SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 09 ૩૦ પુસ્તક મેળા છ મણલાલ ચી. શાહુ પ્રબુદ્ધ જીવન વાંચવાની ટેવ અને રુચિ કેળવ્યે કેળવાય છે. બધા જ માસાને વાંચવામાં રસ ન પડે. કાકનુ તા તરત માથું દુખવા આવે, તેા કાઈક એવા પણ હોઈ શકે કે જે સળંગ ખાર–ચૌદ કલાક વાંચ્યા પછી જાણે નવી તાઝગી અનુભવતા હોય તેમ પ્રસન્ન અને પ્રફુલ્લિત દેખાય. પ્રજા તરીકે દુનિચામાં નાવે અને સ્વીડનના લેાકેા સૌથી વધુ વાંચે છે. (જે * ટી. વી.ના આગમન પછી એનું પ્રમાણ ઘણુ ઘટયું છે), કારણ કે ઉત્તર ધ્રુવની નજીક આવેલા એ દેશામાં ત્રણ-ચાર મહિનાની સળંગ રાત્રિ હોય છે. એક જમાના એવેલ હતા કે જ્યારે છાપું વાંચવું હોય તે માણુસ વાચનાલયમાં જાય. આજે હવે પાડાશીનું છાપું લઈને વાંચવાનુ પણ માણસને ગમતું નથી. પાતાનુ છાપું પાંતે વાંચવાની પ્રથા હવે ખૂબ પ્રચલિત થઈ ગઈ છે. છાપાં અને ચાપાનિયાંની જેમ પુતકાની બાબતમાં હજી એટલું પરિવર્ત'ન આવ્યુ' નથી. પુસ્તકાલય કે મિત્રા પાસેથી પુસ્તક મેળવીને વાંચવાની પ્રથા હજી ઠીક ઠીક પ્રમાણમાં છે. પરંતુ તેને લીધે માણસ કયારેક સારાં પુરતાથી વાંચિત રહી જાય છે. પોતાને મનગમતાં પુસ્તક વાંચવા માટે ઘરમાં વસાવવાં એ સસ્કારી માણસનું લક્ષણ છે. દુનિયામાં પ્રતિ વર્ષ' લાખા પુરતા પ્રગટ થાય છે, ફકત ગુજરાતી ભાષાંના વિચાર કરીએ તો દર વર્ષે સરેરાશ નાના—મેટા પાંચસેાથી વધુ પુસ્તક પ્રકાશિત થાય છે. પુસ્તકાની દુનિયા એટલે કે જાણે મહાસાગર. તરતાં તરતાં એને પાર કરવાનું શકય નથી. એટલે કે માણસે પોતાની પંસ દગીની મર્યાદિત રેખા દોરી લેવી જોઇએ. કેટલાક વાચકા ઊંટ કે બકરી જેવા (ઊંટ મેલે આકડા, ખકરી મેલે કાંકરા) હોય છે; જે હાથમાં આવ્યું તે બધું જ વાંચી જતા હાય છે. એમાં વિવેક હોતા નથી. માત્ર સમય પસાર કરવાની વૃત્તિ હોય છે. એટલે વાંચેલાનુ વિસ્મરણ પણ ઝડપથી થાય છે. કેટલાક વાચકા ગાય જેવા હોય છે. ગાય જેમ સૂંઘીને યોગ્ય અને પથ્ય હોય તેટલું જ ખાય છે, તેમ આવા વાચા પોતાના વાંચન માટે મર્યાદિત સંખ્યામાં વિષય અને ગ્રંથે પસંદ કરી લે છે અને તેનુ ઝીણવટથી વાચન કરે છે. એથી એમને રસાનંદનાં અનુભવ સાથે જ્ઞાન સંસ્કારની પ્રાપ્તિ પણ થાય છે. કેટલાક માણસા એવા સારા પારખુ હોય છે કે કાણે કેટલુ વાંચ્યું અને પચાવ્યું છે તેના અંદાજ તેમના ચહેરા ઉપરથી કાઢી લે છે. પુસ્તકવિક્રેતા, ગ્રંથપાલ, પુસ્તકમેળાના આયેાજકા વગેરે લેખક ` અને વાચક વચ્ચે સેતુ સમાન બની રહે છે. તેમાં પણ પુસ્તકમેળાના આયોજકોનુ કાય વિરત પરિણામ લાવનારું હોય છે. કાઇ પુસ્તકમેળાની મુલાકાત આપણે લઇએ ત્યારે જોયાં કે જાણ્યાં ન હોય તેવાં કેટલાંયે આપણાં રસનાં પુસ્તકાની આપણને જાણ થાય છે. તા. ૧૬-૮૩ મોટા હોય છે. વળી, નબળી અને નિરથ ક કૃતિમાં અટવાઈ જતાં બચી જવાય છે. કેટલીક વખત કાઈ વિષયમાં આપણી અપેક્ષા કરતાં વધુ ચઢિયાતુ' પુસ્તક આવા મેળામાંથી આપણને સાંપડે છે, જે કેટલાંક ઉત્તમ પુસ્તકા કેટલીક મર્યાદાને કારણે એના ચોગ્ય વાચકો સુધી પહોંચ્યાં નથી હોતાં તેવાં પુસ્તકો આવા મેળા દ્વારા પહોંચે છે. મેળામાં પસંદગીને અવકાશ ઘણા દેવતાં તેમાં અવકાશ વિશ્વ-પુસ્તકમેળાનુ પ્રતિ વર્ષ આંતરરાષ્ટ્રીય ધોરણે દુનિયાના જુદા જુદા શહેરામાં આયેાજન થાય છે. પરંતુ આપણી ગુજરાતી ભાષાની જેમ દુનિયાની ઘણી ભાષાઓને હજુ તેમાં પ્રતિનિધિત્વ સાંપડયું નથી. ભારતમાં નેશનલ મુક ટ્રસ્ટ તરફથી પ્રતિ વર્ષ મેટા પાયા ઉપર પુસ્તકમેળાનુ આયોજન થાય છે. તેમાં ગુજરાતી ભાષાનાં પુસ્તકા પણ હાય છે. ગુજરાતી અધ્યાપકાનુ સ ંમેલન'. ઋતિહાસ પરિષદ વગેરેનાં સંમેલનમાં પુસ્તક-પ્રદર્શન યોજાય છે. એકસડ', મેકમિલન જેવી મોટી કંપનીઓથી માંડીને નાના નાના પ્રકાશકો પોતાનાં પુસ્તકાનુ' વખતાવખત પ્રદર્શન યોજે છે. આ દિશામાં લેકમિલાપ ટ્રસ્ટની કામગીરી પણ ધણી પ્રશસ્ય છે. એના વ્યવસ્થાપક— ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર મેઘાણી ઉત્તમ પુસ્તકાના સાચા રસિયા અને પુસ્તક પ્રચાર માટેના સાચા મિશનરી છે. વળી એમની પાસે વ્યવહારુ દૃષ્ટિ અને આયેાજનની કુનેહ છે. વાયકાને ઓછી કિંમતે ઉત્તમ પુસ્તકા કેવી રીતે સાંપડે તે માટે તેમણે વિવિધ યાજનાએ કરેલી છે, ભારતમાં વિવિધ સ્થળે પુસ્તકમેળાનુ સફળ આયેાજન કરી ગુજરાતી વાકાની રસવૃત્તિને સતેજ કરવાનુ મૂલ્યવાન કાય તેમણે યુ" છે. હવે તેમણે ગુજરાતી પુસ્તક મેળાને વિદેશામાં લઈ જવાની યોજના ઘડી છે, અમેરિકા અને કેનેડા, ઈંગ્લેંડ અને યુરોપ તથા એસ્ટ્રેલિયા, ફીજી અને ન્યુઝીલેન્ડના શહેરામાં તેઆ ગુજરાતી પુસ્તકાનુ પ્રક્શન આરંભમાં નાના પાયા પર ાજવાના છે. વિદેશામાં ગુજરાતી કુટુ ખેામાંથી ગુજરાતી ભાષા ધસાતી ચાલી છે. આવી ચેાજના દ્વારા તેને નવું બળ મળી શકે. શ્રી મહેન્દ્ર મેધાણીને તેમના આ આયેાજનમાં ઘણી સારી સફળતા મળે એવી આપણી શુભેચ્છા ! [શ્રી મહેન્દ્ર મેધાણી આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં અમેરિકા અને કેનેડામાં, સપ્ટેમ્બર-ઓકટોબરમાં બ્રિટન અને યુરોપમાં તથા નવેમ્બરમાં ફીજી, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પુસ્તક પ્રદર્શન યોજશે. જેમને આ પ્રવૃત્તિમાં રસ હોય અને જેમનાં સગાંસબધીએ કે મિત્ર તે તે દેશમાં હોય, તેનાં સરનામાં લેકમિલાપ ટ્રસ્ટ, પા. ખેત. ૨૩ (સરદારનગર), ભાવનગર એ સરનામે શ્રી મહેન્દ્ર મેઘાણીને જણાવવા તેમને વિનંતી.] સાભાર સ્વીકાર હનાની સમસ્યા: લે. ભોગીલાલ ગાંધી, પ્રકા, વિશ્વમાનવ સ`સ્કાર શિક્ષણ ટ્રસ્ટ, વાદરા. કી'મત રૂા. ૩૨-૦૦, એકયુપ્રેશરની તાલીમ માટેના વર્ગો: ત્રીજી ખેંચ શ્રી મુંબઈ જૈન યુવક સધ-પ્રેમળ જ્યેાતિ દ્વારા જે, એકયુપ્રેશરના ક્લાસ ચલાવવામાં આવે છે તેની બીજી મેચ પુરી થાય છે. ત્રીજી મેચ જુલાઈના પ્રથમ સપ્તાહેમાં શરૂ કરવામાં આવશે. તાલીમ લેવામાં જેમને રસ હોય તે જૂનની આખર તારીખ સુધીમાં નામ નધાવે ત્યારબાદ નવા નામેા નોંધવામાં આવશે નહિ તેની નોંધ લેવા વિનંતિ. નીરૂબહેન એસ. શાહુ સયેજક, પ્રેમળ જ્યોતિ. ચીમનલાલ જે. શાહ કે પી. શાહુ સ્ત્રીઓ, મુબઇ જૈન યુવક સંધ [F માલિક : શ્રી મુંબઇ જૈન યુવક સબ, મુદ્રક અને પ્રકાશક શ્રી ચીમનવાસ તાભ જે. ગ્રા. પ્રકાશન સ્થળ : ૩૮પ, સરદર વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪. ૨. ન. ૩૫૦૨૯૬ : સુદ્રણુસ્થાન :- ટ્રેન્ડ મિન્ટ, જગન્નાથ શોર રોઢ રોડ, ગિરગામ, મુબઇ ૪ મન : ૩૫૬૮૩ર
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy