________________
પ્રબુદ્ધ
જીવન
તા. ૧-૨-૮૨.
અણી પર હતો. ત્યાં મારી પત્નીએ મને સમજાવ્યા, હિંમત આપી અને કહાં, “આપણે બને ત્યાં સાથે કામ કરશે અને જે સિદ્ધાંતને તમે અપનાવ્યો છે કે જે વચન આપ્યું છે તેનું પાલન કરીશ” અને અમે બને એ સંસ્થામાં જોડાઈ ગયાં. નાની સરખી ઓફિસ. એક જ સહાયક, મારું કામ હતું મેટી મટી કલબો કે જેની સદસ્ય મેટા ઉદ્યોગપતિઓ અને કરોડપતિએ હતા ત્યાં જઈ તેમની સમક્ષ ભાષણ આપવા અને એમનાં ઉદ્યોગપ્રતિષ્ઠાનોમાં અપંગોને નોકરીએ રાખવા માટે સમજાવવા. ઘણી એછિા. ઉદ્યોગપતિઓએ આ વાતને સમર્થન આપ્યું જેમણે થોડાક અપંગાને
કરીએ રાખ્યો. એમણે આ નિરાધારોની વિવશતાને ગેરલાભ લેવા, માંડ. પગાર ઘણે ઓછો ને કામ ઘણું. એમની આ શાપણવૃત્તિ જાગ્યા પછી અમે આવી સંસ્થાઓમાં અપંગ કામદારને મોકલવાનું
પછી તો અમુક લોકોની મદદથી અને મળેલા પ્રોત્સાહનથી અમે પોતે જ એક નાના સરખા ગેરેજમાં એક નાની શી ફેકટરીની સ્થાપના કરી. આમ ‘એબિલિટીઝ ઈન્કોપરેટેડ'ને જન્મ થયો. ધીમે ધીમે આર્થિક મદદ મળતી ગઈ. વિકલાંગ કામ માટે આવતા ગયા. ઉત્પાદનનનું કાર્ય શરૂ થયું. સંખ્યા વધતી ગઈ. નફો પણ વધતો ગયો. પ્રારંભમાં જ અમે એવો નિર્ણય કરે કે આ સંસ્થમાં એ જ વ્યકિત સભ્ય થઈ શકે જે અપંગ હોય.
દિવસે દિવસે એવા અપંગ ભાઈ-બહેને રોજગાર માટે અમારી સંસ્થામાં આવવા લાગ્યો કે જેની કલ્પના પણ ન કરી શકાય. (ડાંક ઉદાહરણ ઉપર પ્યાં જ છે.) કૃત્રિમ અવયવાળાં પિતાની મેળે ટટાર ઊભા પણ ન રહી શકે એવા, રોગોથી ગ્રત, જર્જરિત દેહવાળા, દૂઠાં, બહેરાં, કામ કરવાની વાતે દૂર રહી પણ જેમની જીવનની આશા પણ નહેાતી એવા અને કુટુંબ તથા સમાજે જેમની ઘોર ઉપેક્ષા કરી એવા દયનીય સ્થિતિવાળા.
આવા નિરાધાર વિકલાંગોને સહારો અને હિંમત આપી ઊભા કરવા, એમને કામ આપીને શ્રમની કમાણી કરાવી સ્વમાનપૂર્વક જીવી શકે એવી વ્યવસ્થા કરી આપવી એ આ સંસ્થાને ધ્યેય છે.
સ્વાનુભવથી કહે છે કે સશકતેને પણ શરમાવે એવી એ અપંગ શ્રમિકોની કાર્યદક્ષતા છે. પ્રત્યક્ષપણે દેખાતી અપંગતા પાછળ મજબૂત મને બળ છે. તે અંગે પાંગથી વિવશ પણ ચેતનાથી સભર છે. એશિયાળાપણાંને તેઓ ચેલેન્જ આપે છે અને ઘરને ખૂણે બેસી રહેલાં અન્ય બેકાર અપંગોને પ્રેરણા આપે છે. આ છે માનવ ગરિમાને જ્યકાર.
અમારી આ સંસ્થા વિશે અને સંસ્થાના અપંગ શ્રમિકોની કેટલીક વિશેષતાઓ:
* સંસ્થાના કર્મચારીઓમાં મોટા ભાગના તેઓ હતા જેમને અન્ય કંપનીઓએ પોતાને ત્યાં કામે લગાડવાનો ઈનકાર કરેલો. પણ એ જ કંપનીઓ હવે અમને ઓર્ડર આપતી.
* પ્રતિ વર્ષે અમારો નફો વધતો ગયો. રિઝર્વ ફંડ વધ્યું. સ્વાસભ્ય વીમે દરેક માટે લવાયો. પ્રોવિડન્ટ ફંડે આપવાનું શરૂ કર્યું.
* વર્ષનો કર્મચારીઓ માટે ૩૦ ટકા જેટલો પગાર વધારો પણ અપાય.
* * અમે જ અમારી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરી અને સંસ્થાના સભ્ય ભાઈએાને નામના વ્યાજ પર ઋગ આપવાનું પછી શરૂ કર્યું.
* * અપંગતા નિવારણ અને અપંગે માટેનું સંશોધન કેન્દ્ર પણ શરૂ કર્યું..
* * આ સંસ્થાની પ્રતિષ્ઠા એટલી બધી વધી કે દેશના અનેક પ્રતિષ્ઠાનોએ અમને લાખ ડોલર અનુદાન તરીકે આપવાની ઈચ્છા પ્રગટ કરી, પરંતુ અમે પ્રારંભમાં કરેલા નિર્ણય અનુસાર, કોઈ પાસેથી કંઈ પણ અનુદાનમાં સ્વીકાર્યું નહીં, હા, અમને કોઈ કામ આપે તે લેવા અમે તત્પર હતા.
* દેશના અગ્રગણ્ય અખબારોએ અમારી સંસ્થાની મુકતકંઠે પ્રશંસા કરી અને અમને બિરદાવતાં લખ્યું છે. ઈ. સંસ્થા અપંગોની સમતાને વિકસિત કરી છે એટલું જ નહીં પણ એમની આધ્યાત્મિક શકિતને પણ વિકાસ કર્યો છે. વસ્તુત: સરકારે પોતે જ અપંગાના સમુત્થાન માટે આવાં કેન્દ્રોની સ્થાપના કરવી જોઈતી હતી.
* નિષ્પક્ષ ડોકટરોની એક પેનલ જેમણે અમારી સંસ્થાના કર્મ
ચારીઓનું નિદાન કરેલું તેમના રિપોર્ટ મુજબ તો આ વિકલાંગો પાસેથી મશીન ઉપર આનું ઉત્પાદન ક્ષમ કરવી જ ન શકાય. એમાં ખતરો છે, જોખમ છે. મેં એમાંના એક હોકટરને કહ્યું, સાહેબ તમારી વાત સત્ય છે. પરંતુ અમારી સંસ્થાની સ્થાપના આવા ભયને પ્રતિકાર કરવા માટે જ ઉભી થઈ છે કારણ વિકલાંગોને કામ કરવાની જે સુંદર અને ઉપયોગી તકો મળે છે એ એમને માટે કોઈ શકિતવર્ધક ઔષધિ (Tonic) ની ગરજ સારે છે. શ્રમરૂપી રસ એમને માટે સંજીવની છે અને કામ એ જે ઉજામ ચિકિત્સા છે.
* અમારા કર્મચારીએ, અન્ય ફેકટરીઓના સ્વથ કર્મચારીઓ કરતાં પ્રમાણમાં ઘણી ઓછી રજાઓ લે છે અથવા ગેરહાજર રહે છે. આંધી છે કે તોફાન, આ લોકો દૂર દૂરથી પણ યથા સમયે કામ પર હાજર થઈ જાય છે. લાંબી રજા લેવા માટે તેઓ રાજી નથી હોતા. અરે! કેટલાક તો કહે છે. અમને ઘેરે પણ કામ કરવા માટે આપ! કેવી સુંદર કર્તવ્યનિષ્ઠ અને કાર્યકુશળતા!
- આમ, સફળતાના શિખર પર ચડાઈ કરવામાં જે જોખમ અને સંઘર્ષ છે તે અમે જાણીએ છીએ. છેલ્લા ત્રણ વર્ષમાં આવી કપરી ચઢાઈ કરતાં કરતાં અમે ઘણીવાર લપસ્યા અને ગબડી પડયા. છતાં સંભાળીને પાછા ઉપર ચઢયા અને વિજ્યી થયા છીએ. એટલે જ અસફળતાથી અમે નિરાશ થતો નથી.
અંતે હું ઈશ્વરને આભાર માનું છું કે પ્રભુએ મને અપંગ બનાવ્યો અને અપંગતા સામે સંઘર્ષ કરવાની શકિત આપી. અમારા પર દયા ન કરો અમને પ્રેમ આપો, કામ આપો અને પ્રોત્સાહિત કરો.
“Work is Worship'. ના સૂત્રને મૃતિમંત રીતે ચરિતાર્થ કરતી તથા અપંગની ખુમારી સાથે જીવનની કલા શિખવતી રોક પુરુષાર્થ પ્રતિષ્ઠાનની આ છે એક ઐતિહાસિક ચશકથી. વંદન હજો એ વિકલાંગ સાહસવીરોને અને આવી સંસ્થાને.
(૧૯૦મા પાનાથી ચાલુ) થતું જ નથી. બાળકમાં સહુ પ્રથમ લાગણીને વિકાસ થ જરૂરી છે.
લાગણીના વિકાસ પહેલાં પણ જે વિકાસ થવો જરૂરી છે તે વસ્તુ ગત સ્વાનુભવ અને તેના આધારે કરવાનો નિર્ણય. આ દષ્ટિએ વિચારતાં કેળવણીનું માધ્યમ અનુભવ જ હોવું જોઈએ; શબ્દ નહિ જ. આપણે ત્યાં કેળવણીનું માધ્યમ શબ્દ છે. તેથી આપણી કેળવણી શબ્દો દ્વારા પરપાટિયા બની છે. ઠાલી શબ્દના પરપોટા જ ઊભા થાય છે. જેને આપણે શબ્દો કહીએ છીએ તે વસ્તુત: વ્યકિતના અને સમૂહના અનુભવોના સંકેત છે. સંકેતના પાયામાં અનુભવ પડેલો છે. જેણે અનુભવ લીધો એણે અમુક સંકેતો નિશ્ચિત કર્યા. હવે પાયાને અનુભવે છે જેને ના હોય તે બાળકને તે અનુભવના સંકેત રૂપ શબ્દો કહે છે તે સમજે શી રીતે? અનુભવ નથી એવા બધા જ શબ્દો પેલા છે. બરિ તેર વર્ષની ઉંમર સુધી બાળકને ઇન્દ્રિયો દ્વારા જગતનો જે અનુભવ થાય તેને કેળવણીને ભાગ બનાવવા જોઈએ. પંચેન્દ્રિય ધરા બાળક જે અનુભવ પામે તેને કપેર કરવા જોઈએ. ઈન્દ્રિયની શકિત ધારીએ છીએ તે કરતાં ઘણી વધારે છે. આપણી કેળવણીની પદ્ધતિ શબ્દ પ્રામાણ્ય ઉપર આધારિત છે. એ હવે જૂની થઈ. હવે અનુભવ – પ્રામાય એ જ કેળવણીના પાયામાં હોવું જોઈએ. આપણે ત્યાં અનુભવ આધારિત જ્ઞાન ૧ ટકે છે. ૯૯ ટકા અભિપ્રાય આધારિત છે.
૧૪ વર્ષની વય સુધીમાં બાળકને માટે બે જ વાતે બસ છે. એક મૈત્રી. બીજું: કોઈ એક કામ. માણસ એ સામાજિક પ્રાણી છે. વ્યકિતને સ્વભાવ અને મનુષ્યસમાજની રચના આ બે વચ્ચે મેળ બેસાડવો હોય તે મૈત્રી જરૂરની છે. | દર્શકે એક બીજી વાત એ કહી કે પ્રતિભાસંપન્ન માણસ અને સમાજ વચ્ચે સંઘર્ષ ચાલ્યા જ કરવાને કારણ પ્રતિભાવાન માણસ સમાજનું શીધ્ર પરિવર્તન થાય એમ ઈચ્છે છે. પણ સમા- . જની પિતાની ગતિ અત્યંત મંદ છે.
દર્શકે ફરીથી ભારપૂર્વક કહ્યું:“ભાવને સેનું જળવાય છે કે નહિ એ વસ્તુનું શિક્ષણમાં ઘણું મહત્ત્વ છે. ઇન્દ્રિની મદદથી લાગણીની કેળવણી થવી જોઇએ. આ શિક્ષણ શબ્દોને વચ્ચે લાવ્યા વગર આપી શકાય. માત્ર શબ્દોનું જ્ઞાન પોકળ છે.
ત્રીજ વ્યાખ્યાનને સંક્ષેપ હવે પછી.
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ-૪૦૦૪. ટે. નં: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ કોટ, મુંબઈ -૪૦૦૦૦૧.