SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૮૨ પ્રભુમ આવી જ્યાં આવિર્ભાવમાંથી સંબંધાનું પાત જન્મનું હોય છે : એમાં સત્યની સહજતાં હોય છે ખરી, પણ રને સહજતામાં પીઢપણ, ગણતરી કે સાચા મૂલ્યાંકનનો અભાવ હોય છે! એટલે જ યૌવનકાળમાં, માનવના સાચા સંબંધો બંધાવવાની પળામાં, વિચારશીલ મુરબ્બીદને ચિંતા કરવી પડે છે: ત્રીજો તબક્કો ગૌવનકાળમાંથી પસાર થઈ ગયા પછીના એની સાથે સંબંધ, લાગણી, પ્રેમ એ બધાના સમન્વયથી એક જુદી વ્યકિત સાથેના સંબંધમાં એ જોડાય છે: એનામાં સાંસારિક સંબંધનું એક પરિબળ જન્મે છે. આ પરિબળમાંથી એને પ્રાપ્ત થાય છે જીવનના જુદા જુદા પ્રકારના સંબંધા! માનવજીવનમાં સમજવા જેવા સંબંધોના આ સાચા તબક્કો છે. અહીં માણસે પેાતાના સાચા સંબંધાાિંથી જન્મતા નવા જીવનમાં પ્રવેશવાનું હાય છે: પુરુષ પતિ બને છે અને એના જીવનમાંની સંબંધાની પળેપળની લાગણીઓમાં થવારો આપતી વ્યકિત એના જીવનમાં જન્મે છે. આવી જ રીતે સ્ત્રી પત્ની બને છે. સામ સંસારના પ્રારંભકાળમાં સ્ત્રી-પુરુષ પ્રવેશે છે અને એના જીવનના ત્રીજા તબક્કામાંથી પસાર થતાં હોય છે. પુરુષ પતિ-સી પત્ની, બંનેના હૃશ્યમાં પરસ્પર માટે નવા સંબંધનો જન્મ થાય છે. આ સંબંધમાં પરસ્પરમાં પ્રેમ, લાગણી અને ભાવનાનું જે પ્રાગટય થાય છે એનું અદકું મહત્ત્વ છે: સાચા સંબંધની ને સાચા જીવનની આ ગતિ છે અને એ ગતિમાંથી જ નવા નવા સાંબંધા જન્મતાં હોય છે. ~હીં એક રામજવા જેવી વાત કહી દઉં, નવા સિંહા જન્મે છે એની સહજ ઊર્મિના અવિર્ભાવમાં માણસે એની આજુબાજ જે જૂના સંબંધેા છે તેનાથી જરા અંગે પણ વિચલિત થવું ન જોઈને એને જો એ ભૂલી જાય તેમ નવા સંબંધોનું કોઈ મૂલ્ય રહેતુ નથી! માણસ પેાતાના બાળગુલ ભ સંબંધામ!થી જ્યારે પસાર થઈને, બીજા બે તબક્કામાં આવી ગયો હોય છે ત્યારે એનામાં બાળકુલમ લાંગણી અને આવિર્ભાવ અવિસ્મરણ થઈ ગયા હોય છે- એ બાળસુલભ લાગણી અને આવિર્ભાવોના જીવનમાં નવા અવતરેલાં નવા સંબંધામાંથી ફરી વખત ઓ અનુભવતાં હોય છે! એનામ થાડેણે અંશે એ લાગણી જન્મતી હોય છે અને એટલે જ આ સંબંધે. મનના છે- જવારે પરસ્પરના સંબંધાને મન ઓળખે છે ત્યારે રાંબધાની સાર્થકતા સર્જાય જાય છે. ચોથો તબક્કો : માનવ જીવનમાં સંબંધનો આ ચોથી તબક્કો ખૂબ મહત્ત્વના હોય છે. એની માજુબાજુ ઘણાં સંબંધ ઊગી નીકળ્યા હોય છે. એ જુદા જુદા સ્વરૂપના સંબંધમાં એમણે જીવ[ પડવું હોય છે, રો સંબંધાને પોતાના જ રાખવાની સતત મથામણ રાખવી પડતી હોય છે – પોતે, પુત્ર, પૌત્ર-પત્ની, પુત્રવધૂ અને પૌત્રી :આ બધાં જ સંબંધાતાં કડીયેાને પેાતાની એક કડીમાં ગેાઠવવી પડતી હોય છે—આ મોટી જવાબદારી. માટી વયે આવતી હાય છે: ભાગ્યે જ કોઈડ "કિત પોતાના સર્વ સંબંધોને પોતાના વિચારોની ભીંત ઉપર લટકાવી શકતા હોય છે – જીવનની ગહનતાના આ તબક્કામાં એ હારી પણ જતા હાય છે, જીતી પણ જતા હોય છે! આ છે માનવજીવનના સંબંધેાના ચાર તબક્કા. આજે તે માનવજીવનમાં ‘સંબંધા'નું મૂલ્ય વિસરાવા માંડયું છે. પહેલાં જે સંબંધા ઓતપ્રોત થઈને, એક છત્રછાયા નીચે જીવાતા હતા એનું મૂલ્યે વિસરાતા સંબંધા વેરવિખેર થવા માંડયાં છે— આજે સંબંધનો દરિયો નથી ઘૂઘવતો, કારણ કે સંબંધ જીવન ૧૫ જુદા જુદા વહેણામાં વહેવા માંડયા છે: આનાથી માણસની અસ્મિતા ખોવાઈ જતી હોય એવું લાગે છે. આ છે આજના માનવજીવનના સંબંધોની વાત. મને એક વખત ગિરિશચંદ્રજી મહારાજે પૂછેલું: “તમારી દૃષ્ટિએ સંસારના સંબંધેામાં જીવતા માનવજીવનના સંબંધાનું મૂલ્ય શું છે?” મેં કહ્યું હતું : “આજના માનવ બહુ ઓછા સાચા સંબંધાની પળામાં જીવે છે. અને એની જિંદગીમાં, પેાતાને અને પરને સંબંધાના આવર્ભાવ આવે છે. સહજ સંબંધનો ભાવ જાગે છે એમાં જીવવું પડ હોય છે.” સંબંધામાં સ્થિરતા રહી નથી. આજે માણસને સંબંધ, પ્રેમ, લાગણી અને સ્મરણાના ટંકાએ લઈ લઈને જીવવું પડતું હોય છે!” અને ધણી વખતે, કોઈકને તો બળબળના રણના રજકણામાંથી પાણીની તરસ છીપાવવા જેવા આભાસી સંબંધામાં પણ જીવવું પડતું હોય છે ! આ છે માનવવનમાં આવતા-જતાં ને જીવાતા શબધાની વાત. સાભાર -સ્વીકાર (૧) ભાવના શતક. લે. ભારતભૂષણ, શતાવધાની સ્વ. પંડિત મુનિશ્રી રત્નચંદ્રજી મહારાજ. પ્રકાશક: શ્રી લાલજી વેલજી શાહ, રામ ઝરુખા, એમ. એ. હાઈસ્કૂલની સામે, એસ. વી રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮, કિં.શ, પાંચ (૨) શ્રાવક ધર્મ યાને મોક્ષપ્રાપ્તિના ઉપાય, લૅ, સ્વ. ગુલાબચંદ પાનાચંદ મહેતા, પ્રકાશક: વીર વાણી પ્રકાશન કેન્દ્ર, C/o. નંદલાલ તારાચંદ વેરા, ૯૮, નેપિયન્સી શેડ, બી–૪૫, શાંતિનગર, મુંબઈ-૪૦૦ ૦૦૬. બીજી આવૃત્તિ: કિં. રૂ. ૨૦/ નવભારત સાહિત્ય મંદિર, ૧૬૨, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૨ તરફથી નીચેનાં સાત પુસ્તકો મળ્યાં છે. ‘અપંગ અવસ્થાના જીવન સંગ્રામની આનંદયાત્રા’લાભુબેન મહેતા લિખિત(૧) અમૃતભાઈ પરીખ કિ` રૂા. ૩. (૨) શકુન્તલાબહેન—કિં. રૂ!. ૫, (૩) ભગવાનદાસ ભાટિયા, કિં. રૂા. ૩, (૪) મધુમાલતી ચોકસી કિં. રૂ।. ૪, (૫) મનુભાઈ પટેલ, કિં. શૂ. ૫, (૬) અપંગને સંગ લેખક: અજિત પોપટ કિં. રૂા. ૫, (૭) પંગ તનના પણ મનના નહીં, લેખક ભૂપેન્દ્ર મા. દવે, કનૈયાલાલ રામાનુજ, કિં. રૂા. ૭. ચિન્તનિકા જીવનનો મોટામાં મોટો આનંદ આ છે: સારું કામ છાનુંછપનું કરી નાંખવું અને પછી અકસ્માત જ તેનાથી વાકેફ થવું. ચાર્લ્સ લેમ્બ વિશ્વમાં સૌથી સમર્થ માનવી તો એ છે જે સૌથી વધુમાં વધુ એકલો ઊભા રહી શકે છે. - -ઈન્સન કોઈને જ માફ નહિ કરવામાં જેટલી ક્રૂરતા છે તેટ ી જ ક્રૂરતા દરેકને માફ કરવામાં રહેલી છે. –સેનેકા ભવિષ્યની અોક્કસ ઘટનાઓથી નહિ ડરનાર કે એના પર આશા નહિ રાખનાર વ્યક્તિ શાણી છે. નથી. નાતાલ ફ્રાન્સ બીકણ લોકોથી હું જેટલા ડરું છું તેટલા બીજા કશાથી ડરતો →બટ ફાસ્ટ
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy