________________
તા.
૧-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
૬૫
શાન સા ખ રૂખા અના
આ જ વાતને સિદ્ધ કરવા માટે યુકિત આપતાં સ્તવનકાર શ્રી યશોવિજયજી એ જ સ્તવનમાં જણાવે છે કે
जो कष्टे मुनि मारग पावे । बलद थाए तो सारो। भार बहे जे तावडे भमतो। खमनो गाढ प्रहारो रे ॥
(જો કષ્ટ સહન કરવાથી જ સાધુને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી હોય તે, બળદ અને ઉપલણથી તિર્યંચ માત્ર સારાં ગણાય, કારણ કે તે વજન ઉપાડે છે, તડકા-તાપમાં ભમે છે અને તીવ્ર પ્રહારોને સહન કરે છે.)
આની પહેલાંની ગાથામાં, કષ્ટ સહન કરવું તે પણ માર્ગ છે એમાં વળી આજ્ઞા વગેરે જોવાનું શું કામ છે?” એવું જે આજ્ઞાની જીવો કહે છે, તે મિથ્યા છે એમ કહેવું. હવે તેનું કારણ દર્શાવતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે જો સર્વ ભગવંતની આજ્ઞા વિના જ માત્ર કષ્ટ ભોગવવાથી મુનિને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ જતી હોય તો બળદ વગેરે તિર્યંચોને જ તે પ્રાપ્ત થવી જોઈએ.
તમે કયા કષ્ટના ઉપભેગને ધર્મ માને છે?
શું મુંડન કરાવવામાં જ ધર્મ છે? તે તો ગાડરિયા (ધટા)ને પણ ધર્મપ્રાપ્તિ થવી જોઈએ કારણ કે તે પણ મુંડાવે છે.
જો તમે વનવાસથી ધર્મ માનતા હે તે હરણિયાંઓને જ ધર્મપ્રાપ્તિ થવી જોઈએ.
જો તમે જટા ધારણ કરવામાં ધર્મ માનતા હો તે, વડને જ ધર્મની પ્રાપ્તિ થવી જોઈએ. જો તમે ભસ્મ ચોળવામાં ધર્મ માનતા હો તે, ગધેડાઓને ધર્મપ્રાપ્તિ થવી જોઈએ. - જો તમે નિર્દોષ ભીક્ષાને જ ધર્મ માનતા તે તે, શુકરો (ડો)ને ધર્મપ્રાપ્તિ થવી જોઈએ.
પરંતુ આવું કદી બન્યું નથી, બનતું નથી અને કદી બનશે પણ નહિ માટે જ મહામહોપાધ્યાયીજીએ ‘મનસ્થિરતાના પદ્યમાં ગાયું છે કે
મુંડ મુંડાવત સબહિ ગડરિયા, હરિણ રોજ વનધામ! જટાધાર વટ, ભસ્મ લગાવત, રાસભ સહેતુ હૈ ધામ. ‘એ તે પર નહિ યોગકી રચના જે નહિ મન વિશ્રામ,’ આ જ વાતને જ્ઞાનસારમાં જણાવતાં તેઓ શ્રીમદ્ લખ્યું છે કે
‘દેહ ઉપર રાખ ચેળવી, માથાના વાળને લોચ કર, શરીર ઉપર મેલ ધારણ કરવો, આ બધી ક્રિયાઓ દ્વારા બાહ્ય દષ્ટિવાળા જીવે, ‘આ આત્મા મહાન છે.” એવું સમજે છે. જ્યારે તત્ત્વવેત્તા તે પરિણત જ્ઞાનના સામ્રાજ્ય વડે ‘આ આત્મા મહાન છે. એવું સમજે છે.
તમે ગમે તેટલું કષ્ટ સહન કરતા હો તે પણ તિર્યંચે જે કષ્ટ સહન કરે છે તેની અપેક્ષાએ તમારા કષ્ટની શું ગણતરી થઈ શકે?
એક બળદને જ દાખલો લઈએ તો, તે આખો દિવસ મજૂરી કરે છે. એના ઉપર જેટલું મૂકવામાં આવે તેટલું વજન ઉપાડે છે, ગમે તેવો તડકો હોય તે પણ એ તડકામાં ભમે છે, ઉપરથી એને ચાબુક મારવામાં આવે, પરોણાની ધારથી વીંધવામાં
આવે, તે પણ સહન કરે છે. પાણી ન મળે તો તરસ્ય તરસ્યો કામ કરે છે. અંતે કતલખાનામાં કપાઈ પણ જાય છે. તમે આમાંનું શું સહન કરો છો? આ આટલું સહન કરવા છતાં એ બળદ કે તેના જેવા બીજા કોઈ પણ તિર્યંચને ભગવાને કહેલ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી, તો પછી અલ્પ કષ્ટ સહન કરનારને ધર્મની પ્રાપ્તિ કયાંથી થાય? ધર્મપ્રાપ્તિ તો સૂક્ષ્મ બેધપૂર્વક સર્વરા ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી જ થાય. માટે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે
‘આજ્ઞામાં ધર્મ છે.'
‘હે આત્મન ! ખરેખર આજ્ઞામાં જ ચારિત્ર ધર્મ રહે છે.. તેથી આજ્ઞાને ભંગ કરવાથી કયા કયા ધર્મના નાશ નથી થતો? અર્થાત આજ્ઞાભંગ થતાં સર્વ ધર્મના નાશ થાય છે, આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર, સઘળાય અનુષ્ઠાને કોના આદેશથી કરશે?”
તેથી જ આ વાત ઉપર વિચાર કરીને, હે ભવ્ય જીવો! તમે અજ્ઞાનને ત્યાગ કરી, આજ્ઞાને વિચાર કરી, આજ્ઞા મુજબની જ પ્રવૃત્તિમાં જ યત્ન કરશે, જેથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય.
કદાચ એવો પ્રશ્ન થશે કે
“બળદ વગેરે તિર્યંચે જે કષ્ટ સહન કરે છે, તે કાંઈ ઈચ્છાપૂર્વક સહન નથી કરતાં, જ્યારે અમે તો ઈચ્છાપૂર્વક કષ્ટ સહન કરીએ છીએ. અમે જે કષ્ટભેગને ધર્મ કહ્યો છે, તે ઈચ્છા વિનાના કષ્ટભાગને ધર્મ નથી કહ્યો, પરંતુ ઈચછાપૂર્વકના કષ્ટભાગને ધર્મ કહ્યો છે. આથી વિપુલ વિટંબણાઓ વેઠતા તિર્યંચને ઈચ્છાના અભાવે કષ્ટભેગ ધર્મરૂપ ન બને, પરંતુ ઈચ્છાપૂર્વકના અહ૫ કષ્ટભાગ પણ ધર્મ જ છે.”
આવી વિચારધારા ધારણ કરનારે પણ સમજવું જોઈએ કે હજી પણ તેઓ શાસ્ત્ર કથનના હાર્દને સમજ્યા નથી, કારણ કે શાસ્ત્રકારોએ
સ્પષ્ટ કહ્યું છે કે વિવેક વિના ઈચ્છાપૂર્વક કરાયેલો કષ્ટભંગ પણ ધર્મરૂપ બની શકતો નથી.
જે કષ્ટગ વિવેકપૂર્વકને હોય, જેમાં આશય-શુદ્ધિ ભળેલી હોય, જે આજ્ઞાને અનુસરતે હોય અને એ જ કારણે અનુબંધ શુદ્ધ હોય તે કષ્ટભેગ આત્મ કલ્યાણકર બની શકે છે. * જેમાં વિવેક ન હોય, આશયશુદ્ધિ ન હોય, સર્વજ્ઞકથિત આજ્ઞાનું અનુસરણ ન હોય અને એ કારણે જેને અનુબંધ અશુદ્ધ પડતો હોય, તેવો કષ્ટભોગ ધર્મરૂપ નહિ, પરંતુ અધર્મરૂપ જ બને છે. આથી જ મહાપાધ્યાયશીજીએ ‘ચડયા પંડયાની સજઝાય’માં ગાયું છે કે
બાહ્ય કષ્ટથી ઊંચું ચડવું, તે તો જડના ભામા; સંયમિ શ્રેણિ શિખરે ચડવું, અંતરંગ પરિણામાં રે ‘તિહાં નિમિત્ત છે બાહિર કિરિયા, તે જો સૂત્રે સાચી;
નહિ તો દુ:ખદાયક પગ સાહમું મેર જુએ જિમ નાચી રે આવા અજ્ઞાનતા ભરેલાં કષ્ટ સહન કરનારને વિવેકના અભાવ આદિના કારણે, ભયંકર કોટીના અનુબંધ પડે છે.’
(“સન્માર્ગદર્શન–ભાગ-૧માંથી)
પૃષ્ઠ
સુધારા ‘પ્રબુદ્ધ જીવનના તા. ૧૬-૭-૮રના અંકમાં સંઘ તથા પુસ્તકાલયના હિસાબે પ્રગટ થયા છે, તેમાં નીચે મુજબની ભૂલ રહી ગઈ હતી, તે દર્શાવેલા સુધારા પ્રમાણે વાંચવી. વિગત
છપાયેલી રકમ સાચી રકમ ૧. સંઘનું સરવૈયું: મિલકત અને લહેણામાં શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય તથા પુસ્તકાલય ખાતે
૭૯,૬૬૧–૦૨ ૭૯,૬૫૫-૦૨ ૨. રોકડ તથા બેન્ક બાકીમાં: બેન્ક ઓફ ઈન્ડિયા ફિકસ્ડ ડિપોઝિટ ખાતે
૩,૭૧૫-૮૦ ૩,૭૧,૫૮૦-૦૦ બેન્ક ઓફ બરોડા ફિકસ્ડ ડિપોઝિટ ખાતે
11
૧,૪૦૦-૦૦ ૧,૪૦,૦૦૦-૦૦ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા ડિઝિટ ખાતે
૫૫ ૧,૨૫૦-૦૦ ૧,૨૫,૦૦૦-૦૦ ૩, પ્રબુદ્ધ જીવન’નું આવક ખર્ચનું ખાતું: ભેટના - પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ તરફથી
૨૯,૮૫૯-૧૦ ૧,૦૦૦-૦૦ અન્ય રોકડ ભેટના
૫,૦૦૦-૦૦ ૨૯,૮૫૯-૧૦ ૪. વહીવટી તથા વ્યવસ્થા ખર્ચ: પેસ્ટેજને
૩૫,૪૦૭-૬૦ 3,૫૦૭-૬૦