SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ તાં. ૧-૫-૮૩ પ્રબુદ્ધ જીવન કેન્દ્ર અને રાજ્યના સંબંધનું ભાવિ સંકલન : શીલા ભટ્ટ વ્યાખ્યાતાના સાર ] [ સંધના ઉપક્રમે યોજાયેલ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક વસંત વ્યાખ્યાનમાળા' નાં બાકીનાં ત્રણ (૨) અતુલ એમ. સેતલવડ વસંત વ્યાખ્યાનમાળાના ખીજા દિવસે વ્યાખ્યાતાશ્રી અતુલ સેતલવડે થ્રુ : ભારતના બંધારણની પહેલી -કલમ અનુસાર ભારત રાજ્યાનું સમવાયતંત્ર છે. બંધારણનાં કેટલાંક અંગે. ભારતને રાજ્યોના સમૂહને ( Union of States ) દરજજો આપે છે. છેલ્લા ૩૩ વર્ષામાં કેન્દ્ર અને રાજ્યના સંબંધમાં બંધારણે કા ભાગ ભજવ્યે. અને એ વકતવ્યમાં સબંધે! કેવા રહ્યા તેની છષ્ણાવટ મારા 'હું કરીશ.’ શહેર સુધરાઇ જેવી રાજ્યાની હાલત બંધારણની કેટલીક જોગવાઈઓ, કેન્દ્ર સરકારની કામ કરવાની પદ્ધતિ અને સમાજવાદી સમાજરચનાનો સ્વીકારેલા ઢાંચા તેમજ કેન્દ્ર અને રાજ્યોમાં અત્યાર સુધી માટે ભાગે રચાયેલી એક જ પક્ષની સરકારને લીધે રાજ્યાની હાલત શહેર સુધરાઈ જેવી થઈ છે. રાજ્યોને ખાસ કરીને નાણાકીય બાબતે માં અસરકારક સ્વાયત્તતા આપવા માટે અધારણમાં યોગ્ય ફેરફાર કરવા જોઇએ અને સમવાયતંત્રને અસરકારક અનાવવા રાજ્યની સત્તા પાંખી -કરવાના વલણુમાં પણ પરિવર્તન લાવવું જોઇએ. રાષ્ટ્રીય સ્તરે સત્તાનુ કેન્દ્રીકરણ ચાલુ રહેવાનુ હોય તેા કેન્દ્ર અને રાજ્યોની એવડી નાકરશાહીનેા ખેાજ અધ કરવા જોઇએ. રાજ્ય સ્તરે જિલ્લા કક્ષાના નાના નાના એકમો સ્થાનિક તંત્ર તરીકે કામ કરે એવી જોગવાઈ કરવી જોઇએ. અધારણના ઘડવ યાએના ઇરાદા અધારણના ધડવે યાઓએ એ જોઇ લીધુ કે આપણા દેશ એક ઉપખંડ જેવા છે. દિલ્હીથી સમગ્ર રાષ્ટ્ર પર હકૂમત ચલાવવાનું શકય અને ઇચ્છનીય પણ નથી. એટલે બંધારણના ધડવે યાઓએ સમવાય 'ત્ર અપનાવી, કેન્દ્રને મજબૂત અનાવવાની સાથે રાજ્યાને પોતાની મેળે મજબૂત થવાની તક આપવાનુ ધ્યેય રાખ્યું. કેન્દ્રના અધિકારના ક્ષેત્રા રાજ્ય કક્ષાએ ટ્રેડીગ કાર્પારેશનની રચના, ખેન્કીગ અને લગભગ તમામ ઉદ્યોગાનુ નિયમન : કેન્દ્ર કરે છે. કનકરન્ટ લીસ્ટની એન્ટ્રી ૧૩૩ પ્રમાણે અમુક ઉદ્યોગોની તમામ ચીજોના વ્યાપારનું' પણ કેન્દ્ર નિય ંત્રણ કરે છે. કેન્દ્રના અધિકાર હેઠળ મેટલર્જીકલ ઉદ્યોગા, લાહ અને બિનલાહ ધાતુ, બળતણુ, ઔદ્યોગિક અને કૃષિ યંત્રો, ખાતર, રસાયણ, ખનિજ પેદાશેા અને તેના પર આધારિત ઉદ્યોગ વગેરે છે. પરિણામે રાજ્યા ત માત્ર પથ્થર અને કાવ્' પર જ હકક ધરાવે છે. કાલસા, ખોકસાઇટ, પેટ્રોલિયમ આદિ કેન્દ્ર હસ્તક છે અને તેના પર રોયલ્ટી પણ કેન્દ્ર સરકાર ઠરાવે છે. લઘુ ઉદ્યોગની વ્યાખ્યા, કયા ઉદ્યોગને લઘુ ઉદ્યોગ માટે અનામત રાખવે, ઉદ્યોગની સ્થાપના માટે કયા વિસ્તારને પછાત વિસ્તાર તરીકે જાહેર કરવા વગેરે બાબતે પણ કેન્દ્ર નકકી કરે છે. ખેતીવાડી એ રાજ્યના વિષય હોવા છતાં એના પર આધારિત ખાંડ વનસ્પતિ-ઘી, પ્રોસેસ્ડ ફૂડ વગેરે ઉદ્યોગો અને અનાજ 23 3 તેમ જ કપાસના વ્યાપાર અને વિતરણ કેન્દ્રની હકૂમત હેઠળ છે. સાયાબીન કે કાકાના ખેતીવિષયક પાસાંને રાજ્ય સભાળે, પરંતુ એના પર આધારિત ઉદ્યોગો માટે રાજ્યે કેન્દ્ર પર આધાર રાખવા પડે. ટ્રેડ યુનિયન, ભાવ નિય ંત્રણ, આયોજન વગેરે કેન્દ્રના હાથમાં હોવાથી વ્યાપક આર્થિક સત્તા કેન્દ્રિત થઈ છે. રાજ્યા પાસે નામની સત્તા હોવાથી દિલ્હીના આંટાફેરા અને ઘ્વાણુ લાવવા સિવાય મુખ્ય પ્રધાના કશું કરી શકતા નથી. કેન્દ્ર પણ કહ્યાગરા નિશાળીયા' જેવા રાજ્ય પર રીકે છે અને માથું ચક્રતા રાજ્યોને દંડે છે. ક્ખાણ લાવવાનું શકય ન રહે ત્યારે આસામમાં રિકાઇનરી અને સેલમમાં સ્ટીલ પ્લાન્ટ માટે થયા તેવા આંદોલનાના રાહ લેવાય છે. રાજ્ય હસ્તકના ક્ષેત્રમાં પણ દખલગીરી આરેાગ્યનુ ક્ષેત્ર રાજ્ય હસ્તક છે, છતાં મેલેરિયા નાબૂદી કે પાણી શુદ્ધિમાંથી મહત્ત્વ કાને આપવુ તે કેન્દ્ર નકકી કરે છે. ઈ.સ. ૧૯૫૦ માં કેન્દ્ર સરકારના એક ઠરાવ માત્રથી અસ્તિત્વમાં આવેલ આયોજન પંચ પર કેન્દ્રનું વર્ચસ્વ છે, અને બંધારણ અનુસાર રચાયેલાં નાણા પંચની ઉપરવટ કામ કરે છે. રાજ્યાના ક્ષેત્રાની બાબત હોય ત્યાં પણ રાષ્ટ્રીય કાયક્રમા ઢગલાબંધ છે. આવશ્યક પણ હશે, પરંતુ એથી નાકરશાહી ફાલેફૂલે છે એ માશ મુદ્દો છે. આ બધુ શકય બન્યું છે. કારણ કે ૩૩ વર્ષમાં કેન્દ્ર અને રાજ્યામાં મોટા ભાગે એક જ પક્ષની સરકાર રહી છે. સરકારિયા પચ કેન્દ્ર અને રાજ્યના સંબંધ અંગે નીમાયેલ સરકારિયા પંચ અંગે એમણે કહ્યું: વડા પ્રધાને આ પંચની કાયસૂચિ જાહેર કરી નથી. પરંતુ એમ કહેવામાં આવ્યું છે કે બંધારણની મર્યાદામાં રહીને આ પચ કામ કરશે. એને અથ એટલે જ કે બધારણમાં ફેરફાર ન સૂચવાય. એથી સરકા— રિયા પચની કસરત નકામી જશે. (૩) ડેા. ડી. ટી. લાકડાવાલા સત્તાના વિકેન્દ્રીકરણમાં આર્થિક બાબતનુ પણ ધણુ મહત્ત્વ છે. એટલે કેન્દ્ર અને રાજ્યના સંબંધની બાબતમાં મુખ્યત્વે હું નાણાકીય પાસાની જ છાવટ કરીશ,' એમ વિષયના પ્રારંભ કરતાં ડા. ડી. ટી. લાકડાવાળાએ કહ્યું હતું; સાધનાના મહત્તમ ઉપયોગ જરૂરી એમણે વધુમાં કહ્યું : કેન્દ્ર અને રાજ્યે જબરી આર્થિક સંકડામણ અનુભવે છે. નાણાકીય સાધનો પૂરેપૂરા ઉપયોગમાં લેવાઈ ચૂકયા છે અને નવા સાધને સરળતાથી કે ઝડપથી ઉભા થઈ શકે એમ નથી, એવા સ ંજોગામાં કેન્દ્ર અને રાજ્યાએ વત માન સાધનાના મહત્તમ ઉપયોગ કરવા જોઇએ. એમાં વ્યાવહારિક ડહાપણ છે.’!!!! કેન્દ્ર અને રાજ્યના સંબંધ વધુ સારા અને સુવ્યવસ્થિત કરવા રાજ્યો માટે નવા સાધનો ઊભા કરવા અને એ માટે નવા કયા રસ્તા છે એ જાણુવુ જોઇએ. કેન્દ્ર પાસે જે ભડાળ ઊભું થાય તે રાજ્યાને સાંપવું જોઇએ આ રીતે નાણાકીય સાધન 3
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy