SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. By/South 54 alcence No. ! 37 प्रजद्ध भवन } મુંબઈ જૈન યુવક સંધનું મુખપત્ર : પાક્ષિક છૂટક નક્લ રૂા. ૧-૦૦ પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કર વર્ષ' : ૪૪ અક :૨૪ મુંબઇ, તા. ૧૬-૪-૮૩ વાર્ષિક લવાજમ રૂા. ૨૦ પરદેશ માટે ક્ષિત્રિ દ તંત્રી : રમણલાલ ચી. શાહ ‘વિશ્વવત્સલ મહાવીર’ (પ્રેરક અને પ્રાધકર ચરિત્રકાવ્ય) * રમણલાલ ચી. શાહુ સરળ પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વ. શ્રી સતબાલજી મહારાજની જૈન સંત તરીકેની પ્રતિભાથી જેમ એમના ભતા, અનુયાયી અને ચાહકો સુપરિચિત છે તેમ તેમની કવિ—પ્રતિભાથી પણ સુપરિચિત છે. થડા સમય પહેલાં એમણે તત્ત્વાર્થાધિગમ સૂત્ર' જેવા કઠિન સંસ્કૃત ગ્રંથો ગુજરાતી પદ્યમાં અનુવાદ પ્રગટ કર્યાં હતા, જે એમની, કવિત્વશક્તિની પ્રતીતિ કરાવે છે. પોતાના પૂજય ગુરુવય' સુપ્રસિધ્ધ કવિ સ્વ. નાનચંદ્રજી મહારાજ પાસેથી પૂ સતબાલજીએ (મુનિ શ્રી સૌભાગ્યચંદ્રજીએ) જેમ સંયમની દીક્ષા લીધી હતી, તેમ કવિતાની પણ દીક્ષા લીધી હતી. અલબત્ત, સંત-મહાત્માએ કાવ્યના માધ્યમના ઉપયોગ કેવળ વાણીવિલાસ માટે નહિ, પણ પોતાના સાધક–જીવનની અનુભૂતિએને અભિવ્યકત કરવા માટે કરતા હોય છે. એમ કરવામાં કવિતા ન સધાય એવુ' નથી. સર્જીકની પોતાની પ્રતિભા ઉપર એને વિશેષ આધાર રહે છે. સંત કવિઓની વાણીમાં જીવનના મમની વાત આવ્યા વિના રહે નહિ. કયારેક તે વ્ય ંજનારૂપે આવે, તેા કયારેક તે ગર્ભિ ́ત કે પ્રગટ ઉપદેશરૂપે પણ આવે. પ્રગટ ઉપદેશથી કાવ્યકલાને કદાચ કયારેક હાનિ પહોંચે તેા તેની દરકાર સંત કવિએતે ન હોય, કેમ કે કવિતાકલા કરતાં જીવનકલા એ એમને મન પ્રધાન વસ્તુ હોય છે. વિશ્વવત્સલ' શબ્દ પૂ સંતબાલજીને અતિ પ્રિય છે. ‘વિશ્વવાત્સલ્ય' શબ્દ એમણે પોતાની સંસ્થા અને મુખપત્ર માટે પણ પ્રયેાજ્યા છે. એટલે જગતના તમામ છવા પ્રત્યે જેમને મૈત્રીભાવ છે, વિશ્વના તમામ જીવે. માટે જેમને વાત્સલ્યભાવ છે એવા ભગવાન મહાવીર વિશે કાવ્ય લખવા તે પ્રેરાય એ અત્યંત સ્વાભાવિક છે અને એ માટે તેમને અધિકાર પણ છે. ભગવાન “મહાવીરની સુરેખ અને રસિક જીવનરેખા વિશ્વવત્સલ મહાવીર' નામના એમના આ મહાકાવ્યની કે દીધ` ખ`ડકાવ્યની કક્ષાના ચરિત્રકાવ્યમાં સાંપડી રહે એમ છે. મહાપુરુષોનુ જીવન અનેક ઘટનાઓથી સભર હોય છે. એમાંથી અનેક લાકાતે વિવિધ પ્રકારની પ્રેરણા સાંપડતી હોય છે, જેનુ જીવન સવિશેષ ઘટનાસભર, તેમ તેમના ચરિત્રકારને લેખન માટે વિશેષ અવકાશ રહે. મહાત્માઓના જીવનમાંથી પ્રેરણાનાં પીયૂષ પામતાં કવિઓની વાણીની સરવાણી વહેવા લાગે છે. જે વિવિધ ક્ષેત્રના મહાપુરુષોની બાબતમાં બને છે તે વિશ્વવ ંદ્ય વિભૂતિઓની બાબતમાં તે અવશ્ય બને જ. પ્રત્યેક જમાને નવા નવા કવિ-લેખા તેમના વિશે નવી નવી રચનાઓનું સર્જન કરતાં ધરાય નહિ એવું અખંડ પ્રેરણાસ્રોત જેવુ એ વિભૂતિઓનુ જીવન હોય છે. તેમાં પણ તીથ કર ભગવાન મહાવીર સ્વામીનું સમગ્ર જીવન તા, આબાલવૃદ્ સહુને વાંચવી – સાંભળવી ગમે એવી વિવિધ રસિક અને પ્રેરક ઘટનાઓથી સભર છે. વળી વમાન ચાવીસીના તીથ કરામાં સવિસ્તર ઘટનાપ્રચુર જીવનચરિત્ર તા છેલ્લા ચાવીસમા તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનું જ છે. વળી આપણા માટે સૌથી વધુ નજીકના – આસન્ન – તીથંકર તે ભગવાન શ્રી મહાવીર સ્વામી છે. એટલે એમના જીવન વિશે વિવિધ પ્રકારની કૃતિનું સર્જન સમયે સમયે થયા કરે એ સહજ છે. મહાવીર સ્વામી વિશે ગુજરાતી ભાષામાં સ્તવનના પ્રકારની રચના વિશેષ થયેલી છે. તદુપરાંત સ્તેાત્રના પ્રકારની પ્રાચીન રચના સંસ્કૃત ભાષામાં મળે છે. એમના સમગ્ર જીવનને આલેખતી પુરાણુ કે મહાકાવ્યના પ્રકારની કૃતિઓ પણ પ્રાચીન સમયમાં સંસ્કૃત કે પ્રાકૃતમાં ઘણી લખાઈ છે. એમાં પદ્મન કૃિત ‘વમાનચરિત્ર’, અસગકૃત ‘વધમાનપુરાણુ’, કેશવકૃત ‘મહાવીર પુરાણ', વાણીવલ્લભકૃત ‘મહાવીરપુરાણુ’ સકલકીતિ`કૃત મહાવીરપુરાણ' ગુણુચંદ્રગણિકૃત મહાવીરચરિય’ હેમચંદ્રાચાય કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' (દશમું પવ), વગેરે સુદી કૃતિમાં ભગવાન મહાવીરનુ' સવિસ્તર જીવનચરિત્ર નિરૂપાયું છે. તદુપરાંત સિદ્ધસેન દિવાકરકૃત દ્દાત્રિ શદ્દ્વાત્રિંશિકા', હેમચંદ્રાચાય કૃત વીતરાગસ્તીત્ર' ઉપાધ્યાય યાવિજયકૃત ‘મહાવીરસ્તવ', ધવનગણિકૃત વીરભકતામર', અજ્ઞાતકવિકૃત ‘વીરસ્તવ' ઇત્યાદિ સંખ્યાબંધ કૃતિ સ ંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં મહાવીર સ્વામી વિશે લખાયેલી સાંપડે છે. ગુજરાતી ભાષામાં મહાવીર સ્વામી વિશે ગદ્યમાં ઘણી કૃતિઓ લખાઈ છે, પરંતુ સળગ પદ્યમાં લખાયેલી પૂ. સંતબાલજીની આ કૃતિ ભગવાન મહાવીર વિશેના સાહિત્યમાં એક અનેાખી ભાત પાડે છે. શ્રી હીરાચંદ ઝવેરીએ પણ ભગવાન મહાવીર વિશે ‘ત્રિભુવનતિલક’ (સ. ૨૦૨૨) નામનું મહાકાવ્ય ગુજરાતીમાં ચેવીસ સગમાં લખ્યું છે. પૂ. સંતબાલજીએ આ ચરિત્રકાવ્યની રચના ૧૦૦૧ કડીમાં કરી છે. એમાં મહાવીર સ્વામીના જીવ દેવલાકમાંથી ચ્યવીને માતા દેવાનંદાની કૂખે અવતરે છે, અને ગર્ભાપહરણ’ પછી માતા ત્રિશલાદેવી જન્મ આપે છે, ત્યાંથી શરૂ કરીને ભગવાન
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy