SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પા માટી તપશ્ચર્યા 'પ્રબુદ્ધ જીવન જેમાં જૈન સમાજમાં એકસાથી વધુ ઉપવાસ કરવાના પ્રસંગા છેલ્લાં બે વર્ષમાં ચાર-પાંચ ઊજવાઇ ગયા. થે!ડા વખત પહેલાં મલાડમાં શ્રીમતી રજવતીબહેને ૧૦૮ ઉપવાસ કર્યાં હતા. ત્યાર પછી હમણાં રવિવાર તા. ૧૭ મી ઓકટોબરે નાસિક રોડ ખાતે પાલનપુરનિવાસી શ્રીમતી ચંદ્રિકાબહેન કાહારીના ૧૦૮ ઉપવાસની પૂર્ણાહૂતિ અને પારાને પ્રસંગ ઉજવાયા. પ. પૂ. અન ઋષિના સમુદાયનાં પૂ. માણેક વર્∞ મહાસતી, પૂ. મુક્તિપ્રભાજી મહાસતી પૂ. દિવ્યપ્રભાજી, મહાસતી વગેરે મહાસતીએ તથા ૫. પૂ. કન્ યાલાલજી (કમલ) મહારાજ, પૂ. રમેશમુનિજી, પૂ. વિનયમુનિજી વગેરે સાધુભગવાની નિશ્રામાં અને શ્રી કાંતિલાલ વેકરીવાલાના અધ્યક્ષપણા હેઠળ નાસિક ડના જૈન સધ તરફથી આ પ્રસંગ ઉલ્લાસપૂર્ણાંક ઉજવાયો. આ પ્રસંગે ત્યાં જૈનભુવન અને આયખિલજીવનના ભૂમિપૂજનની વિધિ પણ થઈ અને તે બધાં માટે લગભગ ચાર લાખ રૂપિયાની ઉછામણી પણ થઇ. આ પ્રસંગે મુખઈના વાલકેશ્વર, કાંદાવાડી, ઘાટકોપર વગેરે સધના તથા પાલનપુરનાં ધણા માણસા એકત્ર થયા હતા. તે બધા માટે રહેવા તથા જમવાની અને જવાઆવવાની સારી વ્યવસ્થા થઇ હતી. મા ડા. રમણલાલ ચી. શાહ તપશ્ચર્યામાં ઉપવાસનું મહત્ત્વ દુનિયાના ખીજા ધ કરતાં. જૈન ધમ'માં વિશેષ રહ્યું છે. ઉપવાસ વગેરે ખાદ્ય તપશ્ચર્યાં ઇન્દ્રિયા અને વાસના ઉપરના સયમને માટે જરૂરી તો છે જ, પરંતુ તપશ્ચર્યાં કમ ક્ષય માટે પણુ અનિવાય* છે, અને સ ંપૂણુ' મ ક્ષય વિના મુક્તિ નથી એમ જૈન ધમ માને છે. આહાર માણુસ આહાર વગર કેટલે સમય જીવી શકે ? વગર પાંચ સાત દિવસમાં પણ માણસ મૃત્યુ પામ્યાના દાખલા ખનતા હોય છે. પદર દિવસ કે એક મહિના સુધી આહાર વગર, ફક્ત પાણી વડે શરીરને ટકાવી રાખવું એ મુશ્કેલ છે. વારંવાર અભ્યાસ દ્વારા માણુસ શરીરને મહિનાથી વધુ સમય પણ ટકાવી શકે છે, પરંતુ તેમાં પણુ જૈન ધમ'ની માન્યતા અનુસાર ભગવાન મહાવીર સ્વામી પછીના આ મથમાં માણસ વધુમાં વધુ છ મહિના આહાર વગર જીવી શકે છે. ભગવાન મહાવીરે પોતે છ મહિનાના ઉપવાસ કર્યાં હતા. ત્યાર પછી અકબર બાદશાહના સમયમાં ચંપાબાઈ નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યાની વાત નોંધાયેલી છે. જો કે સામાન્ય રીતે સાડા ત્રણ કે ચાર મહિનાથી વધુ ઉપવાસ જવલ્લે જ થાય છે. ભગવાન ઋષભદેવના સમયમાં શરીરબળ એવું હતુ કે સળંગ એક વર્ષ' સુધી ઉપવાસ થઈ શકતા. ભગવાન અજિતનાથથી ભગવાન પાર્શ્વનાથના સમય સુધીમાં શરીરબળ એવું હતું કે વધુમાં વધુ આઠ મહિનાના ઉપવાસ થઇ શકતા. ત્યાર પછી શરીરનુ સંધયણુબળ ક્ષીણુ થતાં વધુમાં વધુ છ મહિનાના ઉપવાસ શકય છે. ૐ સળંગ વધુ ઉપવાસ કરવા માટે તપશ્ચર્યાના વિષયમાં રુચિ, અભ્યાસ અને મનની દૃઢતાની અપેક્ષા રહે છે. ક્રમે ક્રમે શરીરનું બંધારણુ એવું બને છે કે જેથી હવા અને પાણીમાંથી માણસનું તા. ૧-૧૧-૮૨ શરીર પોતાનુ પોષણ મેળવી લે છે. અલબત્ત તે પણ ક્રમે ક્રમે તો ધટતુ જાય છે જ, એટલે ૧૦૦ થી વધુ ઉપવાસ કરવા એ ઘણી જ કિઠિન વાત છે. લાખા મનુષ્યોમાં કાઇક જ તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આવી વીરલ તપશ્ચર્યાં માટે રુચિ થવી અને તે ટકી રહેવી તે પશુ ધણી વીરલ ઘટના કહેવાય. શરીર પાસે તેવું કામ લેવા માટે મનના એવા ઉચ્ચતમ ચોગ કાય કરે છે. ખાદ્ય તપશ્ચર્યામાં પણ મનના શુભ ભાવાના યોગ થાય તો તે વધુ લાભકારક બને છે અને તપશ્ચર્યાં કેવળ દેડદમન બનતી અટકી જાય છે. શ્રી ચદ્રિકાબહેન કાઠારીએ ૧૦૮ ઉપવાસની આવી મોટી તપશ્ચર્યાં કરી તે માટે તે આપણા સૌનાં ધન્યવાદને પાત્ર છે! કાસમાસ- અને પાઇપ લાઈઁન *મનુભાઇ મહેતા નૈશિયાએ ચઢાવેલા ક્રાસમાસના, ભાઇ વિજ્યગુપ્ત મૌયે આપેલા આંકડા જરા જૂના થઈ ગયા છે. અવકાશયુગની રજતજયન્તી ઉજવવા રશિયાએં ૪ થી ઓકટોબર ૧૯૮૨ ના રાજ જે ઉપગ્રહ ચઢાવ્યા હતા તેને માંકડા હતા ૧૪૪૮ | અલબત્ત, જે દિવસે આ ઉપગ્રહ ચઢાવવામાં આવ્યો તે ક્વિસે તે એની જાહેરાત જ કરવામાં આવી નહોતી. એ જાહેરાત બીજે દિવસે થઇ હતી. ભાઈ વિજયગુપ્ત મૌર્ય જણાવ્યા પ્રમાણે રશિયા અને અમેરિકા અને અવકાશી યુધ્ધ ખેલવાની તૈયારીમાં પડયાં છે, છતાં અમેરિકાની વર્લ્ડ'વાચ ઇન્સ્ટિટયુટ નામની જે એક બિનસરકારી સંસ્થા છે તેના એક સર્વેક્ષણમાં જણાવવામાં આશ્રુ' છે કે રશિયાને હંમેશા અમેરિકાના અનાજની જરૂર પડવાની છે. હમણાં તા છેલ્લા ચાર વર્ષથી રશિયાની ફસલ ખૂબજ નબળી જવાથી રશિયાને અઢીથી ત્રણુ કરાડ ટન અનાજની જરૂર છે, અને તેથી એણે. અમેરિકા પાસેથી મોટા પાયા પર અનાજ ખરીદ્યુ છે, એટલે જે દેશને કારણે રશિયન નાગિરકાના જમવાના ટેબલ પર ાટી પહોંચે છે. તે દેશને જ અણુ, યુદ્ધમાં નહિ કરવાની ચેષ્ટા રશિયા કરશે નહિ. આજે વીસ વીસ હજાર ટન ઘઉં ભરીને રાજના–હારાજના એ જહાજો રશિયા તરફ રવાના થાય છે અને અમેરિકાના ખેડૂતાને તડાકા પડયા છે. રશિયાએ તો હમણા જ અમેરિકા પાસેથી ખીજા ૧૬ લાખ ટન ઘઉં અને ક્રાંસ પાસેથી ૮ લાખ ટન ઘઉં ખરીદવાના સૌદા કર્યાં છે. વર્લ્ડ' વાચ ઇન્સ્ટિટયુટે તે એવા પણ આગ્રહ કર્યાં છે કે રશિયાના કુદરતી ગેસ પશ્ચિમ યુરોપને આપવા માટે બંધાનારી પાઇપ લાઇન અંગે અમેરિકી હુન્નર વાપરવા પર રંગને જે પ્રતિબંધ મૂકયા છે તે પશુ ઊઠાવી લેવા જોઇએ જેથી ગેસના વેચાણમાંથી રશિયાને ઘઉંની ખરીદી માટે જોઇતાં નાણાં મળી રહે! આજના રાજકારણ અને અ`કારણની ગલીએ કેવી અટપટી છે! સાભાર સ્વીકાર Bury your worry લે. પ્રિયદર્શીન. અનુ : સ્વામી સ્વરૂપાનંદ. પ્રા : શ્રી દિવ્ય કલ્યાણુ પ્રકાશન ટ્રસ્ટ, સંધવી પોળ, મહેસાણા (ઉ. ગુજરાત) કિ. રૂા. ૧૨.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy