________________
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક
તા. ૧-૧-૨૨
છે. ..
. ---
-
-
ચીમનભાઈ. લોલ સ્ટ્રીટની ઓફિસમાં બેસતારા નહિ. સમાજ, વિશે ચિંતન કરનાર ચીમનભાઈ, સમાજની પ્રશસ્ય સેવા - કરનારા ચીમનભાઈ નહિ.
, - એ ચીમનભાઈ રામનારાયણ પાઠકના નિકટના મિત્ર. રામનારાયણ પાઠકે મારા નિકટના મુરખી. મારી સાથે ચીમનભાઈ વિશે વારંવાર પ્રેમપૂર્વક વાતો કરે, મને એમને વિશે કુતૂહલ થાય.
એક દિવસ એચિંતા એ કહેઃ “હું આજે ચીમનલાલભાઈ પાસે જવાને છું. તમે સાથે આવશે? તમારી ઓફિસની તે નજીક જ છે. તમને પરિચય થશે. પરિચય કરવા જેવા છે એ.’
“ચાલે', મેં કહ્યું. “મને પણ એમને મળવાનું મન છે.”
ચાલતાં ચાલતાં રામનારાયણભાઈ કહે: “એક ખાનગી વાત કરું? એમને પણ તમને મળવાનું મન છે.”
મને આનંદ છે. રામનારાયણભાઈ જેમને વિશે આટલો આદર ધરાવતા હતા તેમને હું તદ્દન અજાણ્યા તરીકે મળવા નહેતો જતે.
ગયા તેમની ઓફિસમાં. આજે લાગતા હતા તેવા જ લાગતા હતા–ડા યુવાન વધારે, માથે કાળા વાળવાળા. પણ એ જ ટોપી, એ જ કેટ, એ જ પ્રેમળ સ્મિત. એ જ શિકાશવાળે ચહેરે. * “અવે, આવે,’ કહી હાથ લંબાવ્યો. * “આ ગુલાબદાસને લાવ્યો છું' રામનારાયણભાઈએ કહ્યું,
એમના સિવાય એમની પેઢીના બધાને ઓળખું છું.' કહી પ્રેમપૂર્વક હાથ મિલાવ્યો. તે પછી તે વાત ચાલી. સાહિત્યની તે હોય જ. પણ વિશેષ પ્રમાણમાં રાજકારણની. એ દિવસોમાં એમને રાજકારણના અભ્યાસમાં ખૂબ જ રસ. સમાજવાદ વિશે એક પુસ્તિકા કરતા હતા એ. મને તે એટલે સાહિત્યમાં એટલે જ લગભગ, એ દિવસોમાં, રાજકારણમાં રસ. મજા આવી.
પણ રામનારાયણભાઈ હોય ત્યાં એકલું રાજકારણ કેટલુંક ચાલે ? પાછી સાહિત્ય ઉપર ઊતરી ગયા..
યુજીન ઓ'નીલ, ત્યારે ખૂબ જ વંચાતે. મારે તે ઘણો પ્રિય નાટયકાર એટલે એને વિશે વાત કરતા જ્યારે એમણે કહ્યું
મને “જેન્જ ઈન્ટરલ્યુડ” કે “મેનિંગ બિકસ ઇલેકટ્ટા” એમાં બેઠાં નહિ.” ત્યારે મને વિવાદ કરવાનું મન થયું. હિંદીવાળાઓ કહે તેમ અમારી “બહશ” ચાલી. રામનારાયણભાઈ એને આનંદ માણતા હતા. ચીમનભાઈ કહે:
“ફોઈડ બહુ આવે છે તેમાં.”
મેં કહ્યું: “નાટયરૂપ બનીને, નાટકના ભાગ રૂપે રસાઈને આવે તે વધે છે ?'
રામનારાયણભાઈએ તેડ કાઢયેઃ અમારે બન્નેએ ફરીથી ઓનીલ વાંચી જશે અને પછી ફરી એને વિશે ચર્ચા કરવી.
ત્રણે હસી પડયા. છૂટા પડયા ત્યારે મનમાં આનંદ હતો. સાહિત્યની ચર્ચા આવે એ આનંદ તે ખરો જ, પણ એ માનંદ હતે પિતાનાં મંતવ્યો, ચાલુ ચીલાની વિરુદ્ધનાં હોય તે યે, તેને સ્પષ્ટ સ્વરૂપે ઉદ્દગાર કરનાર એક સાચા માણસને મળ્યા. છે એ આનંદ તે પછીનાં વર્ષોમાં અનેકવાર મળતો રહ્યો.
રામનારાયણભાઈ અને હીરાબહેન ઉપર એમને પારાવાડ"S' પણ પિતાને જે લાગતું' હોય તે રસ્પષ્ટ રીતે કહી દતાં અચકાય. નહિ. મુનશી તો એમની મુરબ્બી. પણ સાહિત્ય પરિષદના. અમદાવાદના સંમેલન વખતે મુનશીની વિરુદ્ધ ઝંડો ઉઠાવનારા, સાહિત્યકાર સાથે એ જોડાયા હતા. પછી સંજોગ બદલાતા એ મુનશી જોડે જોડાયા એ ખરું, પણ એ પણ સ્પષ્ટ સમજણું, અને સ્વમાનપૂર્વક.
આવા સ્પષ્ટવકતા માણસો સાચું કહી શકે, તેમ. જે તેઓ સારા માણસે હોય તે સાચું સાંભળી પણ શકે અને ત્યારે એ એટલી ગમી જાય !
એક પ્રસંગ બરાબર યાદ છે. એકવાર મુંબઈ જતી લેકલ ટ્રેનમાં એ ભેગા થઈ ગયા. વાત કરતાં કરતાં હું આવેશથી સાહિત્ય પરિષદના મુનશી પ્રેરિત બંધારણની વાત કરતો હતો. ત્યાં અખિમાં એક જાતની રમજની ચમકું લાવીને એ કહે:
ગુલાબદાસ, એ આખું બંધારણ તમે વાંચ્યું છે?” , મેં કહ્યું: “ના.” તે પછી ?” એમણે પુછયું. મેં કહ્યું: ‘હું એક સવાલ પુછું, ચીમનભાઈ? -
પુછો ને.” તે હસ્યા. સમજ્યાં તે ખરા જ કે કંઈક કી આવે છે.
મેં પુછયું; ૧૯૩૫ના સરકાર સુચિત ખરડાની બધી કલમે તમે વાંચી છે?
એ કહેઃ “ના”
તો પછી ?' મેં પુછયું, કેમકે એ દિવસોમાં બધા જ એ ખરડાની ટીકા કરતા હતા અને ચીમનભાઈ તેમાં અપવાદરૂપ નહોતા.
એ હસી પડ્યા. હું યે હસ્ય. ગાડીમાંથી નીચે ઉતર્યા ત્યારે અમે એકબીજાની વધારે નજીક આવ્યા હોઈએ તે મને અનુભવ થયો.
પછીનાં ઘણાં વર્ષો બાદનો એક પ્રસંગ છે. હજીયે એને એ મારા મનમાં તાજો છે.
. . ' ત્યારે ચીમનભાઈ સુપ્રસિદ્ધ સમાજસેવક, અને સુપ્રસિદ્ધે કાયદાશાસ્ત્રી બની ચૂક્યા હતા. ડો. ગજેન્દ્ર ગડકર ત્યારે મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે હતા. '
ત્યારે એક વાત ચર્ચાતી હતી. મરાઠી ભાષાને મુંબઈની કોલેજોમાં કોઈક પ્રકારનું વિશિષ્ટ સ્થાન આપવાની..
મનસુખલાલ ઝવેરી ત્યારે એ યુનિવર્સિટીમાં સક્રિય ભાગ. લેનારા ખરા. એમને આ પગલું વ્યાજબી નહોતું લાગતું.
સવારે અમે જહુ તને મળીએ. મનસુખભાઈ, બેટાઈ, અને ત્યારે, અમૃતલાલ યાજ્ઞિક પણ
મનસુખભાઇએ પિતાને કચવાટ પ્રદર્શિત કર્યો. મેં કહ્યું : - “અહીઉકળાટ કરવાથી શું વળે ? તમારે કેળવણીવાળા–. એાએ જાહેરમાં કશુંક કરવું જોઈએ.”
કોણ સાંભળે આપણું જાહેરમાં એમનું જોર ઘણું છે. -
પણ યુનિવર્સિટીમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી નથી.”
પણ...” શું કરવું તે સૂઝતું નહોતું એમને, પણ મને એક વાત સુઝી મેં કહ્યું: