SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૮૨ પ્રબુદ્ધ જીવન ચાલે આ બાબત ચીમનભાઈની સલાહ લઇએ.” ગયા અમે ચીમનભાઈ પાસે.. આખી વાત કરી ત્યારે યુનિવર્સિટીના માધ્યમ તરીકે ગુજરાતી, હિંદી, અંગ્રેજી વગેરેની ચર્ચા થતી. અમારા દૃષ્ટિબિંદુઓ જુદાં હતા તે થાઃ કરી ચીમનભાઈ કહે.. હું જાણું છું કે ઉમાશંકર, તમે, બધા મારાથી જૂદે મત ધરાવે છે, પણ એ સાચું નથી.” “એ વિશે આ પતી જાય પછી આપણે લડી લઈશું પણ આનું શું કરવું છે?” અમારી વાત પૂરી સમજયા કે તરત તેમણે ટેલિફોન ઉપાથે શ્રી ગજેન્દ્રગડકરને ટેલિફોન કર્યો. આ બાબત મળવું છે એવું કહ્યું. ઉપકુલપતિએ કશાક ઉતાવળો જવાબ વાળ્ય. પતી ગયું. પછી એમની સાથે વાત કરવાની રહી નહિ ચીમનભાઇએ સૂચવ્યું. . “મુંબઈના બધા નામાંકિત ગુજરાતીઓની સભા બોલાવી પ્રશ્ન ઉહાપોહ ઊભું કરીએ.” જરૂર કરીએ, પણ એ બધાને બોલાવવામાં પહેલી સહી તમારી જોઈએ ચીમનભાઈ.” એ એમ નહિ હોય એવી તમને શંકા છે? એ હસ્ય. સભા બોલાવી. એમણે જ બધું આયોજન કર્યું. સરસ સભા થઈ. અભ્યાસપૂર્ણ નિવેદન ચીમનભાઈએ કર્યું. આગેવાને સંમત થયા. યુનિવર્સિટીએ વાત પતી મૂકી દીધી. એમને વિશે મેં હંમેશા જોયું હતું. ગમે એવા કામમાં હોય, પણ આપણે મળીએ ત્યારે એની કશી વળગણ એમને હોય નહિ આડીઅવળી વાતમાં કે સમય ન બગાડે, પણ વાત પૂરા ધ્યાનથી સાંભળે અને તેને ઉકેલ સ્પષ્ટરૂપે સૂચવે તેમાં આપણું હિત પૂરેપૂરું જળવાતું હોય તેમ પણ જુએ. - એકવાર કોઈ પ્રસંગે એક ભાઈએ એના એક ટ્રસ્ટમાં મારે પણ એમની સાથે ટ્રસ્ટી રહેવું એમ સૂચવ્યું. હું કઈ જવાબ આપું એ પહેલાં ચીમનભાઈએ આખરી ફેંસલો આપતા હોય તેમ કહ્યું: ગુલાબદાસ એમાં ટૂટી નહિ થાય.” એ ભાઈ અગિળથી વકીલ તરીકે તેમને કમાણી થાય એવી જોગવાઈ તેમ હતી, પણ જરા પણ ખચકાટ વિના, સ્પષ્ટ રીતે, તેમણે આમ કહી દીધું. પેલા ભાઈ એમની સામે જોઈ રહ્યા ને સમજી ગયા એ વાત એમણે મૂકી દીધી. ચીમનલાલ ચકુભાઈ શાહ વિશે વિચાર કરું છું ત્યારે આવી અનેક વાતે મને યાદ આવે છે. એક નાનકડું પુસ્તક ભરાય તેથી યે વધારે એટલે એ જ વાતે મેં કરી છે. કેમકે માણમ સાચે સાચે ઘણી વાર આવી બધી નાની નાની વાતમાંથી ઓળખાય છે. એની જે જાહેરમૂતિ પ્રસ્થાપિત થઈ હોય તેનાથી એ માણસ વિશે જાણવા મળે છે, પણ એ માણસ પિતે ૫માતે નથી. ને આમનું તે જાહેરજીવન પણ કેટલું સ્પષ્ટ છે. એમના રવભાવ જેટલું જ. ગમે તે કામ કરે, કશી અસ્પષ્ટતા નહિ, કશી ગોલમાલ નહિ. માનસિક અપ્રામાણિકતા પણ નહિ. આર્થિક કે સામાજિક અપ્રામાણિકતા તો આવા માણસને સ્પર્શી શકે જ નહિ, માનનિય પણ નહિ. પરંતુ એમના આ પાસા વિશે તે અને કે લખશે એટલે મેં તે થેઈ અંગત પાઓને જ સ્પર્શ કર્યો છે. એમાંથી જે ચિત્ર મારી નજરમાં ઉપસ્યું છે એ ઉજળું છે એમના ખાદીના પાક જેટલું જ ઉજળું એ ઉજજવલના આપણને હંમેશાં પ્રેરતી રહે, સ્વસ્થતાની મતિ * ફાધર વાલેસ એક શબ્દમાં સ્વ. શ્રી ચીમનભાઈનું મારું સ્મરણ વ્યક્ત કરું છું : સ્વસ્થતા. એમના વિચારો સ્વસ્થ, એમના ભાવ સ્વરથ, એમની વાણી સ્વસ્થ સમતોલ, નીરવ, નિર્મળ. એમના વિચારોમાં તેમજ એમની વાણીમાં ખૂબ શકિત હતી, તેય એ શકિતની સાથે એની સ્વસ્થતા ને તટસ્થતા હતા કે એમની વાત સાંભળતાં અથવા એમના લેખે વાંચતાં મારું મન હંમેશા પ્રસન્ન રહેતું. તર્ક, નીડરતા અને તટરથતા એ એમનાં ગધનાં સહજ આભૂષણે. “પ્રબુદ્ધ જીવન’ આવે ત્યારે એમના લેખો વાંચ્યા વગર હું કદી રહ્યો નથી, એટલું જ નહિ પણ જો હું બહારગામ ગયે હોઉં અને અમદાવાદ પાછો આવું ને ઘણું દિવસની ટપાલ ભેગી થયેલો જોઉં ત્યારે કાળજીથી “પ્રબુદ્ધ જીવનના અંકે ટપાલના ઢગલામાંથી પહેલા કાટું અને એ પહેલા વાંચું. સ્વ. ચીમનભાઇની કલમનું આકર્ષણ મારે માટે મોટું હતું. રાજકારણની બાબતમાં હું તે ઠોઠ છું. હજી કેણ કયા પક્ષમાં છે એ મોટા નેતાઓ માટે પણ હું કહી શકતું નથી. તે ય થોડું જાણવાની અને થોડું બોલવાની પણ કઈ વખત જરૂર રહે છે, અને એમાં સ્વ. ચીમનભાઇના લેખે મારે માટે આશીર્વાદ ૨૫ નીકળ્યા. હું એ હંમેશાં વાંચો, કોઈવાર બે વખત પણ , વાંચતે. અગત્યના મુદ્દાઓ યાદ રાખવા પ્રયત્ન કરતો, અને રાજકારણ વિશે બીજાઓની સાથે કંઈક બોલવાનું થાય ત્યારે એને આધારે હું બોલું. એ રીતે મને એમની ખોટ સીધી અને અંગત રીતે લાગવાની છે. એમના લેખ વાંચતી વખતે મને માહિતી મળતી એ લાભ ખરો, પણ તે ઉપરાંત વાંચવાની મજા પડતી એ એક અલગ અને સાચી હકીકત છે. એટલી સ્પષ્ટતા તર્ક', પ્રામાણિકતા, પ્રકાશ, વિશ્લેષણ, સચ્ચાઈ જેવા મળે કે વિષયમાં રસ ન હોય તેય વાંચવામાં મજા પડે. મારું મન પણ ખૂબ તકપ્રિય છે, ને કદાચ એટલા માટે મને અને એમને બહુ સારું બનતું. અમે પહેલી વખત મળ્યા ત્યારથી એમને માટે મેને બહુમાન થયું, અને મેં એ વ્યકત પણ કર્યું. એમણે પણ મારે માટે હંમેશાં વિશેષ માન બતાવ્યું. અને એ જોઈને કૌવ અનુભ-ને. એક વખત મારા પુસ્તક “ખ્રિસ્તી દશન” વિશે કોઈ વિવેચકે અણધારી ટીકા કરી ત્યારે મને પણ કહ્યા વગર રવ. ચીમનભાઈએ પિતાની મેળે લખીને એને જાહેર જવાબ આપ્યો. એ પ્રસંગ મને ખરેખર સ્પશી*ગયે.” માનવીની સાચી કસોટી મૃત્યુ હોય છે. સ્વ. ચીમનભાઇને માટે એ છેલ્લી બિમારી, શસ્ત્રક્રિયા શારીરિક પીડા ને અકારી પ્રતીક્ષારૂપે એ કસોટી આવી. એમાં એમની ' સ્વસ્થતા અદ્દભુત હતી. “પ્રબુદ્ધ જીવનમાં આવેલ એમને લેખ “મારી જીવનદષ્ટિ,” પછી શસ્ત્રક્રિયા પહેલાનું મંથન, અને બિમારીના ખાટલામાંથી લખાવેલ છેલ્લા બે લેખો-એ મારે મન માનવ સાધનાનું એક વિરલ સ્મારક છે. ધમ માણસને સારી રીતે જીવતા શીખવાડે છે અને સારી રીતે મરતાં શીખવાડે છે. જૈન ધર્મમાં સારા જીવન માટે તેમ જ સારા મૃત્યુ માટે બોધ, પ્રેરણા અને સામર્થ્ય છે એ સ્વ. ચીમનભાઈના ઉત્કૃષ્ટ ઉદાહરણમાં મૂર્તિમાન થયું છે, જૈન ધર્મને માટે મને ખૂબ માન અને મમતા છે. આ ચીમનભાઈનું નમૂનેદાર જીવન અને અતિવરથ મૃત્યુ જોઈને એ માન અને મમતા મારામાં વધ્યા છે. એ મારી સાચી અને અથંભરી અંજલિ છે.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy