________________
તા. ૧૬-૪-૩
પ્રબું જીવન
*
૨૮.
૨૮
મૃત્યુની ક્ષણમાં જે હોય છે સ્થિતિ જીવની; પામે તે સ્થિતિથી તે જ, તે સ્થિતિ જોગની ગતિ. ૭૪૯
જીવ અજીવ એ વિશ્વઃ, તત્ત્વ તે મૂળ બે જ છે; જીવ સ્વરૂપ છે મૂળ, ય જ માત્ર એક એ. ૭૭૨ મુખ્ય જે ચાર આકાશ, ધર્મ અધમ પુદ્ગલ; અજીવમાં ગણાય છે, કાળ તે ઔપચારિક ક૭૩ માટે જ જીવની સાથે, એ અસ્તિકાય પાંચ છે, માત્ર પુદ્ગલ છે મૂત', બીજાં બધાં અમૂર્ત છે. ૭૭૪ જ્ઞાને મિથ્યાત્વને નાશ, વ્રતે અવિરતિ ટળે;
(પૃષ્ઠ ૨૭૪ પરથી ચાલુ) આવતી નથી. રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવદ્દગીતા વગેરેમાં આવતી અનુષ્યપની સેંકડો પંકિતઓ એનું સુપ્રસિદ્ધ ઉદાહરણ છે. ગુજરાતી ભાષામાં પણ સળંગ રચનાને માટે અનુષ્યપનો ઉપયોગ ઘણુ કવિઓએ કર્યો છે. પૂ. શ્રી સંતબાલજીએ પણ આ કાવ્યમાં અનુષ્કુપ છંદને ઉપગ સૌથી વધુ પ્રમાણમાં કર્યો છે, જે આ પ્રકારની રચનાને માટે સવિશેષ અનુરૂપ છે. અનુષ્ટ્રપ ઉપરાંત શાર્દૂલવિકડિત, વસંતતિલકા, માલિની, શિખરિણી, કુતવિલંબિત, ઉપજાતિ, ઇત્યાદિ દે. પણ પ્રસંગાનુસાર એમણે પ્રજયા છે, જે વિવિધ છંદની રચના કરવાની એમની કુશળતા દર્શાવે છે. છંદરચનામાં, અલબત્ત, કઈ કઈ સ્થળે એમને લઘુ-ગુરુની છૂટ લેવી પડી છે, પરંતુ તે આ પ્રકારની રચનામાં સહજ ગણી શકાય એવી છે.
ધર્મક્ષેત્રની પરમ વિભૂતિનું ચરિત્ર-વર્ણન હોય અને તેનું સર્જન કરનાર સાધુ ભગવંત હોય છે તેવી કૃતિમાં ધર્મોપદેશની વાત પ્રગટ કે અપ્રગટ રીતે આવ્યા વિના રહે નહિ. તેમાં પણ આ તે તીર્થંકર પરમાત્માનું જીવનચરિત્ર છે, એટલે એમણે પ્રરૂપેલા અને ઉપદેશેલા ધર્મતત્ત્વના નિરૂપણ વિના આ પ્રકારની ચરિત્રકૃતિ અપૂર્ણ જ ગણાય. આ કૃતિમાં ધર્મોપદેશનું નિરૂપણ યથાવકાશ વચ્ચે વચ્ચે થયું છે અને અંત ભાગમાં ઠીક ઠીક વિસ્તારથી થયું છે. તદુપરાંત, પૂ. સંતબાલજીને પ્રિય એવી સમન્વય અને લેકસેવાની ભાવનાને ઉપદેશ પણ એમાં યચિત રીતે વણી લેવાયો છે. ધર્મોપદેશ કયારેક કાવ્યરસમાં બાધક બની શકે એ ખરું, પરંતુ આવા પ્રકારની કૃતિને જે ભાવક હોય તે એમાં સહજ રીતે જ ધર્મોપદેશની અપેક્ષા રાખતા હોય છે, એટલે એમાં બાધતાને પ્રશ્ન ગૌણ બની જાય છે. અલબત્ત, ઉત્તમ સ્થિતિ છે એ જ કે એમાં ધર્મોપદેશ પણ કાવ્યમય બનીને આવે. એ દૃષ્ટિએ જોતાં આ કૃતિમાં તત્ત્વચર્ચા ઘણે સ્થળે સચોટ કાવ્યમય પંકિતઓમાં અભિવ્યકત થઈ છે.
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભગવાન મહાવીરે જે ઉપદેશ આપે છે તેનું નિરૂપણ કડી કર૦ થી ૯૩૧ સુધીમાં કરવામાં આવ્યું છે. આમાં પૂ. સંતબાલજીએ સમગ્ર જૈન ધર્મદર્શનને સંક્ષેપમાં સાર આપી દીધું છે. આ ચરિત્રકાવ્યને આ શ્રેષ્ઠતમ ભાગ છે એમ કહી શકાય.' સવા ચાર જેટલી અનુષ્ણુપની પંકિતઓમાં જીવ, આત્મા, ચાર ગતિ, પદ્રવ્ય, નવતત્ત્વ, સપ્તભંગી જ્ઞાનના પ્રકારે, કર્મના પ્રકારો, ભાવનાઓ, શ્રાવક અને સાધુના માર્ગ, બંધનમુકિતનાં સાધને ઇત્યાદિની વિશદ છણાવટ કરવામાં આવી છે. એક જ છંદમાં આટલી સળંગ સુદીર્ધા રચના આ ચરિત્રકાવ્યમાં ફક્ત આ પર્વમાં જ થઈ છે અને તે વિષય તથા પ્રસંગને સવથા અનુરૂપ છે. અહીં વિષય પારિભાષિક હોવા છતાં એની અભિયકિત સચેટ અને પ્રાસાદિક બની છે. એમાં ધણી પંક્તિઓમાં કવિતા અને તત્ત્વજ્ઞાનને સુભગ સમન્વય થયું છે. જેમને જૈનદર્શનને ચેડે પણ અભ્યાસ હશે તેમને આ પંક્તિઓ વાંચતાં અનેરા ઉલ્લાસનો અનુભવ થશે.. એમાંની નીચેની કેટલીક પંક્તિઓ ઉદાહરણ તરીકે જુઓ: રાગ ને ષ બે વૈરી, મોહ છે મૂળ જેમનું; અજ્ઞાને જન્મતે મેહ. મેહે અજ્ઞાન વાઘતું. ૭૪૭ આમ અજ્ઞાન ને કમ, વચ્ચેનું ચક ચાલતું; માટે જ જ્ઞાન સંસારે, મુખ્ય સાધન મોક્ષનું ૭૪૮
મદો, નિંદા, ભય, શલ્ય, વિકથા ને કષાય સે. ૮૬૮ ટળે ક્રમે ક્રમે દે, સંયમ ત્યાગ ને તપ; વ્રત આલેચના નિત્ય, સાધકે કરવી ઘટે. ૮૭૦ ભાવના શુદ્ધિથી ધ્યાન, ક્રમશઃ ચડતું જતું; આત ને રૌદ્ર છેડીને, ધર્મ ને શુકલ છેવટે ૮ ને તેથી દ્રવ્ય ને ભાવ, લેસ્યાઓ પણ નિર્મળ; થઈ અંતે મળે સિદ્ધિ, અવ્યાબાધ અનુત્તર ૮૨ - સ્વ. પૂ. સંતબાલજીની આ પ્રેરક અને પ્રબંધકર કૃતિ એમના સમગ્ર સાહિત્યમાં અનોખું સ્થાન પામે એવી છે. ભગવાન મહાવીર સ્વામી વિશે પદ્યમાં લખાયેલી સુદી ચરિત્રકૃતિઓમાં પણ તેનું સ્થાન વિશિષ્ટ રહેશે.
ચરિત્ર નાયક તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી અને ચિરિત્રકાર પૂજ્ય ગુરુવર્ય શ્રી સંતબાલજી ઉભયને આપણી વંદના હો! (ટૂંક સમયમાં પ્રગટ થનાર ચરિત્ર કાવ્ય. વિશ્વવત્સલ મહાવીરની પ્રસ્તાવના)
શ્રી મુંબઈ જન યુવક સંઘ
Wanas ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રેડ, મુંબઈ-૪૦૦૦૦૪.
ફોન : ૩૫૦૨૯૩. ભગવાન મહાવીર જયંતી
સંઘના ઉપક્રમે ભગવાન મહાવીર જયંતી પ્રસંગે નીચે. મુજબ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. વ્યાખ્યાતા
વિષય ૧, પ્રા. તારાબેન શાહ ભગવાન મહાવીરને સંદેશ ૨. પૂ. મુનિશ્રી
આત્મશોધક વાત્સલ્યદીપ પ્રભુ મહાવીર ૩. પૂ. મહાસતીશ્રી ભગવાન મહાવીર
પ્રીતિસુધાશ્રીજી વર્તમાન સંદર્ભમાં સ્થળ : બિરલા ક્રિડા કેન્દ્ર, પાટી, મુંબઈ-૭સમય : રવિવાર તા. ૨૪-૪-૧૯૮૩. ના રોજ
સવારના ૮-૩૦ કલાકે, સવારના ૮-૩૦ થી ૧૦-૩૦ વ્યાખ્યાન અને ત્યાર બાદ ભકિત સંગીતને કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. સૌને સમયસર ઉપસ્થિત રહેવા પ્રેમભર્યું નિમંત્રણ છે.
લિ. ભવદીય, રમણલાલ ચી. શાહ ચીમનલાલ જે. શાહ પ્રમુખ
;
કે, પી. શાહ
મંત્રીઓ.
સામાન - તાન નનન