________________
Regd. No. MH. By/South 54 licence No. : 37
Tr :
Cબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ:જ અંક: ૧૫
મુંબઈ ૧-૧૨-૮૨ ડિસેમ્બર, ૧૯૮૨, બુધવાર
મુંબઈ જૈન યુવક સંધનું મુખપત્રઃ પાક્ષિક વાર્ષિક લવાજમ રૂા.૨૦ઃ પરદેશ માટે શિલિંગ ૬૦
છૂટક નલ રૂા. ૧-૧૦ તંત્રી સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ
સ્વર્ગસ્થ ચીમનલાલ ચકુભાઈ શાહ
મ
---
-
Death never takes the wise man by surprise;
When I am dead, my dearest, He is always ready to go. -Jean De La Fontaine Sing no sad Songs for me. -Christina Rossetti न संतसंति मरणंते सीलमंता बहुस्सुा ।
-ઉત્તરાધ્યયન સૂત્ર-પ/ર૯ આપબળે આગળ વધેલા એક તેજસ્વી વિદ્યાથી, ભારતના સ્વાતંગ્યસંગ્રામના એક સેનાની, ભારતના બંધારણના ઘડનારાઓમાંના એક, ભારતની લોકસભાના સભ્ય, જૈન સમાજને મૂધન્ય નેતા, એક નામાંકિત સેલિસિટર, અનેક સામાજિક, શૈક્ષણિક, સાંસ્કારિક અને ધાર્મિક સંસ્થાઓના સૂત્રધાર, ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષો સુધી મંત્રી, પીઢ પત્રકાર, પ્રજ્ઞાશીલ તત્વચિંતક, સમય વકતા, પ્રતિભાસંપન્ન લેખક, આપણું રાષ્ટ્ર-સ્થવિરમાંના એક શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહનું શનિવાર, તા. ૨૦ મી નવેમ્બર ૧૯૮રના રેજ સવારે I ૧૧-૧૫ વાગે ૮૧ વર્ષની વયે દેહાવસાન થયું છે. જીવલેણ કેન્સરના વ્યાધિની જાણ થઈ ત્યારથી જીવનની
અંતિમ ક્ષણ સુધીના લગભગ બે મહિનાના સમયમાં પણ એમણે પૂર્વવત્ જે નિર્ભયતા, સ્વસ્થત, પ્રસન્નતા, T સમતા, શાંતિ વગેરે દાખવ્યાં છે તેના પ્રત્યક્ષ સાક્ષી ઘણાં બધાં છે. એમની પાસે જે ન જીવન જીવવાની
કલા હતી તેમ મૃત્યુને પરમ સખા માનીને ભેટવાની કલા પણ હતી. હૈસ્પિટલમાં દાખલ થયા પછી આવી | ગંભીર માંદગીમાં પણું એમણે “પ્રબુધ જીવનના છેલ્લા ત્રણ લેખ લખાવ્યા તે એમના ચિત્તની અસાધારણ સ્વસ્થતાનાં અને કર્તવ્યનિષ્ઠાના દ્યોતક છે.
. . પિતાના અવસાન નિમિત્ત કેઇએ શેક દાખવો નહિ એવું એમણે વખતેવખત કહ્યા કયુ હતું, અલબત્ત, આવી મહાન વિભૂતિની વિદાયથી જેમ સૌને તેમ અમારા શ્રી મુંબ જૈન યુવક સંઘને તેમજ પ્રબુધ્ધ જીવનને ને પૂરી શકાય એવી મેટી ખોટ પડી છે. . : Fજીવનની અંતિમ ક્ષણ સુધી સતત જાગૃત રહી પડિત મરણ પામનાર સદ્ગતના આત્માને પરમ શાંતિ હો!|
-રમણલાલ ચી. શાહ –સહતંત્રી
ગભીર
મ
તવ્યનિષ્ઠાનાં ઘાતક છે દાખવે નહિ ?