________________
મુખપૃષ્ઠ-૨
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક
સ્વ. ચીમનભાઈની ધર્મભાવના
॥ શ્રી મોરારજીભાઈ દેસાઈ
ચીમનભાઈ એ જીવી તો જાણ્યું જ. એમણે મરી પણ જાણ્યું. જીવવાનો આનંદ સહુ કોઈ ને હોય, મવાનો આનંદ કોઈને ન હોય. પણ ચીમનભાઈ ને મન જીવવાના કે મરવાના આનંદમાં કોઈ ફરક નહોતો. મૃત્યુ આવતું હોવાનું જાણવા છતાં અંતિમ ક્ષણોમાં તેમના મનમાં ધર્મનો વિચાર રહ્યો હતો. જીવનસર ધર્મનો વિચાર કર્યો હોય તો જ મૃત્યુકાળે માણસનું મન ધર્મમય રહે. માણસ સાચીરીતે જીવન જીવ્યો કે નહીં તેની કસોટી તેના મરણ સમયે થાય છે. ચીમનભાઈ એ ક્સોટીમાંથી પાર ઊતર્યાં હતા. મરણુ આવી રહ્યું હતું ત્યારે પણ ચીમનભાઈ એ રવસ્થના ખોયા વગર લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું.
ચીમનભાઈ ને પહેલી વાર હું ક્યાં અને કયારે મળ્યો તે બહુ યાદ નથી. પરંતુ ઈ. સ. ૧૯૫૨ થી અમારો પરિચય ગાઢ થયો. લોકસભાની પહેલી ચૂંટણી ઈ. સ. ૧૯૫૨ માં થઈ. ચીમનભાઈ સુરેન્દ્રનગર વિસ્તારમાંથી ચૂંટણીમાં ઊભા હતા. તેઓ ચૂંટાઈ આવ્યા. એમના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે હું ગયો હતો, તે વખતે એમનો મને વિશેષ અંગત પરિચય થયો. ત્યાર બાદ અમે પ્રસંગોપાત મળતા હતા. અમારી વચ્ચેની ચર્ચાઓ સદ્ભાવમરી હતી. એમને મારા પ્રત્યે ઘણો સદ્ભાવ હતો.
સૉલિસિટર તરીકે ચીમનભાઈ આરંભમાં ખીજાથી કદાચ બહુ જુદા ન હતા. પરંતુ પછીથી એમનામાં ધાર્મિક ભાવના ઉત્તરોત્તર વધતી ગઈ. તેની અસર એમના સૉલિસિટર તરીકેના વ્યવસાયમાં પણ વરતાતી હની. સૉલિસિટર છનાં વડાઓ શમાવવાનો અને સમાધાન કરાવવાનો તેઓ આગ્રહુ રાખતા. આ રીતે એમણે પોતાની તેજસ્વી બુદ્ધિનો સદુપયોગ કર્યો.
ધર્મ અંગે અમારા વિચારો લગભગ સરખા હતા. અમારી વચ્ચે રાજકીય બાબતો કરતાં ધાર્મિક વિષયોની વધુ વિચારણા થતી. નિઃસ્વાર્થપણે ખીજાતની સેવા કરવી એ જ ધર્મ છે. છતાં ધર્મનું આચરણ સહેલું નથી. આજે ધર્મના નામે ઝપડા વધી ગયા છે. દુનિયામાં ધર્મને
સ્વ. ચીમઁનલાલ ચકુભાઈ શાહનો અંતકાળ એક બહુશ્રુત તત્ત્વચિન્તકને શોમે તેવો હતો. પોતે હોસ્પિટલમાં દાખલ થયા, ઔપરેશન કરાવ્યું. ધરે પાછા આવ્યા અને દેહ છોડ્યો ત્યાં સુધીના લગભગ પચાસ દિવસના ગાળાના એમના જીવનકાળને વારંવાર નજીકથી નિહાળવાનું અન્યું અને તેનો પ્રભાવ ચિત્તમાં સુદૃઢ અને અંક્તિ થયો. શ્રી ચીમનભાઈ સાચા અર્થમાં તત્ત્વચિંતક છે, તેની પ્રતીતિ એમના આ અંતકાળમાં વિશેષપણે થઈ
છેલ્લાં કેટલાંક વર્ષથી શ્રી ચીમનભાઈ જાહેર સભાઓમાં, ખાસ કરીને, એમના જન્મદિનની ઉજવણીના પ્રસંગે, વખતોવખત એમ કહેતા : ‘મને મૃત્યુનો ભય નથી. આ પળે મૃત્યુ આવે તો પણ હું તે માટે સજ્જ છું. ’ પોતે ઉચ્ચારેલું આ કથન એમણે પોતાના અંતકાળમાં ચરિતાર્થ કરી બતાવ્યું.
છેલ્લાં દોઢેક વર્ષથી પૂ. ચી મનભાઈની પડોશમાં રહેવાને કારણે મારે વારંવાર સાંજના સમયે એમને મળવાનું થતું. હું મળે ત્યારે જડ અને ચેતન તત્ત્વ, જીવ અને આત્મા, વિશ્વનું સ્વરૂપ અને વ્યવસ્થા વિશે ઘણી વાર ચર્ચા ચાલતી. છેલ્લા દિવસોમાં તેઓ શ્રીમદ્ રાજચંદ્રનો મોટો ગ્રંથ નિયમિત વાંચના. દેહ અને આત્માની ભિન્નતા અને દેહની અનિયતા વિશેનાં શ્રીમદ્ રાજચંદ્રનાં ધણાં માર્મિક વચનો તેઓ મને વંચાવતા
તા. ૧-૧-૮૩
નામે જેટલાં યુદ્ધો થયાં છે એટલાં ખીજાં કશા માટે થયાં નથી. ધર્મનું ક્ષેત્ર જ એવું છે એમ નથી, મનુષ્યનો સ્વભાવ એવો છે, તેથી ઝગડા થયા કરે છે. છેવટે અધર્મ ચાલતો નથી. સત્યમેવ નાતે બધા બોલે છે, પશુ પાલન કેટલા કરે છે? જયાં સુધી કસોટી નથી થતી, ત્યાં સુધી અધા ધર્મની વાતો કરે છે. પણ કસોટી થતાં કેટલા ઓછા લોકો એમાં
પાર ઊતરે છે?
સ્વ. ચીમનભાઈનો અંતકાળ -ડાઁ. રમણલાલ ચી. શાહુ
માત્ર ક્રિયાકાંડ એ ધર્મ નથી. સાધન ભલે ગણાય. ધર્મમાં તો અભય, અહિંસા, સત્ય અને નમ્રતાઃ એ ચાર અવશ્ય હોવાં જ જોઈ એ. એ ચારમાંથી એક ન હોય તો ખાકીના ત્રણ અધૂરાં છે. એ ચારે પરસ્પર સંકળાયેલાં છે. ધર્મને સતત આચરણમાં મૂક્યો જોઈ એ એ ચીમનભાઈની અતૂટ શ્રદ્દા હતી. એમનાં વાણી અને વર્તનમાં ફરક નહોતો. એમનામાં આંતરનિરીક્ષણુ સતત ચાલતું રહેતું હતું. એટલે જ ઉત્તરોત્તર એમની પ્રગતિ થઈ. આ રીતે અમારા વિચારોમાં સામ્યતા હતી. એમાં મુખ્ય કડી હતી ધર્મની. એટલે જ પર્યુંષણ વ્યાખ્યાનમાળામાં તેઓ મને આગ્રહપૂર્વક બોલાવતા.
માણસના વ્યક્તિત્વનાં આધ્યાત્મિક, સામાજિક અને રાજકીય આ ત્રણે ય પાસાં તેમણે ખીલવ્યાં હતાં. તેઓ સાચા સાધક હતા. તેમનામાં કરુણા હતા. પોતાના જીવનની સુવાસ મૂકી સેવાનો તથા ઉમદા વિચારોનો વારસો તેઓ આપણને આપતા ગયા છે. આટલી અધી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા, એ તેમની સુવાસની પ્રતીતિ કરાવે છે. તેમનામાં પ્રબળ સેવા ભાવના હતી. માનવ રાહતનાં કાર્યો, ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર વગેરે દ્વારા કર્યા એ નાનીસૂની વાત નથી. કર્તવ્યપાલનમાં તેઓ ચુસ્ત હતા. તેમનામાં પરિસ્થિતિ અનુસાર સમાધાન વૃત્ત પણ હતી.
એમના જીવનમાં ઉત્તરોત્તર ધર્મની અસર આવી હતી તે એમના છેલ્લા લેખો બતાવે છે. ધર્મને આચરણમાં મૂકવો જોઈ એ એમ તેઓ પણે માનતા. એમને એમાં કેટલી આસ્થા હતી તે એમની છેવટની ઘડી સુધીની સ્વસ્થતા પરથી પણ જોઈ શકાય છે:
અને એ બધા વિશે પોતે કંઈક લખવા ઇચ્છે છે એમ વારંવાર કહેતા. એમાંના એકાદ વિષય પર એમણે એક લેખ લખીને ‘ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ પણ કર્યો હતો.
ચીમનભાઈનું આરોગ્ય ઠેઠ બાલ્યકાળથી બહુ સુખરૂપ રહ્યું ન હતું. તેમને પેટની તકલીફ વારંવાર થતી હતી. એને કારણે પોતાના જાહેર જીવનમાં હરવા-ફરવાની દૃષ્ટિએ એમણે કેટલીક મર્યાદાઓ સ્વીકારી લીધી હતી. તેઓ પ્રકૃતિએ એટલા સ્વસ્થ અને શાંત હતા કે તેમને હૃદયરોગનો હુમલો થાય એવો સંભવ ન હતો. તેમનું ચિત્તતંત્ર પણ અત્યંત સૂક્ષ્મ આંદોલન ઝીલ્લી-સમજી શકે તેવું વચ્છ, શાંત, નિર્મળ અને સુકુમાર હતું. એટલે ચિત્તાવેગને કારણે થતા કોઈ રોગનો તેમને ભય નહોતો. તેઓ કોઈ વખત કહેતા, ‘હું જઈશ તો પેટની બિમારીને કારણે જઈશું.’
૧૯૮૨ ના ૧૧ મી માર્ચના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી તેમની ૮૧મી વર્ષગાંઠ સંધના પરમાનંદ કાપડિયા હૉલમાં ઊજવવામાં આવી હતી. તે દિવસે સાંજે કાર્યક્રમ પછી સાથે ઘરે પાછા ફરતાં એમણે મને કહ્યું, હું બહારથી જેટલો સ્વસ્થ દેખાઉં છું તેટલો અંદરથી સ્વસ્થ નથી. આઈ કીલ અ લમ્પ ઇન માય સ્ટમક, હું હવે હુ લાંબું જીવવાનો નથી, મારો અંતકાળ નજીક આવી રહ્યો છે.’.. [અનુસંધાન : મુખપૃષ્ઠ−3 ]
2