SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૮૨ કાવડમાં બેસાડી જાત્રા કરાવી અને પેશ કાર્તિકેય ાિરા પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવ્યા ત્યાં ગણપતિએ માતપિનાની પ્રદક્ષિણા કરીને વરદાન મેળવ્યું એ બધી વાતો શું વાહિયાત માનવી? આગળની વાત જવા દઈએ, આ યુગના ગાંધીજી. બધા જ વિષયને સ્પર્ષા પરન્તુ એમને પણ “ઘરડાના ૨” નું કેમ ન સૂઝ્યું નોખલીમાં ગયા ત્યારે એ શું યુવાન હતા, જીવનના અંત લગી એ કાર્યરત રહ્યા જ છે? તો કે! કહી શકીએ કે ધરડા નકામાં છે અને બીજી વાત એ ઘરડા થયા, ડાના ઘરવિ મોકલવા જેવા થયા એ કઈ ઉમ્બરે નક્કી કરીશું? શિવાજી હરડી, હ૨૫ માતાના આશીર્વાદ લેવા દોડતા ગાંધીજીએ પણ માતાનું ગૌરવ કર્યું છે, તે શું... અને મારી વાત પૂરી થયાં પહેલ યુવાન પેઢી જ્વાબ આપે છે કે એ વખતના ઘરડા ડાહ્યા હતા, સમય થતા વાનપ્રસ્થાશ્રમમાં તા. ત્યારે આજના ઇરડાએ તે ઘરમાં સીટકી જ રહે છે. અરે ફકત ચીટકી રહેતા હોય તેાયે નિભાવી લઈએ, પરંતુ એમના ચોવીસ કાકના ટકટકારો સહેવાતા નથી. કબૂલ છે એમની વાત, પરંતુ મા-બાપે એમની ફરજ બજાવી હવે તમારો વારો છે, તો શું તમે ફકત અધિકારની જ વાત કરશે, ફરનો વિચાર પણ નહિ કરો ? જવાબ આપે છે કે ફરજ કોને કહો છો ? જીવનભર એમના ટકટકારા સાંભળ્યા કરીએ તેને? અમને પરંપરાની સાંકળે બાંધી રાખે તેને? અમારું વ્યકિતત્વ મૂરઝાવી દે તેને? અમારી સ્વતંત્રતા છીનવી લે તેને ? આ વિજ્ઞાનના યુગમાં પણ તમે શું મારી પાસેથી એવી આશા રાખી છે કે પેલા શ્રવણની જેમ અમે અમારા બાપને કાવડમાં લઈ જઈને જાત્રા કરાવીએ; એવું કરીએ તે જ આદર્શમય દીકરા, બાકીના દીપડા ? ખુબ જીવન બેઠા હોય ત્યાં જરા બેસું ત્યાં જ પેલી વેરણ ઉધરસ આવે અને થૂંકદાની દૂર હાય, લેવા ઊઠવાની તાકાત ન હોય; શું કરવું, ત્યાં જ વહુ બાલી ઊઠે કે અહીં હા–ધૂ, હાકભૂ કર્યા કરો છે ને બધું ભરી મૂકો છે. એના કરતાં તમારા રૂમમાં જ પડી રહેતાં તમને થાય છે શું? કહેવાનું મન થાય છેકે વહમા, એકવાર હું તમારા કરતાં મેં ચોખલીયો હતા, પણ આજે વૃદ્ધાવસ્થાએ અને શરીરની કમજોરીએ લાચાર બનાવી દીધો છે. દીકરાને એક વાત કહેવી છે તે વિચારું છું અને તક મળતાં કહું છું ત્યારે ભૂલી ગયા હાઉ છું કે એ વાત તો મેં એને કહી છે. પરંતુ યાદ નથી તેથી ફરી કહું છું અને એ પુત્ર કે જેની એકની એક વાત મેં અનેકવાર સાંભળી છે તે બરાડી ઊઠે છે કે એકની એકવાતનું પીષ્ટપેષણ છેડશે? આ બધા હોંશિયાર છે, એમની દલીલોના આપણી પાસે જવાબ નથી એમ નથી જવાબ છે પરંતુ એ જવાબ આપવાની કશા જ અર્થ નથી તે વિચારીને મારા જ કાકા કે જેને “છરડાના ઘર”માં મૂકયા છે તેનો પત્ર આવ્યો છે તે જ અહીં રજૂ કરું છું: “આજે તો તારી પાસે હૈયું ખાલી કરવા જ બેઠો છું તો કંઈ છુપાવીશ નહિ, તે મને મારી યુવાનીાં જોયા છે; મારી ચારે કોર ધાક વાગતી; પરન્તુ આજે તો તદૃન લાગાર બની ગયો છું. મારાં બાળગાપાળ માર્ચ રાતિ નથી, એમને મન હું 'નકામા ઢોર જેવા બની ગયો છું, જેથી પાંજરાપેળ જેવા ઘરડાના ઘર”માં કેશઈ ગયો છું. શરીર જર્જરિત થઈ ગયું છે, ઈન્દ્રિયો શિથિલ થતી ગઈ, કાને જરા બહેરાશ આવવા લાગી, ઉધરસને કારણે કફ થતાં કાઢવા પડતા તે બધાની પુત્રવધુને ચીડ તેથી હુકમ થતો કે તમારી ઓરડીમાં જ મી લ્યો.કેમ સમજાવું એમને કે હું માણસ ભૂખ્યો છું, મને બાળગાપાળ વચ્ચે ગમે છે, એકલતા મને કારી ખાય છે. બધા કંઇક રમત રમતા અને હું ત્યાં ખુરશીમાં પડીને એમને રમતા, આનંદકિલ્લાલ કરતાં જોતા, ખૂબ ખુશી થતો ત્યાં કોઇ વાર આંખ મળી જતી, નસકોરાં બોલૢ જતાં કે વહુને હુકમ થતા, જાઓ તમારા રૂમમાં, ત્યાં જઇ નસકોરા બાલાશે. દુ:ખી હૃદયે ઊત્તે, મારા રૂમમાં જતા અને ઊડો નિસાસો નાખીને ખાટલામાં પડતા. પરંતુ ત્યાં ઊંઘ આવતી નહિ, બધા ૩૫ આ બધાને અંતે ભાઈ હું આજે “ઘરડાના ઘર”માં છું. કહે કે મારા મૂર્છાયામાંથી મને ઉખેડીને અહીં અજાણી ધરતીમાં અજાણ્યા વચ્ચે ધરબી ગયા છે. નથી ગમતું, યાદ આવે છે ઘર, બાળકો, નાનપણની વાતો, દીકરાને કેવી હોંશ અને આશાથી મોટા કરેલા તે અને એ યાદ આવતાં આંખોમાં આંસુ આવી જાય છે તે જોઇને પાસે જ બેઠેલા બુદ્ધ કહે છે, “ભાઈ મને પણ શરૂઆતમાં તમારા જેવું જ થતું, પરંતુ શું થાય, વૃદ્ધ થયાના ગુના કર્યો છે તે! સજા ભાગવવી જ રહી ને? એ જ વૃદ્ધ કહે છે કે આપણે તો દીકરા વહુના આભાર માનવો જોઇએ કે માહદશામાંથી મુકત કર્યા, હવે તે નિરરિત માતને આવકારી શકીશું ને? બેટા, ઢોરને પણ માયા હોય છે, ગાય-ભેંશને પણ માલિકની માયા લાગે છે, કૂતરા તો માલિક જતાં મરતા જોયા છે ત્યારે આપણે તો માનવી, અમે ઘરડા થયા એટલે શું માયા જ ન હેય! પડું પડું થત ઘર પણ લોકો છોડતા નથી. એને ઘરની પણ માયા હોય છે, પાડોશની હાય છે, સગાની–વહાલાની હાય છે, એમની જ ઉંમરના મિત્રોની હાય છે. એ બધાથી વિખૂટી પડીને અહીંરહેવું પડે છે તે શું ચામને મીઠું લાગે છે? ના, જરાયે ગમતું નથી, મારા જ વડલાની છાયાથી દૂર જાણી ધરતી અને અજાણ્યા મરવા વાંકે જીવતા માનવીની વચમાં રહેતા જીવ ખૂબ જ મુંઝવણ અનુભવે છે છતાં શું થાય ! રહેવું જ પડવાનું કારણ કે ઘરડા થવાન ગુનો કર્યો છે ને? આ પત્ર પ્રભાતથી લખવાના શરૂ કર્યો છે ત્યારે માંડ થમતી સંધ્યાએ પૂરો કરી શક્યો છું, ધ્યિા ઢળે છે પણ મારા જીવનની સંધ્યા કેમ ઢળતી નથી! આટલી વ્યથા વેદનામાયે હજી શ્વાસ કેમ ચાલ્યા કરે છે! પત્ર બહુ લાંબો થઇ ગયો, પરંતુ કદાચ આ પહેલા અમે છેલ્લા જ પત્ર હશે. પ્રભુ પાસેરાજ માગું છું પ્રભા હવે તા મોત દે અને એ માનવી જેવા ક્રૂર નથી જ. જરૂર મારી પ્રાર્થના સાંભળશે. ઘરનાને સૌને આશીર્વાદ, જો કે આશીર્વાદની પણ કોઇ કિંમત યુવાનોને મન રહી નથી છતાં અમારાથી અપાઇ જ જાય છે. એજ લિ. તું જાણે છે તે જ, અર્થાત્ હાલાથી વિખુટો પડેલા અને મૃત્યુની રાહ જોતી બેઠલા એક અભાગી વૃદ્ધ.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy