ શાહ
. (૨) છે. ધનવંત ટી. શાહ , . "
(૩) શ્રી પન્નાલાલ કે. છેડા . ' ' (૪) શ્રી અરવિંદ એમ, ચોકસી' ”, ' ' '
(૫) શ્રી શૈલેષભાઇ એચ. કોઠારી * *