________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૩
૧૩, અહીં મૂળ શ્વેનું ચોથું ચરણ ‘કાકુ' વિશિષ્ટ રિવરભંગિમાં વિરામ પામે છે. એને વાર્થ તે સ્પષ્ટ છેઃ વડિલબંધુ કૌરે પ્રત્યે હજી યે ગુસ્સે થતા નથી. પણ કોથી વિશિષ્ટ ઉચ્ચ સ્વરથી (તાદ્યા આ આ પિ કુરુષ?)
એમ બે છેલ્લા શબ્દ વિલંબિત વધતા જતા સ્વરભારથી ઉચ્ચારાતા હોય તે એ વકતાના રથના નિદર્શક બને છે. પણ જો જરા ધીરે ધીરે અને ઘટતા જતા સ્વરભારથી અને છેલ્લે અત્યંત મંદતાથી ઉચ્ચારાતા હોય તે એ દુઃખના, ખેદના નિદર્શક બનશે. ' વકતાએ શકુંતલાને શાપ આપતા દુર્વાસાને શાપવચનવાળા શ્લોક રજૂ કરી એક વિશેષ ઉદાહરણ આપ્યું હતું. શ્રી ઉમાશંકરના એક કાવ્યમાંથી કાકુને ખ્યાલ આપતી પંકિત રજુ કરી હતી, તે આ પ્રમાણે છે. ' : હું ગુલામ ? * સૃષ્ટિ બાગનું અમૂલ ફલ માનવી ગુલામ ? એ જ કવિનું એક બીજું કાવ્ય જઠરાગ્નિ તથા શ્રીધરાણીનું એક કાવ્ય “રવરાજ્ય રક્ષક એ બેને ઉદાહરણ તરીકે રજૂ કર્યા હતાં. ' 'કાકુની માફક જ કવિના ઈષ્ટ વકતવ્યને યોગ્ય છંદ કે લયબંધ ઉઠાવ આપે છે એમ કહીને વકતાએ કહ્યું હતું: વસ્તુતઃ તે સૂરના આરોહ અવરોહનું સમુચિત જન જ પ્રધાન તત્ત્વ છે. છંદનું વિષય સાથે સામંજસ્ય ન હોય તે અન્યથા સરસ કવિતાની કલા વણસી જાય છે. પ્રધાન રસોનાં કાવ્યો જેમાં લયબંધ કાવ્યના વિચારભાવને વિલક્ષણ રીતે પુષ્ટ કરતો હોય એવા કરુણરસના કાવ્યના ઉદાહરણ રૂપે રતિવિલાપ (કુમાર સંભવ) અજવિલાપ (રઘુવંશ) અને
એ છે ઉપરાંત વર્તમાન ગુજરાતી કવિતામાંથી વૈતાલીય (કે વિયોગિની) છંદમાં રચાયેલું કાવ્ય આવા સંદર્ભમાં જેવાં જેવાં છે એમ કહીને વકતાએ ઉમાશંકરના એક કાવ્યની પંકિતઓ અવતારી હતી.
કરજે પ્રિય માફ આટલુકદી બોલાવી ને લાડથી તને સહુ જે પ્રિય જિંદગી મહીં
નવ પાયા પ્રણયામૃતે પૂરાં - વકતાએ ભવભૂતિના ઉત્તર, રામ ચરિતમાંથી એક ઉદાહરણ, કલાપીના “અસ્વસ્થ ગૃહિણ” કાવ્ય પંકિત, ગવધનરામની “શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી' પંકિતથી આરંભાતું કાવ્ય, કાન્તનું “અંજની’ વગેરે કાવ્યનાં ઉદાહરણ { આપ્યાં હતા.
ન્હાનાલાલની ડોલનશૈલી શૃંગારરસ અને વીરરસ માટેના વિશિષ્ટ છ દોની વાત કર્યા પછી વક્તાએ ન્હાનાલાલનાં ડોલનશૈલીનાં કાવ્યો વિશે તે શૈલીના વૈશિષ્ટય સંદર્ભે વાત કરી હતી અને કહ્યું હતું કે ‘પદ્યરૂપનાં નહિ છતાં મનોરમ લયયુકત ઉદાત્ત ભાવથી સભર ઉપનિષદના વિચારખંડેનું ન્હાનાલાલનાં ડોલનશૈલીનાં કેટલાંક કાવ્યો અચૂક સ્મરણ કરાવે છે. વકતાએ વધુમાં ખબરદારે “કલિકામાં વાપરેલા મુકતધારા છંદની તથા ગોવર્ધનરામે “સ્નેહ મુદ્દાંમાં ઉપગમાં લીધેલા. કરાવા છંદની વાત કરી હતી.
કાવ્યનું ઇગિત વકતાએ તે પછી કાવ્યના ઈણિત વિશે વાત કરતાં કહ્યું “નરસિંહરાવે વર્ડઝવર્થનાં પ્રકૃતિ કા ઉપરથી કવિતા રચી
ત્યારથી વર્તમાન કવિતાની કાયાપલટ થઈ ગઈ’ આમ કહીને એમણે વર્તમાન ગુજરાતી કાવ્ય શૈલીના અપૂર્વ ઘડવૈયા કવિ કાન્તનાં કાવ્યો પૈકી એમનાં ઉત્તમ ખંડકાવ્ય. વસંતવિજય_ચક્રવાક મિથુન -દેવયાનીની વાત કરી અને કવિ કાન્ત ઉલ્લાસભર્યા ઉત્તમગીત પણ એટલા જ કૌશલથી રચ્યાં. વકતાએ કાન્તનાં સાગર અને શશી, ઉદ્દગાર, ઉપહાર વગેરે કાવ્યોનો ઉલ્લેખ કરી કહ્યું કાન્ત એટલે વર્તમાન ગુજરાતી કવિતાની શૈલીનું શિખર ભવિષ્યમાં કોઈ ગુજરાતી મહાકવિ થશે તે એને પિતાની પૂર્વછાયા કાન્તમાં લાધશે. કાન્તના વ્યાપમાં ક૯૫નાના ઉડ્ડયનમાં કાન્તની હારમાં બેસે
એવા એ યુગના એક જ કવિ ન્હાનાલાલ એમ કહીને તે વિધાનનું સમર્થન કરતાં કવિશ્રીનાં કેટલાંક કાવ્યોનો નિર્દેશ કર્યો હતે. નરસિંહરાવનાં પ્રકૃતિ કાવ્યોમાં ઋજુતા, ભાષાશુદ્ધિ અને અનવદ્ય છંદ રચના છે, એમ કહીને વકતાએ ઠાકોરના “ભણકાર' જૂનું પિયરઘર તથા વધામણું” એ કાવ્યોને તેમજ ઉમાશંકરનાં બળતાં પાણી ‘કલાને શહીદ' ભોમિયા વિના', સુન્દરમનાં બુદ્ધનાં ચક્ષુ', સાફલ્ય ટાણુ” “બાને ફોટોગ્રાફર, કાં ન ચહુ”, “શિશુવિષ્ણુ લાંછન’ ‘વિરાટની પગલી’ વગેરે કાવ્યોને નિર્દેશ કર્યો હતે. વક્તાએ તે પછી કેટલાંક મનનીય નિરીક્ષણ કરીને પાંચમા વ્યાખ્યાનની સમાપ્તિ કરતાં એક તારતમ્ય એ કાઢયું કે ભાષાવિજ્ઞાન કાવ્યશૈલીનું યથાર્થ આકલન કરવામાં વિશેષ સહાયભૂત થઈ શકે એમ નથી. શૈલીવિજ્ઞાન પણ કવિતાને બહિરંગમાં વિશ્લેષણથી આગળ વધતું નથી. બેશક, ધ્વનિઓની શકિત યથાર્થપણે ગ્રહણ કરવામાં એ ઉપયોગી છે. એક સન્નિષ્ઠ ભાવકરૂપે કવિનાં કાવ્યો સાથે તદાકાર થઈને એના અંતગૂઢ મમ સુધી પહોંચવા મથવું અને એને નિખાલસપણે વ્યકત કરવું એ જ કાવ્યની શૈલીનું સાચું અધ્યયન બને છે.” - ડો. રમણલાલ શાહે પાંચે ય વ્યાખ્યાનના મહત્ત્વના મુદ્દાઓને આવરી લઈ ઉપસંહાર કર્યો હતો ને વકતાને હાર્દિક આભાર માન્યો હતે.
આગમ–અક
ગુલાબ દેઢિયા [ આગમ-અક સંશોધિકા નીતાબાઈ સ્વામી મહાસતીજી, પ્ર. શાંતિલાલ દેવજી નંદુ, ૨૨૮-એ, લીલાભવન, કોલીવાડા સ્ટેશન પાસે, સાયન-પૂર્વ મુંબઈ-૪૦૦૦૨૨, કિ. રૂ. ૫.] - જૈન આગમ સૂત્રો એ તીર્થકરોની વાણું છે, તે વાણીને ગણધરોએ સૂત્રરૂપે ગૂંથી છે. “આગમ અક” પુસ્તકમાં મહાસતીજી નીતાબાઈ સ્વામીએ પિતાની સંશોધક વૃત્તિથી અભ્યાસીઓને ઉપયોગી એવાં કષ્ટ કેન સંગ્રહ કર્યો છે. . . આગની આકરૂ૫. માહિતીને આ રીતે વ્યવસ્થિત રૂપમાં રજૂ કરીને, પૂ. મહાસતીજીએ સુંદર સંદર્ભ ગ્રંથ તરીકે આ પુસ્તકનું નિર્માણ કર્યુ છે.
છ કાયનાં બેલનું કોષ્ટક, નવ તત્ત્વનું કોષ્ટક, કમ પ્રકૃતિનું કોષ્ટક, ગુણસ્થાનદ્વારનું કોષ્ટક, છ આરાનાં બેલનું કેષ્ટક, રૂપી અરેપીના બાલનું કોષ્ટક ગતાગતના બાલનું કાષ્ટક, દંડકનું કોષ્ટક ઇત્યાદિ વિવિધ વિષયનાં કેપ્ટક આ ગ્રંથમાં આપવામાં આવ્યાં છે.
છ લેશ્યા, પંદર વેગ, ચૌદ ગુણસ્થાન, બાર ઉપયોગ, અગિયાર ગણધરો, બાર ચક્રવતીઓ, નવ બળદેવ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ, નવ નારદ, જીની માણા વગેરે વિષયેની પ્રશ્નો અને ઉત્તરોરૂપે ઉપયોગી શાસ્ત્રીય માહિતી આપવામાં આવી છે, જે અભ્યાસીઓને સંદર્ભ તરીકે સદ્યસુલભ બની શકે એવી છે. કોશ જે. આ ગ્રંથ એ વિષયના અભ્યાસીઓને માટે અત્યંત મૂલ્યવાન છે.