________________
તા. ૧૬-૪-૮૩
પ્રબુદ્ધ જીવન
સાહિત્ય અને નૈતિક મૂલ્યા
ડૉ. હસમુખ ઢાશી
ઉત્તમ સાહિત્યમાં હમેશાં જીવનની અને વનનાં મૂલ્યાની કલાત્મક અભિવ્યકિત થતી હોય છે. વિશ્વના શ્રેષ્ઠ સાહિત્ય સ્વામીએ માણસની અપૂર્ણતાનું નિરૂપણ કર્યું" જ છે; પરંતુ તેમના અભિગમ માનવીય અપૂણ તાએના આલેખન દ્વારા માણસને સંપૂર્ણતા તરફ વાળવાને રહ્યો છે. એ જ રીતે શ્રેષ્ઠ સાહિત્યકૃતિમાં જીવનની દુ་ગવાસ્તવિકતા પ્રનિખિખિત થતી જ હોય છે, પણ એ વાસ્તવિકતા તેના સ'નું અંતિમ પ્રયોજન હોતી નથી; દુર્ભાગ વાસ્તવિકતાઓના આલેખન પાછળ પણ પ્રતિભાશીલ સ`કના સુભગ દૃષ્ટિક્રાણુ નિહિત હોય છે. વાલ્મિકી, કાલિદાસ, શેકસપિયર કે તાલ્સતાય જેવા સાહિત્ય સ્વામી નૈતિક મૂલ્યોની ખેવના કરતા હતા એટલે તે કલાકાર જ નહાતા એમ માનવાની અને મનાવવાની હિંમત તે કદાચ આજના સર્જક કે વિવેચક કરી શકે તેમ નથી. અથવા તા ઉકત સાહિત્યસ્વામીએ ઉત્તમ પાત્રાનું સર્જન કરે છે. જે પાત્રા શ્રેષ્ઠ મનુષ્યેા છે માટે તે ‘કૃતક’ હતા એમ કહેવાનુ સાહસ સીધી રીતે તે સાહિત્ય સર્જક કે વિવેચકથી થઇ શકે એમ નથી. એટલે ઉત્તમ સાહિત્યસ્વામીને પગલે ચાલનારા આજના સજા કે આજના એવા સજાની કૃતિઓનું યોગ્ય મૂલ્યાંકન કરનારા વિવેચકા કલાને કે આજના મનુષ્યને ઓળખી શકતા નથી એવા આરોપ કરવામાં આવે છે. મનુષ્યની વ્યાખ્યા બદલાતી રહે છે, અને નીતિ કે ધમતુ પોતાનું જ કઈ ડેકાણું નથી ત્યાં આજના સાહિત્યકાર નીતિ કે ધર્મનું કલાત્મક અર્થધટન કરી શકવા સમથ હોય તે પણ એ સાચે સર્જČક ગણાય નહિ એમ આજને વિવેચક માને છે, અપૂર્ણ મનુષ્ય જ સાચા અને સ ંપૂર્ણ મનુષ્ય છે, એવે આધુનિક યુગની એક મહત્ત્વની પાશ્ચાત્ય વિચારસરણીના સૂર છે, અને એ સૂર ઘૂંટીધૂંટીને આલાપ કાઢનારા આપણા નવીન સજા અને વિવેચકા સાહિત્યસર્જન દ્વારા પરોક્ષ રીતે ઉચ્ચ જીવનલીલાનું કલાત્મક નિરૂપણ કરતાં કલાકારાને ‘કૃતક' ગણે છે.
આજના
પરંતુ કાઈ પણ જમાનામાં નીતિ કે ધર્મની વ્યાખ્યા અલાતી નથી. નીતિ અને ધમ ચિરકાલીન સત્ત્વા છે. નીતિ અને ધના પાયાના સિદ્ધાંતા વિશ્વના બધા ધર્મોંમાં સરખા છે, અને જ્યારે એ શબ્દો બદલાશે ત્યારે પણ તેના અથ અથવા તેા તેની વ્યાખ્યા એ જ રહેશે. કલાકાર કે સાહિત્યના સ`ક તેની અવગણના કરે એટલે નીતિ કે ધર્મનાં મૂલ્યા બદલાઇ શકતાં નથી. આજના મનુષ્ય જરૂર બદલાય છે, પણ તેનું પરિવર્તન વધારે સુખદ છે અને ઓછુ દુ:ખદ છે. પડતાં આખડતાં, ભૂલા ને ગુના કરતાં પણ માણસે ક્રમશઃ પોતાનું ઉધ્વીકરણ સાધ્યું છે અને તેમ કરવામાં તેને વધારે મદદ ઉચ્ચ નીતિ અને ધામિકતા પ્રેરિત કલાકૃતિઓએ કરી છે એ પણ એટલુ' જ સાચુ છે.
આજના સાહિત્યમાં આપણે રામ કે કૃષ્ણની અપેક્ષા ન રાખીએ, તદ્દન સામાન્ય માણસોની પાત્ર તરીકે અપેક્ષા રાખીએ, જેમનામાં ઘણી અપૂણ તા હોય. પરંતુ આ અપૂણ તા એવી તે ન હોવી જોઇએ ને કે જેનુ ગૌરવ કરવામાં આવે ! અથવા તા માણસ વૃત્તિઓ અને વાસનાએ વડે આયેલા હોવાથી તેના ઉદ્ઘાર કદાપિ શકય જ નથી એમ તે ન માની શકીએ ને? વાલ્મીકિ કે કાલિદાસથી માંડી ટાગોર અને તાલ્સતાય
૨૭૭
સુધીના સજકાએ માનવીય નિબળતાનુ નિરૂપણ કર્યુ જ છે, પણ એ નિબળતાઓનુ નિરૂપણ માણસને વધારે સખળ અનાવવા માટે થયું છે. ત્યારે આજના સર્જક અને વિવેચક માણુસ કદાપિ આદિમ આવેગેને જીતી શકશે નહિ એવું અંતિમ ગૃહીત સ્વીકારીને બેસી ગયેલ છે. અને એટલે જ નીતિમાન મનુષ્યાને સાહિત્ય કૃતિઓમાં પાત્રો તરીકે તે સહન કરી શકતા નથી. કરાડા વર્ષોની તપસ્યા પછી માણસે કંઇજ સિદ્ધ નથી કર્યુ ? નિર’કુશ આદિમ આવેગેશ પાસે એ હંમેશાં શું માટીપગા જ રહ્યો છે? આવા પ્રશ્નો મારી સમક્ષ ઉપસ્થિત થાય છે. કેટલાંય જૈન સાધુ-સાધ્વીએ અને એવુ જ જીવન સંસારમાં રહીને પણ વ્યતીત કરતા કેટલાંક મનુષ્યાજે આજના જમાનામાં અને આજના સાહિત્યમાં ઠીકઠીક ફ્રેંકડીને પાત્ર બન્યાં છે. એક જમાનામાં હું પણ તેમના સયમધમ ને ‘કૃતક' ગણી તેમના ઉપહાસ કરતા હતા. પરંતુ મે જોયુ' વૃત્તિનાં અનેક ખેંચાણા વચ્ચે, પ્રલાભનાનાં અનેક આકર્ષણા સામે, કવચિત્ ભૂલ કરતાં રહીને પણ તેમણે ધણી ઉન્નતિ સાધી હોય છે. ત્યારે માનવીના આદિમ આવેગા જીતી શકાય એવા નથી, એ તે રહેવાના જ છે એમ માનીને ખેસી જવું, એટલું જ નહિ, એવા આવેગાનુ ગૌરવ કરવા માંડવું અને એવા આવેગાતે કારણે પતનમાં પરિણમતા જીવન ઉપર મંડિત થયેલી સાહિત્યરચનાઓને જ સાચી કે ઉત્તમ કલાકૃતિ માનવી એ તે કલાને પક્ષઘાતથી પીડાતી જોવા જેવુ છે.
પાશ્ચાત્ય
આજની એક સમય વિચારસરણીએ માણુસના ફકત અસ્તિત્વને જ પ્રમાણ્યું'. માણસ જેવા છે તેવા જ રહે છે એમ માની લીધું, એટલું જ નહિ પોતે હોય એ કરતાં વધારે સારા થવાની માણસે જરૂર નથી, કેમ કે ખલાવુ એ તે ‘કૃતક' ઘટના છે એવું પ્રતિપાદિત કર્યુ. એવી વિચારસરણીથી અંજાયેલા અને અંતે છુ ંદાઇ ગયેલા આપણા પ્રવતમાન પુસ્તકપડિતા મનુષ્યને દૈહિક જીવનમાં જેવા છે તેવા જ જોવા મથે છે, એટલું જ નહિ સાહિત્ય સર્જનના લાભાથે કે કલાની સિદ્ધિ માટે માણસનું ઉર્ધ્વીકરણ તેમને માન્ય નથી ! માણસ ગુનાઓ કરે, કપટ કરે, કાઇનુ આળવીને પાતાનું કરી લ્યે એ બધું માનવીય છે માટે તેનુ ગૌરવ થવું જ જોઇએ ! એટલુ જ નહિ, માણસ આદતને ગુલામ હોય તે તેણે આદતો છેડવાની નથી, કેમકે એ જ તે સાચું અને પૂ મનુષ્યત્વ છે ! તે દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, વ્યભિચાર કરતા હોય તે તેમાં કશુ ખાટુ' નથી, કેમકે ખં અને ખાટું તેા સાપેક્ષ છે અને ખરાંખાટાંની વ્યાખ્યા તેા બદલાતી રહે છે !-અને એટલે જ ‘આકાર’ અને ‘સ્વગ નીચે મનુષ્ય જેવી નવલકથાઓ કે ‘કુત્તી' અને રાત્રિગ'મિતિ' જેવી ટૂંકી વાર્તાએ આજના વિવેચનના આદશ બની ગયેલ છે.
નીતિને લાવિરોધી ગણવામાં શ્રી કનેવૈયાલાલ મુનશીની જેમ આજતા સર્જક કે વિવેચક ગૌરવ લે છે, સાહિત્ય હંમેશા નીતિનિરપેક્ષ હોવુ જોએ. એટલે ધમકે સદાચારનું કામ આજે સાહિત્યની કલા પાસે કરાવવું તે કલા પાસે રાખવામાં આવતી બહુ મોટી અને ઘણી ખોટી અપેક્ષા છે એમ તેમનુ માનવુ છે. બરાબર છે. તે પછી એ જ