________________
પ્રબુદ્ધ જીવન
૨૭૬
ડિસેમ્બરમાં ઠરાવ કર્યાં હતા. એના અનુસંધાનમાં આ વ્યાખ્યાનમાળાની નામકરણવિધિ શ્રી ખાખુભાઇ જશભાઈ પટેલે કરી હતી. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક વસત વ્યાખ્યાનમાળા' એ રીતે આ વ્યાખ્યાનમાળાનુ નામાભિધાન જાહેર કરતાં એમણે પોતાને આનંદ વ્યકત કર્યાં હતા. એમણે કહ્યું : સદ્દગત શ્રી ચીમનભાઇ બંધારણ સભાના સભ્ય હતા અને બંધારણ ઘડવામાં એમના ડહાપણના લાભ આ દેશને મળ્યા હતા. તેઓ લાકસભામાં પણ ચૂંટાયા હતા, તત્ત્વચિંતક હતા અને જીવનના અંત સુધી પ્રવૃત્ત અને જાગૃત હતા. એમના રસના વિષયમાં વૈવિધ્ય હતુ. આ વ્યાખ્યાનમાળા સાથે એમનું નામ જોડવામાં આવ્યુ. એ સર્વ રીતે યોગ્ય અને આવકાય છે. (૧) શ્રી ખાણુભાઇ જશભાઇ પટેલ કેન્દ્ર વિશેષ જવાબદાર
કેન્દ્ર અને રાજ્યના સબંધનુ ભાવિ', એ વિષે ખેાલતાં એમણે કહ્યુ': કેન્દ્ર અને રાજ્યના સંબંધની વત માન પરિસ્થિતિમાં કેન્દ્ર વિશેષ જવાબદાર છે. બંધારણે કેન્દ્રને વ્યાપક સત્તા આપી છે. તેમાં માત્ર આર્થિક સત્તાને પ્રશ્ન નથી. પરંતુ તેની રાજકીય સત્તા પણ વધુ વ્યાપક છે. કેન્દ્ર ધડીના છઠ્ઠા ભાગમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. રાજ્યાના રાજ્યપાલની નિમણુક઼ તેના હસ્તક છે. વિધાનસભાને વિખેરી નાખવાની પણ તેને સત્તા છે. રાજ્યપાલ કાષ્ઠની પણ સાથે મસલત કર્યા વિના માત્ર કેન્દ્રના ઇશારા પર આ સત્તાના કેવા ઉપયોગ કરી શકે છે એ આપણે અનુભવથી જાણીએ છીએ.
કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ભાગીદારી સબધા હોવાનુ કહેવાય છે. ભાગીદારી જેવું જો કાંઇ પણ હોય તેા કેન્દ્ર મુખ્ય અને મહત્ત્વના ભાગીદાર છે. આજથી ત્રણ દાયકા પહેલાં કેન્દ્રના એ વખતના વાહનવ્યવહાર મંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને મુ ંબઈના રસ્તાઓની જાળવણી, મરામત આદિ માટે સહાય કરવા કહ્યું ત્યારે નાણાકીય સાધનાના અભાવે નનૈયે ભણ્યા. હકીકતમાં રાજ્યે પોતાના ફાળા આપ્યા હતા અને કેન્દ્ર પાસે મુંબઈ રાજ્યને સહાય કરવા માટે પૂરતું કડ હતું.
ભારતમાં દર સા ચારસ કીલોમીટરે ૩૯ કીલોમીટર રસ્તાની સામે ગુજરાતમાં ૨૩ કીલેામીટર રસ્તાઓ છે. ગુજરાત કેન્દ્રને પેટ્રાલ અને ડીઝલ આપે છે છતાં રાજ્યને મદદ માટે ભીખ માંગવી પડે એવી સ્થિતિ છે. ઈ. સ. ૧૯૭૬ માં ક્રુડ પર રૂ. ૪૨ ની રોયલ્ટી આપવાની જાહેરાત થઈ, જે સરાસર અન્યાય હતા. ક્રુડ રાજ્યની મિલ્કત છે. આ રીતે રાયલ્ટી આપીને કેન્દ્ર રાજ્યોનુ શાષણ કરે છે. આ બાબત પેટ્રાલિયમ અને રસાયણ ખાતાના મંત્રીશ્રી કે. ડી. માલવીયાજીને મે લખ્યું હતું. પ્રત્યુત્તરમાં એમણે કહ્યું : 'તમે માત્ર રાજ્યનો વિચાર કરી છે, હું સમગ્ર દેશના. અમે યોગ્ય જ નક્કી કર્યુ છે.' વળતા પત્રમાં મેં લખ્યું હતું કે રાજ્ય એ ભારતના જ એક ભાગ છે. એની વ્યાજખી માંગણીમાં સંકુચિતતા નથી. વધુ સગવડા રાજ્યને મળવી જોઇએ. કેન્દ્ર રાયની સભાળ લેતી નથી, અને લેવા દેતી પણ નથી.
એમણે કહ્યું: હું થોડા સમય પહેલાં આસામ ગયા હતા. આસામના લેાકેા દૃઢપણે માને છે કે કેન્દ્ર અને સમગ્ર રાષ્ટ્ર એમની અવગણના કરી છે. દેશના ક્રુડના ઉત્પાદનમાં ૬૦% ચાના ઉત્પાદનમાં ૫૫% અને પ્લાયવુડના ઉત્પાદનમાં પણ એટલા જ આસામના ફાળા છે. આસામના લેાકાને લાગે છે કે કેન્દ્રને આ ઉત્પાદનમાં જ રસ છે. છેલ્લા
તા. ૧૬-૪-૮૩
૨૫ વર્ષમાં ૪૫ લાખ વિદેશીઓએ ગેરકાયદે ધૂસણખારી કરી છે સરહદ પરચોકિયાતા મૂકવા કેન્દ્રને વારંવાર વિનંતી થઈ છે. વસતિની ચકાસણી કરવા તેઓએ કહ્યુ છે. પરંતુ આ દિશામાં કાઈ પગલાં લેવાયા નથી. આસામમાં ઉત્પન્ન થતું કુંડ ખરોલી રીફાઇનરીમાં ૧૨૦૦ કલેમીટર લાંબી પાઇપ લાઈન દ્વારા લઇ જવાય છે. ભારત સરકારને રૂા. ૧૧૦૦ કરોડની થતી આવક સામે આસામને માત્ર રૂા. ૨૨ કરોડ અપાય છે. આ અન્યાય નથી શું ? આ આસામ પૂરતી વાત નથી. પંજાબ, તામિલનાડુ, કેરળ, મધ્ર પ્રદેશ અને કર્ણાટક આદિ રાજ્યાની જનતાએ કેન્દ્ર સરકાર તરફથી માં ફેરવી લીધું છે. એ અંગેના કારણા વિચારવા જોઈએ.
નાણાકીય સાધનેાની વહેંચણીમાં અન્યાય
બંધારણે કેન્દ્રને મહત્ત્વના આવકના સાધના પર અધિકાર આપ્યા છે. એસાઇઝ અને કસ્ટમ્સ ડ્યુટી, આવકવેરા, કારેિશન ટેક્સ આદિ આવકના સાધના કેન્દ્ર સરકાર હસ્તક છે. એમાંથી રાજ્યોને થતી ફાળવણીમાં અન્યાય થાય છે. તેમાં ય જે આવકની રાજ્યોને ફાળવણી થતી નથી, તેની આવક ઉત્તરોત્તર કૂદકે ને ભૂસકે વધી છે. કસ્ટમ્સ ડયુટીની આવક જોતજોતામાં રૂ. ૪૦૦૦ કરેડની થઇ. કારેિશન ટેકસની રૂ. ૧૪ કરોડની આવક રૂ. ૮૪૦ કરોડની થઇ. આ આવકની ફાળવણી રાજ્યોને થતી નથી. આવક વેરાની રૂ. ૧૩૩ કરોડમાંથી રૂ. ૮૪૦ કરોડની આવક થઇ. તેના પર સર ચાજ વખતાવખત વધારવામાં આવે છે પરતુ તે આવક સ ́પૂર્ણ પણે કેન્દ્ર પાસે જ રહે છે. રૂ, કાપડ, તમાકુ અને સાકર ઉપર થતી વધારાની આવક રાજ્યોએ કેન્દ્રને હવાલે કરવી પડે છે. રાજ્યોએ ઢસરડા કરવા પડે છે, જ્યારે કેન્દ્ર હસ્તક આવકના ધીગા સાધના છે.
રાજ્યાએ શિક્ષણ, આરોગ્ય, રસ્તા, ધર–મકાને અને તંદુરસ્તીની જવાબદારી વહન કરવાની છે. તે માટેના નાણાકીય સાધના કેન્દ્ર સરકાર પાસે છે. એના અથ એટલો જ કે મજૂરી રાજ્ય કરે અને કેન્દ્ર આવક જમે. આ બાબતેા અંગે રાયે કેન્દ્ર સરકાર પાસે વખતેવખત નાણાકીય માંગણી કરવી પડે છે. કેન્દ્ર આયાજન પંચના હવાલે આપે. આયાજન પંચ હા ભણે અને નાણા પંચને યોગ્ય લાગે તા થાડું-ધણુ દાન’ મળે. આ રીતે રાજ્ય સરકાર હંમેશા નાણાભીડમાં રહે છે.
રાજ્યાને લેન લેવી હોય તે કેન્દ્ર અખાડા કરે. એની જરૂરિયાત પ્રમાણે મજૂરી પણ ન આપે. વિદેશમાંથી લેાન મેળવવાની કાશિત્રમાં કેન્દ્ર વાટાધાટ કરે. કેન્દ્ર વાટાધાટ કરી સસ્તા દરે લેાન મેળવે અને રાજ્યોને ઊંચા દરે લેાન આપે.
શ્રી મનુ સુબેદારે એક વાર કહ્યું હતું: ભારતે જિલ્લામાં વહેંચાઈ જવું જોઇએ. ભારતમાં રાજ્યોની હરતી રાખવાની જ નહિ.' સત્તાનું વ્યાપકપણે વિકેન્દ્રીકરણ કરવાની આ એક છેડાની વાત હતી. બીજી બાજુ ‘એ.બી.સી.’ તરીકે ઓળખાયેલા મત પ્રવતતા હતા. એ.બી.સી.’એટલે અાનિસ્તાન, બર્મા અને સીલાનને ભારત સાથે જોડીને એક સત્તાબળના અસ્તિત્વની વાત હતી, અને અલગ અલગ અંતિમ છે. હું તો એટલું જ ઇચ્છું છું કે સરકારિયા પચે દૂરનું વિચારવું જોઇએ. બંધારણમાં ફેરફાર કરવાની આવશ્યકતા લાગે તો તેમ કરવા કેન્દ્ર સરકારને ભલામણુ કરવી જોઇએ. કેન્દ્ર-રાજય સંબધાની ઊંડાણથી સૌક્ષા થાય. ભારતના વિકાસ માટે અને આજની પારસ્થિતિના ઉકેલ માટે કેન્દ્ર સરકારે પરસ્પરના આ સંબંધે વિષે ગંભીરતાથી વિચાર કરવા જોઇએ. (ક્રમશઃ)