________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
प्रजुद्ध भवन
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક છૂટક નકલ ા. ૧-૦૦
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૪૫ અંક: ૧૯
મુંબઈ ૧, ફેબ્રુઆરી, ૧૯૮૨, સામવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શલિંગ ૬૦
તંત્રી: ચીમનલાલ ચકુભાઇ શાહ
પાલેન્ડ
ચીમનલાલ ચકુભાઈ શાહુ
૧૮ મહિનાથી પોલેન્ડમાં જે બનાવા બની રહ્યા છે તે વિષે ઘણું લખાયું છે અને હજી લખાશે. વિદેશના આગેવાન વર્તમાનપત્રે અને સામયિકોમાં સતત લખાણા આવતાં રહ્યાં છે. પરસ્પર વિરોધી અને ભિન્ન પ્રકારનાં મંતવ્યો જોવા મળે છે. માન્ચેસ્ટર ગાર્ડિયનનાં એક જ- ૧૭મી જાન્યુઆરીના—અંકમાં જુદા જુદા મતો દર્શાવતા સાત લેખ છે. તે જ પ્રમાણે ઈકાનેમિસ્ટ, ન્યૂઝ વીક, ટાઈમ વગેરે સામિયકામાં રાજકીય નિરીક્ષકોના લેખો આવે છે. જે બાબત સ્પષ્ટ થાય છે. એક, આ બનાવ દુનિયા માટે અતિ મહત્ત્વના છે. બીજું તેનું પરિણામ શું આવશે તે કોઈ નિશ્ચિંત કહી શકે તેમ નથી. સામ્યવાદનું ભાવિ તળાઈ રહ્યું છે એમ લાગે. વિશ્વયુદ્ધમાં પરિણમે તે શકય નથી. મેાટા પાયા ઉપર શજકીય દાવા રમાય છે. આ રમત રમવાવાળા પણ જાણતા નથી કે હવે પછીનું પગલું શું હશે. પરસ્પરના દાવપેચ ઉપર ભાવિના આધાર છે, કદાચ તેમના હાથની વાત પણ ન રહે, અકસ્માત અણુધાર્યા પરિણામે આવે, નિયતિના ધકેલ્યા દોડતા હોય તેમ લાગે. રેગન કે બ્રેઝનેવ, સ્મિટ કે મીતરાં, દરેક પોતે પણ ભયભીત, વ્યાકુળ અને પરાધીન હાય તેવી લાગણી અનુભવતા હશે.
હું કાંઈ નવું કહેવાનો નથી, કહી શકું તેમ નથી. આ બધું વાંચતા દુનિયાના આ સૌથી મહત્ત્વના બનાવા વિષે મને જે સમજાયું છે તે પ્રબુદ્ધ જીવનના વાચકો માટે સંક્ષેપમાં ૨૪ કરવા પ્રયત્ન કરું છું.
સહત ત્રી: રમણલાલ ચી. શાહ
૧૩મી ડિસેમ્બર ૧૯૮૧ના દિવસે પેાલેન્ડમાં માર્શલ લા જાહેર થયા. ત્યારથી પરિસ્થિતિ સ્ફોટક બની અને વણસી. માર્શલ લા તે પૂર્વેના ૧૮ મહિનાના બનાવાનું પરિણામ છે. પોલેન્ડના મજૂરોએ સંગઠન કર્યું–સેલીડેરિટી. સ્વતંત્ર મજૂર સંઘોની માગણી કરી. પ્રજાજીવન ઉપર સામ્યવાદી પક્ષ અને સરકારના ભરડો છે. તેમાં કેટલીક છૂટછાટા માગી • સામ્યવાદી પક્ષ અને સરકારમાં ઉગ્ર મતભેદો થયા. પક્ષની આગેવાની અને સરકારમાં ફેરફારો થયા, સેલીડેરિટીનું જોર વધતું ગયું તેમ તેની માગણીઓ વધતી ગઈ. સાલીડેરિટીના આગેવાનોમાં પણ મધ્યમાગી અને અંતિમવાદી એવા પક્ષો છે. પોલૅન્ડનું અર્થતંત્ર સર્વથા ભાંગી પડયું છે. અબજો ડોલરનું વિદેશી દેવું છે. જીવનજરૂરિયાતની ચીજેની તીવ્ર અછત છે. સરકારને માંસ, રોટી વગેરે ચીજોના ભાવ વધારવા પડયા છે. મજૂરોએ હડતાળા પાડી છે. પરિણામે ઉત્પાદન ઘટયું અને આર્થિક વિટંબણાઓ વધી, દરેક ક્રાન્તિકારી પરિસ્થિતિમાં બને છે તેમ સંઘર્ષ ઉત્તરોત્તર તીવ્ર થતો ગયો અને આંતરવિગ્રહ જેવી સ્થિતિ થઈ. સરકાર અને સામ્યવાદી પક્ષે શરૂઆતમાં કાંઈક સમાધાનકારી વલણ લીધું અને કેટલીક છટછાટ આપી,સેાલીડેરિટીના
નેતા લીચ વેલેસા મધ્યમમાર્ગી, જવાબદાર વ્યકિત લાગે છે. તે તે એક ઈલેકિટ્રક એન્જિનિયર છે અને આ આગેવાની તેમને માથે આવી પડી છે,
પોલેન્ડમાં એક વિશિષ્ટ તત્ત્વ છે. ૯૦ ટકા વર્ષાંત રોમન કેથલિક છે. પાપ પોલેન્ડના વતની છે. સામ્યવાદના દમનનો સારો અનુભવ છે. સામ્યવાદને ધર્મના વિરોધ છે, પણ પોલેન્ડમાં રોમન કેથલિક ચર્ચાનું વ્યાપક વર્ચસ્વ છે. ધર્મ, હમેશાં માણસને કટોકટીમાં બળ આપે છે. મજૂરોને ચર્ચના પૂરો ટેકો છે. તેથી તેમને નૈતિક હિંમત રહે છે. રોમન કેથલિક ચર્ચને સામ્યવાદી પક્ષ સાથેના મુકાબલા કરવાનો સમય આવી પહોંચ્યો હોય તેમ લાગે,
પાયાના પ્રશ્ન એ છે કે સમસ્ત સામ્યવાદી તંત્રને અને વિચારસરણીને આ મેટો પડકાર છે. સામ્યવાદ મજૂરોનું રાજ્ય ગણાય છે. મજૂરોનું કલ્યાણ કરવા સ્વતંત્ર સંગઠનની જરૂર છે એ વિચાર જ સામ્યવાદના મૂળમાં ઘા કરવા બશબર છે. સામ્યવાદી પક્ષની સત્તામાં કોઇ હરીફ હોય તે અસ્વીકાર્ય છે.
તેથી, પેાલેન્ડમાં સામ્યવાદના પડકાર થાય તે હકીકત રશિયા કોઈ સંજોગામાં સ્વીકારે નહિ, ૧૯૫૬માં ગેરીમાં અને ૧૯૬૮માં ઝેકોસ્લાવેકિયામાં તેમ બન્યું ત્યારે રશિયન લશ્કરે દાખલ થઈ, પ્રજાનો બળવા સખત હાથે દબાવી દીધા.
પેાલેન્ડમાં પ્રજાના અસંતોષથી અનેથલિક ચર્ચના ટેકાથી સેલીડેરિટીનું બળ વધ્યું ત્યારે પોલેન્ડના સામ્યવાદી પક્ષ માટે બે જ વિકલ્પ હતા—કાં તેા સેાલીડેરિટીના બળવાને પોતે જ દબાવી દેવા અથવા રશિયન લશ્કરની દરમ્યાનગીરી નોતરવી અથવા સહન કરવી. જનરલ જેઝેટ્સ્કીએ પહેલા માર્ગ લીધા અને માર્શલન્લો જાહેર કર્યો. સ્વેચ્છાએ કર્યું કે રશિયાના દબાણથં.? રશિયન લશ્કરના દમન અને અત્યાચારોથી પાલેન્ડની પ્રજને બરાવવા એક દેશભકતનું આ પગલું છે કે રશિયાનું રમકડું છે? રશિયાનું દબાણ અને પૂરો ટેકો છે તે દેખીતું છે. માર્શલ-લામાં દમનના કોરડા વિઝાય, અત્યાચારો થાય, હજારોને જેલ જવું પડે, કેટલાકના મૃત્યુ થાય, ભયનું સામ્રાજ્ય વર્તે, વર્તમાનપત્રો કે પ્રજાને સ્વતંત્રતાનું નામ નિશાન ન રહે, આ બધું સ્વાભાવિક છે. પાલેન્ડની પ્રજાએ પોતાની તાકાત અને નૈતિક હિંમત ઉપર ઊભા રહેવાનું છે. પેાલેન્ડના આ આંતરિક પ્રશ્ન છે. બહારની દખલગીરી શકય નથી. ઈચ્છનીય નથી, હાનિકારક છે.
અમેરિકાએ જે વલણ હાલ અખત્યાર કર્યું છે અને પશ્ચિમ યુરોપના દેશને તે વલણને ટેકો આપવા દબા; લાવી રહ્યા છે તેથી પરિસ્થિતિ વધારે વિકટ થશે અને આ વલણ ૩૫ વર્ષની સ્વીકૃત નીતિથી વિરુદ્ધ છે.
=> 4! #G