________________
Regd. No. MH. By/South 54 Licence No. : 97
પ્રભુન
* પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૪૬: અંક: ૮
મુંબઈ ૧૬ ઓગસ્ટ, ૧૯૮૨, સોમવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિંગ ૬૦
તંત્રી: ચીમનલાલ ચકુભાઇ શાહે
H
શ્રીમદ્
રાજચંદ્ર
ચીમનલાલ ચકુભાઈ શાહ
રેક ધર્મમાં ક્રિયાકાંડો, વિધિનિષેધા હોય છે. કાળક્રમે, આ ક્રિયાકાંડો દ ધર્મનું સર્વસ્વ છે એવા ભાવ અથવા માન્યતા આમજનતામાં પેદા થાય છે. તેનું રહસ્ય અથવા હાર્દ વિસારે પડે છે. પરિણામે ક્રિયાકાંડોમાં યાંત્રિકતા અથવા જડતા આવે છે, તેના પ્રાણ ઊડી જાય છે. વિચારવંત વ્યકિતને આવા ક્રિયાકાંડામાં શ્રાદ્ધા રહેતી નથી અને તેના વિરોધ થાય છે. પછી એવા વર્ગ ઊભા થાય છે જે સર્વ પ્રકારના ક્રિયાકાંડોને સર્વથા વિરોધ કરે છે. આવા વર્ગ માત્ર જ્ઞાનની જ વાતો કરે છે અને શાન જાણે સહજપણે પ્રાપ્ત હોય એવા ભાસ ઊભા કરે છે. આત્માનો વિચાર કરો અને આત્મજ્ઞાન થઈ જશે. બીજું કંઈ કરવાની જરૂર નથી એમ કહે છે. જપ, તપ, વ્રત, યમ, નિયમ, સર્વ નિરર્થક છે. માત્ર આત્મભાવ કેળવો, કોઈ કષ્ટ વેઠવાની, ત્યાગ, વૈરાગ્ય, કોઈ આવશ્યકતા નથી. પ્રબુદ્ધ જીવનના ગયા અંકમાં ( તા. ૧-૮-૮૨)મુનીશ્રી કીર્તિયશવિજયજીને એક લેખ પ્રકટ થયા છે. માત્ર કમાં ધર્મ નથી.” તેમાં યશોવિજયજી, આનંદઘનજી અને અન્ય અવધૂતોના લખાણો ટાંકી એમ બતાવ્યું છે કે કભાગમાં ધર્મ નથી. આનંદઘન અને યશેાવિજયજીની કોટિએ પહોંચ્યા હાય એવી વ્યકિતઓ માટે એ કથન સત્ય છે અથવા ક્રિયા-જડતા બતાવવા સત્ય છે, પણ તેમાં તપ, જપ, વ્રત, યમ, નિયમનો સંપૂર્ણ નિષેધ નથી.
આ બન્ને પ્રકારની વિચારણાઓ એકપક્ષી છે. શ્રીમદ્ રાજચંદ્રે આ વિષયમાં જે માર્ગદર્શન આપ્યું છે તે સંક્ષેપમાં અહીં બતાવવા ઈચ્છું છું. શ્રીમદ્ના લખાણો છૂટાછવાયા વખતોવખત મેં વાંચ્યા છે, પણ હમણાં તેમના ગ્રંથ “શ્રીમદ્ રાજચંદ્ર” ~~ જેમાં તેમના ઉપલબ્ધ બધા લખાણાના સંગ્રહ છે તે સળંગપણે પૂરો વાંચી ગયા અને ઘણુ નવું જાણવાનું મળ્યું. તે સંબંધે એક લેખમાળા લખી શકાય. બનશે તે અવકાશે લખવા ઈચ્છા છે. આ લેખમાં જ્ઞાન અને ક્રિયા વિષે શ્રીમદ્દે શું કહ્યું છે તે રજૂ કરું છું. તે પહેલા એક વાત જણાવી દઉં. જૈન સેશ્યલ ગ્રુપ તરફથી નવકારમંત્રની આરાધના વિષે શ્રી શશીકાન્ત મહેતાનું પ્રવચન ગેાઠવ્યું હતું. અંતે મેં બે શબ્દો કહ્યા હતા. ત્યારે મે કહ્યું હતું કે ધાર્મિક ક્રિયાઓ— સામાયિક, પ્રતિક્રમણ, તપ, જપ, વ્રત વગેરે હું કરતો નથી; મારાથી થતી નથી, તે ક્રિયાઓ વર્તમાનમાં જે રીતે થાય છે તેથી મને સંતાપ નથી. પણ તેને સ્થાને શાનમય ક્રિયાઓ સ્થાપી ન શકીએ ત્યાં સુધી હજારો વર્ષથી જે ક્રિયાઓ ચાલે છે તેનો નિષેધ અથવા વિરોધ કરવાની મારી વૃત્તિ નથી. જનસાધારણની તેમાં શ્રદ્ધા છે, તેમાંથી તેને કાંઈક બળ મળે છે, તેના અંતરમાં કાંઈક શાંતિ થાય છે; તેને હું અટકાવું નહિ, તેમ કરવાનો મને અધિકાર નથી. આવા અભિગમ જૂનવાણી ગણાતો હોય તો જૂનવાણી ગણાવામાં મને નાનમ નથી લાગતી, બલ્કે તેના ઉચ્છેદ કરવાની પ્રગતિશીલતા મારે નથી જોઈતી,
भवन
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક
છૂટક નકલ ા. ૧-૦૦
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
Vજ
મુનિશ્રી લલ્લુજી ઉપર, અસાડ સુદી ૧, ગુરુ ૧૯૫૧ના રોજ લખેલ એક પત્ર (ગ્રંથનો ક્રમાંક ૯૩૭)માં શ્રીમદે લખ્યું છે:
“અશુદ્ધ ક્રિયાના નિષેધક વચના ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં, શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રૂચિ વધે તેમ ક્રિયા કરાવ્યું જવી,”
“ઉદાહરણ દાખલ કે, જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિકવ્રત કરે છે, તે તેના નિષેધ નહિ કરતાં, તેને તે વખત ઉપદેશના શ્રાવણમાં કે સત્શાસ્ત્ર અધ્યયનમાં અથવા કાર્યોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આ ભારો પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી, શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ, ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છેડી દે એવા પ્રમત્ત જીવોનો સ્વભાવ છે અને લોકોની દષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાના
નિષેધ કર્યો છે માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી, સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ પ્રવર્તવું અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણુ કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે.
“સ્વાત્મ હિતમાં પ્રમાદ ન થાય આસ્તિકયવૃત્તિ બંધાય તેવું તેનું શ્રાવણ
અને પરને અવિક્ષેપણે થાય, ક્રિયાની વૃદ્ધિ થાય,
છતાં કલ્પિત ભેદ વધે નહિ અને સ્વ પર આત્માને શાન્તિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લસિત વૃતિ રાખજો, સશાસ્ત્ર પ્રત્યે રૂચિ વધે તેમ કરજો.”
જ્ઞાનક્રિયાનું સમન્વિતપણું એ મોક્ષમાર્ગ છે. જ્ઞાન નિયામ્યામ્ મોક્ષ એ સિદ્ધાંત, શ્રીમદ્ અનેક રીતે વારંવાર સમજાવ્યો છે.
જ્ઞાન એટલે દ્રવ્યના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન. દ્રવ્ય મુખ્યત્વે બે છે, જડ અને ચેતન. આ જ્ઞાનને જૈન પરિભાષામાં દ્રવ્યાનુયોગ કહ્યો છે. દ્રવ્યાનુયોગ ોષ્ઠ છે અને અંતિમ છે, પણ શ્રીમદ્ વારંવાર ભારપૂર્વક કહ્યું છે કે દ્રવ્યાનુયોગનું જ્ઞાન અતિ વિરલ છે, અતિ વિકટ છે. સંત સમાગમે જ પ્રાપ્ય છે. ચિત્તશુદ્ધિ અને કષાયની ઉપશાંતતા વિના આ જ્ઞાન શકય નથી. તેમના કેટલાક વચના ટાંકું છું:
પ્રત્યક્ષ સન્સમાગમથી, ભકિત વૈરાગ્યાદિ સાધનસહિત, મુમુક્ષુએ સદ્ ગુરુ આજ્ઞાએ, દ્રવ્યાનુયોગ વિચારંવાયોગ્ય છે.”
“સિદ્ધાંતનો વિચાર ઘણાં સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી, કર્તવ્ય છે. જો એમ નથી કરવામાં આવતું તા જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્ય અને ઉપશમથી હીન થાય છે.”
શ્રીમદ્ કહ્યું છે કે શાસ્ત્રોમાં બે પ્રકારના શાન કહ્યા છે-સિદ્ધાંતજ્ઞાન અને ઉપદેશજ્ઞાન, સિદ્ધાંતજ્ઞાન અંતિમ લક્ષ છે, ઉપદેશ
رو