SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ' , પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૦-૨ શકીએ તે ઘણું સારાં કામે આપણે કરી શકીએ. આજે દરેક ક્ષેત્રે પરિસ્થિતિ ખરાબ છે. હર પળે આપણને અચકે લાગતું હોય છે. આ કારણે, જ્ઞાતિ, ભાષા, ધમં બધાથી પર એવું સંગઠન કરવાનો વિચાર ઉદભવ્યો. સભ્યો માટે વાર્ષિક લવાજમ રૂ. ૨૫ રાખેલ છે, જેથી થોડી આર્થોિક સગવડ રહે. પરંતુ લેક ફકત પૈસા આપીને સભ્ય બને તે પૂરતું નથી, દરેક સભ્ય સમય આપવાની પણ તૈયારી દાખવવી જોઇશે. જેમ જૈન વ્યકિતઓ જેના આચાર પામે છે, તેમ-જાગૃત નાગરિક એટલો સંકલ્પ કરે નિર્ણય કરે, કે અટિલા કામો તો નહિ જ કરું, જેવાં કે, કચેરી, કાળાબજાર, અધર્મ-વિગેરે. આવું કંઈક થઈ શકે તો માણસ, માણસ તરીકે જીવી શકે. શ્રી ચીમનલાલ જે. શાહઃ લોકમિત્ર, એક નમ્ર પ્રયાસપ્રવાસ પગલું છે. હું તાજેતરમાં અમેરિકા જઈ આવ્યા. ત્યાં લે કેની જાગૃતિ અદ્દભૂત છે. અન્યાય સામે સંગઠિત થઈને ચોકકસ પ્રકારનો શાન્ત પ્રતીકાર થાય અને તેનું પરિણામ અવશ્ય આવે જ છે. કમિત્ર થવા માટે, તેના સભ્ય પોતે ભોગ આપવા તત્પર રહેવું પડશે. ટૂંકામાં, આપણે કઈને નવું નહિ, એટલે નિર્ણય કરીએ તે પણ લોકોની મોટી સેવા થશે. શ્રી ચીમનભાઈ પટેલ : માણસ એકલે ફરિયાદ કરવા જશે તે કોઈ સાંભળવાનું નથી. એટલે જ આવી સંસ્થાની જરૂર છે. આમાં કોઈને પ્રસિદ્ધિ કે પૈસા જોઈતા નથી. આપણે માનવ ધર્મ સમજવાનું છે. હું તો માનું છું કે ધર્મો વધ્યા તેમાં માણસ બગડે. આ સંસ્થામાં યુવાન વર્ગો ખાસ જોડાવું જોઈએ. શ્રી વિપિન પરીખઃ આજે સવાર સોહામણી નથી રહી, કડવી બની ગઈ છે. સવાર તે ખુશનુમા હોવી જોઈએ. આમ જીવન ચાલતું લાગે, પણ ખરેખર જીવન ચાલતું નથી. આજે, પ્રજાની ઉઘાડે છોગે લૂંટ ચાલી રહી છે. આ ભારે કરુણાજનક છે. આગળના નેતાઓ મેટા મહારથીઓ હતા. એવા નેતાના આજે દર્શન થતા નથી; એટલું જ નહિ, પરંતુ સાચા માણસો પણ કયાંય દેખાતા નથી. સમય એવો આવી રહ્યો છે કે આપણે આપણું ઘરમાં પણ સલામત રહેવાના નથી. આવી વિષમ પરિસ્થિતિ હોવા છતાં બધા જ કિનારા પર બેસીને જોયા કરે છે. સંગઠનની આજે તાતી જરૂર છે. એક હજાર સાચા નાગરિકે સંગઠિત થઈને અવાજ કરે તે તેમને અવાજ કેઇને પણ સાંભળવા પડે જ. આપણી પાસે ગાંધીજીને દાખલો છે. તેમના જેવા સાચા માણસ સામે કઈ ખાટું કામ કરી શકતું નહોતું. ત્યારબાદ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે દીપ પ્રગટાવ્યું ડો. અમુલ શાહે તેમને ચંદનહાર પહેરાવ્યા. તેમણે કહ્યું કે તમારા ' પરિપત્રમાં જે ઉદ્દેશ પ્રગટ કર્યા છે તેને અલ્પાંશે પણ અમલ થાય તો ઘણી સફળતા મળી રહે. આજની પરિસ્થિતિ એવી છે કે, વિચારકેને દુઃખ થાય. મારગ મળે નહિ, નિરાશા પણ સાંપડે. આ દુઃખને સહન કરવાને નકારાત્મક વિચાર પરંપરાથી ચાલ્યા "અવે છે. કમને ભગવવાની પણ તેમાં વાત હોય છે. ગાંધીજીએ કહ્યું કે “અન્યાય મૂંગે મેઢે સહન ન કરાય, તેને પ્રતીકાર થવો જ જોઈએ.’ તેમણે અહિંસક પ્રતીકારને નવે માર્ગ બતાવ્યું. આજે જે કાઈ મેટામાં મોટી કટોકટી હોય છે. તે . નેતૃત્વની છે. તમે ભેગા મળીને આ વિચાર કર્યો તે જાણે છે. પરંતુ અપણે કેટલાં અસરકારક બની શકીએ છીએ તેના પર મેટ આધાર છે. ' આજની પરિસ્થતિમાં ગાંધીજીનું નામ લેવું તે તેમને અન્યાય કરવા જેવું છે. આજે તેમને ભૂલી જઈએ તે જ સારું છે–તેમને અન્યાય તે ન થાય! તમારા આ આયોજનના પ્રાણુ છે . અમલ શાહ. તેમની શક્તિ પ્રમાણે તેઓ કામ કરશે. આવા સાદા કામમાં જોડાનારની સંખ્યા મોટે ભાગે વધારે હોય છે, પરંતુ કામ કરનારા કાર્યકરો બહુ જ ઓછો મળતા હોય છે. વિચાર કરતા ખિન્નતા અનુભવાય છે કે આજે જાગૃત નાગરિક ક્યાં છે? આજે તે પાયામાંથી વિચાર કરવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. વર્તમાનપત્રો કે પ્રેસને પણ સૌને વાર્થ છે. એ કારણે સાચી વાત લખી શકાતી નથી. આવી વિષમતા હોવા છતાં આપણે પ્રગતિ પણ ઘણી કરી છે. પરંતુ આજને મહા પ્રશ્ન કેઈ હોય તે તે પિયુલેશનને લગતી છે. આજનો સમાજ જ એ છે કે માણસ ધારે તે પણ નીતિમય જીવન જીવી શકે તેમ નથી. એટલે માણસ સાધુ થઈ જાય એવી આપણું કેઈ અપેક્ષા નથી, પરંતુ અમુક મર્યાદા બાંધીને જીવે તે પણ ઘણું છે. તમારી આ સંસ્થા ફૂલે ફાલે અને પ્રગતિ કરે એવી મારી અંતરની શુભેચ્છા છે. અંતમાં શ્રી વિપિન પરીખે આભારવિધિ કરી હતી. સપક માટેનું સ્થળ : ડે. અમુલ શાહ, દાર-ઉલ-મૂક, પડિતા રમાબાઈ રેડ, મુંબઈ-૦૦ ૦૦૭. ફોન : ૦૨૮૦૭૩. સાભાર સ્વીકાર (૧) સુધા? ના, મારે સુધીર! અને બીજી વાર્તાઓ : લે. યગ્નેશ હ. શુકલ. પ્ર. એન. એમ. ત્રિપાઠી મું. ૨ કિ. રૂા. ૧૧–૫૦. (૨) પૂણતા, મગ્નતા સ્થિરતા-શ્લેક રચયિતા પ. પૂ. મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ ગુજરાતી વિવેચક પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ પ્ર. નવજીવન ગ્રંથમાળા, ગારીઆધાર પાલીતાણું સૌરાષ્ટ્ર કિ દરેક પુસ્તિકાના ૩૦ પૈસા. (૩) સંતે મેરે, પ્રેમઘટા ઝુક આઇ: લે કાન્તિલાલ કાલાણી પ્ર. સુમન પ્રકાશન, ૮૬, ડામર ગલી મુંબઈ-૯. કિ. રૂા. ૧૧. (૪) પર્યુષણ પરાગ: લે. ગણિવર્ય શ્રી મહાબલવિજયજી પ્ર. દભવતી પ્રકાશન, C/o. શાહ હસમુખલાલ મણિલાલ, શેઠ શેરી, શ્રીમાળી વાગી ડભોઇ જિ. વડોદરા કિ. રૂા. ૩-૫૦.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy