SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૮૨ , , : પ્રબુદ્ધ જીવન માનવી જ ઝેર ખાઈને જીવે છે મનુભાઈ મહેતા અમેરિકન એસેસિએશન ફોર ધ એડવાન્સ ઓફ સાયન્સ નામની, અમેરિકાના વિજ્ઞાનીઓની એક પ્રતિનિધિ સંસ્થા છે અને આ સંસ્થા એક પ્રતિષ્ઠિત સાપ્તાહિક પ્રગટ કરે છે, જેનું નામ છે, “સાયન્સ’: આ સામયિકમાં હમણું જ, આપણું પંચમહાભૂતના બનેલા શરીરનું સ્વાગ્યે જુદી જુદી ધાતુઓના સૂક્ષ્મ છતાં ચકકસ પ્રમાણુની હાજરી પર કે આધાર રાખે છે તેની રસપ્રદ વિગતે આપવામાં આવી છે. દા. ત. આર્સેનિક એટલે કે સોમલને આપણે કાતિલ ઝેર ગણીએ છીએ પણ આ તત્ત્વનું અત્યંત સૂક્ષ્મ પ્રમાણ, શરીરની ચયાપચયની પ્રક્રિયાઓને સમતોલ રાખવા માટે શરીરમાં હોવું જરૂરી છે એ શોધી કાઢવામાં આવ્યું છે. એ જ પ્રમાણે શરીરમાંના રકતકણોને-લેહીમાંના લાલ કોષોને તંદુરસ્ત રાખવા માટે લોહનું તત્ત્વ જરૂરી છે એ વાત તે તબીબે ઘણુ સમયથી જાણે છે અને પાંડુરોગથી પીડાતા–એટલે જેમના લેહીમાં રક્તકણોની સંખ્યા ઓછી થઈ જવાથી જેમનું શરીર ફિક પડી ગયું હોય એવા–એનિમિક દરદીઓને લેહના સંયોજનવાળા ઔષધો આપવાની વાત તે બધી તબીબી પદ્ધતિઓમાં સ્વીકૃત થયેલી છે. ઘણીવાર, કેઈકને આપણે ફરિયાદ કરતા સાંભળીએ છીએ કે એના મેમા કશે સ્વાદ આવતો નથી. સંભવતઃ આ વ્યક્તિના શરીરમાં જસતનું પ્રમાણ ઘટી ગયું હશે, કારણ કે શરીરમના જસતનું સૂક્ષ્મ પ્રમાણુ સ્વાદેન્દ્રિયના કોષને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. આ જ પ્રમાણે તામ્ર, કબાટ, નિકલ, સેલેનિયમ વગેરે વીસ જેટલી ધાતુઓ શરીરમાં હોવી અત્યંત જરૂરી છે. એમની ચોક્કસ ધાતુઓ, શરીરના ચોકકસ અવયવોના સ્વાર્થ્ય પર નજર રાખતી હોય છે એટલે આ વીસે વીસ ધાતુઓનું સૂક્ષ્મ પ્રમાણ શરીરમાં જળવાઈ રહે એ જરૂરી છે. આજે અત્રે સેલેનિયમ વિષે સવિશેષ વાત કરવાની છે, કારણકે આ ધાતુ વ્યવહારમાં, પૃથકજનની નજરે ઝાઝી ચઢતી નથી પણ આધુનિક યુગમાં એને અનેક રીતે ઉપયોગ થાય છે. દા. ત. ઇલેકટ્રોનિક ઉદ્યોગમાં તે સેલેનિયમ એક પાયાની ધાતુ છે. સૂર્યની શક્તિ ભેગી કરીને એને વીજળીમાં ફેરવી નાખવા માટેની જે સેલર સેલ્સ બનાવવામાં આવે છે તેમાં સેલેનિયમને ઉપયોગ થાય છે. તદુપરાંત વિમાન બનાવવા માટેની મિશ્ર ધાતુમાં પણ સેલેનિયમ વપરાય છે. આ બધી ધાતુઓ માનવીને સૂક્ષ્મ પ્રમાણમાં જમીનમાં પાતાં ધાન્યમાંથી અને પાણીમાંથી મળી રહે છે પણ કેટલીક જમીન એવી હોય છે કે જેમાં આ ધાતુઓનું પ્રમાણ પુરતું ને હોવાથી, એ જમીનમાં પાકતાં ધાન્યમાં પણ એનું પ્રમાણ ઓછું હોય છે અને આવા કિસ્સામાં માનવીઓને આવી ધાતુઓ બહારથી ઔષધરૂપે આપવી પડે છે. નિકલ અને કોબોટ જેમ સાથે જ જમીનમાંથી નીકળે છે તેમ તાંબુ અને સેલેનિયમ પણ સાથે જ નીકળે છે. તાંબુ ગાળવાની ભઠ્ઠીઓમાં તાંબુ છૂટું પડ્યા પછી સેલેનિયમ એક આડ પેદાશ તરીકે બાકી રહી જાય છે. (સીસું અને ચાંદી એ પણ સામાન્યતઃ સંયુકત રીતે જ જમીનમાંથી બહાર નીકળે છે અને ચાંદી ગાળવાની ભઠ્ઠીમાં, જમીનમાંથી નીકળેલાં ખનીજમાંથી ચાંદી છૂટી પાડયા પછી સીસું આડપેદાશ તરીકે રહી જાય છે) ૧૯૫૭ સુધીના સેલેનિયમ અને માનવીના સ્વાથ્ય વચ્ચે કશે સીધે સબંધ હેવાની વાત વિજ્ઞાનીઓ અને તબીબે જાણતા નહોતા, પણ એ વર્ષમાં થયેલાં સંશોધન, સેલેનિયમ તે કિડની, હાટ વગેરે જેવાં માનવીનાં અગત્યનાં આંતરિક અંગેની સાચવણું કરે છે એવું માલુમ પડ્યું હતું. વળી એ પણ જણાયું હતું. કે કેન્સરની ગાંઠને વિકાસ અવરોધવામાં પણ સેલેનિયમ અગત્યને ભાગ ભજવે છે. આ અંગે ઊંદર પર થયેલા એક પ્રયોગની વાત રસિક છે. ' હમણું જ, દરોના બે જુથમાં કેન્સરની ગાંઠનું આરોપણ કરવામાં આવ્યું હતું અને એ પછી એક જૂથને સેલેનિયમ ધાતુને મોટો ડોઝ આપવામાં આવ્યું હતું. જ્યારે બીજા જૂથને એવો ડોઝ આપવામાં આવ્યો નહોતો. થોડા સમય પછી એ ઊંદરની પરીક્ષા કરવામાં આવી તે જણાયું હતું કે સેલેનિયમ ધાતુને મોટે ડેઝ જે દરોને આપવામાં આવ્યો હતો. તેમના શરીરમાંની કેન્સરની ગાંઠ અદશ્ય થઈ ગઈ હતી, જ્યારે જેમને સેલેનિયમને ડેઝ આપવામાં આવ્યા નહોતે તેમના શરીરમાંની કેન્સરની ગાંઠ ઘણી વધી ગઈ હતી. આ પછી બીજી રીતે ઊંદર પર પ્રયોગ કરવામાં આવ્યો હતે. કેન્સરની ગાંઠનું જેમનામાં આરોપણ કરવામાં આવ્યું હતું તેમને સેલેનિયમને પહેલાં કરતાં ના ડોઝ આપવામાં આવ્યો હતો અને સમયાન્તરે એ ઊંદરોની પરીક્ષા કરવામાં આવી હતી તે જણાયું હતું કે મોટા ડઝની અસરથી નવી કેન્સરની ગાંઠ પહેલા પ્રયોગમાં અદૃશ્ય થઈ ગઈ હતી તેમ આ બીજા પ્રયોગમાં અદૃશ્ય તે નહોતી થઈ પણ એ ગાંઠને ઝાઝ વિકાસ થયો નહોતે. સેલેનિયમનો પ્રયોગ ઘેંટા, ડુકકર વગેરે પ્રાણીઓ પર પણ કરવામાં આવ્યો હતો અને એ બધાં પ્રાણીઓ પર પણ સેલેનિયમની ઉપકારક અસર જણાઈ હતી. ઉપર જણાવ્યું છે તેમ, વ્યકિતના હાર્ટ ઉપર પણ સેલેનિયમ નજર રાખે છે અને ખાસ કરીને બાળકોને એક વિશિષ્ટ પ્રકારને હૃદયને રોગ થાય છે તે અંગે તે આ સેલેનિયમ ઘણું અસરકારક પુરવાર થયું છે. ચીની વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે ચીનમાં જે બાળકોને આ રોગ માલુમ પડે હતા તેમને સેલેનિયમને મોટો ડોઝ આપવાથી પણ ફાયદો જણ હતા. આગળ જણાવ્યું છે તેમ-ધાન્ય અને પાણીમાંથી માનવીને જોઈતી વિવિધ ધાતુઓનું સુક્ષ્મ પ્રમાણ મળી રહે છે. આ પ્રમાણ જે માનવીના શરીરને ન મળે તે કોષોમાં મેલેક્યુલ્સન સંયોજન અને વિભાજનની જે ક્રિયા થાય છે તે અને એન્ઝાઇમ્સના ઉપયોગની જે પ્રક્રિયા સતત થયા કરે છે તે ન થાય. આમ છતાં આ ધાતુઓનું પ્રમાણ જો વધી જાય તે તે પણ માનવીના શરીરને નુકસાન કરે અને આજકાલ તે ફેકટરીઓ, નદીઓ વગેરેમાં પાણી છોડતી હોવાથી એ ફેકટરીઓમાંની ધાતુઓ પાણીમાં વિવિધ ધાતુઓનું પ્રમાણ વધારી દે છે. પરિણામે, પ્રજાનું સ્વાશ્ય જોખમાય છે. '
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy