SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ વિચારણા : ધ્વનિ સંયોજનનાં વિવિધ સ્વરૂપે..’ વકતાએ ધ્વનિ સંયોજન એ કાવ્યમાં કેવુ પ્રથમ દૃષ્ટિએ ધ્યાનાકર્ષીક તત્ત્વ છે તે ઈશાવાસ્યોપનિષદના પ્રારભના શાન્તિ પાડ-એમ પૂર્ણ મદ:, પૂર્ણ'મિ', પૂર્ણાત્ પૂર્ણ મુદ્દચ્યતે પૂર્ણાંસ્ય પૂર્ણમાદાય પૂ મેવાવશિષ્યતે'ના ઉલ્લેખથી દર્શાવ્યું હતું તેમણે કહ્યું હતું : પૂર્ણ શબ્દનાં પુનઃપુનઃ આવના વિશ્વમાં બ્રહ્મ કેવું પરિપૂર્ણ પણે વ્યાપ્ત છે તે દર્શાવે છે. વક્તાએ પાતાના મુદ્દો ઢાવવા ઋગ્વેદ, અથવ વેદ અને યજુવેદમાંથી વ્યંજન સંયોજનની સમાનતાવાળા મંત્રો ઉદાહરણાથે રજૂ કર્યાં હતા. વકતાએ વિરુદ્ધ પ્રકારની નિવ્યવસ્થાનુ' એટલે કે અન્યશ્રુતિના આવર્તનનું તથા આદ્યધ્વનિનું આવન જેમાં હોય એવાં ઉદાહરણા આપીને કહ્યુ હતું કે વેદના મંત્રામાં ધ્વનિ આવતા એ મંત્ર દૃષ્ટા ઋષિએના ઋજુ મનોભાવોથી પ્રગટેલા ઉદ્દગારો છે.' વકતાએ પ્રાચીન ગુજરાતી જેવી નૂતન ભારતીય આય ભાષાઓમાં પણ પ્રસંગે પ્રસંગે કવિઓએ સહેતક કરેલાં આવાં ધ્વનિ સંયોજનનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે વાલ્મીકિ અને કાલિદાસ, તથા પશ્ચિમના કવિએ તેમ નરસિહ, પ્રેમાનન્દ, ટાગે.ર, કાન્ત, નરસિંહરાવ, મણિલાલ નભુભાઈ, હરિહષદ ધ્રુવ, ન્હાનાલાલ, ઉમાશંકર તથા સુન્દરમ્ એમ અનેક કવિઓની કૃતિઓમાંથી ધ્વનિના અંતર ંગનું સામર્થ્ય' અનુભવાય એવી ધ્વનિ આવત નવાળી પતિ રજૂ કરી વસાજનની પ્રસન્ન લીલાના ખ્યાલ આપ્યા હતા. પ્રતિધ્વનિ રૂપનું ધ્વનિ સંયેાજન સમુચિત લય બંધમાં પ્રયાજાતા મલવાઁ, લવણુ નાં રિત વતન, સુદીધ વહુ વિન્યાસ, સુદીધ ધ્વનિના સમુચ્ચય્ય, કઠોર વર્ણાના વિન્યાસ, તથા ગભીર ધેાષ યુકત વણુ વિન્યાસ આ સર્વ કાવ્યમાં વિવિધ રસ વિચારપલટા અને મનેહર ચિત્રાની અનુભૂતિમાં કેવી કેવી રીતે ઉપકારક નીવડે છે તે પણ અનેક કાવ્યપંકિતઓ ઉદાહરણાથે રજૂ કરીને દર્શાવ્યું હતુ. વંસ ંયોજનની વિવિધ છટાનું નિરીક્ષણ કર્યાં બાદ, વકતાએ વણ્ગત સ્વરાની વિશિષ્ટ સયાજના કેવી અદ્ભુત રીતે કવિને અભિમત ભાવનું સૂચન કરે છે તે કાલિદાસનું રઘુવ ́શ' ન્હાનાલાલનું ‘પિતૃતપણું,' કાન્તનુ ‘દેવયાની' સુન્દરમ્- શશી ભૂલ્યા’ મણિલાલનુ અભાનેમિ', ઉમાશંકરનું” ‘યુગદ્રષ્ટા' પ્રેમાનન્દનુ ‘નળાખ્યાન' તથા નરસિ’હનાં ભક્તિરસિક પદો વગેરેમાંથી પંકિતઓ રજૂ કરીને દર્શાવ્યું હતુ. વકતાએ અંગ્રેજી ભાષાના શબ્દોમાં અમુક વિશિષ્ટ પ્રકારના ધ્વનિએ શ્રોતાના ચિત્તમાં કેવાં અમુક ચેકસ પ્રકારનાં પ્રતીક ઊપસાવે છે તેમ ભારતીય ભાષાઓમાં પણ વિશિષ્ટ ધ્વનિ કેવા વિશિષ્ટ વિચારભાવનું દ્યોતન કરે છે તે ઉંદાહરણેટ સહિત દર્શાવ્યું હતું. એ પછી તેમણે પ્રાચીન અને અર્વાચીન કવિતામાં પ્રાસ વિશે તુલનાત્મક દૃષ્ટિથી ઉદ્ભવ, વિકાસ, પ્રવતન અને લોપ સ ંદર્ભે હાહરણો સહિત ચર્ચા કરી હતી. એમણે એક નિરીક્ષણુ એ કયુ" કે કાવ્યની મહત્તા પૂર્વે એના શબ્દાલંકારો અથ ચમત્કૃતિ, ચિત્રાત્મક પ્રભુધ કાવ્યો ઇત્યાદિ પર નિર્ હતી. જ્યારે ુવે કવિ સ્વાનુભૂત સાવજનીન સ ંવેદનને કવિતામાં ઉચિત શબ્દપ્રતીકા યોજીને પ્રગટ કરે છે અને ભાવકને તેનેા સહભાગી પ્રબુદ્ધ જીવન સ્મૃનાવે છે આમ કહીને વકતાએ ત્રીજું વ્યાખ્યાન સમાપ્ત કર્યુ હતુ. (ક્રમશ :) તા. ૧૬–૪૮૩ સાગરતટે અમૃતવાણીની વર્ષા ગણપતલાલ મ. ઝવેરી ઋતુ વસંતનું ગુલાખી ને તાજગીભર્યુ વાતાવરણ છે, શીતળ સમીર લહેરાઈ રહયા છે. એક તરફ ધૂંધવતા અરખી સમુદ્રની ભરતી તે ખીજી તરફ ઊભરાતા માનવ-મહાસાગરની ભરતી. તેમાં વળી, વિશાલ શમિયાણાની વચ્ચેવચ્ચ સુશોભિત બ્યાસમંચ પર બિરાજેલા યુવાન ને મેાહક સંત મેરારિબાપુની રામકથા–રસની ભરતી. આ ત્રણે ભરતીઓને સુભગ સ ંગમ થયા. ચોપાટી તર્ક. જ્યારે નવ નવ દિવસ સુધી રાજના છ–છ લાક સુધી, લાખ ખે લાખ જેટલા મુંબઈ મહાનગરના ધર્મપિપાસુ શ્રોતાજનોએ મોરારિબાપુની અમૃતવાણીનું આ રસપાન કર્યુ. એ મંગલ અવસરે આ કથારસની વહેતી સરિતામાંથી ધણાએ આચમન કર્યુ”; કેટલાંએ ઘૂંટડાભર્યાં, કાઇ કાંઠે ખેસી ભીંજાયા, કાઈ ન્હાયા, કાઇ કાઇએ ડૂબકી મારી, કાઇ તર્યા, કાઈ ડૂબ્યા, કાઈ ગળાબૂડ કૂખીને તર્યાં. જેવી જેની મતિ, શકિત અને ભાગ્ય તેવુ' ને તેટલું એણે પ્રાપ્ત કર્યુ. મારારીબાપુના હૈ સાક્ષાત્ સરસ્વતી બિરાજે, હૃદયમાં બિરાજે સંત તુલસી અને રામેરામમાં વસે ભગવાન રામ. ખુલંદ અવાજ સરળ અને સહજ કહેણી. મુગ્ધકર વાણી. એક એક શબ્દ મધપૂડામાંથી ઝરતું એક એક રસબિંદુ. એવું એક એક વાય જાણે એક એક અમૃતને ઘૂંટડા. સંગીતમય કથા કહેતા જાય ને વચ્ચે વચ્ચે આડકથા, છંદ, દુહા, મુકતક, લેક, કવિતા, ગઝલ, શાયરી ઇત્યાદિને તાણાવાણાની જેમ વણી લે. શૃંગાર, કરુણુ, વીર, હાસ્ય, શાંત આદિ રસામાં પ્રસગાપાત વિહાર કરે અને શ્રેતાઓને મ`ત્રમુગ્ધ કરે. રાગ--રાગિણીઓના મગલ સૂરા છેડે અને ભાવાને ડાલાવે. ઉદાહરણામાં કવચિત્ વિનેદ–હાસ્ય અને નિર્દેશ વ્યંગ કે કટાક્ષની છાંટ પણ હોય. બ્રહ્મા, વિષ્ણુ મહેશની પૌરાણિક કથાઓ ભગવાન રામચંદ્ર અને શ્રીકૃષ્ણની લીલાના અદભુત પ્રસ ંગે, ભગવાન મહાવીરની અતિશયતા અને ગૌતમયુદ્ધની કરુણા, મુસ્લીમ પીર-કારાના મેધવચ વગેરે શ્રી મેારારિબાપુના સર્વધર્મ સમાદર અને સમભાવના દ્યોતક છે. અને આ હકીક્ત એમના તરધર્મીના અભ્યાસ તથા જ્ઞાનની સાક્ષી પૂરે છે. વાલ્મિકી, તુલસી, કબીર, મીરાં, નરસિંહ મહેતા, જ્ઞાનદેવ, તુકારામ આદિ આદિ ભક્તજનો અને સત મહેતાના દૃષ્ટાંતો આપે અને પદો--અભગાનુ' સસ્વરે પાન કરે તે જ પ્રમાણે, સંસ્કૃત, વ્રજભાષા, હિન્દી, ગુજરાતી, ઉર્દૂ ભાષાના પ્રાચીન અને અર્વાચીન કવિઓ અને શાયરાની સુંદર રચનાએ અને શાયરાની સુંદર રચનાઓની રમઝટ ખોલાવે તે ચિત્તને હરી લે. રામાયણની કથા સાથે સાથે મહાભારત, ઉપનિષદ શ્રીમદ્ ભાગવત, તેમજ પૌરાણિક પ્રસગાનાં હૃદયસ્પર્શી વણુ તે કરતા જાય. મુખ્યત્વે રામાયણના એક એક પાત્રને એમણે શબ્દ ચિત્ર દ્વારા મૂતિ'મત અને જીવંત કર્યાં. આવી રીતે શ્રી મુરારિબાપુએ પૂરા નવ દિવસ પર્યન્ત (તા. ૧૯–૩–૮૩ થી તા. ૨૭-૩-૮૩ સુધી) આબાલવૃદ્ધ, નર ને નારી, તમ્બુ તે યુવાન એવા લાખ નગરજનોને રામકથાની અજબ માહિની લગાવી, શ્રોતાજનેાની ધમ' ચેતનાને જાગ્રત કરી અને શહેરના ક્લુષિત વાતાવરણને પોતાની સંસ્કાર સમૃદ્ધ વાણીથી પવિત્ર કયુ". શતશત વંદન હૈા મારારિબાપુને અને એમની અમૃતવાણીને. 8
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy