SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૮૩ પ્રબુદ્ધ જીવન તક તેની પાસેથી આંચકી લે છે, એવી દલીલ કરીને પ્રગતિશીલ દેશમાં સુધાર મતની સજા કાયદામાંથી રદ કરાવવા ઝુંબેશ ચલાવે છે. મોતની બીકે ખૂન ઓછા થાય એવી માન્યતા સાચી નથી તેમ કાયદામાંથી મતની સજા કાઢી નાખવાથી ખૂનોના બનાવ વધી જશે એવી બીક પણ સાચી ઠરી નથી. હત્યા માટે સામાજિક, આર્થિક કે કોઈ ઠેકાણે રાજકીય બરણે હોય છે. જ્યારે, માણસ ખૂન કરે છે ત્યારે તેણે ઉશ્કેરાટની પળમાં ખૂન કરી નાખ્યું હોય કે અત્યંકરના ખૂનીઓની જેમ વિચારપૂર્વક અને યેજનાપૂર્વક ખૂન કર્યા હોય તો પણ તેમને મૃત્યુદંડને ભય ખૂન કરતાં અટકાવી શકતા નથી. | મોતની સજા કરવી એમાં ન્યાય છે કે માનવતાની હત્યા ? મોતની સજા બંધારણીય છે કે નહિ? જન્મટીપની સજા પામેલે કદી ખૂન કરે તે તેને મોતની સજા આપવી એ ઈન્ડીઅન પિનલ કેડની ૩૦૩ કલમ પ્રમાણે ફરજિયાત છે કે નહિ? મોતની સજા ફરમાવ્યા પછી બે વર્ષમાં તેને અમલ ન થાય તો આપોઆ૫ મતની સજાને ઠેકાણે જન્મટીપની સજા લાગુ પડી જાય કે નહિ ? એવા પ્રશ્નો ઉપર આપણા દેશમાં ઘણો વાદવિવાદ થયે છે; કેસે લડાયા છે અને વરિષ્ઠ અદાલતના ચુકાદા પણ આવ્યા છે. પરંતુ જ્યાં સુધી કાયદામાં મોતની સજા છે ત્યાં સુધી એ સજાને અમલ માનવતા ભરેલી રીતે અને કેદીને ઓછામાં ઓછી પીડા થાય એવી રીતે કેમ કરે તેની ચર્ચા થતી નથી. બ્રિટિશ જમાનાની પહેલાં શિરચ્છેદ, શૂળી અને બીજી કેટલીક કર રીતે મતની સજાને અમલ થતું હતું. અંગ્રેજોએ ફાંસીની સજા દાખલ કરી અને મોતની સજાની બીજી બધી પ્રથા રદ કરી. એમ માની લેવામાં આવ્યું કે ફાંસીની સજામાં કેદી ઓછામાં ઓછી યાતના ભેગવે છે; તેના પગ નીચેનું પાટિયું સરકાવી લેવાથી કેદી જે પછડાટ અનુભવીને લટકી . રહે છે, તેથી તેની ડોક તૂટી જવાથી તે તત્કાળ મરી જાય છે. પરંતુ આ બધી માન્યતાને સમર્થન નથી મળતું. ફાંસીની સજાથી લેહી નથી રેડાતું અને કાળા મુખવટાની અંદર છૂપાએલું મેં શી યાતના ભેગવે છે તે જોઈ શકાતું નથી. કેદીએ શી યાતના ભેગવી, કેટલા સમય સુધી ભેગવી અને તેને પ્રાણુ કયારે અને કેવી રીતે ગમે તે કોઈ કેદી પાસેથી આપણે જાણી શકીએ નહીં. બીજા દેશમાં મોતની સજાના અમલની વિવિધ રીતે છે. આરબ દેશમાં શિરચ્છેદની પ્રથા પણ છે અને ગળા સુધી ખાડામાં દાટીને, પત્થર મારીને મારી નાખવાની પ્રથા પણ છે. અમેરિકામાં કેટલાંક રાજ્યમાં મોતની સજા રદ કરવામાં આવી છે. જે રાજ્યમાં મોતની સજા છે ત્યાં કોઈ ઠેકાણે બંદૂકની ગોળીઓ વડે, કોઈ ઠેકાણે ફાંસી વડે, કોઈ ઠેકાણે વીજળી વડે તે કોઈ ઠેકાણે ગેસ વડે ગૂંગળાવીને મોતની સજા કરવામાં આવે છે. ગયા ડિસેમ્બરમાં એક મુસ્લીમ સીદીને “માનવતાની રીતે ઝેરી ઈજેકશન આપીને મોતની સજાને અમલ કરવામાં આવ્યું. ચાલી બ્રુકસ નામના ગુનેગારે ખૂનને ગુનો કર્યો હતે. અમેરિકામાં પણ મોતની સજા ભાગ્યે જ અપાય છે. આપણા દેશમાં જન્મટીપની સજાને અથ વીસ વર્ષની જેલ થાય છે. તેમાંથી રજાના દિવસે અને સારી ચાલચલગતની કપાત બાદ જતાં, ૧૪ વર્ષમાં જન્મટીપનો કેદી છૂટી જાય છે. ગેડસેના ભાઇને છોડવામાં નહોતો આવ્યો ત્યારે તેણે કેટને અરજી કરી છૂટકારો મેળવ્યા હતા. બુકસે ૨૬ વર્ષના એક મેટર મિકેનિકનું ખૂન કર્યું હતું. છ વર્ષ સુધી તે પિતાના બચાવ માટે લડયે. અમેરિકામાં ૧૧૦૦ જેટલા ખૂની મોતની સજા નીચે છે અને દર વર્ષે તેમાં એકસો વધારો થાય છે. અદાલતમાં તેઓ લડત ચલાવે છે, તેથી સજાને અમલ વિલંબમાં પડે છે. બુકસ બધે હારી ગમે ત્યારે મોતની સજાને અમલ કેવી રીતે કરવો તેની તેને પસંદગી આપવામાં આવી. તેણે ઝેરી ઈજેકશનની પસંદગી કરી. અમેરિકાના ઇતિહાસમાં આવી પસંદગી પહેલી છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે વિજળીની ખુરસી કેદીને તત્કાળ મારી નાખે છે, તેથી તે ઓછામાં ઓછા સમય પીડા ભોગવે છે. પરંતુ બુકસનો કિરશે બતાવે છે કે ઝેરી ઈજેકશન આપવાથી કેદી તત્કાળ બેશુદ્ધ થઈને કશી પીડા વિના થોડી જ વારમાં મરી જાય છે. આશરે ૨૩૦૦ વર્ષ પહેલા ગ્રીક તત્ત્વજ્ઞાની સોક્રેટિસને ઝેરી વનસ્પતિને રસ પીને આત્મહત્યા કરવાની સજા કરવામાં આવી હતી. તેના કરતાં ઝેરી ઈજેકશને વધુ “દયાળુ છે. ઈ. સ. ૧૮૯૦માં વીજળીની ખુરશી ઉપગ શરૂ થયો હતો. તેમાં કેદીને બેસાડીને બાંધી રાખવામાં આવે છે, અને હજારો વોલ્ટના દબાણવાળે વીજળીને પ્રવાહ ચાલુ કરવામાં આવે છે, જેથી નિષ્ઠાણુ બની ગએલ શરીર બળવા પણ લાગે છે. ૧૯૨૪માં ગેસ ચેમ્બરની પ્રથા દાખલ કરવામાં આવી. તેમાં એમ માનવામાં આવ્યું કે ગેસથી કેદી તકાળ બેશુદ્ધ થઈ જેવાથી તેને પીડા થતી નથી. પરંતુ ઝેરી ઈજેકશન આપવાના બનાવે વિવાદના કેટલાક નવા મુદ્દા ઉભા કર્યા છે. ડોકટર તેને ઉમદા ધંધામાં દદીને રોગમુકત કરવા માટે ઈજેકશન આપે છે. કેદીને મારી નાખવા માટે ઇજેકશન આપવું એ તેના ધંધાની નીતિમત્તાથી વિરુદ્ધ છે. તેથી અમેરિકામાં કેટલાંક કટરોએ વાંધો ઉઠા યે. છે. વળી, કેદીને ઝેરી ઇંજેકશન આપવા કાયદા પ્રમાણે ડોકટરને ફરજ પાડી શકાય નહિ. તેથી અમેરિકન મેડિકલ એસોસિએશને પિતાના વાંધાના આ નૈતિક મુદ્દા રજુ કર્યા છે. ' અહીં ઈજેકશન આપનાર ડોકટરની દલીલ એવી છે કે ઇજેકશન મેં આપ્યું નથી. એ ખરું છે કે તેણે બાબીટયુરેટનું ઇજેકશન તૈયાર કરી આપ્યું હતું. પહેલાં બુકસના જમણા હાથની શિરામાં ઈજેકશનની સઈ અને ટયુબ બેસાડી દેવામાં આવ્યાં તેને સેલાઇન, સેલ્યુશનના લટકતા શીશા સાથે જોડી દેવામાં આવી. આ નળી સાથે વચ્ચે ઝેરી ઇજેકશનની ૩ પીચકારીઓ જોડી દેવામાં આવી. આ બધું કામ તે ડોકટર કે નર્સ જ કરી શકે. ડોકટરને એ બચાવ હોય કે ઈજેકશન તેણે નહોતું આપ્યું, તે પણ તે પિતે બુકસની હત્યા કરવામાં મદદગાર તે ખરે જ ને ? " ચાલી બ્રુકસને ખાટલા પર સુવડાવીને તેને તથા તેના હાથને ખાટલા સાથે બાંધી લેવામાં આવ્યા. તે પછી તેના બંને હાથની શિરામાં સિરિંજ બેસાડી દેવામાં આવી. આ બધી ગોઠવણી દરદીને લોહી અથવા લૂકોઝ સેલાઈન આપવામાં આવે છે તેના જેવી જ હતી. પરંતુ વધારામાં ઝેરી ઈજેકશનનું જોડાણ હતું. કેદી માત્ર પોતાના હાથમાં બેસાડેલ સેઇ અને સિરિંજ જ જોઈ શકે, બાકીનું બધું બાજુના એરડાંમાં ગોઠવવામાં આવ્યું હતું. અર્ધા કલાક સુધી માત્ર સેલાઈન સોલ્યુસન બુકસની શિરામાં ચડાવવામાં આવ્યું. રાતના ૧૨ વાગ્યા પછી ઝેરી ઇજેકશનની ત્રણ સિરિંજમાંથી પહેલી સિરિંજ સેલાઈન સેલ્યુસનના પ્રવાહમાં સામેલ કરી દેવામાં આવી. તેમાં બે ગ્રામ બાબીટયુરેટ સોડીયમ થીઓપેન્ટલ હતું. શસ્ત્રક્રિયા માટે દરદીને બેશુદ્ધ કરવા માટે અપાય તેના કરતાં આ માત્રા પાંચ ગણી હતી. બીજા બે ઇજેકશનની જરૂર ન હતી, પરંતુ નિઃશંક મૃત્યુની ખાત્રી તરીકે આપવામાં આવ્યાં. બીજુ ઈજેકશન પાન કયુરેનિયમ બ્રોમાઈતું હતું, જે શરીર
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy