SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ મહાવીરના નિર્વાણુસમય સુધીના જીવનને ૯૬૭ કડીમાં વિસ્તારથી આલેખવામાં આવ્યુ છે. તદુપરાંત કાવ્યની છેલ્લી ચેત્રીસેક જેટલી કડીમાં મેધકુમાર, ચંદનબાળા, સુલસા વગેરે ભગવાન મહાવીર સ્વામીના શાસનનાં સુરાને પરિચય અપાયા છે. પૂ. સંતબાલજીએ આ ચરિત્રનું નિરૂપણ શ્વેતાંબર પર પરા પ્રમાણે કર્યુ છે. એટલે એમાં દેવાન દાના પ્રસગનુ તથા વધમાન મહાવીરના યાદા સાથેના લગ્નજીવનનુ અને એમની પુત્રી પ્રિયદર્શી નાનું નિરૂપણ કરવામાં આવે એ સ્વાભાવિક છે. પૂ. સંતબાલજીના આ સુદીધ ચરિત્રકાવ્યની રચના નીચે પ્રમાણે સાત પવ'માં થઇ છે : (૧) ચ્યવન, જન્મ અને શૌશવ, (ર) યૌવન, લગ્ન અને દામ્પત્ય, (૩) દીક્ષાની ભાવના અને દીક્ષાકલ્યાણક, (૪) પાદવિહાર, પરિષહ, ઉપસગ' અને કેવળજ્ઞાન કલ્યાણક, (૫) સદુપદેશ, સદાચાર અને સ ંધરચના, (૬) વ્યાપક ધમ સમન્વય અને નિર્વાણુ અને (૭) શાસનનાં સુરત્નેા. આ પાઁના વિષયા અને પેટાવિષયોની અનુક્રમણિકા જોતાં પણ તરત પ્રતીતિ થશે કે ભગવાન મહાવીરના જીવનના લગભગ બધા જ મહત્ત્વના પ્રસંગો તેમાં આવરી લેવાયા છે. પૂ. સંતખાલજીએ ભગવાન મહાવીરના જીવન–વૃત્તાંતની મુખ્ય ઘટનાઓનું માળખું પ્રમાણભૂત અને શાસ્ત્રસંમત રાખ્યું છે; પરંતુ કેવળ રૂઢિગત શૈલીથી કથાનું આલેખન ન કરતાં વિવિધ પ્રસંગોના નિરૂપણમાં એમણે કવિતા, વ્યવહાર જીવન, મનેાવિજ્ઞાન, ધર્મતત્ત્વ ઇત્યાદિની દૃષ્ટિથી સ્થળે સ્થળે પોતાની મૌલિક કલ્પનાના રંગો પૂર્યાં છે. ત્રિશલાદેવીની દિનચર્યાં, સ્વપ્નપાઠક સાથે સિદ્ધાર્થ રાજાને સવાદ, ત્રિશલામાતા અને વમાન મહાવીરને સંવાદ, વધમાન મહાવીર અને યશોદા વચ્ચે સંવાદ નવિન અને વધમાન મહાવીર વચ્ચેના સવાદ ઋત્યાદિ પ્રસ ંગાના નિરૂપણમાં એથી તાદશ જીવંતતા અનુભવી શકાય છે. પૂ. સતખાલજીનુ પેાતાનું આ મૌલિક અપણુ છે, જે એક સકકવિ તરીકેની એમની શક્તિની આપણને પ્રતીતિ કરાવે છે. આ સર્જક તત્ત્વના કારણે એ પ્રસંગાના નિરૂપણમાં ઇતિહાસના તથ્ય કરતાં કલ્પનાનું સત્ય વિશેષ રહેલું છે. ઉદાહરણ તરીકે વધમાન મહાવીર અને યાદાના દામ્પત્યજીવનનું નિરૂપણ ઐતિહાસિક દષ્ટિએ ખરાખર એ જ પ્રમાણે હશે એમ નહિ કહી શકાય, પરંતુ સર્જક કવિએ તેનું પાતાની મૌલિક કલ્પનાથી આલેખન કર્યુ છે. કવિ સતબાલજીના આ ચરિત્રકાવ્યમાં પાત્રે, પ્રસ ંગે, પરિસ્થિતિ, પ્રકૃતિ ઈત્યાદિના નિરૂપણમાં વિવિધ ટા નિહાળવા મળે છે. કાઈ કાઈ સ્થળે પ્રકૃતિનિરૂપણુ કેવું છટાદાર થયું છે. તે નમૂનારૂપ નીચેની કેટલીક પતિ પરથી જણાશે : સામેના દીપ કે' તો તે, ચંદ્રજ્યાત પ્રકાશશે; તે પછી વરમાળાને, કઠે આપશે ઉષા.૪૦ ખાગનાં કુમુદ ભૃગો, વિહ ંગો વૃક્ષ ઉપરે; ગાશાળામાં તથા ગાયો, સ્વસ્થાને અશ્વ ને ગજ, ૪૧ બાંદી સેવા સર્વે, રજની અંકમાં રહ્યાં; હતું. સ્તબ્ધ સમુ શાંત, નીરવ વાયુ મડલ ૪૨ કલરવ 3 કુ ંજે, ' કલિત-ક ંઠે કાકિલા; મત્ત દ્વિ ગુજતાં, વાર્યાં વરે ન વાદીલા. સારસ જોડલાં શીળા, મીઠું ધ્વનિ કર્યાં કરે; પ્રણય-રસ રેલતાં, દંપતી પાંખ પાથરે. કળા કરી કલાપી, રીઝવે પ્રિય ઢેલને; ૧૨૩ ૧૨૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૪-૮ સૌંદર્ય-મદ માતેલા, કેકારવ કર્યાં કરે. ૧૨૫ લહસ શુકા ધીરાં, મૃદુતાન જમાવતાં મનેાજ ગિની રાણી, વસંત ઋતુ રાજતાં. ૧૨૬ બાળ વધમાન મહાવીરનું ચિત્ર આલેખતાં એમના પ્રેમના ચમત્કારના પ્રભાવ અન્ય બાળા ઉપર કેવા સરસ થાય છે તે નીચેની ઘેાડીક પતિમાં કવિએ સુંદર રીતે દર્શાવ્યા છે : ચમત્કાર નહિ આ તે, પ્રેમના ચમકાર છે; એવા સૌ બળને હૈયે, વધમાન વસે ખરું. પ્રેમમાં ભય કે શંકા, સ્વાથ' માત્ર નહી' રહે; સમતા, શાંતિ ને શ્રદ્ધા, પ્રેમમાં જ ટકી રહે. ૧૭૪ વધમાન મહાવીરને કેવળજ્ઞાન થાય છે એ પ્રસંગનુ આલેખન કેટલુ સચાટ થયું છે તે નીચેની ચાડી પતિમાં જુઓ : ૧૭૩ ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, એકરૂપ બની ગયાં; ક્ષીણુ મેહ થતાં પામ્યા, પૂણુ` તે વીતરાગતા. ૬૯૭ ન જોયા કેવળજ્ઞાન,—પૂર્ણ આત્મા તણેા રવિ હરતામલકવત્ છે જયાં, સમસ્ત ભાવની ગતિ.૬૯૮ કરોડી ચંદ્ર તે 'સૂર્ય', પ્રકાશે સામટા છતાં; ન આવે ઉપમા તેની, એવા આત્મપ્રકાશમાં. ૬૯૯ ભવખીજ બન્યું છેક, કૃતકૃત્ય થઈ ગયા: આયુવશ રહ્યો દેહ, લાકકલ્યાણ કારણુ, ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થાય છે. તે સર્વજ્ઞ, જિન, અહત થાય છે તે સમયે બધા જીવા તેમની સ્તુતિ કરતાં એમના સ્વરૂપનું જે વર્ણન કરે છે તેનુ મનહર નિરૂપણ વસંતતિલકા છંદની નીચેની સુરેખ પ્રાસયુક્ત પતિએમાં થયું છે : ७०० સન હૈ સકલ દોષ-વિહીન શુદ્ધ, આનંદકંદ, શિવ, શાંત, સમસ્ત મુદ્ધ; એ વીતરાગ ! જિનરાજ ! અનંત વીય, અધ્યાત્મપૂણુ, અજ, નિત્ય, અખડ ધોય. ७०४ પૂ. સંતબાલજીની કવિપ્રતિભાના વિવિધ ઉન્મેષા સ્થળે સ્થળે આપણને જોવા મળે છે. એમણે ઉપાદિ અલ કારો ધણું સ્થળે પ્રયાન્યા છે. દી તપસ્વી મહાવીરને કેવળજ્ઞાન થાય છે. તે પ્રસંગે એમના વિવિધ ગુણાનુ વણુન કરતાં કવિએ પ્રયોજેલી ઉપમાઓની હારમાળા (માલાપમા) કેટલી મનેહર અને મનેરમ છે તેની પ્રતીતિ નીચેની પક્તિ વાંચતાં થશેઃ પ્રજ્ઞાનમાં અક્ષય સિંધુ જેવા શીતાંશુ તારાગણમાં શશીમા; ક્ષમા નહી ભૂમિસમા રસામાં, હ્યુસમાં ઈષ્ટ મધુર આપ. ૭૦૫ વને મહી નદનના સમાન, શીળા સદા ચંદનના સમાન; શબ્દો મહીં મેધની ગજનાશા, ગતિ મહી' આપ ગરુડ જેવા ૭૦૬ મેરુ ગિરિશા સ્વરૂપે અડેલ, અગાધ ગંભીર સમુદ્ર તુલ્ય; આકાશશા નિત્ય નિજાવલખી, વાયુસમા અપ્રતિબદ્ધ ચારી. ૭૦૭ ગગાસમા 'પૂણ` પવિત્ર આપ, નિલે પ છે પદ્મ સમાન નાથ; કમ*-મૃગા સિહ સમાન દેખી, ન આપતે બાધ કરે હવેથી. ૭૦૮ પૂ. સતબાલજીએ આ સુદીધ' ચરિત્રકાવ્યની રચના વિવિધ છંદમાં કરી છે. રચના સુદી' હોય તે પ્રસંગ કે ભાવ અનુસાર તેમાં છ વૈવિધ્ય આવે એ સ્વાભાવિક છે, મહાકાવ્ય કે દીધ` ખંડકાવ્યમાં સળંગ નિરૂપણુ માટે કેટલાક છ ંદ વિશેષ અનુકૂળ રહે છે. અનુષ્ટુપ છંદ એવો વિશિષ્ટ ક્ષમતાવાળા છંદ છે. એમાં સળંગ સે’કડા પતિ લખવા છતાં એકવિધતા. (અનુસંધાન પૃષ્ઠ ૨૮૧ પર) DJ
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy