SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૬-૮૨, પ્રે મ ળ ક્યો તિ આજે તે ભષ્ટાચારને ભષ્ટાચાર કહેતાં કેટલાકને સંકોચ થાય છે, પણ પાપ તો પરગટ થાય જ, મારી અટક જોશી છે એટલે નહીં પણ મને દેખાય છે... આ વીસ વર્ષમાં આ દેશ ઘણો મેઢે થવાને * જે વાયાં સમજે એવા નથી તે હા તે સમજશે. તે ૧ કંઈ ખોટું નથી. સારું જ્ઞાન જલદી જલદી મળતું નથી. એની કિંમત અપવી પડે છે. એ થશે તે જાગતી પ્રજાને લીધે, રાજકર્તાને લીધે નહીં. અંગ્રેજ વખતે પ્રજા બેઠી થાય તે માટે કામ કરતા હતા, હવે પ્રજા બંધાય તે માટે કરવું પડશે. તે વેળા ગાંધી જે માણસ પાડ્યો હતો. જેને દેશને માણસે માથાં આપવા તૈયાર હતાં. એ સ્વતંત્રતા જાળવવી વધારે મુશ્કેલ કામ છે. લોકોનું જીવન કસવાળું બનવું જોઈએ. બધા માણસોને ખાવાનું મળે અને પ્રમાણમાં આબરૂભેર જીવન જીવાય એવું વાતાવરણ કરવું. જોઈએ. અત્યારની ઝંઝટમાં પ્રજનું કંઈ સુધરે તે તરફ નજર જતી જ નથી. એમને રોમ શબ્દો કહ્યા કે 'ગરીબી છાઓ કદા કે કંડારીબા હટા’ પણ ગરીબી એ કોઈ ડોશી હોય તો એને ઉંચકીને કયાંક મૂકી આવીએ. દિલહીથી રૂપિયા રેલાવો તે મારે ગામ પહોંચતાં સુધીમાં ૨૫ પૈસા થઈ જાય એટલે ઘસાઈ જાય છે. એનાથી બરકત વધતી નથી. એટલે જાગતા રહીએ. ઈગ્લેન્ડના એક રાજાએ વીસ શિલિંગને કર નાખે તે એ રાજા ચા લર્સ પહેલાને માથું 'ગુમાવવું પડયું. અને પરતાપ દેખાવો કઈએ. તાપ હોય લકને, રાજને નહીં, પણ રાીં તે હજુ ઠાકર-હકરાત જેવું વાતાવરણ જતું નથી. રાજાઓને કાઢી નાખ્યા. રો કંઈ આંસુ સરવા માટે મરણ નથી. માના પ્રમાણે એ બરાબર હતું. પાણી જનું સામંતશાહી વાતાવરણ દિલથીમાંથી હજ જતું નથી. રાજાને દીકરો રાજા! બકરું કાઢયું અને ઊંટ પેરાડશે એવી દશા છે. • રોમાં એક ચોકથી સવાયા અંતુલે, ગુડરાવ, રાંધ્યા જેવાં પાત્રો આવે છે. હું કોઈ દ્રષથી આ કહેતા નથી. આ બધાં નાટકનાં પાત્રો છે. જે ખેતરમાં પેસી, નંદમાં આવી હચી હીંચી કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં સરકાર પૈસા કાઢે તોય આપણાં ભાગમાં કયાંથી? બહુ ખરાબ સ્થિતિ મેં મારા નાનપણમાં જોયેલી છે. એમાં કશું જ બદલાયું નથી એવું હું કહેતા નથી. વિજ્ઞાન અને ટેકને લેજમાં દુનિયામાં આપણે નૌજ નાંબરે છીએ. ધારીએ તે આખું દેશને નંદનવન બનાવી શકીએ; પરંતુ વાડ ચીભડાં ગળે છે રોલે જાગવાની ફરજ પડી છે. ગોખલે કહેતા કે, ગાંધી રોક એ માણસ છે કે જેની હાજરીમાં કશું ખોટું થઈ ન શકે. એક સારો માણસ હોય તે કોઈ ખરાબ કામ કરવાનું હિત કરી ન શકે. રાટ પાડાને માર્યો અને રોળ પડ્યા ફાળેશ્વરની પીઠે. ગામમાં એવા માણસે હોવા જોઈચો, તાલુકામાં રહેવા માટે સે હોવા જોઈએ, જિલ્લામાં એવા માણસો હોવા જોઈએ કે જેથી દુર્જન માણસની ટુ કરવાની હિંમત ન ચાલે. મારા ગામમાં ત્રણ-ચાર માણસે એવા હતા કે ગામમાં કોઇ ભૂખે મરે એની એમને શરમ આવતી. આ આપણે દેશ છે. મારા ગામમાં, મારો તાલુકામાં આવા માણસે થાય એવું તેજ પ્રગટાવવું એટલે જાગ્યા કહેવાઈએ. આપણને ઈશ્વરે નર આપે છે. આપણે દેખતા થઈએ તે આ દેશને લગીરે ઈજા થવાની નથી. [‘નિરીક્ષકમાંથી સાભાર) સુખ ન જાણું, દુઃખ ન જાણું- લાભ કે હાનિ લગાર એક હું જાણું નયણે તારા પ્રેમને પારાવાર . મકરન્દ દવે નમળ જ્યોતિ ” તરા ચવિહીને રોલ આપી એમની રોજગારીનું સાધન ઊભું કરી એમને પગભર કરવાનું કાર્ય ચાલે છે. સ્ટોલ માટે જગ્યા અનિવાર્ય હોય છે. આજે જગ્યાની કેટલી મુશ્કેલી છે એ સૌ જાણે છે. વળી, આ સ્ટોલ માટે મુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, વગેરેની પરવાનગી પણ મેળવવી પડે છે. આમ આ કાર્ય વિકટ છે. આ સ્ટોલ માટે દાનનો જેટલો પ્રવાહ જેથી આવે છે એટલા જોરથી આ સ્ટોલની દિશામાં કામ શકય થતું નથી. દાતાઓ ચાહિન માટેના રટેલનું દાન માનવાની ઈતર પ્રવૃત્તિમાં વાપરવાની અનુમતિ આપે તો કેવું સારું એવું મનમાં આવે છે. આ અંગે ચિંતા અને ચિતન બને ચાલે છે. દરમિયાનમાં એક દિવસ અમારા કમિટી રાભ્ય અને કોર્પોરેટર તથા ઘાટકોપરનીસામાંજિક કાર્યકર શ્રી હરિભાઈ એક મૂંગા, બહેરા યુવાન બહેનને અને એ બહેનના પિતાશ્રીને લઈને મારી પાસે આવ્યા અને કહે, “જુઓ, આપણે આ બહેનને ઘાટપરમાં એક સ્ટોલ આપવાને છે. જેથી મેં નક્કી કરી છે. આ બહેનના પિતાશી રૂ. ૨૫૦૦/- સ્ટોમાં ચીજવસ્તુઓ વેચવા માટે આપો. આપણે રૂ. ૩૫co - જેમ એક અંધના સ્ટોલ માટે ૨ાપીર છીએ એમ ૨ ૨કમ મંગ-દહેરી બહેનને સ્ટેલ ખર્ચા પેટે આપવાની છે,” હરિભાઈને નો પાડવાનો પ્રશ્ન જ ન હતાપરંતુ જે દાને છે એ તે અંધના સ્ટોલ માટે છે તે શું કરવું એની વિમાસા.માં હું મારી દુકાને એક સવારે બેઠો હતે- અને ત્યાં જ એક મિત્ર આવ્યા. મને કહે –'પ્રબુદ્ધ જીવનમાં તમે દાદરમાં એક અંધ પારસીભાઈને સ્ટોલ આપે એની વિગત વાંચી. મારે મારી બાના કામથી :પિયા ૩૫૮૮ - આ૫વા છે - અને લ્યો આ રૂપિયા ૩૫cc આમ કહી મિત્રે રૂ. ૩૫૦૦- મારા ટેબલ ઉપર મૂકમ - અને મારી વિમાસણનો અંત આવે કે કેમ એ દિધા સાથે મેં મિત્રને કહ્યું: “જુઓ, આ રકમ એક ગી-દહેરી બહેનને સ્ટોલ અપાવિવામાં વાપરીએ તે કેમ?” અને પ્રત્યુત્તરમાં પ્રોત્સાહન મળ્યું“અરે- તમારે જે કામમાં વાપરવા હોય એ કામમાં વાપરવાની છૂટ છે.” ખરેખર – ઈકવરની કેવી કુપા છે! માનવતાના કાર્યમાં એ પણ કેવું સુરત સાંભળે છે. મને મકરંદ દવેની બે પંકિતઓ યાદ આવી ગઈ - આખા રે પંથ અમે જોયું- ન કોઈ, પણ કોઈ હતું સાથે મેં સાથે, - ચીમનલાલ જે. શાહ મંત્રી, મુંબઈ જૈન યુવક સંઘ “પ્રેમળ જ્યોતિ”ને ભેટ: - જૈન સેશ્યલ ગ્રુપ્સ ફેડરેશનના પ્રમુખ શ્રી સી. એન. સંઘવીએ તેમના પુત્ર ચિ. રાજુના લગ્નની ખુશાલીમાં “પ્રેમળ તિ"ને રૂ. ૫૦૦૦/- પાંચ હજરની ભેટ આપી છે. એ માટે જૈન યુવક સંઘ વતી અમે તેમને આભાર માનીએ છીએ. પ્રેમળ જ્યોતિ ને બીજા ફા. ૩,૫૦૦ શ્રીમતી ચંપાબહેન લકમીચંદ વેરાના નામે તેમના પુત્ર તરફથી મળ્યા છે. તેમને પણ અમે આભાર માનીએ છીએ. ' શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અભ્યાસ આગામી કાર્યક્રમ વકતા :- શ્રી રામુ પંડિત વિષય:- તરતી વિદ્યાપીઠ [Floating University નાં વિદેશ પ્રવાસનાં અવનવા અનુભવે સમય:- તા. ૧૦-૬-૮૨ ને ગુરૂવાર સાંજે ૬-૧૫ સ્થળઃ- પરમાનંદ કાપડિયા સભાગૃહ સે મિત્રોને સમયસર ઉપસ્થિત થવાનું પ્રેમભર્યું નિમંત્રણ છે. સુબોધભાઈ એમ. શાહ કેવીનર, અભ્યાસ વર્તુળ
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy