________________
૧૬
પ્રબુદ્ધ જીવન
સ્વ, ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક વસંત વ્યાખ્યાનમાળા: એક પ્રતિભાવ * કંચનલાલ તલસાણિયા
મુંબઈ જૈન યુવક સંધ આયોજિત કેન્દ્ર અને રાજ્યાના માવિ સંબંધો' ઉપરની વ્યાખ્યાનમાળા તા. ૪ થી ૭ એપ્રિલ ૧૯૮૩ સુધી તાતા એડિટેરિયમમાં રાખવામાં આવી હતી. આ વ્યાખ્યાનમાળા ખૂબ જ સફળ રહી.
માનનીય શ્રી મેરારજીભાઈ દેસાઇ, શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ, શ્રી અતુલ મેતીલાલ સેતલવડ, ડે. ડી ટી. લાકડાવાલા અને શ્રી કુલદીપ નાયર જેવા મહાનુભાવાએ વિચારપ્રેરક વાણીમાં ઉર્જા અને રાજ્યાના ભાવિ સબધાના વિષય ઉપર પોતપોતાના જ્ઞાન અને અનુભવના નિચેડરૂપ જે મનનીય પ્રવચને કર્યાં તેમાંથી તુલનાત્મક સમીક્ષા અને સારગ્રહણુરૂપે નીચે મુજબના મુદ્દાઓ નોંધી શકાય.
૧. પૂજ્ય ગાંધીજીના નેતૃત્વ નીચે ભારતે આઝાદી મેળવ્યા પછી થાડા જ વખતમાં શ્રી સરદાર વલ્લભભાઇ પટેલે પોતાની આગવી દૂર ંદેશી, વિચક્ષણ મુદ્ધિ અને શકિતથી દેશી રજવાડાઓનુ સમજાવટથી વિલીનીકરણ કરીને ભારતને પ્રાદેશિક એકતા અને અખંડિતતા આપવામાં ખૂબ જ મૂલ્યવાન ફાળા આપ્યા.
૨. ભારતમાં ભાષા, ધર્મ, કામ, નાતજાત, શિક્ષણ, સંસ્કાર, પહેરવેશની વિવિધતા છે. ભૌગાલિક પરિસ્થિતિ ભિન્ન ભિન્ન છે. છતાં પણ ભારત એક અને અંખડ છે.
૩. ભારતનું સાર્વભૌમત્વ સમથ અને અતિ રાખવા માટે કેન્દ્ર સરકાર, શક્તિશાળી હોવી અને રહેવી જ જોઈએ. કેન્દ્રની નબળી સરકાર સમગ્ર દેશ માટે નુકસાનકારક છે.
૪. રાજ્યાની સરકાર પણ શક્તિશાળી હોવી અને રહેવી જોઇએ.
પ. ભારતના બંધારણમાં રહેલી કાયદાની જોગવાઇને અનુરૂપ અને ભારતના બંધારણના માળખામાં રહીને, કેન્દ્ર અને રાજ્ય સરકારેએ પોતપોતાની સરકારને વહીવટ, લોકશાહી રીતે પ્રજાના પ્રતિનિધિઓથી ચલાવા જોઇએ. સત્તાના વધારે કેન્દ્રીકરણની જરૂર નથી પણ વિકેન્દ્રીકરણની જરૂર છે.
૬. કેન્દ્રમાં કાઇપણ એક વ્યકિતની અબાધિત, અમર્યાદિત “સત્તા ન હોવી જોઈએ. લેાકશાહીમાં, વારસાગત સત્તા હાઈ શકે જ નહીં અને હેવી પણ ન જોઇએ. Dynastic Rule અભિગમ, વલણ અને તે દિશાની ગતિ, વ્યવસ્થા આયોજન અને પ્રયત્ના ભારતની લોકશાહી માટે ખતરનાક છે.
AND
૭. શ્રીમતી ઇન્દિરા ગાંધીનુ ૧૯૬૭ની આસપાસના સમયમાં રાજકીય સત્તારોહણુ, ૧૯૭૭માં ટૂંક સમયના રાજકીય વનવાસ, અને ફ્રી ૧૯૮૦ માં સત્તારોહણુ પછી, લોકશાહી મૂલ્યા, ભાવનાએ, રીતરસમા અને કાય પદ્ધતિ-ઓને ખૂબજ ધસારા લાગ્યા છે.
૮. કેન્દ્રનુ શાસન એવી રીતે જાણીજોઇને ચલાવવામાં આવે છે કે રાજ્યોને પોતાની રીતે, પોતાની પરિસ્થિતિ, સંજોગ, દેશકાળ સ્થિતિ મુજબ, પેાતાની શાન અને શકિત જળવાઈ રહે અને કુદરતી રીતે વિકાસ પામે તેવી રીતે, ભારતના બંધારણ મુજબ, સ્વાયત્ત રીતે રાજ્યવહીવટ ચલાવવા દેવામાં આવતા . નથી, રાજ્યના મુખ્ય મંત્રીની નિમણુંક રાજ્યના પ્રધાનમડળમાં
6
L.
કાને લેવા, કાને ન લેવા, લીધેલાને પડતાં મૂકવા રાજ્યાની બંધારણ સભાઓનું અચાનક વિસર્જન, ગવનાની નિમણુંક તેમની ફેરબદલી, વગેરેનું સચાલન કહેવાતી કેન્દ્ર સરકાર વતી શ્રીમતી ઈંદિરાજી અને તેમની કેટલીક વિશ્વાસુ વ્યકિતઓ કરે છે. જ્યાં સુધી કેન્દ્રમાં અને રાજ્યામાં એક જ પક્ષની સરકાર હતી, ત્યાં સુધી પરિસ્થિતિ આદર્શ ન હતી છતાં ખરાબ પણ ન હતી. ભારતના મહાનુભાવે! જેવાં કે જવાહરલાલજી, : સરદાર પટેલ, ડા. રાજેન્દ્રપ્રસાદ, રાજગાપાલાચારી વગેરેએ પાતાની સૂઝબૂઝથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે એક સપ અને સુમેળ સાધી અને જાળવી શકયા હતાં. ભારતનું રાજકીય ચિત્ર બદલાવા માંડયુ છે. તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરાલા, પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારો જુદાજુદા રાજકીય પક્ષા એ ચૂંટણીઓમાં બહુમતિ મેળવીને રચી છે. બિનકેંગ્રેસી રાજ્ય સરકારોને પોતાનુ સ્વમાન છે. તેમના ભૌગોલિક સાધના, ખનીજની ઉપજો, ખેતીની પેદાશ વ્યાપાર અને ઉદ્યોગોની ખીલવણી અને વિકાસ, ત્યાંના રહેવાસીઆની રુચિ, વલા અને આર્થિક, સામાજિક, અને સાંસ્કૃતિક પરંપરા મુજ્બ કરવાના કાયદેસર અધિકાર અને સત્તા છે. તેમાં કેન્દ્ર તરફથી બિનજરૂરી દખલગીરી, રૂકાવટ રોકટોક, થાય છે. કેન્દ્ર સરકાર પોતાના પક્ષની રાજ્ય સરકાર પ્રત્યે અને બીજા પક્ષોની રાજ્યસરકારે વચ્ચે ઓરમાયુ, ભેદભાવયુકત વતન રાખે છે. પરિણામે કેન્દ્ર અને રાજ્યના સબધામાં સુમેળ અને સંપ, વધવાને બદલે ઘટે છે, ષણ્ની ભાવના અને વાતાવરણ સર્જાય છે, જે ભારતની અખંડિતતા વિકાસ અને સમૃધ્ધિ માટે હાનિકારક છે.
૯. રાજ્યસરકારો સરકારા, નથી રહી પણ મ્યુનિસિપાલીટી જેવી થઈ ગઈ છે.
૧૦, કેન્દ્રની રાજ્યસભા પાંજરાપોળ જેવી બની ગઇ છે.
૧૧. ભારતના ભાગલા પડશે નહી', એકતામાં વિવિધતા, અને વિવિધતામાં એકતા, ભારત જાળવી શકશે. પ્રાદેશિકવાદ દક્ષિણના બિનક્રૉંગ્રેસી રાજ્યાની કાઉન્સીલ, કેન્દ્ર સરકારની સત્તા સામે પડકાર કે બળવા નથી. બિનક્રૉંગ્રેસી રાજ્યસરકારે ભારતમાંથી છૂટા પડવાની વાત નથી કરતી, પોતાની સાધન સામગ્રી, કુદરતી સ ંપત્તિમાં યોગ્ય હિસ્સા અને વિકાસની તકા માંગે છે. કેન્દ્રો ઉધરાવેલા ઇન્કમટેક્ષ, કર્પોરેટ ટેકસ ઇત્યાદિમાં વિશેષ લાગભાગ માંગે છે.
1
૧૨. આસામમાં પરદેશીના પ્રશ્ન, પંજાબમાં અકાલીઓની માંગણીઓની બાબતાને કેન્દ્ર સરકારે દેશના હિતેાને લક્ષમાં રાખીને સમયસર પગલાં નહીં લેવાથી તેમ જ રાજય લાભાલાભની ગણતરી રાખીને જટીલ, ગૂંચવણભર્યાં બનાવી નાખ્યા છે તે પ્રશ્નોને ન્યાયી અને તાત્કાલિક નીવેડા લાવવાની જરૂર છે.
૧૩. લેાકશાહીના સાતત્ય, વિકાસ અને વૃદ્ધિ માટે સ્વતંત્ર ન્યાયાધિશેાની સુપ્રીમકોટમાં, પ્રાંતાની હાઈકાર્ટામાં નિમણુંક અને બઢતીની જરૂર છે. અખબારી અને વાણીની સ્વાતંત્ર્યની જરૂર છે.