SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જીવન ૨૩૬ અને સમૂહમાં સાગરનનાનનો કાર્યક્રમ બંધ રાખ્યો. તેમાં તેના પરાજય નથી તેમાં તેની મોટાઈ અને સમજણ દેખાય છે. અસહિષ્ણુતામાં સ્પર્ધા કરવી તેના કરતાં સહિષ્ણુતામાં સ્પર્ધા કરવી તેમાં બંને પક્ષોનું ભલું થાય છે. બધા માછીમારો ખ્રિસ્તી ન હોય તો પણ પછાત કામ તરીકે ખ્રિસ્તી પાદરીઓએ તે બધાનો પક્ષ લીધા. દેશમાં જે વિકાસકાર્યો થઈ રહ્યાં છે અને ગામડાં સુધી પણ, પછાત કોમાં પણ જે રાજકીષ અને સામાજિક જાગૃતિ આવી રહી છે તેને યોગ્ય માર્ગે વાળવાને બદલે સવર્ણો અને સ્થાપિત હિત ધરાવનારાએ તેમની જાગૃતિને રોકવાના પ્રયત્ન કરે છે. તેમાંથી પણ કોમી સંઘર્ષણ ઉત્પન્ન થાય છે. સૌથી મોટા ગુનેગાર રાજકીય આગેવાના છે, જે ધર્મ, કામ, જાતિ, વર્ગ ભાષા વગેરેના ભેદને પોતાના સ્વાર્થ માટે વાપરે છે અને સંઘર્ષણા પેદા કરે છે. પછી સંઘર્ષણ માટે જોઈએ તેટલાં બહાનાં મળી રહે; આગેવાનો શોધી આપે અને તે બહાને ઉશ્કેરણી ફેલાવે, દાખલા તરીકે કન્યાકુમારીની સામે સમુદ્ર વચ્ચે ખડક ઉપર વિવેકાનંદ મંદિર બાંધવામાં આવ્યું છે, જે ભારતનું એક સાંસ્કૃતિક સીમા ચિહ્ન છે. કન્યાકુમારીથી વિવેકાનંદ મંદિર સુધી નૌકા વ્યવહાર ચાલે છે. માછીમારોએ આ નૌકા વ્યવહારને અટકાવી દીધા, તેમણે એનું બહાનું આપ્યું કે કન્યાકુમારીના કાંઠા અને વિવેકનંદના મંદિર વચ્ચે સમુદ્રનું પાણી ઊંડું કરવાથી જે કાંઠા પર અમારા ઝૂંપડાં છે તેનું ધોવાણ થાય છે. તેથી અમારાં ઝૂંપડાં જોખમમાં આવી પડયાં છે. જો આ કેવળ બહાનું નહીં પણ સાચું કારણ હાય । સત્તાવાળાએ ઝૂંપડાઓને સુરક્ષિત બનાવી શકે, પણ કાંઠા અને મંદિર વચ્ચે નૌકા વ્યવહાર અટકાવી દેવાના કોઈને અધિકાર નથી. આવાં ક્ષુદ્ર કારણેાથી ઉત્પન્ન થતાં સંઘર્ષણા અટકાવી શકાતાં નથી અને છેવટે ખૂનરેજી, આગ, લૂટ, વગેરે અત્યાચારો થાય છે. તેનું કારણ એ છે કે કેટલાક સ્થાનિક આગેવાનોના તેમાં સ્વાર્થ હાય છે અને રાજ્ય સરકાર તથા રાજ્યની સપાટીના આગેવાનો સત્તાની ખેંચતાણમાં અને આર્થિક તેમ જ રાજકીય લાભાની સાઠમારીમાં ગળાડૂબ હેાવાથી તેમને કોમી સંઘર્ષણાનાં કારણા દૂર કરવાની ફુરસદ હાતી નથી. વળી કેટલાક રાજકીય આગેવાનોને તો મસ્તાન કે પહેલવાન તરીકે ઓળખાતા ગુંડાઓની જરૂર હાય છે. પરિસ્થિતિના એક ખેદજનક વળાંક એ છે કે અગાઉ હિન્દુ મુસ્લિ। વચ્ચે જ હુલ્લડ થતાં હતાં; હવે હિન્દુ વિરુદ્ધ શીખા, સવર્ણ વિરુદ્ધ હરિજનો અને ગિરિજનો, હિન્દુ વિરુદ્ધ ખ્રિસ્તીઓ એમ સંઘર્ષણા વિસ્તરવાં લાગ્યાં છે. પ્રભુ ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા –નીરુબહેન સુખાધભાઈ શાહુ શ્રી ચુનીલાલ મા'રાજને મળ્યા પછી કઠ્ઠીવાડા જવા માટે મન ઉત્સુક હતું. અમે ત્રણ બહેના અને એક ભાઇ મુંબઇથી વડોદરા જ રવાના થયાં. વડોદરાથી બસ પડી છેટા ઉદેપુર પહોંચ્યાં. મધ્ય પ્રદેશની સરહદમાં આશરે ત્રીસેક માઇલ અંદર જવાનું હતું. સદ્ભાગ્યે એક મિત્રની જીપ મળી જતાં બપારે દોઢ વાગે કઠ્ઠીવાડા પહોંચ્યાં. રાજેન્દ્ર-આશ્રમના લતામંડપમાં જીપે પ્રવેશ ર્યો ત્યારે આનંદ અને આશ્ચર્યની લાગણી અનુભવી. ભરબારે પણ ઠંડક હતી. મને જોઇને આશ્રમનાં બાળકો દોડતાં મારું સ્વાગત ફરવા આવ્યાં, મારા'જ અને વનિતા-બાઓ પણ અમને આવકાર્યાં, તા. ૧૬-૪-૮૨ અમારું સ્વાગત કુમકુમ અક્ષત અને ફૂલાથી થયું. રાજેન્દ્ર આકામ (કઠ્ઠીવાડા) મા'રાજની કર્મભૂમિ. તે પહેલાં કચ્છમાં પણ તેમણે સેવાકાર્ય કરેલું. રાજેન્દ્રબાબુની પ્રેરણાથી તેમણે મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના આ આદિવાસી ક્ષેત્રમાં વસવાનું નક્કી કર્યું. જે બાવીસ વરસાથી શ્રી ચુનીમા’રાજ પાયાનાં પથ્થર બનીને આ કામમાં પેાતાના કુટુંબ સાથે ખૂંપી ગયા છે. આદિવાસી પ્રજાના અનેક પ્રશ્નો તેઓ રોજેરોજ હલ કરે છે. આ પ્રજા હજી આજે પણ અજ્ઞાન અને અંધકારમાં જીવે છે. સૂર્યના કિરણા ત્યાં પહેાંચે છે ખરા, પણ ત્યાં જીવન સળવળતું નથી. લોકા પાસે કામ નથી. ચામારામાં થોડી ખેતી કરે બાકીના આઠ મહિના આમલીના પાન યા થોડા ઘણા ભેગાં શ્રી રાબ જેવું બનાવીને પીએ. ગાઢ જંગલ, ખડકાળ જમીન, આળસુ સ્વભાવ અને મુખ્યપણે તાડી આ લોકોને અંધકારમાંથી બહાર આવવા દેતાં નથી. આ આદિવાસી કેમ જીવે છે? એના ગાર-માટીના ઝૂંપડામાં પ્રવેશ કરીને અમે જોયું તે ચાર દીવાલોની વચ્ચે પ્રગટાવેલા ગુલા ઉપર માટીના હાલ્લામાં રાબ ઉકળતી હતી આ જ એમનું Menu. દરેક ઘરમાં તીરકામઠા નજરે પડે. બાળકોને ભૂખનો અનુભવ ન થાય માટે તાડી પીવડાવીને સુવડાવી દે. બાળકા બે ત્રણ દિવસ ઉદયાં જ કરે. મોટાઓના પણ આ જ હાલ, આવી કારમી ગરીબીમાં પણ સરકારી અમલદારોના અત્યાચાર. જંગલ વિભાગના અમલદારો આ લેાકા પાસે કામ કરાવે, પણ ઠરાવેલું મહેનતાણૢ' ન ચૂક્યું. અંગૂઠા કરાવી લે પણ હાથમાં પૈસાને બદલે થોડી જુવાર આપે. અધૂરામાં પૂરું આદિવાસી જુવાન સ્ત્રીઓને અમલદારોના અત્યાચારના ભાગ બનવું પડે. આવી કરૂણ પરિસ્થિતિ જોઇને દિલ રડવા માંડયું. રાજેન્દ્ર - આશ્રમમાં" હાલ પંચોતેર બાળકો છે. આ બાળકોને આકામમાં માલવાનું સમજાવતાં પણ નાકે દમ આવે. આ બાળકો જ્યારે આશ્રમમાં આવે ત્યારે જંગલી ફૂલો જેવાં હોય છે. આશ્રમની કેળવણી બાળકોને દરેક ક્ષેત્રમાં તૈયાર કરે છે. ખેતી, સાક્સ્ટ્રી, બાગામ તથા રસોડાથી માંડી આશ્રમનું દરેક કામ બાળકો કરે છે. બાળકોની જુદી જુદી ટુકડીઓ ઉપર જુદા જુદા કામની જવાબદારી સોંપાયેલી છે. અથાગ પરિશ્રમ અને ત્યાગ વડે મા'રાજે અને વિનતાબાએ બાળકોને જીવન જીવતાં શીખવ્યું છે. આ જ બાળકીમાંથી ચાર શિક્ષકો તૈયાર કર્યા છે, જે આજે પોતાના જ ભાઇઓને કેળવણી આપી રહ્યા છે. આઠમા ધારણ પછી પરીક્ષા આપવા ઘટાઉદેપુર જવું પડે છે. આામના બાળકો રમતગમતમાં તેમજ આશ્રમના ભણવામાં નામ મેળવે છે. આ પ્રકારનું શિક્ષણ દેશની તમામ આદિવાસી અને પછાત પ્રજાના બાળકોને આપવામાં આવે તે આવી મરુભૂમિમાંથી નંદનવન ઊભું થાય. સામાન્ય રીતે આવા પ્રદેશમાં સારી સ્તરે રસ્તાઓ ખાદવાનું, ખુલા બાંધવાનું તથા એવા મોટા મા ચાલતાં હોય છે જેથી આવા લોકાને રોજી મળી રહે છે, પરંતુ આ એરીયામાં સરકારી અમલદારો જ એવા ખાઉધરા હોય છે કે અહીંની પ્રજા સુધી કશું પહોંચતું જ નથી. માટે આ પ્રજાને ગરીબીની સીમારેખા સુધી પણ જે લાવવી હોય તો નાના ગૃહ ઉદ્યોગે મોટા પાયા પર ઘેર ઘેર ચાલુ કરવા જોઇએ. લાડીને આવી નાની ચીજવસ્તુઓ ઉત્પાદન રવાની કેળવણી આપીને પાતાની રોજીરોટી મેળવતા કરવા જોઇએ અને ઉત્પન્ન થયેલા માલનું વેચાણ આશ્રામ દ્રારા થઇ શકે. મોટા પાયા પર લેક સેવકા આગળ આવે. તા જ આ દિશામાં પ્રગતિ સાધી શકાય. 6
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy