SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫૮૩ ( પૃષ્ઠ ૨ થી ચાલુ ) સમતામાં જેમ જેમ સ્થિરતા વધતી જાય તેમ તેમ જીવનમાંથી પાપ ઓછાં થતાં જાય. અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં માનવીએ સમતા ધારણ કરવી જોઇએ. શાસ્ત્ર વચનાનું વાચન, ચિંતન અને મનન કરવું જોઇએ. સામાયિક ખે બાબતા પર ભાર મૂકે છે. એક, આત્મ નિરીક્ષણ અને બીજુ` સવ` પાપ કર્માની માફી માગવી. ત્રિવિધે શરીર, વાણી અને મનથી થયેલ અશુભ કર્મોની આત્માની સાક્ષીએ અને વડીલા પાસે માફી માગવી. સામાયિક એ રીતે બે ધડીનુ સાધુપણુ છે. અહિંસા ભગવતી માતાના સ્થાને છે. કરુણા અને મૈત્રીભાવ વગર અહિંસા શકય નથી. કુવિચાર માત્ર હિંસા છે, કાઇને મનથી પણ ન ખૂલવવુ જોઇએ. અપ્રમાદ એ અહિંસા છે. પ્રભુન જીવન અનેકાન્તવાદ એટલે પ્રત્યેક વસ્તુ અનેક ગુણ અને અનેક ધમવાળી છે. દરેક વસ્તુને ઊંડાણથી અને સવ દષ્ટિએ તપાસવી જોઈએ. મારું જ સત્ય એમ માનવું એ વિચાર પરિગ્રહ છે. સામે પક્ષે પણ સત્ય હોઈ શકે એમ માની બીજાના વિચારોને પણ માન આપવુ જોઇએ. અનેકાન્તવાથી આપણા વલણમાં ઉદારતા આવે છે. પેાતાને માટે જ સૌંપત્તિ રાખનાર, બીજાના ભાગે સગ્રહ કરનાર અને પ્રમાણભાન વગર સપત્તિ ભોગવનાર ચાર છે. સંસારીએ મર્યાદિત પરિગ્રહ રાખવા જોઈએ અને આવશ્યકતાઆને ક્રમે ક્રમે ઘટાડવી જોઇએ. ગાંધીજીએ ટ્રસ્ટીશિપના સિદ્ધાંતમાં આ જ વાત કરી છે. મુનિશ્રી વાત્સલ્ય દીપે આત્મ શોધક પ્રભુ મહાવીર' એ વિશે પોતાની વિશિષ્ટ શૈલીમાં કહ્યું હતું કે, આ ભવ સમુદ્રમાં ભગવાન મહાવીર દીવાદાંડી જેવા ઊભા છે. જે પાયાની વસ્તુ જિં દગી છે, તે ખોવાઈ ગઈ છે તેની શોધ આરભવી જોઇએ. મૃત્યુનું જ મૃત્યુ થઈ જાય એ કરવા જેવું કામ છે, જેથી ભવાલવમાં મૃત્યુના ભય ન રહે. આપણે તો અનંત સુખ, અનંત ગતિ અને અનંત આનંદ તરફ જવુ છે. નયસારના જીવન એક નવકારમંત્રથી કલ્યાણુ થઇ ગયા. જો આપણા હૃદયમાં પણ ઋજુતા અને પવિત્રતા હોય તે કલ્યાણ થઈ જાય. આપણે તે માળા પૂરી કયારે થશે તેને વિચાર કરીને નવકારમંત્રની શરૂઆત કરીએ છીએ. જ્યાં અટકવાપણું છે ત્યાં વિકાસ નથી; તીથ કરાના કલ્યાણક પ્રસગે નારી જીવા પણ સમતા પામે છે. આજના મનુષ્ય ચન્દ્ર પર પગ મૂકી આવ્યા પણ આત્માની ભૂમિ જે ખૂબ નજીક છે તે જ ખૂબ દૂર થઇ ગઇ છે, તે અજાણી બની ગઈ છે. જે પોતાના આત્માને ઓળખે છે તે જગતને એળખે છે. આજે પહેલુ ભજન પ્રતિષ્ઠાની દીવાલાનુ થવુ જોઇએ. જે કંઈ છે તે મારું નથી, એટલું સમજાય તા પણ બસ છે. અપેક્ષા મેાક્ષની હોવી જોઇએ, પુણ્યની નહિં. જેમ ખેડૂતને અપેક્ષા અનાજની હાય છે, ધાસ તે આપમેળે ગે છે. નિરર્થંક આપવડાઈ અને નિરર્થક જૂઠાણાને છોડીએ તેા પણ ઘણા બધા ક્લેશ મટી જાય. ભગવાન મહાવીરનું જીવન તે ક્રાંતિની પ્રયોગશાળા જેવુ હતુ. એમને અખંડ પ્રકાશ આપણા પર પડે અને સતત જાગૃતિથી આત્મશેાધને માર્ગે વળીએ એવી શુભેચ્છા સાથે મુનિશ્રીએ પોતાનું વકતવ્ય પૂરું કર્યુ. હતું. ૯ મહાસતીશ્રી પ્રીતિ સુધાશ્રીજએ ભગવાન મહાવીર : વત માન સંદર્ભ'માં' એ વિશે ખોલતાં જણાવ્યું હતુ કે, માત્ર પૂર્વ' દિશા જ સૂને જન્મ આપી શકે અને માત્ર સૂર્ય બધાને પ્રકાશ આપી શકે તેમ અરિહંત ભગવાન સવ ને માગ અતાવી શકે. અઢી હજાર વર્ષ પહેલાં એક એવું ફૂલ ખીલ્યું જે હજી કરમાયુ નથી. તેથી જ આજે આપણે પ્રભુ મહાવીરના હેપી અથ ડે' મનાવી રહ્યા છીએ. ભગવાને કહ્યુ છે. ‘મા હણેા, મા હા’-કાઇને પણ મારો નહિ, કાઇને પણ દૂભવે નહિ. આજે કતલખાનામાં મૂંગા પશુઓની કતલ થઇ રહી છે અને આપણે કઈં જ કરતા નથી. આજે આપણા અંતરનું સ’ગીત તૂટી ગયું છે. આપણે એવા ખસ લગાવ્યા છે કે જેથી કાઈ પણ પ્રસ ંગની કરુણતાને આપણને આંચકા ન લાગે. આજે એક કરોડ જેટલાં જૈન અને દશ હજાર જેટલાં સાધુ-સાધ્વી ધારે તેા અહિંસાના સદેશ ફેલાવી શકે, આ દેશના પશુધનની થતી હિંસા અટકાવી શકે. આ રીતે મહાસતીજીએ પોતાની જુસ્સાદાર દદ ભરી વાણીમાં આજના યુગના સાંદભમાં જૈનેએ શુ કરવું જોઇએ અને કઈ રીતે જાગવું જોઇએ તે સમજાવ્યું હતું . કાર્યક્રમના પ્રારંભમાં સધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે સૌને આવકાર આપ્યા હતા. સ ંધના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે આ અવસરની ભૂમિકા સમજાવતાં કહ્યું હતું કે, ભગવાનના સ ંદેશા વખતેવખત સાંભળીએ અને જીવનમાં કંઇક ઉતારવાના પ્રયત્ન કરીએ તેા કલ્યાણું થઇ જાય. આત્માની સર્વોત્કૃષ્ટ સ્થિતિ તે તીથ કર પદ્મ છે. . તીથ કરના પાંચ પ્રસગા મહત્ત્વના છે. ચ્યવન, જન્મ, દીક્ષા, 'કેવળજ્ઞાન અને નિર્વાણુ. આ પંચકક્લ્યાણક અનેક જીવેાના કલ્યાણનુ નિમિત્ત બને છે, આજે આપણે જન્મ કલ્યાણક ઊજવી રહ્યા છીએ. પ્રવચના પછી સ’ગીતકાર શ્રી બંસીભાઈ ખંભાતવાળા અને મંડળીએ ભકિત સંગીતના કાર્યક્રમ રજૂ કર્યાં હતા. શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત શ્રી કલ્યાણ મંદિર તેંત્ર સમલૈકી અનુવાદ માથે આપણા સંધના આજીવન સભ્ય, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી, મુંબઈ અને મહારાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ` મ`ત્રી શ્રી શાન્તિલાલ શાહના પિતા શ્રી હરજીવનભાઇએ શ્રી કલ્યાણ મદિર સ્તાત્રને સમશ્લોકી ગુજરાતી અનુવાદ કર્યાં છે અને સંક્ષિપ્ત ભાવાથ આપ્યા છે. મૂળ સસ્કૃત સ્તોત્ર અનુવાદ અને ભાવાથ શ્રી શાન્તિભાઈએ અગાઉ પ્રગટ કરેલે ત્યારે ‘ભકતામર સ્તોત્ર’ની અને ‘કલ્યાણ મદિર સ્તોત્ર'ની હજારેક નકલ સંધના સભ્યોને બેટ મેકલેલી. હમણા ખીજી વખત તેમણે સધના સભ્યો માટે ‘કલ્યાણુ મંદિર સ્તોત્ર'ની ૨૫૦ નકલે મોકલી છે. તે રસ ધરાવતા સભ્યોને વિનામૂલ્યે આપવાની છે. કાઇને એકથી વધારે નકલ નહિ મળે. જિજ્ઞાસુ સભ્યોને સધના કાર્યાલયમાંથી તે વિના મૂલ્યે મળશે. આવી ભેટ આપવા માટે અમા મુરબ્બી શ્રી શાન્તિભાઈના ખૂબ જ આભારી છીએ. લિ. ચીમનલાલ જે. શાહુ કે. પી. શાહુ મંત્રી, મુબઈ જૈન યુવક સધ †
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy