________________
Regd. No. MH. By/South 54 Llcence No. : 37
प्रजद्ध भवन
L
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક છૂટક નકલ શ. ૧૦૦
મુંબઈ ૧૬, ફેબ્રુઆરી, ૧૯૮૨, મંગળવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિંગ ૬૦ તત્રી: ચીમનલાલ ચકુભાઇ શાહે
( પ્રબુદ્ધ જૈન 'નું નવસંસ્કરણ વર્ષ ૪૫: અંક: ૨૦
સ્વસ્થ
[] ચીમનલાલ ચકુભાઇ
[ી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૩૦-૮-૧૯૮૧ના રોજ આપેલું પ્રવચન]
[૧]
આ વ્યાખ્યાનમાળાને આવતે વર્ષે પચાસ વર્ષ પૂરા થશે. દર વર્ષે આકર્ષણ વધતું જાય છે. દીર્ઘ સમય માટે અનેક અગવડો વેઠી આપ સૌ અહીં આવા છે. આ આકર્ષણનું કારણ શું છે? અહીં સંતપુરુષો ઉપદેશ આપવા નથી આવતા. મારા તમારા જેવા સામાન્ય માણસા આવે છે.
જીવનની સમસ્યાઓ સદાય બધાને મૂંઝવતી રહે છે. હવે એ સમસ્યાઓ દિન-પ્રતિદિન વિકટ, જટિલ અને વધારે મૂંઝવણ-મરી બનતી જાય છૅ, અશાંતિ, માણસના મનનો કોલાહલ અને વિષાદ વધતાં જાય છે. કરોડો માણસ એવા છે જેમને આજે કે આવતી કાલે રટી મળશે કે નહીં તેની ચિંતા છે. તેમને માટે બીજા વિચારોને અવકાશ નથી. દેહ ટકાવવા એ જ એમની ચિંતાના વિષય છે.—બીજો ઘણા નાના વર્ગ છે, જેને રોટીની ચિંતા નથી પણ બીજી ચિંતા છે. તેમની માનસિક અસ્વસ્થતાનું કારણ જુદા પ્રકારનું છે. તેઓ મનની કાંઈક શાંતિ મેળવવા અહીં આવે છે. શાંતિ મળે છે કે નહિ તે હું નથી જાણતો. વક્તાને પણ ખંબર ન હોય કે તેના વચનની કોના પર શું અસર થશે? પણ જેનું ચિત્ત જાગૃત હાય તેને માટે તે એક એવું નમિત્ત થઈ પડે છે. પરિવર્તન થઈ જાય છે. શાંતિ મળે છે. કદાચ બહુ થોડા માણસોને થાય. અહીં આવનાર વ્યાખ્યાતાઓ કંઈક વિચાર કરીને આવે છે, કંઈક વાંચીને આવે છે.
શ્રેતાઓ અહીં અંતરની શાંતિ મેળવવા આવે છે. તેમને કોઈ કહે, “સાચી શાંતિ મનમાંથી જ મળે છે. મનની વૃત્તિઓ પર કાબૂ મેળવવા જોઈએ. ચિત્તને સ્વસ્થ કરવું જોઈએ. મન એ જ ક્ષિ અને બંધનનું કારણ છે. મનને સમજો, વૃત્તિઓને સમજો. સાચી શતિ અંતરમાંથી જ મળશે. જાતને અંતર્મુખ કરો. “આ ઉપદેશની મોટી વિચારધારાઓ છે. કોઈ કહેશે “મન ખાલી કરો; મનને આમ કરો; તેમ કરો.' આ બધું સારું છે, છતાં માણસનું મન અસ્વસ્થ કેમ રહે છે?
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
માણસના મનની અસ્વસ્થતાનાં બે કારણ છે. એક તા તેનું પોતાનું મન, પ્રકૃતિ, સ્વભાવ- જે મનમાં અશાંતિ પેદા કરે છે, જો પોતાના મનને અને પ્રકૃતિને કાબૂમાં લાવે, સમજે તો એટલે દરજજે શાંતિ મળે.
અશાંતિ અને અસ્વસ્થતાના એક બીજા કારણ પ્રત્યે મારે
સમજ
©
આજે વિશેષ ધ્યાન ખેં ́ચવાનું છે, તે છે સમાજ. માણસ સામાજિફ પ્રાણી છે. મનુષ્યેત્તર પ્રાણીખોનું ટોળ હોય છે; તેઓ સમાજ નથી રચતા. પ્રાણીઓમાં માતાપિતા અને સંતાનો વચ્ચેનો સંબંધ પણ ટૂંક સમય પછી પૂરો થઈ જાય છે. પંખી-માતા ઈંડાને જન્મ આપે, એને સેવે, બચું મોટું થાય, ઊડી જાય, પછી એને કોઈ સંબંધાની ખબર નથી રહેતી.
માણસ સમાજનું સર્જન કરે છે. એ સમાજ માણસના સુખ અને દુ:ખનું કારણ બને છે. માણસ અનેક સંબંધોથી બંધાય છે, વીંટળાય છે. કરોળિયાની જાળ પેઠે ચારેતરફ પાતાની જાતને ગૂંથે છે. પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-બહેન, શેઠનો, કોઈ દેશના નાગરિક, કોઈ સંસ્થાના સભ્ય, એવા અનેક સંબંધાથી માણસ વીંટળાયેલા છે. આ મિન્ન મિન્ન સંબંધી કેટલા અને કેવા પ્રકારના છે એનો વિચાર કરીએ તો ખરેખર આશ્ચર્ય થાય. .:
આ સંબંધા અસર કરે છે, વિવિધ પ્રકારના પ્રત્યાઘાત પડે છે. કુટુંબમાં કલેશ, પતિ-પત્ની વચ્ચે ઝઘડો, સંસ્થામાં, વ્યાપારમાં, ક્યાંક ક્યાંક આ કોલાહલ વધતો રહે છે. માણસે પોતે ઊભું કરેલા આ કોલાહલ છે. માણસના દુ:ખનું કારણ કુદરત કરતાં એ પાત્તે જ વધારે છે. માણસે ઉત્પન્ન કરેલાં દુ:ખ નેવું ટકા છે અને કુદરત તરફથી દશ ટકા છે.
સામાજિક સંબંધોથી માણસે રાજ્યની રચના કરી. પછી અર્થકારણ આવ્યું. મંદિરો બાંધ્યાં, મસ્જિદો બાંધી, સાહિત્ય, કળા અને સંગીતનું નિર્માણ કર્યું, વિજ્ઞાન આવ્યું. માણસની વિવિધતા અપાર છે, એની શકિતઓ અપાર છે, એની બુદ્ધિમત્તા અપાર છે, પણ તે સાથે આ કોલાહલ, અશાંતિ, વર્તમાન જંગતમાં ચરમસીમાએ પહોંચ્યાં છે.
આજે દુનિયા એક થઈ ગઈ છે. અમેરિકાના પ્રમુખ રેગન ન્યુટ્રોન બામ્બ બનાવવાના નિર્ણય કરે તેની અસર મારા-તમારા જીવન પર થાય; આપણે તેની ચિંતા સેવીએ. ઈરાનમાં ખૂનરેજી થાય તેનો પવન અહીં વાય અને આપણે ચિંતા કરવી પડે છે. અમેરિકા પાકિસ્તાનને શસ્રો આપે તેની અસર ભારત પર થાય. સમસ્યાઓ વધતી જાય છે. વિજ્ઞાને માણસને આપેલાં સાધના અદ્ભૂત છે. એક ક્ષણમાં અમેરિકાથી સંદેશો સેટેલાઇટ દ્વારા અહીં આવી શકે છે. દુનિયા એટલી સાંકડી અને નાની થઈ ગઈ છે જેથી મારા-તમારા મન ઉપર પ્રત્યાઘાતો વધતા જાય છે. જ્યારે કોઈ સાંદેશવ્યવહારના સાધનો નહોતાં ત્યારે એક જગ્યાએથી ખેપિયા દ્વારા અન્યત્ર સમાચાર મોકલવામાં ઘણા સમય લાગતો. તેનો જવાબ આવતાં દિવસે નીકળી જતાં. બળદગાડામાં બેસીને આઠ કે અંદર