SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૮૨ થપાઈ, તથા મુંબઈના ગવર્નર સર જે મલકમ અને ગુજરાતીમાં વ્યાકરણ તથા શબ્દ સંગ્રહ એમ બે પુસ્તકો છપાવનાર છે. ડમંડ, નવું વ્યાકરણ તૈયાર કરાવનાર ફાર્બસ અને કલાકસન તથા સામાન્ય જ્ઞાન માટે સંસાર વહેવારની પિથી જેવું પ્રકાશન થયું તે સર્વ વાત વિસ્તારથી કર્યા બાદ વકતાએ ૧૯૧માં ઇન્દુલાલ યાજ્ઞિકના પ્રયાસથી અમદાવાદમાં સહુ પ્રથમ કેળવણી પરિષદનું અધિવેશન ભરાયું તેની અને તેની ફળશ્રુતિ વિશે વાત કર્યા પછી પ્રખેધકાળમાં શિક્ષક્ષેત્રે થયેલી વિચારણુમાં નવલરામ, નંદશંકર, મહીપતરામ, મણિલાલ અને કાન્ત આ સહુએ તથા કવિ નર્મદ અને કવિ દલપતરામે કરેલા પ્રદાનની વિગતે વાત કહી. નવલરામના શાળાપત્રને શિક્ષણ્યક્ષેત્રે તેમણે બજાવેલી કામગીરી સંદર્ભે ડો. જયંત મહિમા કર્યો. તેમની પારદશી* અને દૂરદશી" દૃષ્ટિની કેળવણી વિચારનું માહાસ્ય સમજાવ્યું નવલરામે તેમના સ્વભાષાભિમાન, દેશહિત અને ભાવિ પ્રજાના સંસ્કાર ઘડતર પરત્વેની તેમની ચિંતા સંદર્ભે કરેલા પ્રદાનને બિરદાવ્યા પછી ડો. જયંતભાઈએ કેળવણી ક્ષેત્રે શિક્ષણનાં ઇતિહાસ’ જેવા ગ્રંથ દ્વારા કાન્ત શિક્ષણ ક્ષેત્રે બજાવેલી સેવાનું ગૌરવ કર્યું. મણિલાલે “સુદર્શન અને પ્રિયંવદા' દ્વારા શિક્ષણુના તત્વ અને પદ્ધતિની જે આલોચના કરી તેને મહિમા કર્યો. તેમની મનુષ્યની કેળવણી સર્વાગી હોવી ઘટે એવી હિમાયતને ખાસ નિદેશ કર્યો. કવિ નર્મદ અને કવિ દલપતરામની કવિતા વિચારતી તુલનાત્મક દૃષ્ટિએ છણાવટ કરી વિચારણામાં વિદ્વત્તા, શાસ્ત્રીયતા અને સમતલતાને લક્ષમાં નવલરામને આપણું પ્રથમ સાહિત્ય વિવેચક તરીકે ઓળખાવી નવલરામની નમ્રતા અને સત્યનિષ્ઠાયુકત વિવેચના પ્રવૃત્તિની વિગતે વાત કરી. રસ વિષયક તેમણે કરેલી વિચારણાને અર્થે રજૂ કર્યો. નાટક વિશેની તેમની, દૃષ્ટિને નિર્દેશ કર્યો તથા નવલરામની કવિતા વિચારને પણ સંક્ષેપમાં ખ્યાલ આપે.' પિતાનાં પ્રથમ વ્યાખ્યાનનું સમાપન કરતાં છે. જયતે કહ્યું: મણીલાલ, રમણભાઈ, નરસિંહરાવ, બળવંતરાય, નહાનાલાલ આદિની સાહિત્ય વિચારણું વધારે પરિપકવ અને પરિષ્કૃત બનીને ચાલી છે. અંગ્રેજી, સંસ્કૃત, સાહિત્ય અને તત્વજ્ઞાનના આ અભ્યાસીઓ ધમ, કેળવણી અને સાહિત્યના વિચારવિમર્શના સંદર્ભમાં આનંદશંકરની આ વિષયની વિચારણીમાં તેમના વિચારોનું સમર્થન કે ખંડન થતું જોવામાં આવે છે. જૈન વિદ્વત સંગેષ્ઠી | રમણલાલ ચી. શાહ ભારતીય જ્ઞાનપીઠ દિલ્હી અને શ્રી આચાર્ય શાંતિ સાગર સ્મારક, મુંબઈ એ બે સંસ્થાઓના સંયુકત ઉપક્રમે મુંબઈમાં બેરીવલી, નેશનલ પાક પાસે આવેલા દિગંબર તીર્થધામ તીનમૂતિ–પાદનપુરમાં આચાર્યશ્રી વિમલસાગરજી મહારાજના સાનિધ્યમાં અને સાદું શ્રેયસ પ્રસીદ જૈનની અધ્યક્ષતામાં ૭ અને ૮ સપ્ટેમ્બરના રોજ “જૈન વિદ્યાના વિવિધ ક્ષેત્રે એ વિષય પર જૈન વિદ્ધત સંગેષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા મિત્ર શ્રી બસંતલાલ નરસિંહપુરાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે મને ખાસ આગ્રહ કર્યો હતો એટલે તારીખ ૮મી સપ્ટેમ્બરે મેં મારા મિત્ર શ્રી ગુલાબચંદ શાહની સાથે તેમાં હાજરી આપી હતી. ' ભારતીય જ્ઞાનપીઠ જેવી સમૃદ્ધ સંસ્થાના ઉપક્રમે કાયંક્રમનું આયોજન થયું હોય એટલે તેમાં ઘણું બધા વિદ્ધાને બેલાવી શકાય એ સ્વાભાવિક છે. દિગંબર સમાજમાં અખિલ ભારતીય ધરશે અને આટલા મોટા પાયા ઉપર આ પ્રકારની વિદ્વત સંગઠીનું આયોજન કદાચ પ્રથમ વાર જે થયું હશે. આ કાર્યક્રમમાં મુંબઈ, દિલ્હી, દેર, ઉદયપુર, જયપુર, ઉજજૈન, સાગર, વારાણસી, જબલપુર, કેલ્હાપુર વગેરે સ્થળોએથી પચીસથી અધિક વિદ્વાને પધાયાં હતા. ભારતીય જ્ઞાનપીઠના નિર્દેશક શ્રી લક્ષ્મીચન્દ્ર જૈન અને “તીર્થંકર'ના સંપાદક શ્રી નેમિચન્દ્ર જૈને આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ સંગોષ્ઠીની વિશેષતા એ હતી કે, તેમાં ભાગ લેનાર વિદ્વાને આપણી પ્રાચીન પરંપરાના પંડિત અને શાસ્ત્રીઓ હતા, તેમજ કોલેજો અને યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય કરતા અધ્યાપકૅ પણ હતા. ડો. પ્રેમસુમન જૈન, ડે. કમલચંદ સેગાની, પંડિત કલાસચંદ્ર શાસ્ત્રી, પંડિત નાથુલાલજી શાસ્ત્રી, ડે. વિલાસ સંગવે, ડે. હુકમચંદજી ભાવિલ, શ્રી નીરજ જૈન, શ્રીમતી કમલ બદ્ધ વગેરે ખ્યાતનામ વિદ્વાનોની ઉપસ્થિતિથી સભા ગૌરવવંતી બની હતી. વળી, પરમપૂજય આચાર્યશ્રી વિમલસાગરજી મહારાજ, મુનિશ્રી ભરતસાગરજી મહારાજ, ક્ષુલ્લક શ્રી સન્મતિ સાગરજી મહારાજ વગેરે દિગંબર સાધુઓ તથા પૂજ્ય શ્રી સ્વાદુમતિજી વગેરે આર્થિકાઓની ઉપસ્થિતિને લીધે વાતાવરણ અત્યંત પવિત્ર બન્યું હતું. આ સંગાઠીના આયોજનમાં સમયમર્યાદા પહેલેથી રખાઈ હતી. પ્રતિનિધિ વિદ્વાનોએ પિતાના નિબંધો અગાઉથી મેકલી આપવાના હતા અને દરેકને પોતાનું વકતવ્ય રજૂ કરવા માટે દશથી વીસ મિનિટ આપવાનું વિચારાયું હતું. આ વ્યવસ્થાને લીધે બે દિવસમાં ઘણા વિદ્વાનને લાભ સંગોષ્ઠીને મળે. આમ છતાં શ્રેતાઓના પક્ષે આ આજનથી સર્વથા સંતોષ થયે એમ ન કહી શકાય કેમ કે, કેટલાક વિદ્વાને માટે પિતાનું વકતવ્ય દશ-પંદર મિનિટમાં પૂરું કરવાનું સરળ નહતું. જૈન ધર્મ, જૈન ઇતિહાસ અને પુરાતત્ત્વ, જૈન મંત્ર શાસ્ત્ર, જૈન તત્ત્વજ્ઞાન વગેરે વિવિધ વિષયે પર અભ્યાસયુક્ત નિબંધ આ સંગોષ્ઠીમાં વંચાયા અને સૌને વિભિન્ન વિષય પર કેટલીક વિશેષ જાણકારી પ્રાપ્ત થઈ. આ બધા નિબંધ પુસ્તક રૂપે પ્રગટ થાય એવી અપેક્ષા સાથે જૈન વિદ્વત સંગેષ્ઠીનું આયોજન પ્રતિ વર્ષ વધુ સુયોજિત રીતે થતું રહે એવી આપણે આશા રાખીએ. * ભૂલ સુધાર - ગતાંકમાં પાના ૯૬ ઉપર “સંધ સમાચાર”માં પુસ્તકાલય સમિતિમાં એવું નામ શ્રી પ્રવિણચન્દ્ર કે. શાહ છપાયું છે તેને બદલે શ્રી પ્રવિણચંદ્ર મંગળદાસ શાહ એમ વાંચવું. તંત્રી. માયિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરઘર વી. પી. રોડ મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ ૪૦૦ ૦૦૧.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy